SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધે જીવન ૪૪ દૂષિત થયેલા લેખતા નથી. પણ આ એક ભ્રમણા છે, જે વસ્તુને આપણે ઉપયોગ કરીએ તે વસ્તુના ઉત્પાદનથી માંડીને હેરફેર સુધીની બધી હિંસાના દોષ આપણુને લાગવા જ જોઇએ અને તે ઉપરથી કલિત એમ થાય છે કે માનવીસમાજને જે જે વસ્તુઓની જ રિયાત હાય તેના ઉત્પાદનથી દૂર રહેવામાં અહિંસાધનુ અનુપાલન છે એ માન્યતા ખોટી અને વિભ્રમ પેદા કરનારી છે. ઉલટુ એવી વસ્તુઓના ઉત્પાદન કાર્યોમાં અહિંસાલક્ષી જૈનેએ જોડાવું જાઈએ. તેમ કરવાથી જેને હિંસા અહિંસાના કોઇ વિવેક નથી તેના કરતાં અહિંસાવૃત્તિ ધરાવતા જૈન પાતાની સર્વ પ્રવૃત્તિ યતનાપૂર્વક કરતા હાઇને તેનુ ઉત્પાદન ક પણ પ્રમાણમાં ઓછી હિંસાવાળું બનવાનુ અને એનું નામ જ અહિંસાધર્મનુ પાલન છે. આ વાત સ્વીકારીને સૌ કાઈ ખેતી જેવી ઉત્પાદન પ્રવૃત્તિ તરફ આકર્ષવાના છે એવી આશા રાખી ન જ શકાય. માનવી પોતાની વૃત્તિ અને સચો મુજબ પોતપોતાને અનુકુળ વ્યવસાય શોધી લે છે, તેથી કોઇ ખેતી કરે તે કાઇ વેપાર કરે; કોઈ યંત્ર ચલાવે તે કોઇ ધર્મોપદેશ આપે. પણ એટલી વાત સત્ય છે કે જેમાં શ્રમ છે, આરબ સમારંભ છે અને તેથી જ જેમાં હિંસા રહેલી છે તેવી પ્રવૃત્તિ કરનારાએ તરફ કેટલાક અહિંસાવાદીઓ જે નફરત ધરાવે છે, અને કારના પકવેલા તૈયાર રોટલા ખાવામાં અહિંસાના મહાવ્રતની પરિપૂર્તિ સમજે છે તે અહિંસાનો કેવળ આડંબર જ કરતા હાય છે અને હિંસાઅહિંસાની સમ્યક્ દૃષ્ટિથી તે તદ્દન વાચિત હોય છે. અહિંસા વિષે પરંપરાગત વિચારણાથી મુકત બનીને ખેતી સંબધમાં પોતાના સ્વતંત્ર વિચારો સ્પષ્ટતાપૂર્વક દર્શાવવા માટે મુનિ સંતબાલજીને ધન્યવાદ ઘટે છે. ભેજનાલયમાંથી સર્વોદય કેન્દ્ર આજથી બે વર્ષ પહેલાં સેવાભાવી મુનિશ્રી શુભવિજયની પ્રેરણા .અને હીલચાલથી અને કેટલાક ભાઈઓના સહકારથી મુખઇની પાલાગલીમાં આવેલ વીશા મહાજનવાડીમાં એક ભોજનાલય શરૂ કરવામાં આવ્યું હતું અને માસિક રૂ. ૩] માં જૈનેાના તમામ ફ્રિકાના ભાઈઓને ચોખ્ખા અનાજ ધીવાળું ભેજન આપવામાં આવતું હતું. આ ભોજનાલયના કાર્ય કર્તાઓએ તા. ૨૭-૨-૫૪ ના રાજ કચ્છી જૈન સૌંદય કેન્દ્ર'ની સ્થાપના કરીને પેતાનું કાર્ય ક્ષેત્ર વિસ્તૃત કર્યું છે, અને તે ચેોજનામાં ભાજનાલય ઉપરાંત વાખાનુ તથા કલીનીક, ઉદ્યોગગૃહ, છાત્રાલય, વાંચનાલય તથા પુસ્તકાલય અને બહારગામથી આવતા જતા ભા માટે ઉતારાની સગવડ— આટલી બાબતાના સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે માંડવી ડુંગરી વિભાગમાં સેન્ડહસ્ટ રોડ સ્ટેશનની સામે ૬૭૫ વારના એક પ્લોટ ખરીદવામાં આવ્યા છે. અને તે ઉપર પાંચ માળનું એક મકાન બાંધવાના તેમણે નિર્ણય કર્યો છે. આ માટે પાંચ લાખ રૂપિયાની તેમણે પોતાના સમાજ સમક્ષ ટેલ નાંખી છે અને આની શુભ શરૂઆત તરીકે રૂ. ૬૧૦૦૩ શ્રી માલસીભાઇ ઘેલાભાઇ છેડા ગુંદાલાવાળા તરફથી સંસ્થા સાથે તેમનું નામ જોડવાની સરતે, રૂ. ૨૫૦૦૦] શ્રી શાન્તિલાલ ધનજી દેવશી તરફથી ાખાના અને ક્લીનીક સાથે તેમનું નામ જોડવાની સરસ્તે, અને રૂ, ૧૦૦૦૧ પડિત તેચંદ કપુરચંદ લાલન સ્મારક કુંડ તરફથી વાંચનાલય પુસ્તકાલય સાથે—પડિત લાલનનુ નામ જોડવાની સરતે-આ રીતે તેમને રૂ. ૯૫૦૦૬૩ ની" મદ મળી ચૂકી છે. આ કાર્યને વેગ આપવાના હેતુથી રૂ. ૬૦૦૦ ૧૩ ની ભવ્ય સખાવત કરવા માટે શ્રી માલસી ઘેલાભાઇ છેડા ગુંદાલાવાળા સૌ કોઇના પ્રેમ અને આદરના અધિકારી અને છે. આ કચ્છી જૈન સર્વોદય કેન્દ્રના પ્રમુખ શ્રી રામજી રવજી લાલન જે પી., ઉપપ્રમુખ શ્રી હીરજી વેલાભાઇ સાવલા, અને મંત્રી શ્રી રવજી ખીમજી છેડા અને ગાંગજી દેવરાજ છેડા છે. મુનિ શુભવિજયજી આખી પ્રવૃત્તિના મુખ્ય પ્રવક અને સંચાલક છે. આવુ અનેકહિતલક્ષી કાર્ય હાથ ધરવા માટે આ સંસ્થાના સ્થાપકાને ધન્યવાદ ધરે છે. કચ્છી સમાજના શ્રીમાતા પાંચ લાખની ટેક્ષ જલ્દી પૂરી કરશે અને આપણી વચ્ચે સામાજિક સેવાનું એક વિશાળ વટવૃક્ષ જલ્દિથી ઉભું થશે એવી આપણે આશા રાખીએ પર્ણાનદ તા. ૧-૯-૫૪ એક સસ્કારયાત્રા (ગતાંકથી ચાલુ) સવારના મને રમ વાતાવરણમાં અમે કલન્દરપુરથી શેરઘાટી જઇ રહ્યા છીએ અને યાત્રાના - પગલે પગલે આસપાસનાં ખેતરો જોતાં જોતાં મનમાં એક પછી એક પંકિતઓ જાગવા લાગે છે, જાણે કે ધરણીને પેકાર સાંભળી રહી છું, અને પરિણામે એક ગીત સર્જાય છેઃ સૂતી. ધરતી આજ કરે પાકાર ઇન્વર મારે એક જ ધારણહાર”-સુતી... જનજનને હા મુજ કણકણનું દાન, માને વ્હાલાં સઘળાં નિજ સતાન, જીવનના હૈ। સહુને સમ–અધિકાર”-સૂતી : “પ્રસ્વેદ જે સીચે છે. નિજ ખેત ધાન્ય – અંજલિ તેને ધરણી દેત; ખે તે સૌ ખાવાને હુકદાર”-તી ... “મ્હેલ–ઝૂંપડી સહુને સરખું બ્યામ, સમાન પ્રેમ વહે છે. રોમેરોમ; ભામને જ કાં અસામ્યતાના ભાર'-સૂતી... માજ જગાવો હૃદય હૃદયમાં રામ, મુજ ખેાળા હા સહુને સુખનુ ધામ; કામ વિના ના કાઇ હુો લાચાર”-સૂતી... હજુ તડકો કુમળે! હાય છે ત્યાં અમે શેરધારી પહેોંચીએ છીએ. મોટા ભાગે અમારા નસીબે ગામના ઝુંપડામાં જ ઉતરવાનુ હાય છે, તો કોઇવાર વળી શહેરમાં સારી સગવડમાં રહેવાનુ મળે છે અને ત્યાં ઇલેકટ્રીક બત્તી તથા નળની સગવડ મળે અને આનંદ પણ થાય છે. મુકામે પહોંચીને કૂવે પાણી સીંચીને ન્હાવાનું તથા કપડાં ધાવાનાં. પછી આરામ, કાંતણ, વાંચન, લેખન ત્યાંદિ પ્રવૃતિએ ચાલે છે. આ પ્રવાસ દરમિયાન પ્રવચન અને ચર્ચાઓ નોંધીને ગુજરાતી છાપાઓ ઉપર મોકલવાની જવાબદારી મેં લીધેલી, તેથી હુ તે કામમાં કાઉં છું. શેરઘાટી ગામમાં એક દિવસ બપોરે વિનોબાજી અમને સૌને તથા ગામના લોકાને ભેગા કરીને લોકનાગરી' લિપિ શિખવે છે. અહી એમને એક શિક્ષક તરીકે કામ કરતા અમે જોઇએ છીએ. અને અમને બહુ આનંદ થાય છે. તે એટલા હસતા હસતા અને વિનાપૂર્વક શિખવે છે કે શુષ્ક વિષય પણ રસમય છાની જાય છે. JYXC દિવસના ભાગમાં વિનોબાજીને અવારનવાર ગામના કાર્યકરો અને ખીજા લોકો મળવા તેમજ ચર્ચા કરવાને આવતા હોય છે. આ ચર્ચા કરતી વખતે તે. હંમેશાં ટટ્ટાર બેસીને વાત કરે છે. જો તે થાકી ગયા હોય તો થોડુંક સુઇ લે છે, પણુ આ વૃદ્ધ સુકલકડી કાયામાં તાવ હાય તા પણ જ્યારે તે બેસે છે ત્યારે ટટ્ટાર જ બેસે છે. આ તેમની એક નાની સરખી પણ સુંદર ટેવ આપણું ખાસ ધ્યાન ખેંચે છે. એ પાછળ એમનુ કેવુ આત્મબળ હશે? એમના આત્મબળથી વારંવાર પ્રભાવિત થઈ જવાય છે. હુ વિચાર્યા જ કરૂં છું કે માત્ર એક જ માણસ પોતાના એક વિચારને અમલમાં લાવવા જે પ્રયત્ન કરે છે તેની દેશભરમાં-અરે દુનિયાભરમાં-કેટલી વ્યાપક અસર પડે છે? અનેક રાજકીય પક્ષના મેવડીએ પેાતાની લાધી છેડીને આ હીલચાલમાં એકરૂપ થઈ જાય છે. એમની પાસે નથી કાઇ સત્તા કે નથી કોઇ પક્ષના `કા, એમને કોઇ ચૂંટણી જીતવાના માહ નથી કે કોની પાસેથી જિ 6
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy