________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૬-૫૧
તરીકે તેમને આ પહેલા પ્રયાસ એ દિશાએ ઉજજવળ ભાવીની આશા આપે છે. શુદ્ધિ સપ્તાહ
મુંબઈ શહેરમાં છેલ્લાં બે વર્ષથી શ્રી કેદારનાથજીની પ્રેરણું અને દરવણી નીચે વ્યવહાર શુદ્ધિ મંડળની સ્થાપના કરવામાં આવી છે. આજના લોકજીવનમાં કાળા બજાર, લાંચરૂશ્વત, ભેળસેળ, દાણચોરી, આદિને લીધે જે સડે પડે છે અને નૈતિક અધઃફેલાઈ રહી છે તે દૂર કરવી, અને લોકોને નાતિ, પ્રમાણીકતા અને શુદ્ધિના માર્ગ પાછા વાળવા એ આ મંડળનો હેતુ છે. આ દષ્ટિએ આ મંડળમાં જોડાવા ઇચ્છનારાઓ માટે સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે નૈતિક બંધનેને સ્વીકાર કરતાં બે પ્રકારનો પ્રતિજ્ઞાપત્રે રાખવામાં આવ્યા છે. એક પ્રતિજ્ઞાપત્ર સંપૂર્ણતયા સભ્યત્વનું. અને બીજું સંશતઃ સભ્યત્વનું છે. બીજા પ્રકારના સભ્યને સહાયક સભ્ય તરીકે ઓળખવામાં આવે છે. પોતપોતાની નૈતિક તાકાત મુજબ કોઈ પણ પ્રતિજ્ઞા પત્રમાં સહી કરીને કોઈ પણ વ્યક્તિ આ વ્યવહાર શુદ્ધિ મંડળમાં જોડાઈ શકાય છે.
આ વ્યવહાર શુદ્ધિ મંડળ તરફથી . એક શુદ્ધિ સપ્તાહની જના કરવામાં આવી છે. તેની પહેલી સભા તા. ૨૮-૫-૧૧ ના રોજ વ્યવહાર શુધિ મંડળ અને મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે વીઠ્ઠલભાઈ પટેલ રેડ ઉપર આનંદ ભવનમાં યોજવામાં આવી હતી. પ્રમુખસ્થાને શ્રી કેદારનાથજી બીરાજમાન હતા. શુદ્ધિ સપ્તાહનું ઉદ્દઘાટન જાણીતા ગાંધીવાદી શ્રી કૃષ્ણદાસ જાજુજીના હાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી. જાજુજીએ એક અત્યન્ત પ્રેરક અને ઉબેધક પ્રવચન કર્યું હતું જે પ્રબુદ્ધ જૈનના આ ગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. બાકીના દિવસો દરમિયાન ભિન્ન ભિન્ન સ્થળોએ ભિન્નભિન્ન વકતાઓનાં વ્યાખ્યાને ગોઠવવા આવ્યા છે. પ્રજા જીવનના નૈતિક સંશોધનની દિશાએ આ શુદ્ધ સપ્તાહ એક પ્રાણદાયી અને આશાપૂર્ણ આન્દોલન જગાવી રહેલ છે. આ શુભ પ્રવૃત્તિને જેટલું બને તેટલે વેગ આપ તે આપણા ધમે છે. એક ઉજજવળ કારકીદીને એકાએક અન્ત
ડે. અનન્ત પંડયા જેમના અકાળ અવસાનના સમાચાર તાજેતરમાં દૈનિક છાપાઓમાં પ્રગટ થયા છે તેમના અવસાનથી આપણા દેશે એક ઉત્કૃષ્ટ ખ્યાતિના એન્જિનિયર અને અણમેલું માનવીન ગુમાવેલ છે. તેમનો જન્મ ૧૮૦૮માં ભાવનગરમાં થયેલ. તેમના પિતા શ્રી હીરાલાલ હરગેવિંદદાસ પંડયાએ મૂલયર રાજ્યમાં ઘણાં વર્ષ ખેતીવાડી ખાતાના મુખ્ય અધિકારી તરીકે સેવા કરેલી અને હાલ ભાવનગરમાં તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. છે. અનન્ત પંડયા શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં ભણેલા. શ્રી નાનાભાઈ ભટ્ટ તથા હરભાઈ ત્રિવેદીના તેઓ વિઘાથ. મેટ્રીક થયા પછી એન્જિનિયરીંગ કોલેજમાં જોડાયા. બી. ઇ. ની પરીક્ષામાં સૌથી પહેલા નંબરે પસાર થયા. આવી રીતે પસાર થનારને એ સમયમાં સારા પગારની સીધી સરકારી નોકરી મળતી હતી. પણ એ કરીને અસ્વીકાર કરીને તેઓ ૧૯૩૦ માં આગળ અભ્યાસ માટે અમેરિકા મેસેયુસેટ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં દાખલ થયા. ત્યાં એમ એસ. સી. ની પરીક્ષામાં સૌથી પહેલા નંબરે પસાર થયા. કેટલીક શિષ્યવૃત્તિઓ તથા જેમ્સ બલી ગોલ્ડ મેડલ મેઇ. બુ. અને પિતાની યુનીવર્સીટીના મોટા પગારે ફેલો નિમાયા. ૧૯૩૩ માં ડેકટર ઓફ સાયન્સની ડીગ્રી પ્રાપ્ત કરી. ત્યાર બાદ ૧૯૩૫માં લડનની દ્રસેડ ક્રીટ સ્ટીલ કંપનીમાં તેઓ જોડાયા અને લગભગ ચાર વર્ષ ઈંગ્લાંડમાં રહ્યા. એ દરમિયાન મી. આર. જે. ફાઉલર સાથે મળીને વેલ્ડીગના વિષયને
લગતે એક નિબંધ તૈયાર કર્યો અને તેને લગતી આન્તરરાષ્ટ્રીય હરીફાઈમાં રજુ કર્યો. તેમને નિબંધ બીજા નંબરે આવ્યો અને પરિણામે તેમને તથા તેમના સાથીને મળીને ૧૩૦૦૦ ડોલરનું, ઈનામ મળ્યું. લંડનની નોકરી કરતા હતા તે દરમિયાન કંપનીના કામે તેમનું દશેક દિવસ માટે હિંદ ખાતે આવવાનું બનેલું અને તે વખતે શ્રી. હીરાલાલ અમૃતલાલ શાહની મોટી દીકરી લીલાવતી સાથે તેમણે લગ્ન કરેલું. ૧૯૩૯માં તેમની કલકત્તાની જાણીતી એન્જિનિયરીંગ કોલેજના પ્રીન્સીપાલ તરીકે નિમણુક થઇ. આ અધિકાર ઉપર નીમાનાર તેઓ પહેલવહેલા હીન્દી હતા. ૧૯૪૩માં તેમણે કોલેજ છેડી અને હિંદી સરકારના તેઓ ડેપ્યુટી ડીરેકટર જનરલ ઓફ મ્યુનીશન્સના અધિકાર ઉપર તેઓ આવ્યા. અને બે વર્ષ સુધી ભિન્ન ભિન્ન સરકારી જવાબદારીઓ તેમણે સંભાળી ૧૯૪૫ માં તેઓ સરકારી નોકરીથી છુટા થયા અને હિંદ કન્સ્ટ્રકશન લીમીટેડના ડીરેકટર અને જનરલ મેનેજર થયા. ૧૮૪૮ દરમિયાન વળી સરકારે તેમની નોકરીની લેન માંગી અને નવ મહીના સુધી હિંદુસ્તાન એરક્રેટ લીમીટેડ મેનેજર તરીકે તેમણે કામ યુ. ત્યાર બાદ પટેલ એન્જિનિયરીંગ કંપની લીમીટેડના તેઓ મેનેજીંગ ડીરેકટર થયા. વૈતરણાના બંધને અંગે મેટી ટનલ બાંધવાની હતી તેને તથા જી. આઈ. પી ની ટનલનું નવું બાંધકામ કરવાનું હતું તેને કાર તેમને મળેલો. દામોદર વેલીના બાંધકામને કોન્ટેકટ બ9 બેત્રણ કંપનીઓ સાથેના ભાગમાં તેમને મળેલ હતો અને તે કામ આજે ચાલી રહેલું હતું. કંડલા ખાતે જે મેટું બંદર અને મીલીટરી બેઝ કરવાનું છે તેને લગતું ટેન્ડર ભરવા માટે હજુ થોડા સમય પહેલાં અમુક જર્મન કંપનીઓ સાથે વાટાઘાટ કરવા માટે તેઓ યુરોપના પ્રવાસે ગયા હતા. તેઓ સૌરાષ્ટ્ર સરકારના કનસલ્ટીંગ એન્જિયર હતા. મુંબઈ તથા કલકત્તા યુનીવસટીના લિ હતા. આજે પ્લાનીંગ કમીશનના અંગે પિતાના વિષયને લગતી કેટલીક ખાસ જવાબદારી તેઓ ધરાવતા હતા. વૈતરણાના કામને અંગે છેલ્લાં બે વર્ષથી તેઓ મુંબઈ આવીને રહ્યા હતા. યુરોપ અને અમેરિકાને પ્રવાસ તેમના કામને અંગે અવારનવાર ચાલ્યા જ કરતે હતે. વળી મુંબઈ રહેવા છતાં પણ ઘડિમાં કંડલા, ઘડિમાં દામોદર વેલીના કામે એમ તેમને પ્રવાસ તે હિંદના એક છેડેથી બીજા છેડે ચાલુ જ રહેતા. તેઓ એક સંસ્કારી અને ધર્મપરાયણ કુટુંબના ફરજંદ હતા. તેમનામાં રહેલાં ઉચ્ચ કોટિના સૌજન્ય અને પ્રસન્ન સ્વભાવે અનેકનાં દિલ જીતી લીધાં હતાં. એક કુશળ એન્જિનિયર તરીકે તેમણે માત્ર હિંદમાં જ નહિ પણ યુરોપમાં સારી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. હજુ ચાર દિવસ પહેલાં તેઓ દામોદર વેલીના કામે કલકત્તા ગયેલા. કલકત્તાથી ૨૫૦ માઈલ જ્યાં તેમનું કામ ચાલતું હતું ત્યાંથી પાછા ફરતાં પહેલી તારીખની સવારે ચાર વાગ્યે તેમની મેટર સામેથી આવતી સાથે અથડાઈ. મેટર ડ્રાઇવર અને તેમના અન્ય સાથી ઘાયલ થયા અને શ્રી અનન્ત પંડયાએ બે ત્રણ કલાકમાં જાન ગુમાવ્યા. આવી રીતે ઉત્તરોત્તર ઉજજવળતાને ધારણ કરતી એક ભવ્ય અને આશાસ્પદ કારકીર્દીને ૪૩ વર્ષની અપરિપકવ ઉમ્મરે અન્ન આવ્યું અને દેશે એક પનોતા પુત્ર ગુમાવ્યો.
પરમાનદ વૈદ્યકીય રાહત મુંબઈ અને પરાંઓમાં વસતાં જે જૈને ભાઈ યા બહેનને વૈધકીય રાહતની, દવા કે ઇજેકશનની તેમ જ ડોકટરી ઉપચારની જરૂર હોય તેમણે ધનજી ટ્રીટ માં આવેલ મુંબઈ જેન યુવક સંધના કાર્યાલયમાં તપાસ કરવી.
રતિલ લ ચીમનલાલ કે હારી મંત્ર વૈદ્યકીય રાહત સમિતિ
આપણા
માવેલ છે. ડીરાલાલ હ