SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૫૩ ધમ માણુ શ્રી કુ ંવરજીભાઈ, વિદ્યારસિક શ્રી અમરચંદભાઈ અને શ્રીમાન ગિરધરભાઇનું મારા પ્રત્યેનું વાત્સલ્ય હું વીસરી શકું એમ નથી. એ બધાની મને પિતાની કૂની ગરજ સારતી. જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ ” નામના જૈન સમાજમાં ભારે સક્ષાભ ઉપજાવનાર મારા ભાષણ વખતે એને સહૃદયતાપૂર્વક સમજવાની ભાવના ધરાવનાર ઉદારદિલ પ્રમુખ તેરીકે સ્વ. શ્રી મોતીચંદભાઇ હતા તે પણ ભાવનગરના જ છે અને મારા એ ભાણુ સામે જાગેલ વિરેથી ડરી નહીં જવાની પુત્રદ્રારા મતે હિંમત આપનાર શેઠશ્રી જૂઠ્ઠાભાઇ વારા તથા બીજા કેટલાક સગૃહસ્થો પણ ભાવનગરના જ છે. સ્વ. શ્રી નરેત્તમદાસ ભાણુજીને પણ મારે આ પ્રસંગે સંભારવા જ જોઈએ. આમ અનેક રીતે ભાવનગરે મારા જીવનમાં અગત્યનું સ્થાન મેળવ્યું છે. પ્રબુદ્ધ જીવન અને જે સ ંસ્થાએ સમાર...ભનું કમઠાણ ઉભું કર્યુ છે તેના બધાય કાય કરો તે મારા મિત્રો જેવા છે. આ પ્રસંગે આપણા સમાજની સ્થિતિ અંગે થોડીક વાતા રજૂ કરવી યોગ્ય લાગે છે. આપણે ત્યાં કમ વાદ એટલે જે થવાનુ હશે તે થશે' એ વાત જે રીતે સમજાવા લાગી છે તેથી આપણને ઘણી હાનિ થઇ છે. એથી આપણે પુરૂષાર્થ કરવાથી પાછા પડ્યા છીએ. ભ. મહાવીરે કમ વાદસમન્યે તેની પાળ પણ પુરૂષાર્થ ની પ્રબળ ભાવના રહેલી છે તે આપણે ન સમજ્યા એટલે આપણે કત હીનતા અને અનેક વહેમમાં સપડાઈ ગયા. ભગવાન મહાવીરને ઉપદેશ તે સ્વાશ્રયી અનવાના જ છે. સંપ્રદાયોના પરસ્પર ઘર્ષણા આપણે ત્યાં વારવાર ઉભા થાય છે તેમાં પણ જૈન ધર્માંતે આપણે મૂળરૂપે. ન સમજ્યા તે જ કારણ છે. ભૂતકાળની કેટલીય બાબતો માટે આપણે ગૌરવ લઇએ છીએ; પશુ એમાં સાચું ગૌરવ લેવા જેટલુ કેટલું છે અને સાર વગરનુ કેટલું છે એનુ' તારતમ્ય ક:ઢતા નથી અને ભૂતકાળને કેવળ વખાણ્યા જ કરીએ છીએ તેથી આપણી પડતી થઇ છે. આપણે આત્મશુધ્ધિના બદલે લબ્ધિઓને-ભૌતિક સિધ્ધિઓને મહત્ત્વ આપવા લાગ્યા. એમાં આપણે જૈન દર્શનનું અસલી સ્વરૂપ વીસરી ગયા. અને ધીરે ધીરે. આપણે એવા સ્વાËલા અતી ગયા કે સાંધિક બળ આપણે લગભગ ગુમાવી બેઠા. દેવદ્રવ્યના પ્રશ્ન પણ આપઙ્ગ યથાસ્થિત રીતે સમજવાને પ્રયત્ન નથી કરતા. આ ઉપરાંત જૈન સત્કૃ તિને ન છાજે એવી કેટલીય પ્રવૃત્તિ અને સંકુચિતતા આપણામાં ઘર કરી બેઠી છે, જે જોઇને મનમાં ભારે આધાત લાગ્યા વિના નથી રહેતા. દીધ તપસ્વી ભગવાન મહાવીરને સ કલ્યાણમય વારસા મળવા છતાં આમ કેમ બન્યું ? એને હુ' વિચાર કરૂં છું. ત્યારે મને આ બધાનું મુખ્ય કારણ આપણે જ્ઞાનથી દૂર થયા એ જ છે એમ લાગે છે. ધીમે ધીમે આપણે ગૃહસ્થેા શાસ્ત્રોના અધ્યયનથી વ ંચિત થતા ગયા. પરિણામે સાચી વાત આપણા મનમાંથી સરી ગઇ. આમ થવાનું કારણ પણ અત્યારે આપશે. સમાજ વેપારીઓના સમાજ બની ગયો છે તે હાય એમ મને લાગે છે, પણ જે આપણે આ બધાથી બચીને આગળ વધવું હોય તે આપણે સ્વય શાસ્ત્રાભ્યાસ કરવા પડશે અને સારા સારા પડિતા તૈયાર કરીને તેમની પ્રતિષ્ટા સાચવવી પડશે. આપણી પાસે બહુ કીંમતી ઝવેરાત છે, પણ આપણે એ અત્યાર લગી છુપાવી રાખ્યું છે. પણ હવે એમ ચલાવ્યે રાખ્યું. આપણું કામ ચાલવાનું નથી. આપ સહુ જાણે છે કે પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે આગમાના નવ સ્કરણનું ભારે કામ ઉપાડયું છે. તે ખજુ મહત્ત્વનું કામ છે. એ કામમાં જૈનસંધે તન મન ધનથી સાથે આપવા જોઈએ. અહીં મળેલા સૌરાષ્ટ્રના લેખકભાઈને મારે એટલું જ કહેવાનુ છે કે આપ જૈન સાહિત્યને ખરાખર ` જોશે! તે તેમાં આપને અનેક રીતે ઘણું જાણવાનુ મળશે. એમાં ‘બૃહત્કથાકાલ્પ' જેવા અનેક કથાના ભડારા પડયા છે. અને જૈન સંસ્થાએને મારી વિનંતી છે કે સહુને વાંચવાનું દિલ થાય એવી રીતે જૈન શાઓને અને તેના અનુવાદને પ્રગટ કરે અને સહુને માટે સુલભ બનાવે. ભાવનગરની ત્રણ સાહિત્ય સંસ્થાએ શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી જૈનધર્મ પ્રસારક સભા અને શ્રી યશેાવિજય જૈન ગ્રંથમાળા ભેગી મળીને કામ કરે તે આ દિશામાં ખૂબ કામ થઈ શકે. છેલ્લે છેલ્લે મારૂ કહેવું એ છે કે-આપણી નવી પેઢી નાસ્તિક નથી પશુ જિજ્ઞાસુ છે, એની જિજ્ઞાસાને સાથે એવું સાહિત્ય પ્રગટ કરવુ અને એમને સ'તેષ થાય એ રીતે ધર્મની ખાતા તેમને સમજાવવી એ અત્યારે ખાસ જરૂરી છે. આમ છેવટે બધી વાત જ્ઞાનની ઉપાસના અને જ્ઞાનના પ્રકાશન ઉપર આવીને ઊભી રહે છે. એને આપ સહુ વિચાર કરી એ જ મારી નમ્ર વિનતી છે. પ્રમુખશ્રીના ઉપસંહાર ત્યાર ખાદ સમગ્ર સમારંભના ઉપસ'હાર કરતાં પ્રમુખસ્થાનેથી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું કે સામાન્યતઃ આગાચર અપ્રસિદ્ધ એવા પડિત ખેચરદાસ જીવરાજ દેશીના જ્ઞાને પાસનાનિષ્ટ જીવનને વિશાળ સમાજને વા સમારંભદ્રારા પરિચય કરાવવા માટે શ્રી. યોાવિજયજી ગ્રંથમાળાના કાય વાહકને ધન્યવાદ ઘટે છે. આવા પ્રસંગનુ પ્રમુખસ્થાન સ્વીકારવા માટે મારી યોગ્યતા કેટલી એ મારે મન એક મુંઝવતા પ્રશ્ન હતો. આવા એક ચિંદ્રનુ સન્માન કરવા માટે એમનાથી પણ અધિકતર વિદ્વત્તા ધરાવતી વ્યકિતને પ્રમુખસ્થાન ઉપર નિયુકત કરવી જોઈએ. આ રીતે વિચારતાં જવાબદારી માટે મારી કાઈ યગ્યતા ગણુાય જ નહીં. હું નથી કાઈ પૉંડિત, નથી મે' કોઇ ગ્રંથનું નિર્માણ કર્યું. પણ આ પ્રસંગના ખીજી રીતે વિચાર કરીને મેં આ સ્થાન સ્વીકારી લેવાનુ ચિત ધાર્યું. આજથી ૩૩ વર્ષ પહેલાં ધર્મવિ શાસ્ત્રવિરૂદ્ધ વિચારો પ્રગટ કરવા માટે અમદાવાદના શ્રી સથે ભાઈ ખેચરદાસને સધહિષ્કાર જાહેર કરેલા. તે મુજબ અને તેવા જ કારણેાસર આજથી પંદરેક વર્ષ પહેલાં મને પણ એ જ અમદાવાદના સથે 'સ'ધહિષ્કૃત કરેલા. પડિત બેચરદાસે જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ” એ વિષય ઉપર આજથી ૩૩ વર્ષ ઉપર જે વ્યાખ્યાન આપેલું અને જે માટે તેમને સધ બહાર કરવામાં આવેલા તે વ્યાખ્યાન મારા સ્વસ્થ વડિલ બધુ મેાતીચંદ ગિરધરલાલ કાપડિયાના પ્રમુખસ્થાને આપવામાં આવેલું. તેા મતે એમ થયું કે મારા આ સહધર્માં બંને મારા પ્રમુખસ્થાનેથી મારા હાથે સુવણ ચંદ્રક અપાય એ સુયોગ્ય ઘટના લેખાશે એમ ધારીતે મેં આ સ્થાન સ્વીકારવાની સમતિ આપી અને એ રીતે આજે મને આપની સમક્ષ ઉપસ્થિત થવાની તક મળી છે. આવી તક આપવા માટે યવિજયજી જૈન ગ્રંથમાળાના કાય વાહકાને! હું આ સ્થળે આભાર માનું છું. પોંડિત ખેચરદાસે મુ`બઈ યુનિવસીટી તરફથી ચાજાતી ક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં આજથી તેર વર્ષ પહેલાં ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ” એ વિષય ઉપર પાંચ વ્યાખ્યા આપેલાં અને તેમાં તેમણે બારમા સૌકાથી અઢારમાં
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy