SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દર ઘાણીના ઉદ્યોગ અને શહેરોની જરૂરિયાત ધાણાના તેલના ઉદ્યોગને ગ્રામેદ્યોગમાં અગ્રસ્થાન આપવામાં આવે છે. ગામડાની અથ રચના સાથે આ તદ્ન બધભેસતી વાત છે. પેતાની પાયાની જરૂરિયાતમાં ગામડુ સ્વાવલખી અને એ હેતુ સાથે જ ધાણીના તેલના ગામડાઓમાં વ્યાપક ઉપયોગ થાય એ બધી રીતે સુસંગત છે, પણુ મોટી વસ્તીવાળાં શહેરની તેલને લગતી જરૂર યાતને પહોંચી વળવાનેા પ્રશ્ન માત્ર ધાણીના તેલથી ઉકેલી શકાય એ સંભવિત નથી. આજે તે શહેરના લોકો મેટા પાયા ઉપર તેલ પેદા કરતી ઓઇલ મીલના તેત્ર અને વેજીટેબલ ધી વડે જ પેાતાને નિર્વાહ કરે છે. આ તેલના સ્થાને તાજું પીસેલુ તેલ શહેરના લોકો વાપરતા થાય એ ઇચ્છવા યોગ્ય હોય તે તે માટે ફેક્ટરીના તેલ કરતાં અને બાણીના તેલના સ્થાને જુદી વ્યવસ્થા વિચારવી ઘટે છે. આ માટે શહેરની શેરીએ ના નાકે નાકે એબી એકસપેલર ’ એટલે કે વીજળીથી ચાલતી નાના પાયા ઉપરની યાંત્રિક ધાણી જો ગોઠવવામાં આવે તે લોકો આજે જેમ પોતાના ઘઉં કે આાજરી નજીકની ચકકીએ લઇ જાય છે અને આટા પીસાવીને લઈ આવે છે તેમ પોતાના તલ કે શીંગ લઈ જાય અને પીસાવીને પોતાને જોતું તેલ મેળવી લે. આમ કરવાથી મોટા પયા ઉપરની એઇલ-મીલેની જરૂરિયાત ન રહે, એક કૅન્વસ્થ ઉદ્યોગને વિકેન્દ્રિત રૂપ આપી શકાય, અને ચેોખ્ખુ કે ભેળવાળું તેલ એવા કોઇ પ્રશ્ન ન રહે. આવી ગોઠવણપૂર્વક એકલ મીલમાં પીસાતા તેલ ઉપરથી તાજા તેલ ઉપર લોકોને વાળવાના પ્રયત્ન કરવામાં આવે તે તેમાં જરૂર કાર્યકરાને સફળતા મળે. આજે તયાર આટા મળે છે, એમ છતાં પણ સમજણ ધરાવતા લોકો એવા આટાના ઉપયોગ ન કરતાં પોતાના સાકુ કરેલા સારા અનાજને પીસાવીને આટો મેળવવાનો આગ્રહ રાખે છે. તેવી રીતે તેલ પુરૂ પાડવાની નહિ પણ તેલ બનાવી આપવાની આવી વ્યવસ્થા લોકોને માટે જરૂર આકર્ષક બને. ગ્રામેાધોગની દૃષ્ટિએ આ બરાબર છે કે કેમ એ પ્રશ્ન વિચારવાના રહે છે. કોઇ વીજળીના ઉપયોગ સામે સિધ્ધાન્તિક વાંધા કાઢે, પણ ચોકકસ સંયોગોમાં હવે વીજળીનો ઉપયોગ ગ્રામેનઘોગવાળાઓએ અનુમત કર્યો છે. જેવી રીતે ગામડાંની જરુરિયાત ધ્યાનમાં રાખીને ગ્રામોધોગના વિચાર કરવામાં આવે છે તેવી રીતે શહેરની જરુરિયાતાના વિચાર શહેરની દૃષ્ટિએ કરવા ધટે છે, કંઇ એમ પણ કહે કે શહેરમાં બળદની જ ધાણીના તેલનો વ્યાપક પ્રચાર કૅમ ન કરવા? એક તા પાંચ સાત લાખ તેથી વધારે વસ્તી ધરાવતા શહેરાને કાઇ પણ સંયોગમાં બળદની ધાણીનુ તેલ પુરૂ પાડવુ શકય નથી, ખીજું ગામડામાં જયાં તેલ પીસાતું હોય ત્યાં જ આજીએ તેલ વેચવાની દુકાન હેાય એટલે ઘાણીના તેલમાં યાંત્રિક તેલની મેળવણીના કોઇ ખાસ સભવ ન રહે. પણ શહેરમાં ધાણી એક ઠેકાણે હાય, તેલનો જથ્થો ખીજે ઠેકાણે ભેગા થાય અને તેનુ છૂટક વેચાણુ કરતી દુકાને ચોતરફ હાય આમાં ભેળસેળ થવાની ખૂબ સંભાવના રહે છે. એક જાણીતા કાર્યકર જે આજે વિત નથી તેણે ગ્રામેદ્યોગ દ્વારા પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ મેળવીને ઘાણીના તેલના નામે એલ મીલના સંખ્યાબંધ ડબાઓ ધરાકાને પધરાવ્યા હતા એ મારી જાતમાહીતીના વિષય છે. ઉપર જણ.વેલ વ્યવસ્થામાં સેળભેળને સંભવ જ રહેતા નથી. વાપરનારને તાજામાં તાજુ તેલ મળે છે, આખે ઉદ્યોગ એક ઠેકાણે કેન્દ્રિત થવાને બન્ને અનેક વ્યકિતઓમાં વહેંચાઇ જાય છે. કારા ગ્રામોદ્યોગ સંધ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ અને એવી અન્ય સંસ્થાના સંચાલકોને આ આબત આ રીતે વિચારવા અને જો ગ્રંથ લાગે તેા તેને અમલી બનાવવા વિનંતિ છે. પ્રબુધ્ધ જીવન સૌરાષ્ટ્રના સિંહ આજે ભૂમિશાયી બન્યા ! આ પત્ર છપાઇ રહ્યુ છે એ દરમિયાન તા શનિવાર સવારના ૮૫ વાગ્યે સૌરાષ્ટ્રના આધુનિક ઇતિહાસના એક પ્રમુખ ધડવૈયા શ્રી. અમૃતલાલ દલપતભાઇ શેઠનુ અવસાન થાય છે. Ah-6-૰e તા૦ ૨૩-૭-૫૪ ના રોજ સાંજના તેમના ઉપર એકાએક હૃદયરોગના હુમલા આવ્યો અને જીવન મરણ વચ્ચે ઝાલા ખાતુ એક અઠવાડિયું' તેમણે પસાર કર્યું. ગઈ કાલ સુધી આ કટોકટીને અમૃતલાલ ભાઇ તરી જશે એવી કાંઇક આશા બંધાયલી પણ આખરે એ આશા છેતરનારી નીવડી અને ૬૪ વર્ષની ઉમ્મરે તેમણે આપણી વચ્ચેથી સદાની વિદાય લીધી. તેમના વિષે સવિસ્તર લખવ:ની ઈચ્છા હોવા છતાં ચિત્ત અનેલ ઘટનાના સક્ષેભથી મુકત થઇ શકતું નથી અને તેમની સાથે જોડાયલાં અનેક સ્મરણાને સંકલિત કરી શકાય એવી એકાગ્રતા પ્રાપ્ત કરી શકતું નથી. અમૃતલાલભાઇના પ્રભાવશાળી વ્યકિતત્વને અનેક પાસા હતા. તેમનુ જીવન અનેક આછા ઘેરા રંગથી અને ચડતી પડતીના આરોહ અવરોહથી ભરેલું હતું. તે બધામાંથી ભાવી પેઢીને પ્રેરણા લેવા લાયક મુખ્ય ત્રણ બાબતે. હતી. અસાધારણ શકિત મત્તા, અપૂર્વ નિડરતા, અને કુશળ પત્રકારિતા અને એ બધાંની પાછળ અત્યંત ઉંડી દેશદાઝ હતી. અનેક શૌય ગાથાઓથી ભરેલું તેમનું જીવન હતું. તેમના આત્મા કાવ્યમય હતેા તેમનામાં ન કલ્પી શકાય એવી ઉદારતા હતી, રેતીમાં વહાણ ચલાવે એવી સાહસિકતા અને પુરૂષા હતા. એ મરદ હતા, અનેક મરદમાં પણ એ સિંહ હતા. ગ તેવી આતમાં પણ એના મેઢા ઉપરની સ્મિતરેખા કદિ કમાણી ન હતી, એમના વાત્સલ્યમાં કદિ ઉણપ આવી નહતી. આવી તેજ છાયાથી ચમકતું અનેકમાં મરદાનગી પ્રગટાવતું, નિડરતા અને અલિદાનના પાડો શિખવતું જીવન ભાવી પેઢીને ક ંઇ કાળ સુધી પ્રેરણાદાયી બનશે. તેમનુ નામ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સદાને માટે અમર રહેશે. પરમાનંદ. તા. ૧-૮-૫૪ કા અભ્યાસ કકકા સમ જી≠ગી ના આરંભ કીધા અ’ થકી અહા મેં, અન્ને પહેાંચી 'જ્ઞ' સુધી છતાં યે રહી ખરા જીવનથી જ ‘અજ્ઞ' ! ગીતા પરીખ પ્રબુદ્ધ જીવનના ગ્રાહકોને આપના ચાલુ સહકાર ઉપરજ પ્રભુધ્ધ જીવન નિર્ભર છે. તેથી આપનું લવાજમ પૂરું' થયાના ખબર મળ્યે મનીઓર્ડરથી વિના વિલએ મોકલી આપવા વિનંતિ છે, આમ છતાં પણ ગ્રાહક તરીકે આપ ચાલુ રહેવા ઇચ્છતા ન હેા તે તે મુજબ લખી જણાવવામાં કૃપા કરીને આળસ ન કરશો. આપ ચાલુ રહેવા ઇચ્છે છે એ આશાએ કાર્યાલય તરફથી વી. પી કરવામાં આવે છે અને કાષ્ટ કોઇ ગ્રાહક તરફથી વી. પી. પાછુ આવે છે. આ કારણ વિનાના ખર્ચથી અમને બચાવશે તે અમારી ઉપર કૃપા કરી એમ અમે લેખીશું. વ્યવસ્થાપક, પ્રબુધ્ધ જીવન વિષયસૂચી મારી આશા વીઠ્ઠલદાસ જેરાજાણી સ્વામી આનંદ ગત અને શેતાન સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ નવા મકાનના ઉદ્દઘાટન સમારંભ પ્રકી નોંધઃ શ્રી નવલ જેરાજાણીનું અકાળ અવસાન, જુલાઈની યાદગાર ૨૦ મી તારીખ આચાર્ય શ્રી તુલસી અને જૈનાની એકતા, બ્રાણીને ઉદ્યોગ અને શહેરની જરૂરીયાત, સૌરાષ્ટ્રને સિંહ આજે ભૂમિશાયી બન્યા ! કક્કો નીચલા ધરની સેવા : કપરા અનુભવા અને સફળતા પરમાનદ ગીતા પરીખ *a> ૫૫ ૫૬ પણ હું. '' ૬૩ 8
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy