________________
Co
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૮-૫૪
આવામાં જ પસાર જો ખરી જાય છે અને તે તાજેતરમાં
શી? તેઓ નિદીનના
યાત્રાનું ભાતું ભૂદાન યજ્ઞનું કામ શરૂ કરવાની વિનેબાએ મને સલાહ આપી ત્યારની આ વાત છે. સેવાપુરીના સર્વોદય સમેલન પછી એકાદ અઠવાડિયું હું વિનેબા સાથે યાત્રામાં જોડાયા હતા. એ એક અઠવાડિયા દરમ્યાન મારા મનના અનેક પ્રશ્નોના જવાબ મને મળી ગયા હતા, મારે વિનબાને એ પ્રશ્નો પૂછવા પણ નહોતા પડયા. મારા જેવા જ સવાલો બીજા અનેક સાથીઓના મનમાં હતા. તેઓ પ્રશ્ન પૂછતા અને એમને મળેલા જવાબથી મને પણ જવાબ મળી જતા. કેટલીક વાતને પ્રત્યય તે પ્રત્યક્ષ દર્શનથી જ થઈ ગયો. વિનેબાને પગલે પગલે ઉત્તર પ્રદેશનાં ગામડાંના લોકોને મેં જાગતા જોયા. સ્વરાજ પછી પહેલી વાર જનતાની વાણીમાં મને આત્મવિશ્વાસને રણકાર સંભળાય અને બધી રીતે એ તે સ્પષ્ટ થઈ ગયું કે આ
જ કામ કરવા જેવું છે. છે પરંતુ એક પ્રશ્ન મને સતાવી રહ્યો હતો. હું જોતા હતા કે વિનેબાની આ યાત્રા હૈયે હૈયે સુતેલા રામને જગાડવાની પ્રક્રિયા છે. અને એની પાછળ માનવ માત્રમાં રહેલા “રામ” વિષેની તેમની શ્રધ્ધા છે. પિતાને મતની ધમકી આપવા આવનાર માણસમાં પણ જેને પિતાના “રામ” ના દર્શન થયાં હતાં, તેને ભૂમિવાન અને ભૂમિહીનના હૈયામાં રામના દર્શન થાય એમાં નવાઈ શી ? તેઓ હૃદયશાયી ભગવાનને જગાડવાની વાત કરે તે એમને મઢે એ શોભે પણ ખરી, પરંતુ મારે મેઢે ? હું એમના જેવી ઉભરાતી આસ્તિતા લાવું કયાંથી ? આ જ મારી મૂંઝવણને વિધ્ય હતો
એમની પાસેથી વિદાય લેવાનો દિવસ આવ્યું ત્યારે મેં મારી મૂંઝવણ એમની આગળ રજૂ કરી દીધી. મેં એમને પૂછ્યું “હું નાસ્તિક છું એમ તે ન કહેવાય. પણ મારામાં તમારા જેવી ઉભરાતી આસ્તિકતા નથી. છતાયે ભૂદાનનું કામ કરવાની મારી ગ્યતા ગણાય ખરી?”
વિનોબાએ મને વળતે પ્રશ્ન પૂછયો. “ઈશ્વર જેવી કે અવ્યકત શકિત છે કે નહીં એ ચર્ચા જવા દઇએ. પણ ભલાઈમાં તને વિશ્વાસ છે કે નહી ?” ..
મેં હા પાડી. દરેક માણસમાં કાંઈકને કાંઈક ભેલાઈ તે પડી જ હોય છે એવો મને વિશ્વાસ હતા, - વિનોબાએ તરત કહ્યું “એનું નામ જ આસ્તિકતા. ભૂદાનના કામમાં માણસમાં રહેલી ભલાઈ શેાધવા સિવાય બીજું શું કરવાનું છે?”
મને આરિતકતાની વ્યાખ્યા મળી ગઈ. ત્યાર પછીની હજારે માઇલની પદયાત્રામાં એ દિવસના સંવાદે મને ભાતું પૂરું પાડ્યું છે.
નારાયણ દેસાઈ પ્રકીર્ણ નોંધ નીરનું વેચાણ બંધ કરે!
મુંબઈ આસપાસ તાડનાં પુષ્કળ વૃક્ષે છે. આ વૃક્ષમાંથી નાળીયેરના પાણી જે નીરા નામને રસ નીકળે છે. આ રસ વહેલી સવારે તાડના ઝાડમાંથી કાણું પાડીને કાઢવામાં આવે છે. આને એક સ્વાદિષ્ટ તેમજ શક્તિવર્ધક પીણા તરીકે ઉપયોગ થાય છે. આ નીરાને આઠ દશ કલાક રાખી મૂકવામાં આવે છે તેમાં માદકતા આવે છે અને પછી તે તાડીનાં નામે ઓળખાય છે, જે એક પ્રકારને મધ જ છે. આ નીરામાંથી તાડ-ગોળ બનાવી શકાય છે અને તેને શેરડીના ગેળ જે ઉપયોગ થઈ શકે છે. મધનિષેધના કાયદાના પરિણામે નીરાની તાડી બનાવીને વેચી શકાય નહિ કે પી શકાય નહિ. તાડ ઉપરથી નીરા ઉતાર્યા બાદ ત્રણેક કલાક સુધી
તેમાં કશી વિક્રિયા પેદા થતી નથી. ગ્રામદ્યોગના એક અંગ તરીકે નીરા તથા તાડગોળના ઉત્પાદનને લેખવામાં આવે છે. આ નીરા અને તાડગોળના ઉત્પાદન અને વેચાણનું કામ શરૂઆતમાં મુંબઈ સરકાર કરતી હતી, પણ ૧૫ર થી આ કામ મુંબઈ–બેરીવલી ખાતે આવેલ કેરા ગ્રામોદ્યોગ કેન્દ્ર સંભાળે છે. મુંબઈમાં અનેક ઠેકાણે નીરા કેન્દ્રો આ સંસ્થા તરફથી ખેલવામાં આવ્યા છે. અને સવારના ભાગમાં મુંબઇના લકમાંથી જે ઇચ્છે તેને નીરા પીવા મળે છે. આ કેન્દ્રોના વેચાણ માટે જુદા જુદા માણસેને ઈજારે– લાઇસેન્સ-આપવામાં આવે છે, તેઓ ચોકકસ ભાવે નીરા સવારના અમુક સમય સુધી વેચે છે. વેચાણમાંથી ચોકકસ મળતર આ વેચાણ કરનારને મળે છે. સવારના ચોકકસ સમય બાદ વધે નીરા તેની પાસેથી કાં તો પાછો લઈ લેવામાં આવે છે અથવા તે ઢાળી નાખવાની તેના માથે ફરજ હોય છે. પહેલાં તે આ કામમાં બડ્ડ કમાણી જેવું નહોતું. લેકે પણ નીરા શું તે જાણતા નહતા, અને નીરા કેદ્રો પણ ગણ્યાગાંઠ્યા હતાં. તાજેતરમાં નીરાનાં અનેક કેન્દ્રો ખેલવામાં આવ્યા છે અને વેચાણ કરનાર નીરાને બહુ માટે જ ખરીદે છે. આ બધે નીરા કોના પીવામાં જ વપરાય છે કે તેને દુરૂપયોગ થાય છે અને નીરાની તડી બનાવીને છુપી રીતે વેચાય છે કે કેમ એ પ્રશ્ન અને શંકા અનેકના દિલમાં આજે ઉભી થઈ રહી છે.
મુંબઈ આસપાસના ગ્રામ્ય પ્રદેશોમાં મુંબઈ સરકારને નીરાને મોટા પ્રમાણમાં દુરૂપયોગ થયાનું માલુમ પડવાથી એ પ્રદેશમાં નીરાના લાઈસેન્સ-ઈજારા-નહિ આપવાને મુંબઈ સરકારે નિર્ણય જાહેર કર્યો છે. આ સમાચારથી મુંબઈ શહેર સંબંધમાં પણ ઉપરની શંકા વધારે સુદઢ થાય છે. જે કોટિના માણસને મુંબઈમાં નીરા વેચવાને ઇજા આપવામાં આવે છે તેમને જોતાં જ તેઓ નીરા વેચવાને લગતી સરતે પાળતા હશે કે કેમ અને નીરામાંથી સાડી પેદા કરવાના પ્રલોભનથી મુકત રહી શકતા હશે કે કેમ એ વિષે કેઈને પણ શક આવ્યા વિના રહે તેમ નથી. અને તેથી મધનિષેધને કાયદે નીરાના મુકત વેચાણ દ્વારા સારા પ્રમાણમાં ભંગાતા હેય એવી આશંકા આજે અનેક લેકે સેવી રહ્યા છે. -
વસ્તુતઃ નીરાને છુટથી વેચાવા દે અને તાડીથી લેકેને દુર રાખવા એ અશક્યને શકય ક૫વા જેવી વાત છે. ઇંડાનું વેચાણ કરનાર મરધી વેચવાથી લાંબે વખત દૂર રહી શક્તા નથી. એવી જ રીતે તાડી એટલી બધી કમાણીને વિષય છે કે નીર વેચનારને
તાડી બનાવવાથી દુર રાખવે એ બહુ જ કપરું કામ છે. - આને માટે કાયદા કાનુન કરવામાં આવ્યા છે અને ઇન્સ્પેકટરે રાખવામાં આવ્યા છે. પણ ઈન્સ્પેકટરને પતાવવાનું કામ મુંબઈને ધંધાદારી બહુ સારી રીતે જાણે છે અને કાયદા કાનૂનની શિક્ષા તે ગુન્હો કરતા પકડાય ત્યારે ભોગવવાની છે. નીરાનું તાડીમાં રૂપાન્તર કરવું અને એ છુપી રીતે વેચવું–તે બહુ જ સહેલું કામ છે. પરિણામે એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે મધનિષેધની નીતિને ધારણ કરનાર સરકાર નીરાના મુકત વેચાણને અનુમત કરીને મધનિષેધના કાયદાને અમુક રીતે નેવે ચઢાવવામાં નિમિત્તભૂત તે થતી નથી ને? આ બાબતમાં સારો અને સહીસલામત માર્ગ એજ છે કે જે મધનિષેધના સખ્ત પાલનને મુંબઈ સરકાર આગ્રહ રાખતી હોય તે તેની પૂર્વ ભૂમિકાસમાન નીરાના વેચાણને કાયદાથી સદન્તર બંધ જ કરવું જોઈએ અને નીરાને થઈ શકે તેટલે ગાળ બનાવીને વેચવાને આદેશ કરવા જોઈએ. આ ધંધાના અનુભવીએ એમ કહે છે કે નીરા બંધ કરવાથી તાડગોળનું વેચાણ નફાકારક નહિં રહે, ઉલટું નુક્સાનકારક નીવડવા સંભવ છે. કુદરત તે નીર મફત આપે છે. સરકાર ઇજારાને દર ઓછો કરે અથવા તે તાડગોળના ઉદ્યોગને આર્થિક ટેકો આપે અથવા તે સરકાર પોતે જ