SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ રજી નં. ખી ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪ પબુ જીવ પ્ર, જૈન વર્ષ ૧૪–પ્ર. જીવન વર્ષ ૨ અક સુબઈ, સપ્ટેમ્બર ૧ ૧૯૫૪,બુધવાર આફ્રિકા માટે શાલિગ દ્ર untitliersecretrains તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા veename mentions સ્વસ્થ માણસને બે ફેફસાં હાય છે. બન્ને યોગ્ય રીતે કામ કરે ત્યારે જ જીવનને સંવાદ સચવાય છે. એક બગડે, નબળુ પડે કે કાઢી નાંખવામાં આવે ત્યારે જીવન ચાલતુ હાય તાય તે એક રીતે બહુ પામર ને પાંગળા જેવું બની જાય છે. વ્યકિત-ધર્મ અને સમાજધર્મની પણ કાંઇક એવી જ દશા છે. કોઇ વ્યકિત જ્યારે અંતમુ ખ થઇ પોતાની શક્તિને વિકસાવવા ઇચ્છે ત્યારે તેને માટે પહેલું કામ એ હાય છે કે પોતાનામાં રહેલી ખામીઓને ટાળે; પણ સાથે જ તેણે ખરેખર શકિતઓ વિકસાવવી હાય તો તેને ખીજું એ કામ કરવાનું હાય છે કે, તે પોતામાં રહેલી શકિતઓને વધારેમાં વધારે વિવેકપૂર્વક યોગ્ય માર્ગે વાળે અને તેના ઉપયોગ કરે. આમ કરે તે જ એના વૈયકિતક ધમ સચવાય અને વિકાસ પામે. સમાજધમ ની પણ એ જ રીત છે. કાઇ પણ સમાજ સખળ થવા ઇચ્છે ત્યારે તેણે નબળાઇઓ ખંખેરવી જ રહી. પણ તે પરિસ્થતિ પ્રમાણે શક્તિઓને કામમાં ન લે તા એ નબળાઈઓ ખંખેરતી દેખાય છતાં પાછલા બારણેથી દાખલ થતી જ રહે છે અને પરિણામે એ સમાજ ક્ષીણુ જેવા જ ખતી રહે છે. શ્રી સુબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક મહેશ ઃ ત્રણ આના પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાગ (સૌરાષ્ટ્રમાં સેાનગઢ ખાતે શ્રી. મહાવીર જૈન રત્નચારિત્ર આશ્રમ નામની સંસ્થાએ થેડા સમય પહેલાં પાતાના રજતમહાત્સવ ઉજા, એ સંસ્થાના મૂળ સ્થાપક શ્વે. મૂ. મુનિશ્રી ચારિત્રવિજયજી અને સ્થાનકવાસી મુનિશ્રી રત્નચંદ્રજી હતા. આજે એ બન્ને મહાપુરૂષ! વિદેહ થયા છે અને એ સંસ્થાનુ' સંચાલન મુનિશ્રી કલ્યાણચંદ્રજી તથા મુનિશ્રી ગુલાબચંદ્રજી કરે છે. આ સંસ્થા એક પ્રકારનું છાત્રાલય છે અને તેમાં માધ્યમિક ધારણામાં અભ્યાસ કરતા એસ. એસ. સી. સુધીના લગભગ સો એક જૈન વિદ્યાર્થીઓને ખાવા પીવા રહેવા વગેરેની સગવડ આપવામાં આવે છે અને ભણવા માટે આ વિદ્યાર્થી આ ગામની હાઈસ્કૂલમાં જાય છે. આ સંસ્થા તરફથી એક સુન્દર રજત મહેાત્સવ અંક પ્રગટ કરવામાં આવ્યા છે અને આ અંકમાં સંસ્થાને લગતી જરૂરી માહિતીઓ, સંસ્થાના મુખ્ય સૂત્રધારા સ્વ. મુનિશ્રી સાિિવજયજી અને વિદ્યમાન મુનિશ્રી કલ્યાણચંદ્રછને પરિચય । કરાવતી કેટલીક હકીકતા, તે ખન્નેના તેમ જ અન્ય વિદ્વાનેાના કેટલાક લેખા તથા સ્થાને લગતી કેટલીક છીએ આવી વિપુલ સામગ્રીના સમાવેશ કરવામાં આવ્યા છે. આ અંક (કિંમત રૂ. ૫) સસ્થાના સંચાલકને સે।નાગઢ લખવાથી મળી શકશે. આ અંકમાં પડિત સુખલાલજીના લેખના નીચેના ઉપયાગી વિભાગ ઉધ્ધત કરવામાં આત્મ્ય છે. આ લેખ જૈનપરપરામાં રહેલી નિવૃત્તિધર્મની એકાંગી કલ્પના સામાજિક પ્રગતિમાં કેટલી ખાધક નીવડી છે, શક્તિશાળી પુરૂષાના પુરૂષાર્થને ફાલવા ઝુલનામાં કેવી અન્તરરાચરૂપ ખની છે, અને તેના અનુસંધાનમાં નિવૃત્તિમાં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ એ પ્રકારની સમયસાધનામાં પ્રચલિત નિવૃત્તિવિચારનું 'રૂપાન્તર કરવું શા માટે આવશ્યક છે તે સબધે આપણને સ્પષ્ટ માર્ગદર્શન કરાવે છે. માન) ધર્મના ઇતિહાસ તપાસીએ તા એમ જણાય છે કે ક્યારેક તે વિશેષ મહિલક્ષી બને છે અને કયારેક અંતરલક્ષી. જ્યારે સાચા અર્થમાં ધર્મ આંતરલક્ષી હોય છે ત્યારે તે મુખ્યપણે વ્યકિતમાં વિકાસ પામે છે. કોઇ એક વ્યક્તિ ખરેખર અંતરલક્ષી હોય ત્યારે એની આસપાસ સમાજ આકર્ષાય છે. સમાજમાનસ એવુ છે કે તેને સતાથવા સ્થૂળ પણ રસદાયક પ્રવૃત્તિઓ જોઈએ. એ વલણમાંથી અંતરલક્ષી વ્યકિતની આસપાસ પણ ક્રિયાકાંડા, ઉત્સવા અને વિધિવિધાનાની જમાવટ થાય જ છે. આ જમાવટનું જોર વધતાં જ્યારે અંતરલક્ષી વલણુ મંદ થઇ જાય છે, કે કયારેક સાવ ભુંસાઈ જાય છે, ત્યારે વળી ક્રાઇ વિરલ વ્યકિત એવું વલણુ આણવા પ્રયત્ન કરે છે. એ પ્રયત્નમાંથી પાછા એકાદ નવા કાંટા જન્મે છે અને કાળક્રમે તે કાંટામાં પણ સમાજમાનસ પોતાને અનુકૂળ હોય એવા ક્રિયાકાંડા અને ઉત્સવા યેાજે છે. આમ ધર્મવૃત્તિને સતાષવાના પ્રયત્નમાંથી જ નિવૃત્તિ અને પ્રવૃત્તિની એ બાજુ ઉભી થાય છે. કયારેક અને G C સાથે ચાલે છે, ક્યારેક એકનુ પ્રાધાન્ય હોય તો કયારેક અને પરસ્પર અથડાય છે. જૈન પરંપરા મૂળે અંતરલક્ષી અને તેથી કરીને વ્યકિતગત નિવૃતિ–બાજુમાંથી શરૂ થઇ છે. હિંસા ન કરવી, મનને નિગ્રહ કરવા, ઉપવાસ અને બીજા એવા વૃ-તા દ્વારા તપ સાધવું એ બધું નિવૃત્તિમાં આવે છે. નિવૃત્તિને આશય મૂળે તે ચિત્તગત દોષોને રાકવાને જ છે, પણ એવી સૂક્ષ્મ સમજ કાંઇ સૌને હાતી નથી. એટલે સામાન્ય રીતે નિવૃત્તિની શરૂઆત જુદી રીતે થાય છે. જે જે નિમિત્તો દોષના પોષક થવા સંભવ હોય તેને ત્યજવા એ નિવૃત્તિના સ્થૂળ અર્થ અસ્તિત્વમાં આવે છે. આ અર્થ સમાજગત રૂઢ થતાં કાંઈક એવું જ વાતાવરણ સર્જાય છે કે, જ્યારે કોઇને પણ ધર્મની ભૂખ જાગે ત્યારે પ્રથમ એવાં નિમિત્તો ત્યજવા તે તૈયાર થાય છે પણ જેમ એકજ ફેફસાથી જીવન સ્વસ્થપણે નથી ચાલતું તેમ માત્ર તેવાં નિમિત્તો ટાળવાથી વૈયકિતક કે સામાજિક ધર્મનું જીવન નિર્વિકારપણું નથી. ચાલતું. કારણ એ છે કે જે નિમિત્તો દોષના પોષક માની ત્યજ વામાં આવે તે નિમિત્તો કાંઇ એકાંત ઢાષના પોષક બને જ એમ નથી હેતું. દોષનું મૂળ ચિત્તમાં હાય છે. જો એ મૂળ કાયમ હાય તો જ એવાં નિમિત્તો દોષનાં પોષક બને છે. જો એ મૂળ ચિત્તમાં ન હોય કે અલ્પ હાય તેા તેટલા પ્રમાણમાં બહારના નિમિત્તો પણ દોષના પોષક નથી થતાં કે ઓછાં થાય છે. એ જ રીતે ચિત્તગત દોષો ઓછા કરીએ તેની સાથે સાથે ચિત્તની શકિતઓને વિકસાવવા, અઢલાવવા, અને તેનાં લોકહિતકારી પરિણામે લાવવા માટે પણ એજ બાહ્યનિમિ-તા” ઉપયોગી બને છે. ચિત્તગત દ્વેષને કારણે જે સાધના વ્યકિત કે સમાજને નીચે પાડે છે તે જ સાધના ચિત્તશુધ્ધિ અને વિવેક જાગતાં વ્યકિત અને સમાજને ચઢવામાં ઉપકારક બને છે. આ વસ્તુ ભુલાઈ જવાથી નિવૃત્તિની બાજી પ્રાળ થાય છે, ત્યારે બાહ્ય ત્યાગ ઉપર ભાર અપાય છે અને પરિણામે શકિતવિકાસ રૂધાઇ જાય છે. એક બાજુથી અંતરગત દોષો કાયમ હોય છે અને બીજી ખજીથી જીવનની સાધક શક્તિને વિકસાવવા જોતુ પ્રવ્રુત્તિક્ષેત્ર મળતું નથી.
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy