SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ નવા કરી શકે ન પ્રબુદ્ધ જીવન."" તા. ૧૫-૬-૫૪ કે '' of ", Eાજે પોતે તે તે જર્મનીને તેમાં જે જાપાનને એવું નિઃશસ્ત્ર અને ૬ પરાધીન બનાવવું કે તે બેમાંથી એક પણ પ્રજા ભવિષ્યમાં માથું ઉંચકી ન શકે. પણ આ મિત્રરાજ્યોમાંથી એક બાજુ યુનાઈટેડ સ્ટેટસ થી અને તે તરફ ઢળેલા ઇગ્લાંડ અને ફ્રાન્સ છે. ચાંગ કાઈ શકનું | "હીને સામ્યવાદી બનેલું ચીન અને રશીઆ બીજી બાજુ છે. રિશીઆ અને ચીનને નબળા પાડવા તરફ યુનાઈટેડ સ્ટેટસ જેનું પણ અન્ય રાજ્ય ઉપર અમાપ પ્રભુત્વ પ્રવર્તે છે તેનું ધ્યાન કેન્દ્રિત થયું છે અને તેથી નિઃશસ્ત્ર અને પરાધીન એવા પશ્ચિમ જર્મની અને જાપાનને પાછા સશસ્ત્ર અને સ્વાધીન બનાવવાની નીતિ તરફ ઢળેલ છે. આ માટે જાપાન પુનઃ સશસ્ત્ર અને સસૈન્ય બનવા તરફ ગતિ કરી છે. પેલી બંધારણની કલમ પણ ઉડાડવે જ છુટકો છે. િઆ કારણે જાપાનના આગેવાન પ્રજાજનો સામે એક કોયડે ઉભો થયો છે. એ બૌદ્ધ ધર્મની અસર તળેના કેટલાક જાપાનના અગ્રગણ્ય ચિતકે એમ વિચારે કે જે અમને એકવાર નિઃશસ્ત્ર કરવામાં આવ્યા છે અને અમારા સૈન્યને વિસર્જિત કરવામાં આવ્યું છે તે અમારે હવે શસ્ત્રસજજ થવાની, વિપુલ સૈન્ય ઉભું કરવાની અને આન્તરરાષ્ટ્રિય રમતના પ્યાદા * થવાની બીલકુલ જરૂર નથી. ” એ પિતા સૈન્ય એ આન્તરરાષ્ટ્રિય હરીફાઈ અને એ સહાર–એ વિષચક્રમાં ફસાવાની અમને કઈ જરૂર નથી. અમારે અમારા પડોશી રાજ્ય હિસાથે શાન્તિથી રહેવું છે અને કઈ સામે લડાઈના જંગ ખેલવા િનથી. અમે ભલા, અમારે દેશ ભલો. અહિંસાના માર્ગે જે ઉત્કર્ષ િસંધાય તે જ અમને ઈષ્ટ છે. આવી વિચારધારા ધરાવતા કેટલાક એ ધુઓએ જાપાનમાં શાન્તિપરિષદ બોલાવી છે અને તેમાં ભાગ દિ લેવા અહિંની સરકાર તરફથી નહિ પણ અહિંના સર્વ સેવા સંઘ તિરફથી હું જાઉં છું. મારી સાથે શ્રી. ભારતન કુમારપ્પા છે અને હો આપણા દેશમાંથી ત્રીજા એક શ્રી કાલીદાસ નાગ પણ આ આ પરિષદમાં ભાગ લેવાના છે. તે ઉપર જણાવી તેવી શસ્ત્રવિરોધી સૈન્યવિધી મનોદશા ધરાવનાર વિચારોનો વર્ગ જાપાનમાં બહુ નાનું છે. તેઓ શું અને છેકેટલું કરી શકશે એ પણ એક પ્રશ્ન છે. પણ આવી હીલચાલમાં મા ભાગ લેવા એ એક અહિંસાવાદી તરીકે મારે ધર્મ છે એમ સમજીને હું જાઉં છું. ' જાપાનમાં બીજો વિચારપક્ષ શસ્ત્રસજ્જતા અને મેટું હા સૈન્ય ઉભું કરવાના પક્ષને છે. આજની તુમુલ હરીફાઈમાં ઉભા જ રહેવા માટે તેમને આ બાબત અનિવાર્ય લાગે છે. કારણ કે જાપાજ તને આજને મહાન પ્રશ્ન વસ્તીવધારાને છે. જાપાનમાં આજે વસ્તીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને તેને કેમ સમાવવી અને વિક તેનું કેમ ધારણપોષણ કરવું એ જાપાનની એક ભીષણ સમસ્યા છે. વિખેરાકની અછત તેમને ખૂબ મુંઝવે છે. પરિણામે મેટું સૈન્ય ઉભું કિરવામાં આવે તે સૈન્યના જોરે બીજે અવકાશ મેળવવાની શક્યતા ઉભી કરી શકાય. ભવિષ્યમાં યુધ્ધ થાય અને તેમાં જાપાન હારે તે Sા એટલી વસ્તી ઓછી થાય અને જાપાન જીતે તે પિતાની વધારાની વસ્તીને ઠેકાણે પાડવા નવા પ્રદેશ સર થાયજાણે કે આ પ્રકારની વિ કાંઈક વિચારણા તેમના મનમાં ચાલતી હોય એમ લાગે છે. આજે મીલ્કતની સમાન વહેંચણી કરતાં પણ વસ્તીની સમાન જ વહેચણીને પ્રશ્ન નવી અગત્ય ધારણ કરતા જાય છે. એક બાજુએ વિકી જપાન, ચીન, હિંદ આદિ દેશોમાં ઠાંસી ઠાંસીને વસ્તી ભરેલી છે. - બીજી ભાજીએ આસ્ટ્રેલીઆ જે હિંદથી લગભગ બમણા છે તેના ના કિનારે કિનારે જ માણસને વસવાટ છે અને અંદરને અઢળક પ્રદેશ Tી સાવ ખાલી પડે છે. આવું જ ખાલીપણું સાઈબીરીઆમાં ભર્યું E પડયું છે. એક ઉપર અગ્રેજો કાબુ જમાવી બેઠા છે; બીજા ઉપર : રશીઅન પંજો પસારીને ઉભા છે. તેઓ બહારના કાઈને ત્યાં દાખલ થવા દેતા નથી. આવી અસમ પરિસ્થિતિ કયાં સુધી ચાલશે? પર જનતાની સંખ્યાવૃદ્ધિને પ્રશ્ન આપણી સામે જલદપણે આવીને પર ઉભો છે તેની સામે આંખ આડા કાન કર્યું નહિ ચાલે. આજે દુનિ- નિયાની વસ્તીની સંખ્યા લગભગ અંકાઈ ગઈ છે. તે સામે દુનિયા કેટલું ઉત્પાદન કરે છે અને હજુ અણખેડાયેલ જમીનને ખેતી નીચે લાવતાં કેટલું ઉત્પાદન થઈ શકે તેમ છે તેનું માપ પણ આપણે કાઢી શકીએ તેવી સ્થિતિમાં છીએ. આંકડાઓ અને અનુમાને એમ સૂચવે છે કે વરતી વર્ગ શ્રેણી પ્રમાણે વધે છે, જ્યારે ખેરાકનું ઉત્પાદન ગણીતશ્રેણી પ્રમાણે વધે છે. પરિણામે જેમ છે તેમ છે તેમ' આપણે ચાલવા દઈએ તે એક વખત એવી કટોકટી આવ્યા વિના ' ન જ રહે કે દુનિયાની વસ્તીના ' અમુક ભાગને ભુખમરાના ચીલું ભેગા થવું પડે. . થોડાક સમય પહેલાં એક જાણીતા દિગંબર સાધુ શ્રી ગણેશ વણને અભિનન્દન ગ્રંથ અર્પણ કરવાને એક સમારોહ યે જવામાં આવ્યું હતું. એ અર્પણવિધિ કરવા માટે મને લઈ જવામાં આવ્યા હતા. એ સમારોહ પ્રસંગે આ મુનિરાજે કેટલાએક ચાંડાલ લેકીને નિરામિષાહારી કર્યા એમ તેમની પ્રશંસા કરવામાં આવી હતી. આપણે બધાય નિરામિષાહારી છીએ. તેથી કોઈ માંસાહારી નિરામિષાહારી બને તે જરૂર આપણને ગમે. પણ આ બાબતમાં આપણી વ્યક્તિગત વિચારણા અને અભિમત આચારને બાજુએ રાખીને સામુદાયિક દૃષ્ટિએ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આની આ બાબત બીજા ! આકારમાં આપણી સામે રજુ થાય છે. જ્યાં અનાજના ઉત્પાદનના પ્રમાણમાં વસ્તી વધારે મેટા પ્રમાણમાં વધી રહી છે ત્યાં આ રીતે અનાજની માંગ વધારવી તે સામુદાયિક કલ્યાણને ખરેખર અનુરૂપ છે ખરૂ? આ જ પ્રશ્ન એ મુનિવરને મેં કર્યો ત્યારે તેઓ થોડીવાર ઘુંચવાડામાં પડયા અને જાણે કે નવી સુઝ આવી હોય એમ તેમણે જણાવ્યું કે આને ઉપાય વસ્તીને વધતી અટકાવવી–જનસંખ્યાને મર્યાદિત કરવી–તે જ હોઈ શકે. સાધારણ રીતે જૈન મુનિ આવે નિર્ણય ઉચ્ચારે એ આપણી કલ્પનામાં પણ ન આવે છતાં વારતવિકતાનું ભાન આપણને અણધાર્યો નિર્ણય તરફ ખેંચી જાય છે. આ જ પ્રશ્ન આપણને બીજી દિશા તરફ ખેંચી જાય છે. વસ્તીનિર્માણ ઉપર અંકુશ મૂકવો એ એક છેડાને ઉકેલ છે; પ્રજાની ઉત્પાદન શક્તિ વધારવી એ બીજા છેડાને ઉકેલ છે. માત્ર : એક છેડાના ઉકેલ ઉપર ભાર દેવાથી આજનું કોકડું સફળતાપૂર્વક ઉકેલી નહિ શકાય. પ્રજાની ઉત્પાદન શક્તિ વધારવાની વાત કરવા સાથે દેશને, અનુત્પાદક અથવા તે શક્યતાના પ્રમાણમાં અતિ અલ્પ ઉત્પાદક વર્ગ જેને આપણે પછાત વર્ગો-Back word classes ના નામથી ઓળખીએ છીએ તે તરફ આપણું ધ્યાન ગયા વિના રહેતું નથી. આ વર્ગોની સંખ્યા આપણા દેશમાં છ સાત કરોડની નહિ પણ ૧૪ કરોડની અડસટ્વમાં આવે છે. આ સંખ્યા તે હરિજન, ગિરિજન અને આદિવાસીઓની છે. પણ તેમાં પછાત તરીકે ઓળખાતા એવા નહિ પણ ઉત્પાદનની દૃષ્ટિએ જેઓ બીનપાવરધા છે દા. તે દેશને આખે સ્ત્રીસમુદાય તેમ જ બીજા વર્ગો- તેમની સંખ્યા ઉમેરીએ તે વસ્તીના સાઠ ટકા થવા જાય છે. આ ૬૦ ટકાને પાવર કરવામાં ન આવે ત્યાં સુધી ૪૦ ટકા પાવરધો-સશકત-પ્રાણવાન ઉત્પાદક સમુદાય આપણને જરા પણ આગળ લઈ જઈ નહિ શકે. દેશની આ પરિસ્થિતિ એક સાંકળ જેવી છે. સાંકળના બધા આંકડા મજબુત હોય પણ એક અકેડે જે ઢીલો હોય તે આખી સાંકળ ઢીલી કહેવાય. અહિં તે એવી સાંકળ છે કે જેના ૪૦ અ કેડા : મજબૂત છે અને ૬૦ અકડા ઢીલા છે. આવી સાંકળ આપણને કયાં સુધી કામ આપશે અને આપણું કયા ધરિદ્રને ફેડી શકશે.? આ રીતે આપણી સામે પડેલા ૫છાતવર્ગોને માત્ર નહિ પણ તેની પાછળ રહેલા પછાત નહિ ગણાતા છતાં પછાત જેવા વગોના પ્રશ્ન ભારે જટિલ અત્યન્ત વિકટ છે, પણ એ વિકટતાથી ડરી ગયે ? નહિ ચાલે. જે આપણા દેશને ઉત્કર્ષના માર્ગે ગતિમાન કરવું હશે ! અને સર્વત્ર સુખ, શાન્તિ અને આબાદી ફેલાય અને ન્યાયનીતિનું શાસન પ્રવર્તમાન થાય એમ આપણે ઈચછતા હોઈશું તે આપણે પછાત વર્ગોના પછાતપણાને વહેલી તકે નાબુદ કરવું જ પડશે.' - કાકા કાલેલકર * * * + =કાક: - * * * ' - + ' , ,
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy