SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૮-૫૩ આવા ધા સામાન્ય રીતે ફઝાઈ જાય છે; પશુ મણિભાઇ સંબંધે આપણે એવા અનુભવછે કે તેમના મૃત્યુને ધા હજી પશુ રૂઝાયા નથી. જાણે કે એ ઘટના હજુ ગઈ કાલે જ ખની હાય એમ લાગે છે. તેમના જવાથી પડેલી ખેાટ આજે પણ એટલી જ સાલે છે. તેમના જવાથી જે પાંગળાપણું આપણે એ વખતે અનુભવતા હતા તે આજે પણ એટલું જ તીત્રપણે આપણે અનુભવીએ છીએ. તેઓ ભિન્ન ભિન્ન પ્રકૃતિને સાંકળનાર એક કાયદક્ષ વ્યકિત હતા. તેના અભાવનું પરિણામ તાજેતરમાં બનેલી ઘટનાઓમાં આજે આપણે નજરે નજર પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ. આમ છતાં પણ આપણે તેમની કાય નિટા યાદ કરતા રહીએ અને તેમણે જન્માવેલી અને વર્ધિત કરેલી પ્રવૃત્તિઓને યથાશકિત પરિપુષ્ટ કરતા રહીએ એમાં જ એમના સ્મરણની ચિરતાતા રહેલી છે. પ્રબુદ્ધ જીવન “સામાન્ય રીતે આપણે અને મોટા માણસ કહીએ છીએ કે જેની પ્રવૃત્તિ બહુ મોટા ક્ષેત્રને સ્પર્શતી હૈાય અને જેના કાના પરિણામે સમાજમાં તેમ જ રાષ્ટ્રમાં મેટી ઉથલપાથલ થતી હોય અને ભવ્ય પરિવતના સરજાતાં હોય. આવી મહત્તા પ્રાપ્ત થવામાં વ્યકિતની પ્રતાની પ્રતિભા ઉપરાંત અનેક આનુષંગિક સમૈગા અને પરિસ્થિતિ પણ બહુ મહત્ત્વા ભાગ ભજવે છે. આ કાટિના મણિભાઇ નહેતા. પણ માનવીની મહત્તા માપ વાતું એક બીજું પણ ધેારણ છે. અને તે એ કે પોતાના મર્યાદિત સયાગામાં અને સામાન્ય પરિસ્થિતિમાં પણ તેણે કેવું અને કેટલું કામ કર્યું. કાર્ય પણ લેાકશ્રેષની નાની સરખી પણ પ્રવૃત્તિને પેાતાનું જીવન કા ખનાવીને • તેના ઉપર જો તે પેાતાની બધી શકિતઓ કન્દ્રિત કરે અને તે પાછળ પેાતાનાં તન મન અને ધન ન્યાય્ઝાવર કરે અને તેને સતત વળગી રહે તેા તે માનવી અન્ય કાટીના માનવી કરતાં આ મહાન નથી. પ્રશ્ન નાની કે મેટી પ્રવૃત્તિને નથી પણ જે બાબતને તમારૂં જીવનકાય' લેખે છે તેને વિકસાવવા પાછળ તમે કેટલું તપ ક છે તે છે. આ રીતે વિચારતાં મહિભાઈના વ્યક્તિત્વનું મૂલ્ય બહુ ઉચ્ચ કાટિનું હાઈને આપણુ સતે માટે અનેક રીતે આદરણીય બન્યું છે. આ મૂલ્ય પોતે અપનાવેલી એ સસ્થાઓની તેમણે કરેલી અનેકવિધ સેવા અને દુષ્કર તપને આભારી છે. 'એ વ્યક્તિ આપણને સદા પ્રેરક અને માદક બના એવી આપણી પ્રાથના હૈ !” ત્યાર બાદ શ્રી ટી. જી. શાહે મણુિભાઇના અત્યન્ત પ્રેમાળ સ્વભાવના, ઉડી કાયનિષ્ઠાના ખ્યાલ આપ્યા અને તેમના જીવ નના અન્તિમ દિવસોનાં સ્મરણાને તાજા કર્યાં.. અમદાવાદવાળા તેમના મિત્ર શ્રી. હોટાલાલ ત્રીકમદાસ પારેખ જેએ અંગત કારણાને અંગે મુંબઇ આવવાનું નતાં અહિં અણુધાર્યાં ઉપસ્થિત થઇ શકયા હતા તેમણે મણિભાઈ સાથેના સહવાસનાં કેટલાંક સ્મરણેા રજુ કર્યાં અને તેને ગુમાવવા બદલ પોતાના “દિલનું દર્દ વ્યકત કરતાં તે પુણ્યાત્માને હાર્દિક અલિ આપી. પૃશ્રી રતિલાલ ચીમનલાલ કાઠારીએ મળુભાઇ સાથેના પોતાના ચિરકાળ પર્યન્તના સંધને યાદ કરી તેમની વ્હાલસાઇ એ “સ“સ્થાઓ શ્રી મુખજી જૈન યુવક સંધ અને સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહખેતી ખાતર શ્રી. મણિભાઈએ ધસાઈ છૂટવામાં કાષ્ઠ કમીના નહાતી રાખી તે બન્ને સસ્થાને પરિપુષ્ટ કરવા ૐ; આગળ વધારવા સૌ કાઇને અનુરાધ કર્યાં હતા અને મુખઇ જૈન યુવક સૌંધ સૌંધમાં આજે જે કાઈ મતભેદ જેવી પરિ સ્થિતિ પ્રવર્તે છે તે શમાવી દેવા-મણિભાઇ ખાતર પણ બધું ભુલી જઈને 'ધના કાર્યને અને તેટલા સાથ અને વેગ આપવા ઉપસ્થિત મિત્રાને ઊંડા દિલને આગ્રહ કર્યાં હતા. શ્રી શાન્તિલાલ મગનલાલ શાહે પણ એ જ બાબતનું બહુ જોરદાર સમર્થન કર્યું" હતુ. અને આજે મણિભાઇ જીવતા હાત તે આપણને અનેક ચર્ચા ઉકેલવામાં તેઓ કેટલા બધા ઉપયેગી થઇ શકયા હાત તેની કલ્પના રજ્જુ કરી હતી. શ્રી જસુમતી બહેને મણિભાઇની વ્યાપક વત્સલતાના ઉલ્લેખ કર્યાં હતા અને કાકાસાહેબ કાલેલકરે મણિભાઇની છબીનું અનાવરણ કરતાં કહેલું તે યાદ કરીને જણાવ્યું હતું કે “ આપણે સમાજની ભવ્ય ઇમારતા જોઈને રાજી થઇએ છીએ, પણ કેટલીયે વ્યકિતએ તેનાં પાયામાં પુરાવાનું પસંદ કરે છે ત્યારે જ એવી ઈમારતા ઉભી કરવાનુ શકય તે છે. મણિભાઇ આવી રીતે પાયામાં સ્વચ્છાએ પુરાયલી–ટાયલી—એક વ્યકિત હતા. તેનાં સુન્દર પરિણામે આપણે જોઇએ છીઅ અને હજુ જોવાના છીએ.” પ્રમુખસ્થાનેથી ઉપસંહાર કરતાં શ્રી ગણપતિશંકર દેસાઈએ જણાવ્યું કે “ મણિભાઇ એક એવા પુરૂષ હતા તેમની મુદ્રાં અને પ્રતિભા જ એવી હતી કે તેમતે જોઈને આપણને એમ લાગે કે તે જે કાંઈ કરવા ધારશે તે કરશે જ. તેમને મેં અનેક વાર જોયા હતા હતા. તેમના હુ' પરિચયમાં પણ આવ્યા હતા. તેમને કાઇ પણ વખતે મુકત ક હસતા જોયાનુ મને યાદ નથી, કારણ કે તેમના દિલમાં સમાજનાં દુઃખા વિષે, જીવનને રૂધી નાખતાં રૂઢિબ ધના વિષે, અજ્ઞાન અને દારિદ્ર વિષે સદા આગ ખલ્યા કરતી હતી. તેમનામાં ઉંડું મનામ થન ચાલ્યા જ કરતુ હતુ અને તેથી તેઓ હંમેશા ખૂબ ગંભીર દેખાતા હતા. એમણે આ લાઇબ્રેરીમાં રૂા. ૧૦૦૦૦ આપીને એક જ્ઞાનદીપક પ્રગટાવ્યાં છે. તેને સદા જળ તેા રાખવા તે આપણી ફરજ છે. તેમનામાં નીડરતા એક મેટા ગુણ હતા. તે હંમેશા સીધે સીધું સાચું કહેવાવાળા હતા. આવા માણસો આપણે ત્યાં વિરલ છે, એટલે જ આપણી આટલી બધી નૈતિક અધોગતિ થઇ છે. આ દુનિયામાં કાષ્ઠ સપૂર્ણુ છે જ નહિ એમ મણિભાઇ પણ સંપૂર્ણ ન હેાતા. પણ તેમનેા સંપૂર્ણતાને પહોંચવાના સદા પ્રયત્ન હતા. તેમને કાઇ વૃદ્ધ કહે, કાંઇ વાન કહે, પણ હું એમ કહું છું કે જેનામાં ઉંડી સેવા વૃત્તિ છે તે કિંન્ને બરડા થતા જ નથી. તેમના જીવનમાંથી નીતરતા ખેાધપાઠાને અનુસરવામાં જ તેમના પ્રત્યે સાચી શ્રધ્ધાંજલિ રહેલી છે. તેઓ મારી દૃષ્ટિએ એક ક્રાર્યાન્તકારક પુરૂષ હતા, કારણ કે મારી દષ્ટિએ વિચારે દ્વારા. અન્ય હૃદયના પલટા કરે અને અનેકને સાથમાં લઈને આગળ ચાલે તેજ મેટા ક્રાન્તિકારક પુરૂષ છે. મણિભાઈએ આખુ’જીવન આજ કાર્ય કર્યું છે અને પ્રજાજીવનના ઉત્કર્ષ માં તેમણે અગત્યના કાળે આપ્યા છે ત્યાર બાદ સ્વર્ગસ્થની યાદમાં ઉભા થઇને સાએ એક મીનીટ પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ આપણા મણિભાઇ આમ જનતાના આદમી હતા અને તેમની સત્સરિ ઉજવવાના પ્રસંગે મણિભાઈની જ જાણે કે ખીજી આવૃત્તિ હાય એવા આમજનતાના જે આદમી ભાઈ ગણપતિશ'કર આપણને પ્રમુખસ્થાને પ્રાપ્ત થયા એવા અત્યન્ત ઉચિત સુયૅાગ તરફ લક્ષ્ય ખેંચીને શ્રી પરમાન ંદ કુંવરજી કાપડિયાએ તેમને આભાર માન્યા અને બહેન ગીતાએ કર લે સિંગાર, ચતુર્ અલબેલી, સાજનકે ધર જાના હોગા !” ભજન ગાયું અને એ ભજનમાં રહેલા ઉંડા ભાવાથી પ્રભાવિત બનેલી સભા વિસર્જિત થઈ,
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy