________________
140
પ્રબુદ્ધ જીવન
કાકાસાહેબનું મંગળ પ્રવચન
(ગતાંકથી ચાલુ)
બીજી બાજુએ જોતાં જે લેક કાઈ પણ જાતની જાતમજૂરી કરતા નથી, સમાજસેવા કરતા નથી, અને ધનને જોરે એ બેઠા ખાય છે તેમના પ્રત્યે આપણે આદર ખતાવીએ છીએ. ભિખારી અને મેટાડુ ધનવાન બન્નેમાં આપણે અપંગતા વધારીએ છીએ. બેઠાડુ લેાકાનાં હાથમાં ધન રહે એના કરતાં સમષ્ટિનાં હાથમાં સપત્તિ પહેાંચી જાય એ જ વધારે સારૂં છે પછી એ સમષ્ટિ સમાજસેવાને વરેલી જાહેરસસ્થા હોય કે રાજસત્તા હોય. હું જાણું છું કે સરકારી વહીવટમાં ઉડાઉપણુ હાય છે, ખાટા ખર્ચ થાય છે, અને કામે કુશળતાથી થતાં નથી. પણ એ દેષ કાયમ રહેવા જોઇએ એવું નથી. સરકાર પેાતાની જ છે એ ભાવના કેળવીને સરકારરૂપી સસ્થા પ્રત્યે પ્રજા અને સેવા નિષ્ઠા કેળવશે ત્યારે એ દ્વેષે દૂર થશે. ન્યાતના આગેવાને ન્યાતના કુંડાના વહીવટ જે ચીવટથી કરે છે તેટલી ચીવટ તા સરકારી વહીવટમાં આવી જ શકે છે.
હું તો માનું છું કે પ્રજાનું–આખા રાષ્ટ્રનું વલણ સર્વેદ યને આદશ સ્વીકારવા તરફ વધે અને સરકાર પોતે સમાજસત્તાવાદ કળવે એ જ આપણે માટે સાચો ઉપાય છે.
આઝાદી પછી આપણી દુનિયા એકાએક મેટી થઇ ગઈ છે. અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારે હિન્દુસ્તાનની પ્રજા અને અંગ્રેજી રાજ્યકર્તા એટલી જ આપણી દુનિયા હતી, ખાીના દેશે અને ત્યાંના લેાકેા જાણૅ પડદા પરનાં ચિત્રા હાય એવાં જ આપણે માટે હતા. આપણે આઝાદ થયા અને પડદા પરનાં એ બધા ચિત્રા છતાં થઇને આપણી રંગભૂમિ ઉપર આવી ગયા, અને હવે એ બધાની વચ્ચે સમાનભાવે રહીને આ વિશ્વનાટકમાં આપણે આપણા ભાગ ભજવવા રહ્યો. આખી દુનિયામાં માનભેર રહીને માનવસેવાનું આપણું મિશન સિદ્ધ કરવુ હાય તા આપણે આપણાં ઘરનાં પ્રશ્નોના ઉકેલ આ પંદર વરસમાં આવા રહ્યો.
આપણને સ્વરાજ્ય મળ્યુ તે આરામ ભોગવવા માટે નહીં પણ માનવજાતિની સેવા કરવા માટે મળ્યુ છે. વસાહત સ્થાપીને સામ્રાજ્ય ચલાવનારા રાષ્ટ્રો પણ સેવાનું જ નામ લે છે. પણ પ્રત્યક્ષ જોતાં ભાષામાં સેવા અને હાથે લૂંટવાને ધંધા, એવા એમના લક્ષણા દેખાય છે.
એ લેકામાં પણ કેટલાક એ પાપમય જીવનથી અકળાયાં છે; નિવૃત્ત થવા માંગે છે. આપણે એમની સાથે સહકાર કરવાને છે. એવા સહકાર ત્યારે જ કરી શકાય જ્યારે આપણે શ્રમજી વનના પાયા પર નવી કેળવણી અને નવી સ`સ્કૃતિ સિધ્ધ કરી શકીએ. આપણે ત્યાં ખાટી રીતે વપરાતા આ બે શબ્દોના ખરા સાચી ધનિષ્ઠા આવે છે. મહાપુરૂષોએ જે જે ઉપદેશ આપ્ય છે તે તે પ્રમાણે આપણું જીવન ચલાવીએ એવી તે આપણી પાસેથી અપેક્ષા રાખે છે.
તા. ૧૫-૭-૫૩
અ' જોશું તો આપણને સાચા રસ્તે જડશે. જે માણસ મહેનતમજૂરીથીશુધ્ધ સેવા કરી પવિત્રપણે ખાય છે તે હલાલખાર છે. ખીજાની મહેનતને ગેરલાભ લઇ આરામતલખ જીવન ગાળનાર જે પાપનું ખાય છે તે હરામખાર. આટલું રહસ્ય જો આપણે જાણીએ તે આપણે જીવતાં કાષ્ઠા ખભા ઉપર ચઢીને ન બેસીએ. મહેનતમજૂરીને રોટલે ખાઇએ અને સૌની સેવા કરીએ.
ચારિત્ર્યની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ, જીવનની શુદ્ધિ, વૈરાગ્ય એ સાચે માગ છે. કૌટુમ્બિક, રાજકીય, ધાર્મિક બધા આચરણાની ઝીણવટથી તપાસ કરતા રહેા. અંતરમુખ બને. આ પ્રમાણેની ટેવ પાડે. આજે જ નિશ્ચય કરશ, આવી આશા આપ સૌ તરફથી હું રાખું છું. અન્ય ધર્મના અધિકૃત પુરૂષો
અહિં આવ્યા છે. એટલે આપ તેમને સાંભળવા ઉત્સુક હશે. હું આપ સર્વના આભારી છું. ફરીથી વિનંતી કરૂ છું કે મહાપુરૂષને ઉચિત સત્કાર કરે. તેમનું આયુષ્ય અને આરગ્ય વધે એવી શુભેચ્છા વ્યકત કરૂ છું. કેદારનાથજી
સદ્ભાગ્યે આપણાં દેશમાં દુનિયાનાં બધા ધર્માં આવીને વસ્યા છે. તેથી જ આપણે જોઇ શકયા કે બધા ધર્મો એમનાં શુધ્ધ સ્વરૂપમાં એક જ છે.
લોકભારતીમાં બધા ધર્માંનાં સહુ કાઈને પ્રવેશ હશે જ. આપણા જ દેશના આપણા ભાઇઓએ જે જે ધમને સ્વીકાર કર્યાં તે તે ધમ આપણે માટે પરાયા રહ્યા નથી. આપણી દીકરીએ . પાત્રમાં વર સાથે લગ્ન કર્યું' તેથી આપણે દીકરીને પરાઇ નથી ગણતા પણ જે ખાનદાનમાં એ પહોંચી ગઇ તે ખાનદાનનાં લેાકાને આપણાં વેવાઇઆત્મીય તરીકે સ્વીકારીએ છીએ. એવી જ રીતે આપણે ત્યાં આવીને વસેલા અને આપણા લેાકાએ જ અપનાવેલા ધર્માં વિષે આપણે આત્મીયતા કેળવવી જોઇએ.
ગઇકાલે રાત્રે અહીં' આવતાં સાસરાના ભાઇબહેનેાએ અમારૂં ભાવભીનુ અને લોકકલાત્મક સ્વાગત કર્યું. તે વખતે બધાને ઘણી ધૂળ ખાવી પડી એને ઉલ્લેખ એક ભાઈએ આજે કર્યાં. એમને કાઇએ સૂઝાડયું હેત તે એમણે રસ્તાના આટલા ભાગ પર પાણી છાંટીને ધૂળ બેસાડી દીધી હાત. પણ એ વસ્તુ ગૌણ છે. એ સ્વાગત પાછળ જે ભાવ હતા, ભવિષ્ય માટેની એમાં જે આશા હતી, તેને કારણે એ ધૂળ પણ પવિત્ર થઈ હતી. એવી ધૂળ પેટમાં પહાંચે તે એનું માઠું ન લગાડાય. મને તા લેાકાને એ ઉત્સાહને સન ૧૯૨૧માં મેઝવાડામાં રાષ્ટ્રીય મહાસંમતિની જે બેઠક થઈ હતી અને તેમાં આસપાસના ગામલેાકાના જે ટામેટાળા ભજન ગાતાં ઉલટયા હતાં તેનુ સ્મરણ થયું.
સાસરાનાં અને આસપાસનાં લેાકાને હું કહીશ કે તમારા ભાગ્ય ખુલ્યા છે. રાષ્ટ્રવનમાં પરિવર્તન કરવાના મહાન સંકલ્પ સાથે નાનાભાઇ જેવા ઋષિ તમારી વચ્ચે આવીને વસ્યા છે. હિંદુસ્તાનની આ પહેલવહેલી ગ્રામ–વિદ્યાપીઠ છે. અહિં દેશપરદેશના લેકા આવશે. ગરીમેાના ઉધ્ધારની ચર્ચા ચાલશે. કેવળ સ્વાર્થના વિચાર કરશેા તોયે ધન અને વિદ્યાñા પ્રવાહ આ તરફ વહેશે. તમારા દીકરાદીકરીઓને સારામાં સારી કેળવણી મળશે. ભાગ્યાયનાં અનેક ક્ષેત્રે એમને માટે ખુલ્લાં થશે. હવે જૂના સ`કુચિત વિચારા લતે નહિં મેસતા નાનાભાઈ જેવા તમારા માટે જે પ્રમાણુ કરશે તે સ્વીકારીને ચાલશે.
એક મહત્ત્વની વસ્તુ રહી જાતી હતી. સારૂ થયુ' હું એ છેલ્લે તમારી આગળ મૂકું છું. સૌરાષ્ટ્રની ભૂમિની આસપાસ લગભગ ખંધી દિશાએ સમુદ્ર છે. પુરૂષાથી માણસ માટે સમુદ્ર એ પ્રવૃત્તિની મર્યાદા નથી પણ વિશાળ અને વ્યાપક પ્રવૃત્તિ માટેનુ ામ ત્રણ છે, લેાકભારતીનાં અભ્યાસક્રમમાં વહાણવટાને સ્થાન હેવું જોઇએ. લેકામાં સમુદ્રાયણતા- છ mindedness-વધવી જોઈએ. સમુદ્ર ઉપર દિવાલા ધાતી નથી. અને જે લેક સમુદ્ર ખેડે છે તેમનામાં સ’કુચિતતા આવી શકતી નથી. લેાકભારતીના વિદ્યાર્થીઓને કહીશ કે તમે જમીન ખેડા, સમુદ્ર ખેડે! અને પાસેની ટેકરી પર મેટા દૂરબીન સાથે એક વેધશાળા ગોઠળી આકાશ પણ ખેડા. ખગોળશાસ્ત્ર એ કાંઇ નવાર લેકાની વિદ્યા નથી. નક્ષત્રવિદ્યા ખેડુતાએ અને ખલાસીઓએ ખેડેલી વિદ્યા છે.