________________
૩ર
પ્રબુદ્ધ જીવન
ગીતામાંથી ફલિત શું થાય છે? હિંસા કે અહિંસા?
'
માંડલથી શ્રી રતિલાલ મફાભાઈ શાંતુ પોતાના એક પત્રમાં જણાવે છે કે તા. ૩૦-૪-૫૪ના પ્રખ઼ુદ્ધ જીવનના ૨૩૫ પાને કાકા કાલેલકરના લેખના અનુસ ંધાનમાં જણાવવાનું જે— “ક્ષમ વચન હિં સર્વત્ર સયસ્થિતમ્ શ્વરમ્” પરમેશ્વરને બધે જ એક સ્વરૂપમાં જો ” એ વેદાન્તના મુખ્ય વિચાર છે. એના પરિણામરૂપે જ મનુષ્ય હિંસા ન કરી શકે. કારણકે જે કાઈ સામે શસ્ત્ર ઉઠાવે તે પોતાની સામે જ ઉઠાવવા બરાબર છે અને એ તે આત્મઘાત કરવા ખરોખર છે, જે તે નથી કરી શકતા. આ રીતે ગીતાના શ્લોકના અદ્ભુ ભૂત સાર છે” ઉપરનું વાકય વિસ્તારથી સમજાવવા કાકાસાહેબને જણાવશે જો એવી હિંસા એ આત્મધાત કરવા બરાબર છે. તે એ” ગીતાના ગાયક શ્રીકૃષ્ણે ૧૮ અક્ષૌહિણી સેનાનો નાશ કરવા અજ્જૂનને આયા કહી તથા કૂળધર્મના નામે જાગૃત કરી શા માટે ઉશ્કેર્યાં કે પછી એવી ધાર હિંસા એ અહિંસા કાકાના મતે ગણાય છે !
શ્રીકૃષ્ણઅર્જુન સંવાદ રૂપક છે એતા આજના વિચારકાએ ગીતાના આજના અહિંસાતત્ત્વ સાથે સુમેળ સાંધવાની બુદ્ધિમાંથી ખીલવેલા એક નવા વિચાર છે. પણ વસ્તુતઃ શુ` ભારતીય યુધ્ધ રૂપક છે? એ ધટના બની જ નહાતી તા શા માટે આવા ઉમદા અહિંસાતત્વને સમજાવવા હિંસાના આધાર લેવા પડયો હશે ?
સચરાસર સૃષ્ટિના ચાલક ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ -જ્યારે અર્જુનને હિંસાપ્રવૃત્ત કરે છે ત્યારે એમજ કહેવું જોઇએ કે એ કાળના લેાકાને એ સિવાય ખીજો માર્ગજ સૂઝે તેમ નહાતા. બાકી એ પ્રવૃત્તિને અહિંસા સાથે જોડવી યા તે એમાંથી અહિંસા જ તારવવી એ યુક્તિસંગત નથી લાગતી, કારણ કે મે ૧૯૫૪ના અખડાન દમાં આવેલા ‘મહાભારતના આસ્વાદ’નામના લેખમાં કાકા પાતે જ કે નચોડપિ અનયાારો મળવનું પ્રતિમાતિ મે' શબ્દોારા રડતી આંખે યુધિષ્ઠિર પાસે એકરાર કરાવે છે કે હું ભગવાન આ જય મને પરાયરૂપ જ છે! તે આમાંથી સમન્વય કેવી રીતે શાધવા એ એક પ્રશ્ન છે.”
આના ઉત્તરમાં કાકાસાહેબ કાલેલકર જણાવે છે કે:
‘ ભાઇ રતિલાલે પૂછેલા સવાલો નવા નથી અને એ સબધે ધણાખરા ખુલાસા ગાંધીજીના અનાસકિતયોગમાં પૂરી સ્પષ્ટતાપૂવ ક કરવામાં આવ્ય છે. એ રીતે આ સવાલા . વાસી ગણાય. આમ છતાં પણ જ્યારે એ જ સવાય઼ા જેમને નવેસર સ્ફુર્યો છે તેમના માટે તે એ સવાલ નવા જ છે. અને તેથી જવાબ આપનારે આ સવાલનું વાસીપણું ભુલી જઇને નવા ઉત્સાહથી જવાબ આપવા જોઇએ.
“ અમે કેટલાક લોકો માનીએ છીએ કે જેને ભારતીય યુદ્ધ કહે છે એવુ એક યુદ્ધ આ ભારતભૂમિમાં થયું હતું. એમાં અર્જુન, શ્રીકૃષ્ણ, ધર્મરાજ વગેરે ઐતિહાસિક વ્યક્તિઓએ ભાગ ભજવ્યેા હશે. એ યુદ્ધતુ મૂળ કારણ અને સાચું સ્વરૂપ આજે આપણે બરાબર જાણતા નથી. કવિએ વખતે વખત એ યુદ્ધનો ઉપયોગ કરી એની વિગતામાં ઠીક લાગ્યા તેવા ફેરફાર કરી કાવ્યો લખ્યા. આમ ભારતીય યુદ્ધના વર્ણનના વિકાસ થતા ગયા. આ કાવ્યો લખવામાં કેવળ ઐતિહાસિક ખીના રજી કરવાના ઉદેશ નહાતા. પુરાને ધર્મનિીયા: અમુક પ્રસ ંગે માણસ કઇ રીતે વર્તે છે, કઈ રીતે વર્તે તે ચાલે, અને કઈ રીતે વર્તે તે તે ઉત્કૃષ્ટ ગણાય એ બધુ બતાવવા માટે ઐતિહાસિક અને કાલ્પનિક પ્રસંગો આવા કાવ્યોમાં વણાયેલા હાય છે.
દક્ષિણના એક ભાઇએ અગ્રેજીમાં એક મોટો ગ્રંથ લખી સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યો છે કે ઇતિહાસ જે અનેક રૂપો ધારણ
તા. ૧૫-૬-૫૪
કરી શકે છે તેનું કાયમી ચોગઠું મહાભારતમાં આપણને મળે છે. Permanant History of Bharatvarsha ચેાપડીનુ નામ છે. એ ભાઈ સાથે સહમત થવાની આવશ્યકતા નથી, પણ આપણાં પુરાણા તરફ આપણા લોકો કઇ રીતે જોતા આવ્યા છે એને ખ્યાલ આપવા ઉપરની ચોપડીનું દૃષ્ટાન્ત ટાંક્યુ છે.
“રઘુનાથ શાસ્ત્રી પર્વતે કરીને મહારાષ્ટ્રના એક જુના સંસ્કૃત શાસ્ત્રી હતા. તેઓ અંગ્રેજી જાણુતા નહોતા. એમણે ગીતા વિષે લખતાં કહ્યું છે કે ભારતીય યુધ્ધ વખતે શ્રીકૃષ્ણુ અને અર્જુન વચ્ચે આવા સંવાદ થયા જ હતા એમ માનવાનું કારણ નથી વેદાન્તના સિધ્ધાન્તા વ્યકિતગત તેમજ સામાજિક જીવનમાં કઇ રીતે ઘટાવાય એ બતાવવા માટે જુના વખતના લે કાલ્પનિક સંવાદો ઉપજાવી કાઇ મહાકાવ્યમાં અનુકુળ જગ્યાએ બેસાડી દે છે. આવી પ્રવૃત્તિને વિદ્યા સ્તુત્યર્થ કહેવામાં આવે છે.
“પ્રશ્ન પૂછનાર ભાઈએ જે સવાલ ઉઠાવ્યા છે કે અહિંસા સિધ્ધ કરવા માટે શા માટે શ્રીકૃષ્ણે અર્જુનને ઘેર હિંસામાં નિયેાજે છે ? તે જ સવાલ અને ગીતામાં જ પૂલે છે ત: િ कर्मणि धोरे मां नियोजयसि केशव ।
“અમારા જેવાઓનુ માનવું છે કે ધાર હિંસાના વાતાવરણમાં અહિંસાને ઉપદેશ કરવા અને હિંસાને રૂપક તરીકે વાપરવી એમાં કાવ્યની દૃષ્ટિએ ઘણુ ઔચિત્ય છે. ઐતિહાસિક યુધ્ધ થયુ હશે એની ના નથી. ઐતિહાસિક શ્રીકૃષ્ણ પોતે જ્ઞાનરૂપ પર હતા એમ એ વખતના લોકોએ માન્યું નથી. કવિએ ઇતિહાસ ભુસી નાંખી શ્રીકૃષ્ણને પ્રત્યક્ષ જ્ઞાનરૂપ પરમાત્મા બનાવ્યા છે, માન્યા છે અથવા કલ્પ્યા છે અને એ કલ્પનાના આધારે ગીતાના સવાદ ગાવ્યા છે.
“ ભાઇ રતિલાલ લખે છે. બાકી એ પ્રવૃત્તિને અહિંસા સાથે જોવી, યાતા એમાંથી અહિંસા જ તારવવી એ યુક્તિસ ંગત નથી લાગતું'.' ખરી મુશ્કેલી એ છે કે ગીતાની શિખામણ હિંસાની પ્રવૃત્તિ સાથે જોડવી એ એથીયે વધારે કઠણ છે. ગાંધીજીનાં દર્શન પણ કર્યાં નહેાતાં, એમનું નામ પણ સાંભળ્યુ નહતુ. અહિંસા વિષે આદર પણ નહોતા એવે વખતે મે એક ક્રાન્તિકારી નેતાના જવાબમાં લખ્યું હતું કે સમશા ૨ મિત્રેષ થવાની શિખામણ આપનાર અને જયપરાજય વિષે તટસ્થ રહેવા સૂચવનાર ગીતા અમ ક્રાન્તિકારીને કશી પ્રેરણા આપી શકે નહિ. એ ગીતા પરલોક પરાયણ લોકાને ભલે આશ્વાસન આપે, સર્વ ઝોહિત જ્ઞા: એવા પરોપકારપરાયણુ સન્તાને ભલે પ્રેરણા આપે, હિંસાારા દેશને આઝાદ કરવા નીકળેલા અમને ગીતા કશા કામની નથી.”
“એ વખતે પણ મને લાગતું કે ગીતાનો સાર અહિંસાને જં પોષક છે. એ ગમે તે હા પણ—
समं पश्यन् हि सर्वत्र, समवस्थितम् ईश्वरम् । न हिनस्ति आत्मना आत्मानं ततो याति परां गति ॥
એ શ્લોક તે અહિંસાપરાયણ છે, એટલું જ નહિ પણ અહિંસા વૃત્તિને નક્કર પાયેા પૂરા પાડે છે એ વિષે એ મત હાઇ ન શકે. એ શ્લોકના ગીતાના અનુયાયીઓએ ઇનકાર કર્યાં નથી.
સમન્વયદૃષ્ટિ કેળવનાર માલુસ શાબ્દિક કે તાકિ ઝગડામાં ઉતરતા નથી. ઉંચી ભૂમિકા ઉપર જતે દરેક દષ્ટિની યથાર્થતા સમજી લે છે. કાકા કાલેલ′′
L