SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રબુધ્ધ જીવત h પ્રકીણ નોંધ પુરણહારમાં જામેલી વર્ષાતુ વર્ષારૂતુ શરૂ થયાને હજી મહિના દોઢ મહિના નથી થયા. એટલામાં તા આખા દેશ ઉપર વર્ષાની ભારે જમાવટ થઇ ચૂકી છે અને નદી નાળામાં પાણીની રેલમછેલ થઇ રહી છે. મુંબઈ ઉપર વર્ષાતુના એક સરખા ઘેરે ચાલી રહ્યો છે અને સૂર્યનાં ખારેક કલાક એક સરખાં દર્શન થતાં રહે એવા દિવસો ભાગ્યે જ ઉગે છે, અનવરત ધારાએ વરસત વરસાદ નદી સરોવરોને તેમ જ માણસનાં મનને પણ ભરી દેતા લાગે છે. વરસાદની અહિં અછત છે, ત્યાં · અછત છે. એવી વર્ષોથી આપણે બુમો પાડયા કરતા હતા. એવી બ્રૂમેા પાડવાનુ કાઇને પણ કારણુ ન રહે એમ મેધરાજાની કૃપા આ વખતે ચોતરફ. એક સરખી વસ્તી રહી છે. વરસાવ્યો પૃથ્વીની અદ્ભુત કાયાપલટ થઈ રહી છે, સરાવરો પાણીથી છલકાઈ ઉઠયાં છે; નદીનાળાંના જળપ્રવાહા જોસભેર વહેવા લાગ્યાં છે; તેને ખળખળનિનાદ અત્યન્ત કર્ણપ્રિય લાગે છે; પર્વતપ્રદેશમાં જળપ્રપાત વડે ગિરિકંદરાઓ ગાજી રહી છે; ધરતી ઉપર સર્વાંત્ર લીલી ખીચ્છાવટ થઇ ચૂકી છે. આ બીછાવટની શાભા જોતાં આંખેા ધરાતી નથી. આકાશમાં વાદળાના આરા અવરાહ ચાલ્યા જ કરે છે અને ઘડી અજવાળું ઘડી અંધારૂં' એમ તેજ છાયાની પરંપરા દ્રશ્ય જગતની મતાહતામાં કોઇ જુદો જ વધારો કરી રહેલ છે. આકાશ ધનધે હાવા છતાં વરસાદ સાથે સર્વત્ર પ્રસન્નતા ટપકતી હાય એમ લાગે છે. મુંબઇમાં એક રાત્રે મધરાત પછી એકાએક વાવાડુ શરૂ થયું; ઝાડપાન આમથી તેમ ડાલવા લાગ્યાં અને તેમાં કોઇ કોઇ મૂળમાંથી ઉખડીને ભૂમિશાયી થવા લાગ્યાં; ખરી બારણાં ખખડવા લાગ્યાં; મકાને ધ્રુજવા લાગ્યાં; નબળાં મકાન જમીનદોસ્ત થવા લાગ્યાં, ૬૦ માઇલની ગતિથી વહેતા પવન અને સાથે વૈધમાર વરસાદ વિસ્મય, ભય અને ન સમજી શકાય એવા કાઇ ઉર્મિરોમાંચ પેદા કરવા લાગ્યો. આપણે તે સહીસલામત ધરમાં બેઠાં એઠાં કુદરતની. આ લીલા માણી રહ્યા છીએ, પણ જેનાં ઝુંપડાં આ ઝંઝાવાતમાં જમીનદોસ્ત થઇ રહ્યાં હશે, જેને આરામ લેવાનું કે ઉભા રહેવાનું ઠેકાણુ નહિ હોય એવા ગરીમાનુ શુ–એ વિચારમાંથી - ઊંડી કરૂણા ચિત્ત અનુભવવા લાગ્યું અને તે કામાં વિસ્મય, ભય અને મામાંચ ત્રણે લુપ્ત થઇ જતાં લાગ્યાં. આમ આ વખતની વર્ષાં ભવ્યતા અને ભીષણ ઉભયના એક સાથે અનુભવ કરાવે છે અને મન પ્રસન્તા અને ચિન્તનશીલતા વચ્ચે આમથી તેમ ઝેલાં ખાવા માંડે છે. સુન્દરતાનું દર્શન માત્ર પ્રસન્નતા પેદા કરે છે; ભવ્યતાનું દર્શન પ્રસન્નતા સાથે ચિન્તન તરફ મનને ખેંચી જાય છે. ભીષણતાનું દર્શન પ્રથમ તે ભય પેદા કરે છે પણ ભવ્યતા અને ભીષણતાને સમભાવે જોવા માંડતાં આ વ્યકતની પાછળ અવ્યકત ત શુ હશે એવા ઉર્ધ્વગામી ચિન્તન અને ખાજમાં આપણું ચિત લીન થઇ જાય છે. રૂતુમાં પણ સૌથી ભવ્ય રૂતુ વર્ષોં છે. તેમાં પણ આ વખતની વર્ષા તુએ અનેરી ભવ્યતાનું દર્શન કરાવ્યું છે. આચાર્ય શ્રી તુલસીરામજીનું મુંબઇ ખાતે આગમન તેરાપંથી સંપ્રદાયના આચાર્ય શ્રી તુલસીરામજી લગભગ પખવાડી વીશ વિસથી મુખમાં પધાર્યા છે. તેરાપંથી' એ જૈનાના એક સપ્રદાયનું નામ છે. આ સંપ્રદાયના અનુયાયીઓની સખ્યા આશરે ત્રણ લાખની કહેવામાં આવે છે, જેમાંના ઘણા મારા ભાગ મારવાડીને છે. શ્રી તુલસીરામજી આ સંપ્રદાયના મુખ્ય 'પ્રવર્તક છે અને તેમની આજ્ઞા નીચે રહેતા ચારસાથી પાંચસ સાધુ સાધ્વીઓનુ` તેમણે એક શિસ્તબધ્ધ ' સગડ્રન સાંધ્યું છે. છેલ્લાં પાંચેક વર્ષથી તેમણે અણુવ્રતી સધ' એ નામની એક સ ંસ્થા તા. ૧૫-૭-૫૪ ની સ્થાપના કરી છે. આ સધના (ક) જાતિ, વર્ગુ, દેશ ધર્મને ભેદ ન રાખતાં માનવ માત્રને સયમના માર્ગોમાં આગળ વધારવા, (ખ) લોકોને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહનાં વ્રત ધારણ કરાવવાં, (ગ) આધ્યાત્મિકતાના પ્રચારારા જીવનમાં નૈતિકતાનું ધારણ ઉચ્ચ કરવુ, (ધ) અહિંસાના પ્રચારારા વિશ્વમ અને જગત શાન્તિને પ્રસરાવવી—એ મુજબના ઉદ્દેશ છે અને આ સંધમાં જોડાનારે પાળવા યોગ્ય એવા ૮૪ નિયમેાની એક લાંખી હારમાળા ઘડવામાં આવી છે. તે સંધની ૧૭ મી કલમ–સત્રના સર્વોપરી સચાલક અથવા સંધ-પ્રમુખ તેરાપંથ સમાજના વર્તમાન આચાર્ય રહેશે’–એ મુજબ અણુવ્રતી સંધના આજના સ્થાયી પ્રમુખ શ્રી તુલસીરામજી પોતે છે. આ સંÜનું નામ, બંધારણ તથા નિયાની વિગતમાં આપણે ન ઉતરીએ, આવી રચનાવાળા સધ તેરાપંથી સંપ્રદાય બહારની સામાન્ય જનતાને ફ્રુટલા આકર્ષી શકે તેની ચર્ચામાં પણ આપણે ન ઉતરીએ. એક જૈન સપ્રદાયના આચાર્યં સાંપ્રદાયિક વાડની બહાર પોતાની દૃષ્ટિ ફેલાવે છે, બહુજન સમાજમાં જે દુરાચાર અને અનાચાર વ્યાપેલું છે તે દૂર કરવા અને સદાચારની સ્થાપના કરવા તમન્ના સેવે છે અને તે હેતુથી વિશાળ જનસમાજના સંપર્કમાં આવવાની આતુરતા ધરાવે છે એ સ્વતઃ આવકારદાયક ઘટના છે. આ વિશાળ દૃષ્ટિપૂર્વક તે જે કાંઈ કરશે તેથી લાભ જ થશે કાં' નહિ તો છેવટ પોતાના સંપ્રદાયના અનુયાયીઓ ઉપર તે આ આન્દેલનના જરૂર સારા પ્રભાવ પડશે જ. આ દૃષ્ટિએ તેમના મુંબઇ ખાતેના આગમનને આપણે આવકારીએ અને તેમના શુભ પ્રયત્નને સફળતા છીએ. ! ‘અણીના કયા ચૂસા વર્સ જીવે.’ આજથી ત્રણ મહીના પહેલાં ઇન્ડો-ચાઇનામાં ચાલતા યુધ્ધને અતિ વ્યાપક વિગ્રહનું સ્વરૂપ આપવાની હીલચાલ અમેરિકાએ ઉપાડી હતી. જાપાનની ખાજુએ હાઇડ્રોજન એબના પ્રાયોગિક ધડાકા થઈ રહ્યા હતા અને દુનિયામાં જેની સરસાઈ ન થઇ શકે એવી આ શક્તિવડે અમેરિકા લોકશાસિત અન્ય રાષ્ટ્રોને સંકલિત કરીને આ દુનિયા ઉપરથી સામ્યવાદને ખતમ કરવાનું સ્વપ્ન સેવી રહ્યું હતું. અસાધારણ ધનવિપુલતા, અમાપ ઉત્પાદન અને અપાર શસ્ત્રસ પાદન વડે પોતે જે કરવા ધારે એ કરી શકે તેમ છે. એમ અમેરિકા માનતું હતું. ધન જોઇએ તેને ધન આપીશું, ચીજ વસ્તુ જોઇએ તેને ચીજો પુરી પાડીશું, અને શસ્ત્રો જોઇશે. તેને શસ્ર પહોંચાડીશું અને જે દેશ અનુકુળ નહિ થાય તેને આસપાસ ભીંસ પેદા કરીને આવીશુ–આવી વૃત્તિપૂર્વક અમેરિકાના વિદેશમંત્રી ડોસ યુરાપ એશીઆના એક ડેશથી બીજે દેશ ઘુમી રહ્યો હતા અને સામ, દામ, દંડ અને ભેદ વડે સામ્યવદી સામે રશીઆ અને ચીન આસપાસના સવાઁ દેશના સંયુકત મારચો ઉભો કરવાના પ્રયત્ન સેવી રહ્યો હતા. યુરોપના તે કશાસિત રાષ્ટ્રોમાંના ઘણા ખરાંની અમેરિકાએ આ બાબતમાં અનુમતિ મેળવી લીધી હતી. એશીઆમાં સંયુકત મેરચાની કડીએ ઉભી કરવા અમેરિકા તનતાડ મહેનત કરી રહ્યું હતુ. પહેલાં તેણે હિંદ ખાતે આ બાબતના ચણા ચાંપી જોયો, પણ હિંદ તે સક્રિય તટસ્થતાની પેાતાની વિશિષ્ટ નીતિ ઉપર અણનમ ઉભું રહેવા માગતું હતું. હિંદને ખરીદી શકાય એ અસરિત હતું, એક છેડે એસ્ટ્રેલીઆ અમેરિકાને પ્રથમથી અનુકૂળ જ હતું. બીજે છેડે ટથી તેણે શરૂઆત કરી અને ટને પેતાના પક્ષમાં લીધુ, ઇજીપ્તને હજુ અનુકુળ બનાવી શકાયું નથી. ઇરાન લગભગ અનુકુળ જેવુ છે. પાકિસ્તાન સાથે અમેરિકાએ લશ્કરી સામગ્રી પૂરી પાડવાના કાલકરાર કર્યો. સીલેશન અમેરિકા સમીપ དོ (4)
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy