________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૩-૫૩
અહિંથી પાછા ફરતાં યમુનાના કાંઠે ગ ંગાણી આવે છે અને ત્યાંથી ગગાત્તરી તરફ઼ રસ્તા કુંટાય છે અને આગળ ચાલતાં પ્રારંભમાં આપણે ઉત્તરકાશી પહોંચીએ છીએ. આ સ્થળ ગગા કાંઠે સપાટ ખાણુમાં આવેલું છે. અહિં એક ઝુલતા પુલ તથા ધર્મશાળા તેમ જ અન્નક્ષેત્ર પણ આપણી નજરે પડે છે. ઘણુ' ખરૂં શીતકાળમાં ગંગાત્રી જમનેાત્રીના સાધુઓ અત્રે આવીને રહે છે. ગંગા કાંઠે કાંઠે આગળ ચાલતાં મનેરી, ભટવાડી, ગંગનાણી, સુખીઝાલા વગેરે સ્થળામાંથી પસાર થઇને આપણે હરસલ પહેાંચીએ છીએ. ટીબેટની સરહદની નજીક હોવાથી આ ગામમાં બેટીઆ તેમ જ ટીમેટી લોકો આપ ણુને જોવા મળે છે. આગળ ચાલતાં ભૈરવ ઘાટીની વસમી ચઢાઇ ઉપર થઈને આપણે ગગાત્તરીના મદિર સમીપ પહેાંચીએ છીએ. આ મંદિર ભવ્ય અને સપ્રમાણ લાગે છે, અહિં યાત્રાળુઓ ગગાસ્નાન કરતાં જોવામાં આવે છે. અહિં વર્ષોંથી વસતા સુવિખ્યાત મુનિ તપાવનજી, શ્રી કૃષ્ણાશ્રમજી તેમ જ અન્ય અનેક સન્ત સાપુરૂષોનાં આપણુને દર્શન થાય છે. ગંગાજીનાં મૂળ સુધી પહેાંચવા માટે આથી પણ આગળ જવું પડે છે, જે માગ ઘણા વિકટ ડાય છે. વસ્તુતઃ માગ જ નથી. પત્થરોની ગિરિમાળા ઉપરથી માગ જાતે જ કરી લેવા પડે છે આપણા ચિત્રપટ-નિર્માતાને હિમપ્રવાહ તેમ જ સ્ના શ્રીજ’આળ’ગતા આપણે જોઈએ છીએ. રસ્તામાં મૌનીબાબાની ઝુંપડી આવે છે. ધીમે ધીમે આગળ વધતાં આખરે છે ગોમુખ એટલે “ ગગાના મૂળ ” પાસે આપણે પહેાંચીએ છીએ. હિમપ્રવાહના પેાલાણુમાંથી એક નાના સરખા જળપ્રવાહ ચાલ્યું આવે છે, જે આગળ વધતાં વધતાં વિરાટકાય ગંગાંના ભવ્ય પ્રવાહ અને છે. આ સ્થળ ૧૩૦૦૦ પીટની ઉંચાઈએ આવ્યું છે. ધાર્મિક શ્રદ્ધા અને ભાવનાની ષ્ટિએ આ સ્થળ અતિ પવિત્ર મનાય છે. અસહ્ય ઠંડી વચ્ચે આ બરફ સમા શીતળ પ્રવાહમાં સ્નાન કરીને કૃતા'તા અનુભવતા યાત્રીઓને આપણે નિહાળીએ છીએ. અહિં આપણી સામે હિમાલય પેાતાની પુરેપુરી ભવ્યતામાં પ્રગટ થતા નજરે પડે છે. ત્રણે ખાજુ હિમાચ્છાદિત શિખરા-ભાગીરથી પર્વતમાળા, ભગુપ થની પર્વતમાળા અને શિવ લીંગનુ ઉત્તુંગ શિખર-આપણી આંખાને અને મનને મુગ્ધ બનાવે છે. આ શિખરો સદાકાળ હિમાચ્છાદિત રહે છે. યાત્રીકા સાથે આપણે ચિત્રપટ જોનારા પણ ધન્યતા અનુભવીને અહિંથી પાછા ફરીએ છીએ અને ગામુખથી ગ ંગાત્તરી અને ત્યાંથી જે માગે અહિં સુધી આવ્યા તે જ માર્ગે પાછા ફરતાં હરદ્વાર આપણે પહેાંચી જઈએ છીએ. જતાં તેમ જ આવતાં હિમાલયનું ભવ્ય સૃષ્ટિસૌન્દ્રય, ભીષણ જળપ્રપાતા, હિમશિખરાની હારમાળા, અદ્ભુત વનરાજીએ તેજછાયાનાં અવનવાં ચિત્રા, અવણુ નીય સૌંદય અને સૂર્યાસ્તા-આપણી આંખા સામેથી પસાર થાય છે અને અપૂર્વ રંગલીલા નીહાળતાં આપણે મુખઇના સમુદ્રતટે આવેલા એક મકાનમાં એંસીને એક ચિત્રપટ જોઇ રહ્યા છીએ-એ વાસ્તુવિકતાને આપણે એ ડિ ભૂલી જઈએ છીએ.
આમ એક યાત્રા પુરી થાય છે અને બીજી યાત્રા કૈલાસની શરૂ થાય છે. આ યાત્રા પણ આપણે મુંબઇથી શરૂ કરીએ છીએ અને આગ્રાના તાજમહાલનાં પુનિત દર્શન કરીને છેલ્લુ રેલ્વે સ્ટેશન કાઠગોદામ સમીપ આપણે પહેાંચીએ છીએ. ત્યાંથી ૮૧ માલિ બસમાં બેસીને આભેારા પહેાંચાય છે. આમેરા ૧૨૦૦ ફીટ ઉંચાઈએ આવેલું એક જાણીતું હવા ખાવાનું મથક છે. આક્ષ્મારાની બજાર, ત્યાંનું શિવાલય વગેરે જોઈને આપણે આગળ વધીએ છીએ. આ વખતની મ`ડળી શ્રી નવનીતભાઇ અને તેમના ત્રણ ચાર મિત્રાની બનેલી છે અને તેમની સાથે કૈલાસના સુપરિચિત સ્વામી પ્રણવાન દળ છે. આહ્મારાથી ખચ્ચર ઉપર પ્રવાસ શરૂ થાય છે. માર્ગમાં પહાડી ગામડાંઓ, ટેકરાટેકરીના ઢાળાવ ઉપર નિર્માણ
૧૭૭
કરવામાં આવેલાં પગથીગ્મા જેવા ખેતરા, (terrace fields). ચીડ, દેવદારૂ વગેરે વૃક્ષાનાં ઘીચ જંગલ આપણી આંખ સામેથી પસાર થાય છે અને પહાડી લેાકવનને આપણને કાંઇક ખ્યાલ આવે છે. આકાશ સ્વચ્છ બની જાય છે અને બદ્રીનાથ ( જેને ચૌખ’ભા’ના નામથી ઓળખવામાં આવે છે), ન ંદાત્રુટી, ત્રિશૂલ, નીંદાદેવી, ન ંદાકાટ પ ંચગ્રુહ્દી, ન’પા વગેરે સુપ્રસિધ્ધ ગગનચુંબી હિમશૃગાનાં દન થાય છે. માગ'માં સરયુ, રામગંગા વગેરે નદી પાર કરવામાં આવે છે. આહ્મારાથી ૯૦ માઈલ દૂર ધારચૂલા ગામ આવે છે. તે કાલી ગંગાના કાંઠે આવેલું છે. આ નદીના સામે કાંઠે નેપાલ રાજ્યની સરહદ આવેલી છે. આ નદી ઉપર એક દોરડાના પૂલ આવે છે જેને આળગવા ભારે વિકટ લાગે છે. અહિ' લાક ડાના ત્રીકાળુ ચોકઠામાં ગોઠવાયેલા અને દોરડા ઉપર લટકતા અને એ રીતે પુલને ઓળંગતા નવનીતભાઈને આપણે જોઇએ છીએ. ધારચુલાથી આગળ પગપાળા પ્રવાસ શરૂ થાય છે. રસ્તામાં નજગ’ તે રામાંચક ધોધ આવે છે જેનાં ખળખળ વહેતાં પાણી આપણને જાણે કે સંભળાતાં લાગે છે. રસ્તો ખૂબ સાંકડા અને છે. પતમાં કારી કાઢેલા માર્ગોમાંથી પ્રવાસી પસાર થતા દેખાય છે. બોટ પ્રદેશના વિસ્તારમાં થઈને ૫૫ માઈલ દૂર ગર્વાંગ નામના ગામડે આ મંડળી પહોંચે છે. ભારતના સીમાડાનું આ છેલ્લું ગામ છે, અહિં બેટીઆ લકાને પાપાક અને ચિત્રવિચિત્ર ભારે વજનદાર રૂપાનાં આપણે આપણુ ખાસ ધ્યાન ખેંચે છે. ગાઁ ગથી આગળ ચાલતાં લીપુ-પાસ (ઘાટ) આવે છે. આ ઘાટ ૧૬૭૧૦ પ્રીટ ઉંચો છે. આંહે ભારત ટીમેટની સરહદ ઉપર નવનીતભાઇના ગાઈડ સક્રમસિંહ રાષ્ટ્રધ્વજ ફરકાવતા નજરે પડે છે અને આપણા દિલમાં શમાંચ પેદા કરે છે.
ટીમેટમાં આગળ ચાલતાં પહેલાં તકલાકાટ ગામ આવે છે, પછી ગુગ ગામ આવે છે જે ગામના લેક પર્વતની ગુફાઓને જ ધર બનાવીને વસેલા છે. રીબેટી લેાકેા મંગાલિયન જાતિના છે. તે બૌદ્ધ ધર્મના મહાયાન પથના અનુયાયી છે અને તેમના ધમગુરૂઓને લામા' કહેવામાં આવે છે. આ લામાએમાં એવા પણ લામાએ હાય છે કે જે પૂર્વજન્મમાં પણ લામા હતા એવી ટીબેટના લેાકેા તેમના વિષે માન્યતા ધરાવે છે. આને ‘ટુલ્લુલામા' કહેવામાં આવે છે અને આ લામાઓને વધારે આદરણીય અને પૂજનીય ગણવામાં આવે છે. આ લામાઓનાં આપણને આગળ ચાલતાં દન થાય છે. ટીબેટી નૃત્યકારો, તેમનાં છૂંદવાદન, યાકના વાળમાંથી બનાવેલા ગાલીચા જેવા જાડા કાપડના તંબુ, લાકડાના ભુજંગળામાં પાણી, મીઠું, માખણ અને ચા નાખીને તે ભુંગળાને વલાવતા અને એ રીતે ચા તૈયાર કરતા ટીકેટી સ્ત્રીપુરૂષો-આ બધું જોતાં આપણે કાઈ જુદી જ માનવી – દુનિયામાં પ્રવેશ કર્યાં હાય એમ લાગે છે. ટીકેટના બૌદ્ધ મઠીતે “ ગોમ્પા ” નામથી ઓળખવામાં આવે છે. આ ગામ્પાએમાં મુખ્ય ગણાતા એવા ગોમ્પાએ-સિમ્બીલીંગ ગોમ્પા અને ખાચર ગેમ્પા-આપણી આંખ સામેથી પસાર થાય છે અને તે પ્રદેશના ધાર્મિ ક જીનનની આપણુને ઝાંખી કરાવે છે. હવે આપણે રાક્ષસતાલના માર્ગ તરફ વળીએ છીએ. રસ્તામાં હિમાચ્છાદિત ગુર્થાંમાંધાત પર્વત આવે છે. જેની ઉંચાઈ લગભગ ૨૫૪૦૦ કીટ છે. આગળ ચાલતાં થલ્લા-દેાંગલા અને ગુર્લાલા આ નામના બે ઘાટમાંથી પ્રવાસીઓને પસાર થવુ પડે છે. આમાંથી બહાર નીકળતાં ૧૪૯૦૦ પ્રીટની ઉંચાઈ ઉપર આવેલું રાક્ષસતાલ ( તાલ એટલે તળાવ ) નામનું એક વિશાળ સરાવર આવે છે. કિંવદન્તી પ્રમાણે અહિં રાક્ષસોના રાજા રાવણે તપ કરેલું એ ઉપરથી આ તળાવનું રાક્ષસતાલ' નામ પડેલ છે. તેનેા વિસ્તાર ૧૫૦ ચોરસ માઈલના છે. અને તેના વિશાળ જળપટમાં બે નાના દ્વિપ આવેલા છે. સમુદ્રની નાની આ‰