SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ નં. ખી ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂ.૪ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર છુટક નકલ : ત્રણ આના પ્ર. જૈન વર્ષ ૧૪–૪. જીવન વર્ષ ૨ અંક પ મુંબઈ, ૧ જુલાઈ ૧૯૫૪ ગુરૂષાર આફ્રિકા માટે શાલિ′ગ ૮. PHY hareness તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા સતતિનિયમન ચોકાવનારી વસ્તીવધારા, આજે વસ્તી નિયંત્રણના પ્રશ્ન સામુદાયિક તેમજ વ્યક્તિગત રીતે આપણી સામે આવીને ઉભો રહ્યો છે. ભારતના સેન્સસ કમીશનર શ્રી આર. એ. ગોપાલસ્વામીએ પોતાના સેન્સસ રીપોર્ટમાં જણાવ્યુ છે કે આજે ભારતમાં જે રીતે વસ્તી વધી રહી છે તે રીતે વધ્યા કરે તા ૧૯૫૧ માં ૩૬ કરોડ. ૧૯૬૧ માં ૪૧ કરેડ, ૧૯૭૧ માં ૪૬ કરોડ અને ૧૯૮૧ માં પર કરોડના આંકને ભારતની વસ્તી પહોંચી જાય. તેમના મત પ્રમાણે ૪૫ કરોડથી વધારે વસ્તીને ભારત કાઇ પણ સાગમાં ખેરાક પુરો પાડી શકે તેમ નથી. અને વસ્તીના આ આંકડા ઉપર તો આપણે ૧૯૬૯ ના અરસામાં પહોંચી જવાના પછી શું? વધતી જતી વસ્તીનું આપણે પછી શી રીતે પોષણ કરી શકીશું ? આજે પણ અનાજનું ઉત્પાદન ૭૦૦ લાખ ટન છે એટલે કે આપણી આજની જરૂરિઆત કરતાં ૫૦ લાખ ટન એછું છે. આજની વપરાશના બંધારણે ૧૯૮૧ માં ભારતની વસ્તીને ટકાવવા માટે ૧૦૮૦ લાખ ટન અનાજ જોઇશે, જ્યારે આજના ૬૫૦ લાખ્ ટનના સ્થાને આપણે એ મુક્ત સુધીમાં વધારેમાં વધારે. ૮૯૦ લાખ ટન અનાજ પેદા કરી શકીએ તેમ છે. આ રીતે સામુદાયિક દૃષ્ટિએ વિચારતાં વસ્તીના વધારાના પ્રશ્ન દૂરગામી ગણતરીએ સૌ કોઇ વિચારકો માટે અવસ્ય ચિન્તાજનક બને છે અને અનાજનું પરિમિત ઉત્પાદન પૂરતું થઇ પડે એ રીતે વસ્તી વધારાના પ્રમાણને ટુંકાવવાના ઉપાયો વિચારવાની, શોધવાની, અમલમાં મૂકવાની આપણને ફરજ પડે છે. આ વસ્તીવધારો એટલેા ચિન્તાજનક કદાચ ન પણ હાય, આની સામે એમ જરૂર કહી શકાય તેમ છે કે વિજ્ઞાનની શાષા કાંઇ અટકી ગઇ નથી. તે દ્વારા ઉત્પાદનનું પ્રમાણ આજે આપણે માપીએ છીએ તે કરતાં વધારે વધવાના પૂરા સંભવ છે, વળી અનાજભક્ષી ઉદરા વધે છે તેા પેદા કરનારા હાથ પણ તેથી ખમાં વધે છે. તેની ઉત્પાદનશકિત પણ વધતી જ રહેવાની છે. વળી કુદરત અવારનવાર નાના મોટા કાપ વરસાવીને વસ્તીવધારાં ઉપર અણુધાર્યો કાપ મૂકતી જ હોય છે. તેમાં જેમ અમાપ ઉત્પાદનશકિત છે તેમ જ અસાધારણ સંહારક શિક્ત રહેલી છે, જે વડે દુનિયાની વસ્તીનું સમધારણ તે જાળવતી આવી છે. છેલ્લાં વીશ કે ત્રીશ વર્ષના આંકડાઓ ઉપરથી તારવેલાં પ્રમાણાને ઉલટાવે એવાં હવે પછીનાં ત્રીશ વર્ષ દરમિયાન કંઇ કંઇ પ્રતિકુળ ફેરફારો નિર્માણુ થવાની સંભાવના રહેલી છે. આ રીતે વિચારતાં આપણને સેન્સસ કમીશનર જે રીતે ભડકાવે છે તેટલા પ્રમાણમાં તત્કાળ ચિન્તા કરવા જેવા આ પ્રશ્ન કદાચ ન પણ હાય. સામુદ્દાયિક નહિ પણ વ્યક્તિગત રીતે આ પ્રશ્નની વિચાÉ આ પ્રશ્નની સામુદાયિક નહિ પણ વ્યક્તિગત બાજુ એવી છે કે જેની આપણાથી ઉપેક્ષા થઇ શકે તેમ નથી. આ નોંધ ....... ઉદ્દેશ પણ આ વ્યક્તિગત બાજુની ચર્ચા કરવાના છે અને તેમાં પણ જે વર્ગના આપણે ગણાએ છીએ તે કહેવાતા મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને આ પ્રશ્ન ચર્ચાએ તે વધારે ચોગ્ય લેખાશે. ઉંચે જતું જીવન ધારણ આજે આપણ સર્વનું લક્ષ્ય જીવનધોરણને ઉંચુ કરવા ઉપર કેન્દ્રિત થયેલુ છે. જીવનનું ધારણ ઉંચું કરવુ. એટલે મનસ્વીપણે જીવનની જરૂરિયાતા વધાયે જવી એમ નહિ, પણ જીવનને વધારે સુધડ, સુન્દર, સ ંસ્કારસંપન્ન બનાવવું, બાળકના શિક્ષણના વધારે સારો પ્રાધ કરવા, અંદર રહેલી શકિત બહાર આવે અને જીવનની જાદી જુદી બાનુ ખૂબ ખીલે એવા જીવનપ્રબંધ સાધવા તે તરફ આપણું મન આકર્ષાયલું રહે છે. અલબત્ત આનું આડક તરૂં પરિણામ જીવનની જરૂરિયાત અમુક પ્રમાણમાં વધારવામાં આવે તે સ્વાભાવિક છે. ભાંગતી જતી સંયુકત કુટુંબરચના આજે સંયુક્ત કુટુંબની રચના નષ્ટ થઇ રહી છે. એક વખત એવા હતા કે જ્યારે ચાર કે પાંચ ભાઈએ પોતાનાં ખાળબચ્ચાં સાથે એક કુટુંબની છત્રછાયા નીચે રહેતા, દરેકની કમાણી ઓછી યા વધતી એક કોથળીમાં ભેગી થતી અને નબળાંસબળાં સૌ ધ્રાના સાથે નિર્વાહ થતો. વિધવા બહેન, દીકરી, ભાભી, ભત્રીજી પણ આ તંત્રમાં પોષાતી. આજે જીવનનુ દૃષ્ટિબિન્દુ વધારે સ્વલક્ષી થયુ છે. જેનામાં શકિત હોય તે આગળ જવા માંગે છે અને પાતાની કમાણીના પોતે જ ઉપભાગ કરવા ઇચ્છે છે. કુટુંબનાં એકમા જુદા પડતાં સરવાળે સૌના જીવનનિર્વાહના ખર્ચે વધ્યો છે અને પરિણામે આર્થિક ભીંસ વધારે તીવ્ર બની છે. કબ્યાપાર્જનની વધતી જતી મુશ્કેલી જે મધ્યમ વર્ગના આપણે વિચાર કરીએ છીએ તેની રહેણીકરણીનું ધારણ આપણે ઉપર જોયુ તે રીતે એક ખાજુએ વધ્યુ છે અને બીજી બાજુએ દ્રવ્યોપાર્જન વધારે ને વધારે મુશ્કેલ અનતું જાય છે. આ રીતે જેમ કુટુંબ વધારે બાલચ્ચાવાળુ તેમ ખર્ચને પહોંચી વળવાની વિકટતા વધારે એમ આપણે સતત અનુભવી રહ્યા છીએ. સતતિનિયમનના ઉપાયે આ પ્રકારની સમગ્ર પરિસ્થિતિનું ભાન સંતતિનિયમનના પ્રશ્નને આપણી સમક્ષ ઉત્કૃષ્ટપણે રજુ કરે છે. પહેલાં જ્યારે જીવન આર્થિક દૃષ્ટિએ આજના પ્રમાણમાં વધારે સરળ સુખરૂપ હતું. અને જીવનની જરૂરિયાતાના ખ્યાલો બહુ મર્યાદિત હતા ત્યારે કુટુંબમાં નવા બાળકનું આગમન ભાગ્યશાળીપણાની નિશાની લેખાતી, વળી આપણા નસીબમાં હાય એટલાં ખાળા આપણને મળે. આવતા ખળકને અટકાવવાનો કાઈ ઉપાય નથી તેથી આવે તેને આન થી વધાવી લેવુ—એવુ વલણ આપણામાં કેળવાતું. આજે ઉપરાઉપરી અથવા તેા એ ત્રણથી વધારે બાળકોના આગમનને આપણું ક્લિ
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy