SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૬-૫૪ પ્રભુધ્ધ જીવન પુસ્તક તીથ કર વધ માન (પ્રથમ ખંડ) લેખકે શ્રી શ્રીયદ રામપુરિયા; પ્રકાશક શ્રી હમીરમલ પૂનમંચ રામપુરિયા, સુજાનગઢ (બીકાનેર) કીંમત શપ) શ્રી. શ્રીયદ રામપુરિયા કૃત તીર્થંકર વર્ધમાન’ પુસ્તકના પ્રથમ બહાર પડયા છે. બીજો એમના કહેવા પ્રમાણે હજી પ્રેસમાં છે. પ્રથમ ખંડના એ ભાગ છે. એકમાં મહાવીરનું ટૂંકમાં `જીવનચરિત્ર છે અને ખીજામાં તેમણે આપેલા પ્રવચનોના સંગ્રહ. લેખકે પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે, વર્ષોથી ઇચ્છા હતી કે તીર્થંકર મહાવીરનું પ્રાચીનમાં પ્રાચીન સામગ્રી” પર આધારિત એક પ્રમાણિક જીવનચરિત્ર હિન્દીમાં લખાય અને આ તે દિશામાં એક પ્રયત્ન છે. તે જીવનચરિત્રના ચાર ભાગ કરવામાં આવ્યા છે. ૧. ગૃહસ્થજીવન ૨. સાધકજીવન ૩ તી"કરજીવન ૪. પરિનિર્વાણું, પહેલામાં જન્મકાળથી માંડી અભિનિષ્ક્રમણુ, સંસારત્યાગ સુધીની મુખ્ય મુખ્ય વિગતા છે, એમાં મહાવીરની જન્મભૂમિ પરત્વે તેમજ વૈશાલી, ક્ષત્રિય ડંગ્રામ, બ્રાહ્મણકુંડગ્રામ ને વાણિજયકુંડગ્રામ, વિષે ઠીક ઠીક ચર્ચા કરી. લેખકે પોતાના મતભ્યો રજુ કર્યાં છે. સાચાસાથ બીજા વિનાના મતો પણ ટૂંકમાં નોંધ્યા છે. લેખકના મત અનુસાર મહાવીરની જન્મભૂમિ ક્ષત્રિયકુંડગ્રામ છે. અને બ્રાહ્મણુક ગ્રામ, ક્ષત્રિયકુંડગ્રામ તેમજ વાણિજય ડગામ કોઇ એક વિશાળ નગરના પરાં નહિ પણ સ્વતંત્ર નગરા જ હતાં. આજ સુધી સામાન્ય રીતે ક્ષત્રિયકુંડગ્રામ જ મહાવીરની જન્મભૂમિ તરીકે મનાતી. પણ પં.સુખશાલજી અને મુનિ કલ્યાણુવિજયજી જેવા આધુનિક ભારતીય તેમજ વિદેશી વિદ્વાનો એ મત ન સ્વીકારતા વૈશાલીને મહાવીરની જન્મભૂમિ માને છે, આ રીતે મહાવીરના ગર્ભાપહરણની ઘટના પરત્વે પણ લેખકે પોતાના વિચાર ટૂંકમાં દર્શાવ્યા છે, પરંતુ આ બધા વિષયા વિવાદાસ્પદ હાઇ લેખકના મતવ્યોના પ્રામાણ્ય– અપ્રામાણ્ય વિષે અહીં ચર્ચા કરવી અનાવશ્યક છે. આ તે વિષયના પરિચય પૂરતી આટલી માહિતી પ્રસંગવશાત્ આપી. બીજા સાધકવન વિભાગમાં મહાવીરના બાર વર્ષના તપસ્વી જીવનની રૂપરેખા આપી છે. ત્રીજામાં ગણધરવાદ, સધસ્થાપના તથા ભગવાન પાર્શ્વનાથના શ્રમણવર્ગનુ મહાવીરના માર્ગમાં એકીકરણ વગેરે ખાખતા નિરૂપી છે. આમાં જમાલિ તે ગોશાલકની વિગત પણ આવી જાય છે. પેલ્લા પરિનિર્વાણુ વિભાગમાં મહાવીરની આયુમર્યાદા, નિર્વાણું, નિર્વાણભૂમિ આદિનું સામાન્ય કથન છે. તેમજ મહાવીરના શિષ્ય ગૌતમના 'વિલાપ તે તેના 'કેવળજ્ઞાન વિષે ટૂંકમાં નિર્દેશ છે. પણ પ્રથમ ખંડના ખીજા ‘પ્રવચન’વિભાગને પણ ચાર ભાગમાં વહેચી નાખવામાં આવ્યા છે. ૧. શિક્ષાપદ, ૨. નિત્થપદ, ૩. દનપદું, ૪. ક્રાંતિપદ, આમાં ઉત્તરાધ્યયન, દશવૈકાલિક સૂત્રકૃતાંગ આચારાંગ વગેરે. આગમગ્રંથામાંથી વિવિધવિષયક ઉત્તમોત્તમ રનકણિકા અનુવાદ સહિત આપવામાં આવી છે, જે માનવમાત્રને માટે ઉપયાગી તે મનન કરવા યોગ્ય છે. પ્રસ્તુત જીવનચરિત્રની સામગ્રી માટે ભાગે આગમગ્રંથોમાંથી લેવામાં આવી છે. અને ખીજા મહાવીરના જીવનચરિત્રાથી પ્રસ્તુતને જુદી પાડનાર ખાસ વિશેષતા તેમાં આગમગ્રંથેની આપેલી “નોંધ પરત્વે છે. લગભગ પ્રત્યેક પાને લેખકે પોતાના લખાણુના સમર્થ્યનમાં આગમચાના તેમજ કાઇક ઠેકાણે પ્રાચીન પાલી બૌદ્ધ ગ્રંથાના ઉલ્લેખ સ્થળા તે તે સ્થાને યાદીપમાં પુરાવા તરીકે ટાંકેલા છે, જે સાધક તેમજ જિજ્ઞાસુ માટે અત્યંત ઉપયોગી ને માર્ગદર્શક નીવડે એમ છે. સમગ્રપણે જોતાં એમ કહેવુ જોઇએ કે ભગવાન મહાવીરના ચરિત્રને લગતા આજ સુધીમાં બહાર પડેલા સાહિત્યમાં આ પુસ્તક હુ ઉપયોગી અને પ્રમાણભૂત સામગ્રીની પુરવણી કરે છે. ' ઇન્દુકલા અવેરી (6) ૩૩ પરિચય લાટનાં દડનાયક – (બીજી આવૃત્તિ) લેખકઃ– શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ; પ્રકાશકઃ- ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, કિંમત સાડા ત્રણ રૂપિયા, ગુજરાતી સાહિત્યના ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રમાં શ્રી ધીરજલાલ ધનજીભાઇ શાહને ફાળા નોંધપાત્ર છે. સ્વ. નંદશંકર તુળજાશંકરે “કરણઘેલા” લખીને આપણા નવલકથા સાહિત્યનો આરભકાળમાં જ ઐતિહાસિક નવલકથાની કેડી શરુ કરી હતી. એમની કેડીએ ચાલી એમના જમાનામાં સ્વ. મહીપતરામ નીલક હરગોવિંદદાસ કાંટાવાળા વગેરે ગણ્યાગાંઠયા લેખકાએ ઐતિહાસિક નવલકથા લખવાના પ્રયાસા કર્યાં, પરંતુ એમાં તેમને જોઇએ તેવી સફળતા મળી નહિ. વળી, તે વખતે ઐતિહાસિક નવલકથાનો સ્વરૂપને ખ્યાલ પણુ જોઇએ તેવા સ્પષ્ટ નહાતા ઘણાં વર્ષો પછી શ્રી મુનશીએ અનૈતિહાસિક નવલકથા પર હાથ અજમાવ્યા અને એમાં એમણે અસાધારણ સફળતા પ્રાપ્ત કરી. શ્રી મુનશીને પંથે આપણા બીજા કેટલાક લેખા પણુ દોરાયા, પરંતુ અત્યાર સુધી શ્રી મુનશીની નવલકથાઓ કરતાં ચઢી જાય એથી તે નહિ, અહંકા શ્રી મુનશીની નવલકથાઓની કક્ષાની ઐતિહાસિક નવલકથાઓ પણ કાઈએ આપી નથી. શ્રી મુનશી પછી અને શ્રી ધૂમકેતુ પહેલાં શ્રી ધીરજલાલ શાહે ‘લાના દંડનાયક' નામની નવલકથા લખી અને ત્યાર પછી એના અનુસ’ધાનમાં ‘મહાગુજરાતના મંત્રી અને મહામાત્ય' નામની બીજી એ નવલકથા લખી. એટલે ઐતિહાસિક નવલકથાના ઇતિહાસમાં શ્રી ધીરજલાન્ન શાહનું નોંધપાત્ર સ્થાન છે ખરૂં, પરંતુ પોતાના પુરોગામી શ્રી મુનશી કે અનુગામી શ્રી ધૂમકેતુની નવલકથાઓની અપેક્ષાએ એમની નવલકથા એવું ઉચું સ્થાન પામી શકી નથી. શ્રી મુનશીની જેમ એમણે પણ ગુજરાતના સેલ કીયુગને પાતાની નવલકથા માટે પસંદગી આપી છે. આ નવલકથામાં સોલંકી યુગના રાજા કર્ણદેવના સમય આલેખવામાં આવ્યા છે. કણુ દેવના સમયમાં, લાટ સાલકીના બુજામા આવ્યા પછી તેને મુક્ત કરવા માટે તલપો જે પ્રયત્નો કરી રહ્યા હતા તેને ધૂળમાં મેળવનાર લાડના દંડનાયક સાન્તુ મહેતાના શૌર્યની યશગાથા આ નવલકથામાં આલેખવામાં આવી છે. માત્ર નવલકથા તરીકે જોવામાં આવે તે એમ કહી શકાય કે આ એક સુવાચ્ય નવલકથા છે. વિવિધ પાત્રસૃષ્ટિ અને વસ્તુની રસભરી ગૂથણીને લીધે વાંચકના રસ છેવટ સુધી જળવાઈ રહે છે. પરંતુ ઐતિહાસિક નવલકથાની દૃષ્ટિએ ોઇએ તે આ નવલકથા બહુ ઉંચા પ્રકારની નથી એમ કહેવુ જોઈએ. આ નવલકથાની મોટામાં મોટી ખામી એ છે કે, એમાં ઐતિહાસિક વાતાવરણ અરાબર જામતું નથી. એટલું જ નહિ · ઐતિહાસિક દૃષ્ટિએ કાલનું ઉલ્લંધન કરે એવી કેટલીક બાબતે પણ આ નવલકથામાં છે જે રસક્ષતિકર છે “ સિંહ તા રાતનાજ રાત મારે” એ ગુરુદેવના વાક્યમાં વપ રાયેલા ‘રેશન” શબ્દ અંગ્રેજી Round પરથી આવ્યો છે. સાલકી યુગમાં • રેશન ' શબ્દ વપરાતો નહતા. ધનપાળ ગુરુદેવને કહે છે. દરેકને રોટી મળી રહે છે-રોજી મળી રહે છે. અહીં રેટી અને રોજીની વાત કરવામાં આવી છે. પરંતુ રેટી રાજ્યના પ્રશ્ન એ વર્તમાન સમયના અર્થતંત્રના પ્રશ્ન છે. એ સમયમાં રાજી રેટીનાં પ્રશ્ન કદી અગત્યના પ્રશ્ન હતા જ નહિ, તેવીજ રીતે લાટ (ભરૂચ)માં રહેનારી સરયૂ ચામુંડની પત્નીને ‘ ભાભુ કહીં સોધે છે. આ શબ્દપ્રયોગ પણ અનુચિત છે, કારણ કે એ તે સ્પષ્ટ છે કે ' ભાભું′ શબ્દ ગુજરાત નહિ પણ સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે. મેટી કાકી માટે • ભાભુ ’ શબ્દ ગુજરાતમાં તે સમયે વપરાતા નહાતા અને જે
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy