________________
રજીસ્ટડ ન. શ્રી ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂ.૪
પ્ર, જૈન વર્ષે ૧૪–પ્ર. જીવન વર્ષ ૨ એક ઉ
પ્રબુદ્ધ
भुवन
શ્રી મુ`બઈ જૈન યુવક સંઘનુ” પાક્ષિક મુખપત્ર meet તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા musammenceme છુટક નફલ : ત્રણ આના
મુંબઈ, ૧ ઓગસ્ટ ૧૯૫૪ રવિવાર. આફ્રિકા માટે શાલિગ ૮
મારી આશા
(તા॰ ૧૯–૩–૫૪ સામવારના રોજ મુ`બઈના મુખ્ય સચિવ શ્રી મારારજી દેસાઇના હાથે ખાદી ગ્રામેાદ્યોગ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. ખાદી અને ગ્રામોદ્યોગને લગતી હીલચાલ ગાંધીછએ આજથી લગભગ ૩૫ વર્ષ પહેલાં શરૂ કરી હતી. સમયના વહેવા સાથે એ બન્ને પ્રવૃત્તિને ચોકકસ સ્વરૂપ મળતું ગયું' અને તેમાં નવી નવી વિગતે પુરાતી ગઇ. ૧૯૪૭ માં દેશને આઝાદી પ્રાપ્ત થઇ તે છતાં પણ આ બન્ને ખાખાને સરકારી માન્યતા પ્રાપ્ત થઈ નહેાતી. ગયા વર્ષે કે આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રસ્થ સરકારે મીલના અમુક કાપડ ઉપર એક વારે એક પૈસાના કર નાંખ્યા અને તેની આવક ખાદી અને ગ્રામેદ્યોગના વિકાસમાં ખરચવાનું નક્કી કર્યું". આ જ હેતુથી સરકાર તરફથી ખાદી ગ્રામોદ્યોગ માર્ડ ઉભુ* કરવામાં આવ્યું છે અને તેના તરફથી મુંબઈના આખાદ ગણાતા લત્તામાં આવેલ વાઇદ્રેચ લેડલેાના નામથી વર્ધાજીની અને જાણીતી દુકાન કે જેના મુખ્ય વ્યવસાય પરદેશી ચીતે વેચીને દેશનું ધન પરદેશ મેકલવાના હતા તેજ દુકાનને ખાદી ગ્રામેાદ્યોગ ભવનમાં ફેરવી નાંખવામાં આવ્યું છે અને તેના વહીવટની જવાબદારી મુંબઇ ઉપનગર જીલ્લા ગ્રામોદ્યોગ સંધને સુપ્રત કરવામાં આવી છે. ખાદી ગ્રામોદ્યોગને લગતા આન્દોલનમાં આ ભવનનું ઉદ્દઘાટન એ સીમાચિહ્નસૂચક ઘટના છે. સરકારે આ હીલચાલને હવે અપનાવી છે અને પ્રજાએ તેને બને તેટલા ટકા આપવાના છે. આ ભવનના પ્રણેતા ખાદીઆચાર્ય શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણી કે જેમણે આખું જીવન ખાદી અને ગ્રામેાદ્યોગના વિકાસ પાછળ વ્યતીત કર્યું' છે તેમના જ–પ્રસ્તુત પ્રસંગને અનુલક્ષીને ખાદીઔર ગ્રામોદ્યોગ પત્રિકામાં પ્રગટ થયેલા-ઉગારે આ આખી ઘટનાનું ઐતિહાસિક મહત્ત્વ સમજવામાં ઉપયેગી થશે એમ સમજીને અહી" ઉષ્કૃત કરવામાં આવે છે. ચિસેવિત સ્વપ્ન સફળ થયેલુ—મૂર્તિ મન્ત થયેલુ જોતાં આજે શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીને જે આનંદ થતા હો તેવેા આનંદ કોઈને થતે નહિ હાય. વિઠ્ઠલદાસભાઇએ પાતાના લેખમાં વ્યકત કરેલી આશા સંપૂર્ણ અર્થે સફળ થાઓ એવી આપણી પરમાત્માને પ્રાર્થના હે! અને એ આશાને પૂરક એવા આપણુ સર્વને સહકાર હા ! પરમાનદ] એ સ્ટારમાં કેટલીક વખત દરરોજના રૂા. ૧૫ થી ૧૬ હજારની કિંમતનાં વેચાણ મળતાં. એ વખતે કાપડના ભાવ ૬–૭
-
આના વારના હતા.
ચેપન વષઁ સુધી મુંબઇ શહેરમાં મેં કાપડ વેચાણુનુ કામ કર્યું. મુંબઇની જનતા શું ઈચ્છે છે, જનતાના પહેરવેશ શું છે, એને મને આટલાં વર્ષોના અનુભવ છે.
મેં મારી વેપારી કારકીર્દી સન ૧૯૦૦ ની આસપાસ શરૂ કરી. એ વખતે હું પરદેશી કાપડ વેચતા. દરજી ખાર્તાના અનુભવ પણ મને એ વખતે થયા. એ સમયમાં તૈયાર કપડાં ખરીદ કરીને પહેરવાના રિવાજ ન હતા. તૈયાર કપડાંના વેચાણુની મુંબઇમાં પહેલવહેલી શરૂઆત મે કરી.
૧૯૦૬ સુધી મારી પરદેશી કાપડની આ દુકન ચાર્ચના સીલ્ક ઇમ્પોર્ટીંગ કંપનીને નામે કાલબાદેવી ઉપર હતી.
૧૯૦૬ માં બંગાળના ભાગલાને કારણે પરદેશી કાપડ (ખાસ કરીને ઈંગ્લેંડનું કાપડ) ના બહિષ્કારનું આંદોલન દેશભરમાં જામ્યું. એની અસરમાં હું આવ્યો. આંદોલનમાં ભાગ લેવા માટે મેં મારી પરદેશી કાપડની દુકાનને છેડી અને ટાઇમ્સ એક ઇન્ડિયા બિલ્ડીંગમાં સ્થપાયેલા મુંબઇ કૉ-ઓપરેટીવ સ્વદેશી સ્ટારમાં હું જોડાયો.
સ્વદેશીના ભારતવ્યાપી આંદોલનને પહેોંચી વળવા માટે સ્વદેશી સ્ટારની સ્થાપના થઇ. આ સ્થાપનાના મૂળમાં મરહુમ શેઠ મનમોહન દાસ રામજી અને પૂજ્ય ખાળગંગાધર ટીળક હતા,
સ્વદેશી સ્ટારમાં હું જોડાયા ત્યારે એ એક નાની સ્વદેશી વેચાણની દુકાન હતી અને તે વખતે એ દરજી ત્યાં કામ કરતા, ક્રમે ક્રમે સ્વદેશીનું આંદોલન દેશભરમાં જામતું ચાલ્યું. જનતા સ્વદેશીને અપનાવતી ગઇ. આ કારણે ખરીદાશ દિન પર દિન વધતા ગયા.
ટાઇમ્સ એફ ઇન્ડીયા બીલ્ડીંગમાં વધારાની જગ્યા મળી એટલે સ્વદેશી સ્ટારનો વિસ્તાર વધતો ગયો. લગભગ ૧૬ હજાર ચોરસ ફીટની અંદર બધાં મળીને ૨૨ ખાતાં વેચાણુ માટે ગાઠવાયાં. દરજી ખાતું વધતું ગયું. એ સ્ટારની મેં ૧૧ વર્ષ સેવા કરી અને જ્યારે એ સ્ટારમાંથી હું છૂટા થયા, ત્યારે ૧૨૦ દરજીના સંચા ચાલતા હતા. એમાં ૭૦ સંચા વીજળીથી ચાલતા હતા.
સ્વદેશી સ્ટારમાં ૧૧ વર્ષ સુધી મેં જે તાલીમ મેળવી. અને જે અનુભવ મને થયો, એ આજે પણ મને કામ લાગે છે.
૧૯૨૦માં મહાત્મા ગાંધીજીએ ખાદીના સદેશા સંભળાવ્યા. શરૂઆતથી જ હું ખાદી વેચાણુના કામમાં જોડાયો, આજ વિસ સુધી એ જ કામમાં રહ્યો છું અને મારી છેલ્લી અવસ્થા પણુ દેશના આ પવિત્ર કામમાં પૂરી થાય એ મારી આશા અને પ્રાર્થના છે. પહેલા ખાદીભડાર
ખાદીઉત્પાદન શરૂ થયું. ઉત્પાદન થતી ખાદીનું વેચાણ કરી લેવા માટે વેચાણ દુકાન હેાય એ જરૂરી હતું. આ કારણે ગાંધીજીની સૂચનાથી ખાદીના વેચાણ માટે ભારતવર્ષની અંદર પહેલે। ખાદી ભંડાર ખોલવાનું નકકી થયું.
એ જમાનામાં મુઇની અંદર ઇચ્છા હોય તે લત્તામાં ખાલી દુકાનો મળી શકતી હતી. પરંતુ ઓછામાં ઓછા ભાડાની દુકાન મેળવીને ખાદી કામની શરૂઆત કરવી, એ કારણે કાલબાદેવી ઉપર આવેલી આજની સ્વદેશી માર્કેટની—પરંતુ એ વખતની મેારારજી ગોકળદાસ માર્કેટની-એક ગલીમાં માસિક રૂા. ૧૫ ના ભાડાની એક દુકાન મેળવીને ખાદી ભંડારની શરૂઆત ૧૯૨૮ માં કરી. આ ભંડારનું ઉદ્ઘાટન મહાત્મા ગાંધીજીએ કર્યું. શરૂઆતના વર્ષ માં માસિક હજારેક રૂપિયાનું વેચાણ મળતું
કાલબાદથી ઉપર આવેલા ખાદીભંડાર
વદેશી માર્કેટના ભંડારની ઘરાકી દિવસે દિવસે જામતી ગઇ, એટલે પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર કાંઇક વિસ્તારવાળી એક જગ્યા રૂપિયા ૪૦ કે ૪૫માં (આજે સાચા આંકડા યાદ નથી) મેળવી, પરંતુ ખાદીની ધરાકી વધતી જતી હતી, એટલે એ દુકાનના વિસ્તાર નાના પડયો. આ કારણે કાલબાદેવીના લત્તા પર ઠીક વિસ્તારવાળી જગ્યાએ અખિલ ભારત ચરખા સધના ભડાર ખાલવામાં આવ્યું.