SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ પ્રબુદ્ધ જીવન અહિંસક સંસ્કૃતિ ( નવજીવન પ્રકાશન મદિર તરફથી પ્રગટ થયેલા અહિં સા વિવેચન’ એ નામના સદ્ગત કિશારલાલ . ઘ. મશરૂવાળાના અહિંસાવિષયક લેખાના સંગ્રહમાંથી નીચેના લેખ સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. અહિંસાને માગે જનતાની સેવા અને સમાજનું હિત સાધવા ઈચ્છનારાઓનાં ધ્યેયેા, સિન્ધાન્તા અને આચારા કેવાં હોવાં જોઇએ તેને લગતી આ રૂપરેખા શ્રી કિશારલાલભાઇએ ૧૯૪૧માં તૈયાર કરી હતી; તેનું ૧૯૪૭ના ડીસેખરમાં તેમણે પુનઃ સ`સ્કરણ કર્યું હતું; ગાંધીજીએ આ રૂપરેખાને પોતાની અનુમતિ આપી હતી. સમીપસ્થ પપણુ પવના પ્રસંગે ખાસ કરીને જૈન સમાજને આ રૂપરેખા અનેક રીતે માદક નીવડશે અને તેનામાં ઘર કરી રહેલા અહિં સા ના પર પરાગત રૂઢ વિચાર। આજના પ્રશ્નો અને સામાજિક સમસ્યાઓને ખ્યાલમાં લેતાં કેવા સ`શેાધનની અપેક્ષા રાખે છે તેને પણ તેને ખ્યાલ આવશે. ચાલુ જીવનવ્યવસાયમાંથી ઘેાડા વિરામ લેવા, સમસ્ત જીવનચર્યાં વિષે અન્તર્મુખ ખનવું અને તેનુ યોગ્ય પ્રકારે સશાધન કરવું અને તદનુસાર બાહ્ય આચારવ્યવહારમાં પરિવર્તન લાવવું-આ પ`પણ પાઁના આયોજનના પાયામાં રહેલી મૂળભૂત વસ્તુ છે. નીચે આપેલ હિંસક સસ્કૃતિની રૂપરેખાને દરેક જૈન ભાઈ તેમજ ભગની આ રીતે વાંચે અને વિચારે અને અદ્યતન યુગના સાચા અહિ'સક જૈન બનવા ઉદ્ઘકત થાય એવા નમ્ર ભાવે અનુરોધ અને પ્રાથૅના છે. પરમાનંદ) ૧–અહં'સક સ’સ્કૃતિનાં ધ્યેયે। અને સિદ્ધાન્તા ૧. જીવનના સાચા સિદ્ધાન્ત અથવા પાયે અહિં’સા જ છે, હિંસા નહીં. ર. ‘ હું ’અને ‘ મારૂં ' ની ટુકી માઁદામાંથી હિંસા ઉદ્ભવે છે. એનુ ક્ષેત્ર સતત વધાર્યાં કરવુ તે અહિંસાની સાધના. ૩. જીવમાત્ર સમાન છે. ઊંડુ તપાસીએ તે એકજ આત્મા છે) પણ અહિંસાની સાધના મનુષ્યો વચ્ચે કરવાની હોવાથી મનુષ્ય સમાજના વિશેપ વિચાર કરવાના છે. ૪. આખા મનુષ્ય સમાજ એક જ માનવકુટુફ્ળ છે, સ્ત્રી પુરૂષ પણ સમાન જ છે; પરંતુ તે કુટુમ્બમાં દેશ, રાજ્ય, વંશ, રંગ, વણુ (ધા), જાતિ, ધર્મ, શિક્ષણુ, સ ́પત્તિ, ભાષા, લિપિ વગેરેના ભેદેથી મુદ્દા જુદા સમાજો ખવાઇ ગયા છે. તેભેદોને લીધે વ્યકિત તેમજ સમાજોમાં વિશેષતાઓ પેદા થાય છે. ૫. તે ભેદ અને વિશેષતાઓને અવગણી કે ટાળી ન શકાય તાં તેમને મદ કે દુરભિમાન હાવા અયાગ્ય છે. એવા ભેદે અને વિશેષતાઓને તેટલે જ અશે અને તેવી જ રીતે .રાખવાં અને પાપવા જોઈએ, જેથી તે આખા માનવકુટુંબનાં હિત અને સુખ વધારવામાં ફાળા આપી શકે. પેાતાની એવી વિશેષતાઓને માનવ કુટુંબની સેવામાં અર્પણ કરવી તથા જો તે માનવ કુટુંબના ક્રાઇ ભાગને પીડા કરનારી હાય તે તેને રાજી ખુશીથી ત્યાગ કરવા, તે અહિંસાની સાધના છે, સભેદો અને વિશેષતાઓને નિઃશેષ કરી આખા માનવસમાજને ક્રાઇ એક જ કે એ ચાર ઓખામાં ઢાળવાના પ્રયત્ન મિથ્યા છે, અને હિં...સા વિના થઈ પણ ન શકે. ૬ ભેદો અને વિશેષતાઓ અંગે બીજા પ્રત્યે ધર્માં ઉત્પન્ન થાય, હુક અથવા ગવ નહીં. આમાંથી જ સધર્મસમભાવ, અસ્પૃશ્યતાનિવારણ, (બેજન વિગેરેમાં) એક પગત, વગેરે વ્યવહાર અહિંસાની સાધનામાં અનિવાય થાય છે. ૭. માનવકુટુંબની એકેએક વ્યકિતનાં સુખ અને હિત સિધ્ધ થવા માટે માનવવ્યવહારમાંથી હિંસાના સમૂળા ઉચ્છેદ થવાની તા. ૧-૯ ૫૩ જરૂર છે. ૮. એક પક્ષ હિંસા કરે, ત્યારે તેને બદલે લેવા અથવા તે સામે પોતાનું રક્ષણ કરવા ખીજા પક્ષને સામી હિંસા કરવાની લાગણી થાય છે. આમ હિંસાથી હિંસાને ઉકેલ લાવવાની વૃત્તિ માનવકુટુંબમાં ઘર કરી બેઠી છે. ૯. પણ એવી રીતે હિંસાના અંત આવતા નથી, કે કયા રેય બન્ને વચ્ચે ન્યાયયુકત સંબંધ સ્થપાતા નથી. ઉલટું, અંતે જતાં, સર્વે` હિંસાપરાયણ પક્ષો પોતાની, પેાતાના વંશજોની અને સમગ્ર માનવજાતિની હાનેિં જ કરે છે. ૧૦. આથી અન્યાય કે અપકમ ગમે તેવા ભારે હાય, તેની સામે હિંસક ઉપાય લેવા જ ન જોઈએ. એ ઉપાય લેવાની લાગણીના નિરોધ કરીને જ અહિંસાની સાધના થઇ શકે. ૧૧. અહિંસામાં જીવનનાં ન્યાય ધારણ, પાપણુ અને ઉત્કર્ષ કરવાની શકિત હાવી જ જોઈએ અને છે જ. આથી જે અન્યાય અને અપકમાં સામે હિંસક ઉપાય ચૈાજવાની લાગણી થાય છે. તેને માટે અહિંસક ઉપાયો પણ હોવા જ જોઇએ. નિષાપૂર્વક અહિસાની સાધના કરનાર તે ખાળી શકશે. ૧૨ જીવનના એકએક કારભાર અહિં સાથી ચલાવી શકાવા જ જોઇએ. અમુક ક્ષેત્રમાં અહિંસા ન જ ચાલી શકે આ વહેમને જાતે કાઢી, સમાજમાંથી કઢાવવાની જરૂર છે. જ્યાં સુધી તે ગયા નથી, ત્યાં સુધી અહિંસાની સાધના અધુરી સમજવી. ૧૩. પણ આ માટે માનવસભ્યતા અને સુખ વિશેના કેટલાક પ્રચલિત પ્યાલા બદલવાની જરૂર છે. અત્યાર સુધી અહિ‘સાની જેટલી સાધના થઇ છે, તે પરથી હવે પછી જણા વેલા સિદ્ધાંત અહિંસાનાં જરૂરી અંગ ગણી શકાય. ૧૪. ભાગવિલાસ અને એશઆરામની ઈચ્છા તથા અહિંસા વચ્ચે સીધે સબંધ છે. એથી ઉલટુ સાદાઇ, સયમ, ખડતલપણું, અંગમહેનત અને સેવાતિ અહિંસાને અનુકુળ થનારા ગુણા છે. ૧૫. ભવ્ય અને પ્રચંડ કામા તથા આંખાને આંજી નાખે તેવુ નહેાજલાલી અને ભાગવાળું જીવન હિંસા વિના થવા હું ટકવાના સ ંભવ નથી. સભ્યતાનું એક સ્વરૂપેમાં દર્શન કરવામાં જ ભૂલ થાય છે, ૧૬. સાચી સ’કૃતિ અથવા સભ્યતા માનવકુટુંબના એકે એક માણસને સાદું, સંયમી ખડતલ અને મહેનતુ છતાં નિરાગી, નિર્ભય, સ્વાભિમાની અને મીઠાશભર્યું જીવન બનાવવાની અનુકૂળતા કરી આપે. આ સર્વોદયની સંસ્કૃતિ છે. એવી સ ંસ્કૃતિ અહિંસાથી જ સંભવે. ૧૭, અહિંસક સ’સ્કૃતિના અથ અવ્યવસ્થા,અરાજકતા કે નાની નાની એકબીજાથી સ્વતંત્ર ટાળીએ ખનાવીને રહેવુ... એવા નથી. એનું ધ્યેય સમગ્ર વિશ્વ સાથે-મનુષ્યેતર જીવા સાથે ચે-એકતાને અનુભવ કરવાનુ છે, તે ધ્યેય બીજાઓને લુંટવા, ચુસવા વગેરે કામેથી સિધ્ધ થઈ શકે નહીં; વળી તે માત્ર સ્થૂળ અને મેોટાં કામેામાં જ દેખાવું ન જોઈએ. પણુ અપમાં અલ્પ જીવને ચે સ્વજીવન વિકસાવવાની અનુકુળતા નિર્માણ કરવામાં પ્રગટ થવુ જોઈએ. આ ધ્યેયને ખ્યાલમાં રાખી કેન્દ્રીકરણ અને વિકન્દ્રીકરણ તથા 'શકિત' યા અને ‘શરીર' યા વચ્ચે જે જે સર્ચ જેવી ચાગ્ય હોય તેવી મર્યાદાઓને શોધી પસંદગી કરવી જોઇએ. ૧૮. અહિ ંસાની સાધ· સમુદાયના સહયોગ પર જ આધાર રાખતી નથી. એના પ્રયોગ દરેક વ્યકિતએ આત્માર્થે જ પોતાના જીવનમાં સ્વતંત્રપણે કરવાને છે અને મુખ્યત્વે પેાતાના વનથી દાખલા મેસાડવાના છે. પણ આનાં અર્થ એ નથી કે અહિંસાના સાધકે સમુદાયના સહયોગની ઉપેક્ષા કરવાની છે અને તેનુ મહત્વ સમજવાનું જ નથી.
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy