________________
તા ૧-૮-૫૪.
વિશ્વયુધ્ધ ૧૯૧૮ માં પુરૂં થયું ત્યાર બાદ ૧૯૩૦ સુધી દુનિયા યુધ્ધમુક્ત રહી શકી હતી, પછીના દશકામાં જાપાને ચીન ઉપર આક્રમણ કયું" અને ઇટાલીએ આખીસીની ઉપર ચઢાઇ કરી. અને એ શંકાના છેડામાં બીજું વિશ્વયુધ્ધ ફાટી નીકળ્યું, તે ૧૯૪૫ માં પુરૂ થયું ન થયું, અને કોરીઆમાં યુદ્ધ શરૂ થયું અને એકાદ વર્ષના ગાળા બાદ ઇન્ડો-ચાઇનામાં ત્યાંની પ્રજાનો એક પક્ષ વીએટમીંહ અને ફ્રેંચ સત્તા એ બન્ને વચ્ચે યુદ્ધના મંડાણુ મંડાયા. કારીઆમાં ગયા વર્ષે યુધ્ધવિરામ થયે અને ઇન્ડાચાઇના વિષે ગયા માસની ૨૦ મી તારીખે યુધ્ધ વિરામના કરારનામાં ઉપર નવ રાષ્ટ્રના વિદેશમંત્રીઓએ સહી કરી, આ કરારનામાના પરિણામે માત્ર ઇન્ડો-ચાઈનામાં જ યુધ્ધવિરામ થયા છે એટલુ જ નહિ પણ આખી દુનિયા એક પ્રચંડ યુધ્ધદાવાનળમાં હામાઇ જતાં ઉગરી ગઇ છે. આ શુભ ધટનાથી દુનિયા ઉડી રાહતના, મ ખેંચે છે, સૌ કોઇના ક્લિમાં સુખ શાન્તિ અને આબાદીની કાઇ નવી આશા પ્રગટી છે.
પ્રભુધ્ધ જીવન
અલબત, આ યુવિરામના પરિણામે દુનિયા ઉપર ચિરકાલીન શ્રાન્તિ સ્થપાઇ ચૂકી છે એમ માનીને આપણે ન ચાલીએ. કારણ કે આજે યુધ્ધવિરામ હોવા છતાં પરિસ્થિતિના પ્રસ્ફોટક તત્વા હજી એનાં એ જ વિધમાન છે. હાઇડ્રોજન ખેખથી માંધ બનેલું અમેરિકા હજુ એની એ જ ‘નેટા’ અને ‘સેટા’ની વાત કર્યાં કરે છે અને દુનિયાના રાષ્ટ્રાને પાતના પક્ષે યુધ્ધસજ્જ કરવાની એની એ જ પ્રવૃત્તિ ચલાવી રહેલ છે. એ સત્તાજીયા વચ્ચે અવિશ્વાસ અને લડાયક વળણુ પણ એટલી જ ઉગ્રતા ધારણ કરી રહેલ છે. આમ છતાં પણ ઇન્ડો-ચાઇનાના યુધ્ધવિરામની જીનીવામાં ચાલેલી વાટાઘાટાના પરિણામે એક બાજુ ફ્રાન્સ અને ઇંગ્લાડ અને બીજી બાજી ચીત અને રશીઓ એકમેકની વધારે નજીક આવ્યા છે. શાન્તિ અને સમાધાનીથી બન્ને એકમેક સાથે વાતા કરી શકે અને ગમે તેવા જટિલ કાયડાનુ” નિરાકરણ કરી શકે એવું માનસિક વળણ અને સુભગ વાતાવરણ તે એ વચ્ચે પેદા થયેલ છે. આ પેદા કરવામાં હિંદુના પ્રતિનિધિ શ્રી કૃષ્ણમેનને બહુ મહત્વનો ભાગ ભજો છે, જે જાણીને આપણુ ક્લિ આનંદ અને ગૌરવ અનુભવે છે. યુધ્ધવિરામના કાલકરારનું યથાર્થ અનુપાલન કરવા માટે ત્રણુ રાષ્ટ્રનુ કમીશન નીમવામાં આવ્યુ છે-હિંદ, પોલાંડ અને કેનેડા, અને આ કમીશનનું પ્રમુખ હિંદે ધારણ કરવાનુ છે. આ હકીકત હિંદની શાન્તિનિષ્ઠાની સાચી કદર સૂચવે છે. હિંદું કરીઆમાં આવી જ જવાબદારી ઉપાડી હતી, પણ તે જવાબદારીના પ્રદેશ પ્રમાણમાં બહુ નાના અને થોડા સમયના હતા જ્યારે આ જવાબદારી વધારે ગંભીર, વધારે વ્યાપક પ્રદેશને સ્પર્શતી અને ત્રણેક વર્ષ સુધી ચાલે તેવી છે. શાન્તિના પરમ ચાહક મહત્મા ગાંધીના 'આપણે વારસા છીએ; ગાંધીજીને શાન્તિ સંદેશ જગત્ સમક્ષ રજી કરનાર આપણા સર્વના અત્યન્ત આદરપાત્ર પંડિત જવારલાલ નહેરૂ છે. તાજેતરમાં આઝાદ અનેલ દરેક રાષ્ટ્ર તરેહતરેહની મહત્વાકાંક્ષા સેવી રહેલ છે. પછાત ગણાતા વર્ષાંતે ઉપર લાવવા મથે છે; સમાજની નવરચના કરવા માંગે છે; રાષ્ટ્રનું ઉદ્યોગીકરણ પ્રાચ્યું છે; ધરતીને અદ્યતન સાધના વડે વધારેને વધારે દૂઝતી કરવા ચાહે છે; પાંચ પાંચ વર્ષનાં નિયોર્જન વિચારાય છે; શ્રીમાન અને ગરીબ, જમીનદાર અને ખેડુત, ઉદ્યોગપતિ અને મજુર-આ વર્ગો વચ્ચેની અસમાનતા અને તેટલી ઘટાડવા કાયદા કાનુન ઘડાય છે. આ સર્વની અન્ય રાષ્ટ્રાને અપેક્ષા છે, તેટલીજ હિંદને અપેક્ષાં છે. પશુ સાથે સાથે હિંદના મનારથ વિશ્વમાં સ્થાયી પાયા ઉપર શાન્તિની સ્થાપના કરવાના છે. એ મનારથની સિધ્ધિ પાછળ હિંદુ ગમે તેટલાં જોખમ ખેડવા અને અનાયાસે આવી મળતા લાભો જતા કરવા તૈયાર છે. આ મનોરથ હિંદુ સિધ્ધ કરી શકશે તેા હિંદ પેતાને કૃતાથ માનશે, ગાંધીજીના વારસાને આપણે કાંઇક ચરિતાર્થ કર્યાં એવા આપણે સંતાષ અનુભવીશું.
૧
અને આજની વાસ્તવિકતા પણ એમ જ કહે છે કે શાન્તિના સ્થિર પાયા વિનાની કાઇ પણ આબાદી ગ’જીપાના બગલા જેવી છે, રેતી ઉપર ચણેલા મહેલ સમાન છે. એ શાન્તિના ચણતરમાં આપણુ હિનુ~સદા અગ્રસ્થાન હૈ ! આ જ આપણી કામના હા !' આ જ આપણી પ્રાર્થના હા !
આચાર્ય શ્રી તુલસી અને જૈન સમાજની એકતા.
મુંબઇ સમાચારના ખબરપત્રીને થોડા દિવસ પહેલાં મુલાકાત આપતાં તેની સાથે આચાર્ય શ્રી તુલસીને થયેલી પ્રશ્નોત્તરી ખાસ ધ્યાન ખેંચે તેવી છે. જૈતાની એકતા સંબંધે પ્રશ્ન પૂછતાં આચાયૅ - શ્રીએ જવાબ આપેલો કેઃ—
• એકતા એટલે કે સપ્રદાયા અને ફિરકાઓ એક થઈ જાય એ મને સરળ લાગતું નથી. બધા પ્રકારના વિચારભેદ દૂર થાય એ ભારે કઠિન કાર્ય છે. પરંતુ અવિરોધાત્મક એકતા–પારસ્પરિક મૈત્રીને માટે મારી પાંચ સૂત્રની યોજના છે. એ યોજના એ છે કેઃ—
(૧) ખંડનાત્મક નીતિથી વર્તન ન થાય, પોતપોતાની માન્યતાનુ પ્રતિપાદન કરવામાં આવે. {જા પ્રત્યે મૌખિક કે લેખિત આક્ષેપ કરવામાં ન આવે.
(૨) બીજાના વિચારા પ્રત્યે સહિષ્ણુતા રાખવામાં આવે (૩) બીજા સ ંપ્રદાયના સાધુઓ પ્રત્યે ધૃણુા કે તિરસ્કારની ભાવ નાના પ્રચાર કરવામાં ન આવે.
(૪) સંપ્રદાયપરિવર્તન માટે દેખાણુ કરવામાં ન આવે. સ્વેચ્છાપૂર્વક કોઇ વ્યકિત સોંપ્રદાય પરિવર્તન કરે તે તેની સાથે સામાજિક બહિષ્કાર ઇત્યાદિ રૂપમાં અવાંચ્છનીય વ્યવહાર કરવામાં ન આવે.
(૫) જૈન ધર્મના સર્વ ક્િરકાને માન્ય એવા સિધ્ધાન્તન સગર્હુિત પ્રચાર કરવામાં આવે.
જે કાઇ વ્યકિત જૈનાની એકતા ઇચ્છતી હાય તેના માટે આ પાંચ સૂત્ર જરૂર આદર કરવા ચેોગ્ય-અમલમાં મૂકવા યોગ્ય છે અને તેથી એકતાના આખા પ્રશ્નને સૂત્રાત્મક રીતે રજુ કરવા માટે આચાર્ય શ્રી તુલસીને ધન્યવાદ ઘટે છે, પણ આ એકતાના વિચારને ખરા અર્થ અને ભાવમાં વિકસાવવા અને ફેલાવવા હોય અને આજની પરિસ્થિતિમાં એકતાને ખાધક કલેશનાં કારણાને ખરેખર નાબુદ કરવા હેય તે। આચાર્ય શ્રી તુલસીગણીએ સંપ્રદાયપરિવર્તનને લગતા ચોથા મુદ્દામાં આ રીતે ઉમેરી કરવાની ખાસ જરૂર છે:
“અને સાથે સાથે એ પણ એટલુ' જ જરૂરી છે કે કોઇ પણ સોંપ્રદાયના આચાર્ય કે સાધુ સપ્રદાયંપરિવર્તનને ઉત્તેજે એવી સીધી કે આડકતરી કોઇ પણ પ્રવૃત્તિ ન કરે.”
આ ઉમેશ એટલા માટે `અપેક્ષિત છે કે આજ સુધીના ઇતિહાસ જોતાં માલુમ પડશે કે સપ્રદાયકલેશામાંના ઘણા ખરા કલેશે। આચાંચાની સપ્રદાયપરિવર્તન કરાવીને પોતાનુ અનુયાયી દ્લ વધારવાની ઘેલછામાંથી જ ઉભા થયા છે. વિશાળ ક્ષેત્રે હિંદુ-મુસલમાનને કે નાના ક્ષેત્રે સ્થાનકવાસીતેરાપથીના પ્રશ્ન વિચાર આ બધાની પાછળ પોતાના સંપ્રદાયના ફેલાવા કરવાની વૃત્તિમાંથી જ અનેક ઝગડાઓ પેદા થયા છે. સામાન્યતઃ કાઇ પણ વ્યકિતને પોતાના સંપ્ર દાય છેડવ-ની કે અન્ય સંપ્રદાય અંગીકાર કરવાની છૂટ હાવી જોઇએ.. તેવી જ રીતે દરેક આચાર્યને પોતાના સંપ્રદાયના મન્ત્રબ્યાના પ્રચાર કરવાની પણ એટલી જ છૂટ હોવી જોઇએ. પણ આજની કક્ષાએ સપ્રદાયના આચાર્યાં પોતાના સ ંપ્રદાયિક મન્તવ્યોનો ફેલાવા કરવાની બાબતને ગૌણુ બનાવીને તેના સ્થાને પાંચમાં મુદ્દામાં જણાવ્યું છે તેમ જૈન ધર્મના સર્વ ક્રિકાને માન્ય એવા સિધ્ધાન્તોના સંગદ્ભૂિત પ્રચાર કરવામાં પેાતાની સર્વ શક્તિઓને કેન્દ્રિત કરવાની અને સોંપ્રદાયપરિવર્તનની કોઇ પણ પ્રવૃત્તિથી અત્યન્ત દૂર રહેવાની જરૂર છે. આમ કરવામાં આવશે તા જૈનાની એકતા વધારે સારી રીતે સિધ્ધ થઇ શકશે અને તે આચાયૅનુ અસ્તિત્વ સમાજ માટે વધારે કલ્યાણકારી નીવડરો,