________________
તા. ૧૫-૧-૧૯૫૪
પ્રબુધ્ધ જીવન
પાકીસ્તાન હિંદુ મુસલમાનના વિખાદમાંથી ઉભું થયું છે. તેની પાસે કાઇ આદશ નથી કે કાષ્ટ નીતિ નથી. તત્કાલ જે કાં પોતાના સ્વાર્થમાં દેખાય તે સાધવું અને તે સાધતાં ગમે તેવાં સાધના અખત્યાર કરવા-આ તેની નીતિ અને આ તેની રીતિ છે. કાઇ પણ વચન તેને બાંધતું નથી. હિ વિરાધી ચાલુ પ્રચાર એ તેને સતત જીવન વ્યવસાય બન્યો છે. કાશ્મીર કાઇ પણ રીતે પોતાની હકુમત નીચે લાવવું એ તેની મુરાદ છે. યુનાઇટેડ સ્ટેટ્સને પણ પાકીસ્તાન તેમજ કાશ્મીરમાં રશીઆ સામે લશ્કરી મથકા જોઈએ છીએ. શેખ અબદુલ્લા દ્વારા ઉભી કરવામાં આવેલી તરકીબ નિષ્ફળ જવા બાદ યુનાઇટેડ સ્ટેટ્સ અને પાકી સ્તાન વચ્ચે લશ્કરી સમાતીની વાતે શરૂ થઈ છે. યુનાઇટેડ સ્ટેસના જોરે પાકીસ્તાન કશ્મીર તામે કરવા ધારે છે. રશી સામે હિંદે યુ. એસ.ને અનુકુળતા આપવાની ના કહેવાના પરિણામે પાકીસ્તાનને પેાતાની જાળમાં સપડાવવાની ચાલબાજી અમેરિકા તરફથી શરૂ થઇ છે અને કાશ્મીરભુખ્યુ. પકીસ્તાન આ જળમાં સપડાયું છે. અનુ પિરણામ પેાતાની આઝાદી ઉપર કેટલુ આવે, આખા એશીઆની સુલેહ શન્તિ કેટલી જોખમાય, અમેરિકા અને રશીઓ વચ્ચે ચાલી રહેલ ભારેલા અગ્નિ મક યુધ્ધ ભારેલુ ધરઆંગણે નોતરવાથી પેાતાને ત્યાં તેમજ આસપાસ કેવી વિષમ પરિસ્થિતિ ઉભી થાય એ ધ્યાનમાં લેવા જેવી લાંબદાર દૃષ્ટિ પાકિસ્તાનના આગેમના પાસે છેજ નહિ. એ તે એ ચાર માફ્ક યુ. એસ. ની લશ્કરી મદદ અને કાશ્મીર ઘડીના છઠ્ઠા ભાગમાં પોતાના ખેાળામાં—ત્રીજા વિશ્વયુદ્ધ ફાટી નીકળશે ત્યારે જોયુ જાશે-આવી ટુકી ગણતરી ઉપર પાકીસ્તાન આજે દોડી રહ્યું છે. યુ. એસ. પણ આ માર્ગે જવામાં એક પ્રકારની યુધેલછા અથવા તે ભયંત્રસ્તતા દાખવી રહેલ છે. પોતાની સમૃદ્ધિ અને લશ્કરી તાકાત વડે આખા વિશ્વને આશ્ચન્ત કરવાની તે વિરાટ ચેષ્ટા આચરી રહેલ છે.
૧૬૬ ક
ઉપર આપણે ચાલીએ; સત્યમેવ નયતે એ સૂત્રમાં આપણી શ્રધ્ધાને સુદૃઢ કરીએ; હિંદની દૃષ્ટિ, વૃત્તિ અને નિષ્ઠા સાચી છે તે વિજય હિંદનો જ છે એવી આપણી પ્રતીતિ હા ! અંગ્રેજી શિક્ષણમાધ્યમ ધરાવતી નિશાળેને મુબઈ સરકાના હુકમ
હિન્દ માટે એક નવી ચિન્તાજનક પરિસ્થિતિ આ નવા લશ્કરી કાલ કરારને અંગે જરૂર ઉભી થઇ છે. આ પરિસ્થિતિ સવિશેષ આન્તરિક સંગઠ્ઠન અને સજાગપણાની અપેક્ષા રાખે છે. આથી આપણે વધારે સચેત બનવાની અવશ્ય જરૂર છે, પણ ગભરાવાની ભયવિઠ્ઠલ બનવાની જરા પણ જરૂર છે જ નહિ. વિશ્વની ધટના અંકગણિતની ગણતરી મુજબ નિર્માણ થતી નથી. એશીમાં ચીનની પ્રતિકુળતા તે અમેરિકા સામે ઉભી જ છે. હિંદ આખાને પણ આ રીતે પ્રતિકુળ બનાવવામાં પાકીસ્તાન તેમજ અમેરિકા જેવુ માપ ન થઇ શકે એવુ જોખમ ખેડી રહેલ છે. એશીઆ આજ સુધી સ્વસ્થ અને શાન્ત હતું. કારીઆનુ યુધ્ધ મર્યાદિત ક્ષેત્રને વરેલુ હતુ. આજે જેમ યુરપમાં છે તેમજ એશીઆમાં એક નવી સ્ફોટક પરિસ્થિતિ પેદા થઇ રહી છે. આની જવાબદારી પાકીસ્તાન અને યુ. એસ. ની છે. આના પરિણામે અનેક સ્થિર તત્વા અસ્થિર બનશે; કાશ્મીરના ઝગડાની પતાવટ લગભગ અશક્ય જેવી અની જશે; રશીઓને આક્રમક નીતિ ધારણ કરવાની ક્રૂરજ પડશે; પાકીસ્તાન અને યુ.એસ. ઉભયની આ સંયુકત ગુંડાગીરીના આખી દુનિયા ઉપર પ્રભુળ પ્રત્યાધાતા પાશે; ત્રીજા વિશ્વયુધ્ધની કટાકટી વધારે તીવ્ર અને સમીપગામી બનશે. ગમે તેવા વિપરીત સયોગમાં પણ આ કટોકટી વારવા ભારત શક્ય તેટલા પ્રયત્ન કરશે. ભારતને મા સચ્ચાઇના છે, સુલેહ શાન્તિને છે, દબાયલાને ઉંચે લાવવાના, અને બળતાને ઠારવાન છે, માણસ ગમે તેટલા પ્રપંચો કરે, દાવપેચ ખેલે, પાશવી તાકાતના જોરે શેખચલ્લીના કીલ્લા ખાંધે અને સફળતાની કલ્પનાપૂર્વક મનમાં રાચે, પણ વિધાતાની ગતિ ગહન છે; ઇશ્વરી નિર્માણુના ભેદને કાઇ પામી શકતું નથી. ‘થતો ધર્મસ્તતો નથ” એ સિધ્ધાન્ત
જે નિશાળામાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી છે તે નિશાળામાં હવે પછી એગ્લો-ઇન્ડિયન માળા તેમ જ ખીન-એશીયન પ્રજાના વિદ્યાર્થીએ સિવાય અન્ય કોઈ વિધાથી એને દાખલ ન કરવા એ પ્રકારના મુંબઇ સરકારે તેવી હાસ્કુલેને હુકમ કર્યાં છે. આ હુકમે ખાસ કરીને મુંબઈ બાજુ વસતા અમુક વર્ગોમાં ભારે ક્ષોભ પેદા કર્યાં છે અને આ હુકમ રાજ્યબંધારણ વિરૂધ્ધ છે એવા પણ કેટલાક લેાકાએ પોકાર ઉઠાવ્યો છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સબંધમાં મુંબઇની હાલની કૉંગ્રેસ સરકાર ૧૯૪૮ માં સત્તા ઉપર આવી ત્યારથી તેણે જે નીતિ અખત્યાર કરી છે તેના અનુસંધાનમાં આ હુકમ ઉચિત અને સમયસરનો છે. ૧૯૪૮ માં અંગ્રેજી શિક્ષણ માધ્યમ વાળી નિશાળાને જણાવવામાં આવ્યું હતું કે જેની માતૃભાષા પ્રાદેશિક ન હેાય અથવા તેા જેની માતૃભાષા અંગ્રેજી હોય તેવા જ વિધાર્થીઓને આ પ્રકારની નિશાળમાં સાધારણ રીતે દાખલ કરવા. ૧૯૫૨માં આ બાબતમાં વધારે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જે વિધાર્થીઓના માબાપ અથવા વાલીઓની માતૃભાષા અંગ્રેજી હેય એવુ* પ્રમાણપત્ર રજુ કરવામાં આવે, જે વિદ્યાર્થીઓ આ પહેલા અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા હોય, જેમને પેાતાના નિવાસસ્થાનના એક માઇલના પરિધમાં પેતાની માતૃભાષા · દ્વારા શિક્ષણ પામવાની સગવડ ન હોય અને જેમનાં માબાપે કે વાલીઓ માટે નોકરીના કારણે એક પ્રદેશમાંથી અન્ય પ્રદેશમાં બદલી થવાના ચાલુ સભવ હાય-માત્ર આ કક્ષાનાં બાળકો યા વિદ્યાર્થીઓને અંગ્રેજી દ્વારા ભણાવતી નિશાળામાં દાખલ કરવા.
આ બાદ સેકન્ડરી એજ્યુકેશન કમીશનનો રીપોટ બહાર પડયા. તેણે ભલામણ કરી કે માધ્યમિક શિક્ષણના સ ધરણેામાં માતૃમષા અથવા તે પ્ર દેશિક ભાષા જ શિક્ષણનું માધ્યમ હોવું જોઇએ. વિશેષમાં ઉપર જણુ.વેલ છુટાના ખૂબ દુરુપયોગ થઇ રહ્યો છે અને અનેક માબાપો અને વાલીઓ પોતાના છેકરાઓને આવી નિશાળમાં ભણાવવા ખાતર માતૃભાષા પોતાની અંગ્રેજી નહિ હોવા છતાં અંગ્રેજી હેાવાનાં ખાટાં પ્રમાણપત્રા રજુ કરે છે એમ મુંબઈ સરકારને માલુમ પડયું. પરિણામે આ બાબતમાં મક્કમ વલણ લેવાની જરૂર લાગતા મુંબઇ સરકારે ઉપર મુજબનો હુકમ અંગેજી માધ્યમ વાળી નિશાળેાના પ્રીન્સીપાલા તથા વ્યવસ્થાપકા ઉપર મેકલ્યો . છે. આવી નિશાળામાં આજે ભણતા એંગ્લો-ન્ડિયન કે અન–એશીયન માબાપનાં સન્તાન ન હેાય એવા વિદ્યાથી ઓને ચાલુ રાખવાની પ્રસ્તુત હુકમમાં છુટ આપવામાં આવી છે. વળી આવી નિશાળે ને સરકાર તરથી મળતી મદદોમાં કશે પણ ધટાડો નહિ કરવાની સરકારે ખાત્રી આપી છે. આ બાબતમાં બીજા પણ જરૂરી અપવાદો સરકારે પોતાના હુકમમાં અન્તત કર્યો છે. હિંદના નવા અંધારણ મુજબ અન્ય કોની સંસ્થાઓ માફ્ક એંગ્લો ઇન્ડિયન સ્કુલે માટે પણ ૪૦ ટકા એંગ્લો-ઇન્ડિયન ન હેાય એવા વિદ્યાથી ઓને દાખલ કરવાનું હવે ફરજિયાત બન્યું છે. આવા વિદ્યાર્થીઓને હિંદી યા કાઇ પણ પ્રાદેશિક ભાષા દ્વારા શિક્ષણુ આપવાની વ્યવસ્થા ઉભી કરવા આ એ ગ્લો ઇન્ડિયન સ્કુલોને મુંબઇના કેળવણી પ્રધાને અનુરોધ કર્યો છે અને તે માટે વધતા ખચ ને પહોંચી વળવામાં મદદરૂપ થવાની મુંબઇ સરકારે આારી બતાવી છે.
અંગ્રેજી હકુમતથી મુક્ત થવા બાદ સૌથી વધારે મહત્ત્વના કાઈ પણ પ્રશ્ન ઉભા થયા હોય તે તે દેશમાં અપાતા સમગ્ર