________________
૧૦૮
પ્રબુદ્ધ જીવન :
પણ કુટીમાં આવી માંડવ્યે ભદત દ્વિપાયનના ચરણ પાસે કુમારના દેહ મૂકયા ને સાથે પેાતાનું શરીર પણ ઢાળી દઈ આ સ્વરે વીનવણી કરી, દેવ, વત્સ યજ્ઞદત્તને ઝેરી · નાગ ડો લાગે છે. આપની મેધવાર્તાનું અમે શ્રવણ કરતાં હતાં, ત્યાં ખેલતાં કુદતાં અમારા આ પુલ જેવા ખાળક પર વિધિની ક્રૂર દિષ્ટ પડી. આપ કાષ્ઠ ઔષધ કરે ! અરે મ`ત્રપ્રયાગની કૃપા કરશે તો તે હમણાં ઉડીને મેઠા થશે. અમારૂ એટલુ વળી 'સદ્ભાગ્ય કે આપના જેવા અગાધ જ્ઞાનના ભંડાર અહીં ઉપસ્થિત છે.”
દ્વીપાયન ખેલ્યા, “ભદ્ર બહુ અશુભ થયું. કુમારને પ્રાણ'કટ આવી પડયું. પણ આમાં મારે તમને નિરાશ કરવા પડે છે એ પણ કલેશકર છે. મકે મને વૈદ્યકનું કશું જ્ઞાન નથી. તેમ નથી હું મંત્રતંત્ર, જાણતા. કહે, કુમારનુ વિષ હું કઈ રીતે ઉતારૂ ?”
‘“ભદંત આપ તા સાધુપુરૂષ છે, ભગવાન તથાગતના માર્ગે વિચારનારા પવિત્ર પરિત્રાજક છે.”માંડવ્ય-ડુબતા માંડવ્ય-તરણાપાય ખાળવા તરફડિયાં મારતા હતા. આપના જેવાનુ મારે શરણુ હાય ને મારે હતાશ થવું પડે એ બને જ ક્રમ ? આ કુમાર પર કરૂણા કરે. કાંઇક ઉપાય જરૂર આપ પાસે હશે. છેવટે બીજું કાંઈ નહીં તે એક વિનતિ કરૂં. સતનુ ખળ સીમા વગરનું છે. તે આપ જેવા સાથ્રુપુશ્ય સત્યક્રિયા કરે તા મારે કુમાર જરૂર જીવી જાય ! ”
“સારૂં,” ીપાયતે કહ્યું “તુ આટલે આમ્રહ રાખે છે તા કુમાર પર સત્યક્રિયા કરી જોઉં. પછી તા જેવાં એના સચિત.’
માંડવ્યને ગેપાના હૃદયમાં આશાને સંચાર થયો. ક્ષુબ્ધ ચિરો હાથ જોડી તેએ બેઠાં. આગળ મનદત્તના નિશ્ચેતન દેહ પડયા હતા. હ્રીપાયન પણ બેઠા. યજ્ઞદત્તના મસ્તક પર હાથ સૂફી, ધ્યાનમુદ્રા ધરી, શાન્ત સ્વસ્થ સ્વરે તે ખેલ્યા.
*ભારે પ્રવજ્યા લીધાને કાઇ પાંચ છ દસકા વીતી ગયા છે. પણ પરિવ્રાજક તરીકેના મારા એ દીધ જીવનમાં મે' માત્ર પહેલા સાત દિવસ જ સ્વેચ્છાએ બ્રહ્મચય નુ · પાલન કર્યું છે પછીના પચાસથી પણ વધારે વરસથી હુ એ અનિચ્છાથી પાળુ છું.
આ સત્યપ્રકાશિત થતાં સ્વસ્થ ખતા કુમાર, વિપ નષ્ટ થાઓ,
જીવા જીવા યજ્ઞદત્ત ! '
શ્રીપાયનની આ સત્ય શ્રવણાયી યજ્ઞદત્તની છાતીની ઉપ રના ભાગનું વિષ ઝરીને ભેાંયમાં ઉતરી ગયું, કુમારે આંખે ખાલી. માતાપિતાની સામે જોતાં, અમ્મા' કેલી પડખુ ફરીને તે પાછે શાન્ત થઇ ગયા. દ્રીપાયને માંડવ્યને કહ્યું. “ભદ્ર, મેં તો મારૂ' બળ અજમાવ્યું. તુ પણ પ્રયાસ તેા કરી જો.'
* સારૂં' ભદત !” માંડવ્યે રડતે રાગે કહ્યું. “આપ કહે છે તે `હું પણ સત્યક્રિયા કરી જોઉં !'
ને માંડવ્ય કુમારના વક્ષ:સ્થળ ઉપર હાથ મૂકી ખેલ્યાએના સ્વરમાં તરવરાટ હતા.
વરસોથી હું બ્રાહ્માને શ્રમણાને સવા શુષાથી તે દાન ધથી સત્કાર કરતા રહ્યો છું, પણ દાન દેવું મને કદી પ્રિય નથી લાગ્યું, તેમ અતિથિની આગતા સ્વાગતા કરતાં મને કા આનંદ નથી થયા, જો કે અભ્યાગતને મે કદી જણાવા નથી દીધું કે હું બધું અનિચ્છાએ કરી રહ્યો છું.
આ સત્યશ્રવણાથી સ્વસ્થ બનેા કુમાર, ત્રિપ ' નષ્ટ થાઓ,
તા. ૧૫-૧૦-૧૩
જીવા જીવા યજ્ઞદત્ત ? ”
માંડવ્ય સત્યક્રિયા કરી રહ્યો એટલે કુમારના કટિ પ્રદેશના ઉપરના ભાગનું મધુ વિષ ઝરીને ધરતીમાં ઉતરી ગયું. યજ્ઞદત્ત એઠા થયા. પણ તેના પગ ખોટા હતા. તે મે થઈ શકે તેમ નહાતું.
હવે માંડવ્યો ગેાપાને કહ્યુ, “ભદ્રે ! મે' યે મારૂં બળ અજમાવી જોયું. હવે રહ્યો તારા વારે. સત્યક્રિયા કરી પુત્રને ઉઠા ડવા, હાલતા ચાલતા કરવા તારા હાથમાં છે.”
“મારા હાથમાં ? ”સ ક્રચાતી—સાડાતી ગેપના મુખમાંથી વેણુ નીકળ્યાં. “તમે બન્નેએ તમારી ગુશ્રુતમ વાત પ્રગટ કરી. એ સત્યના પૂરતા પ્રભાવ ન પડયા, ત્યાં મારા જેવીનું શું ગજું ? ” ઘડીક રહીને પિત સ્વરે તેણે ઉમેયુ”, “જો કે મારે પણ એક સત્ય પ્રગટ કરવાનુ છે ખરૂં, પણ તમારાં દેખતાં હું નહીં કહુ.”.
“અરે, આપણા કુમારને ખંચાવાનુ સુઝે છે, ભદ્રે ! કહેવાનુ હોય તે કાના કશાયે કુમારને સાવ સાજો કર.
* સારૂ તમે કહેા છે તો !'
પ્રાસ કટ છે તે તેા યે તને માંડવ્યે સમજાવટથી કહ્યું. “તારે ભય રાખ્યા વિના કહાઁ દે, તે
ગાપાએ યજ્ઞદત્તના પગ પર હાથ મૂકયો. ઘડીક ! તે ન ખેલી શકી. પછી ધીમે ધીમે ધ્રુજારીભર્યાં સ્વરમાં પ્રયત્નપૂર્ણાંક મુખમાંથી શબ્દો નીકળ્યા
“હું તાત, દરમાંથી નીકળીને તને ડસેલે કાળા નાગ મને જેટલા અપ્રિય છે તેટલા જ મને તારા પિતા અપ્રિય છે-જો કે આની મે' કદી તેમને જાણ થવા દીધી નથી.
આ ગુહ્ય સત્યના પ્રકાશથી સ્વસ્થ અનેા કુમાર, વિપ નષ્ટ થા
1
જીવા જવા યજ્ઞદત્ત !'
ગાપાની સત્યશ્રવણુ પૂરી થઇને સાથે જ કુમારનું બધું વિપ ઝેરી જઇ પૃથ્વીમાં સમાઇ ગયું. ઉઠીને રમવા લાગ્યો.
યજ્ઞદ્રત્ત નિવિપ થઇ
...કુમારનું પ્રાસ કટ દૂર થતાં તેના માપિતાના જીવમાં જીવ આવ્યા. સૌએ હવે નિરાંતના શ્વાસ લીધા.
•
તેમના 'અંતરનું ગુહ્યુમાં ગુહ્ય છતું થયું, તેથી ત્રણેય સહેજ સાચ સાથે હળવાશ પણું અનુભવતાં હતાં, જો કે ગેાપાની નજર ભેય પર જ ખેડાયી રહી હતી.
પણ મુખ્ય પડો હડી જતાં મેરી આડશ તા દૂર થયેલી. એટલે દીપાયનની પ્રેરણા મળતાં સૌએ પેાતાનું હગત પુરેપુરૂં ખુલ્લુ કર્યુ ર
બ્રહ્મચય ની જુગુપ્સા છતાં લેકાપવાદથી કરીને તે શ્રમણુજીવનને વળગી રહ્યાનું, તે એમ લકામાં પુણ્યશાળી સાધુપુરૂષ ગણાતાં રહ્યા હેાવાનુ દ્વીપાયને જાગ્યું..
ત્રણ પેઢીની ઉદાર દાન દક્ષિણાની કુળપર પરાતે પેતે ન અનુસરે તા લેકા કુળમેળુ કહે એ ભયે, અનિચ્છાએ દાનધમ આચરતા રહ્યાનું જણાવી માંડવ્યે પોતાની વાત સ્પષ્ટ કરી.
પરિણીત પતિને છોડીને બીજાંને સ્વીકાર કરવાનું પોતાના કુળમાં કદી ન બન્યુ હાવાથી પોતે મર્યાદા તેાડે તે સા કુલકલંકિની કહે–એમ લેાકલાજથી બીને પ્રેમ ન હતા તયે માંડવ્યની પરિચર્યા કરવા પોતે જીવનભર સાથે રહી હોવાનુ કહી ગેપા પતિના ચરણમાં પડી ને કાં નહી તા તેમના પુત્રને ખાતર ક્ષમા આપવા તેને વિનવ્યો.
આમ ત્રણેયે. હવેથી દંભના ત્યાગ કરી, સાચુ ને પવિત્ર જીવન ગાળવાનું સ્વીકાર્યું. નવજીવન પામેલા માંડવ્ય,ગાપાને યજ્ઞદત્ત નવજીવન પામેલા દ્રીપાયનને વંદન કરી ઘર તરફ પાછાં ફર્યાં. ‘નચિકેતા’માંથી સાભાર ઉત
પ્રાધ્યાપક ઃ હરીવલ્લભ ભાયાણી