________________
તા. ૧-૬-૫૧
પ્રબુદ્ધ જૈન
આ સુન્દર પરિચય કરાવવા બદલ શ્રી. નવલભાઈને ધન્યવાદ ઘટે છે.
કેટલાંક વર્ષથી શ્રી નવલભાઈના તંત્રી પણ નીચે વિશ્વ વાત્સલ્ય” નામનું એક પાક્ષિક પત્ર નીકળે છે. આ પત્રમાં સંતબાલજીનાં લખાણ અને પ્રકૃતિના સમાચારો નિયથિત રીતે વિસ્તારથી પ્રગટ થાય છે. વિશ્વાવાત્સલ્યનું તેઓ શ્વાસે શ્વાસે રટણ કરે છે. સર્વધર્મસમભાવ તેમની પ્રકૃતિમાં વણાઈ રહેલું તત્વ છે. “વિશ્વવાસલ્ય’માં આપણા સમાજને સ્પર્શતા અનેક પ્રશ્નોની સત્તબાલજી નિર્ભયતાપૂર્વક ચર્ચા કરે છે. સરકારી નીતિની પણ તેમાં અવારનવાર કડક ટીકા કરે છે. ગામડાંની પ્રજાની શ્રેયસાધનાને લયસ્થાને રાખીને વિશ્વ વાત્સલ્યનું સંચાલન કરવામાં આવે છે. સંતબાલજીના વિચારો જાણવાની ઇચ્છા ધરાવનારને વિશ્વ વાત્સલ્યના ગ્રાહક થવાની ભલામણ કરવામાં આવે છે. કિરપલાણીજીના કેસ સાથે છુટાછેડા
આચાર્ય કિરપલાણીજીએ જે સંસ્થાની પતે જીદગીભર અપાર સેવા કરી છે તે રાષ્ટ્રીય મહાસભામાંથી થોડા સમય પહેલાં રાજીનામું આપ્યાના સમાચાર પ્રગટ થયા છે. કોંગ્રેસની સંસ્થામાં અને કે ગ્રેસી વહીવટમાં જે સડે પેઠે કહેવાય છે અને જે અનવસ્થા વ્યાપી રહી છે તે સામેના કેવળ વિરેાધ ખાતર તેમણે ૨ જીનામું
જીનામુ આપ્યું હોત તો આવી હીંમત અને નીડતા દાખવવા ખાતર અને ન્યાય અને સત્યની ઉપાસના ખાતર પિતાd વહાલામાં વિદ્યાલી સંસ્થાના ત્યાગ કરવા માટે તેમને આપણે મુક્ત કઠે ધન્યવાદ જ આપવાના રહેત. પણ આ રાજીનામાં પાછળ આજથી લગભગ આઠ મહીના પહેલાં નાસીક ખાતે ભરાયેલા અધિવેશનમાં પ્રમુખ થવા માટે તેમણે કરેલી ઉમેદવારી અને તેમાં સાંપડેલી નિષ્ફળતા અને પ્રત્યાઘાત રૂપે તેમણે કોંગ્રેસ સામે ઉભે કરેલો લોકશાહી મોર-આવી ઘટનાઓ રહેલી હોઈને આ રાજીનામું આપણું દિલમાં ઉપર જણાવ્યું તે પ્રત્યાઘાત પેદા કરી શકતું નથી.
ગાંધીજી દક્ષિણ આફ્રીકાનું કા સમેટીને હિંદ ખાતે પાછા ફર્યા ત્યારે યુવાન કિંર પલાણીજી બીહારની મુઝફફપુર કોલેજમાં એક અધ્યાપક તરીકે કામ કરતા હતા. ગાંધીજીએ અહિં આવ્યા બાદ સૌથી પહેલી લડત ચંપારણ્યના નીલવરો સામે ઉપાડી. તે પ્રસંગે કિરપલાણીજી ગાંધીજીને પહેલીવાર મળ્યા અને ત્યારથી ગાંધીજીના અવસાન સુધી ગાંધીજી સામે એક વફાદાર સાથી તરીકે તેઓ જોડાયેલા રહ્યા. ગાંધીજીને લીધે કોંગ્રેસી રાજકારણ સાથે પણ તેમનો સંબંધ વધારે ને વધારે ગાઢ થતે ગયે. આઝાદીની લડતના લગભગ સાડા બાર વર્ષ સુધી તેમણે કોંગ્રેસના મંત્રી તરીકે કામ કયું". આઝાદી પછીની પહેલ વહેલી કોંગ્રેસના તેઓ પ્રમુખ તરીકે ચુંટાયા. ગાંધીયુગ દરમિયાન હિંદને અપ્રતિમ નિષ્ઠાવાળા, નિ:સ્વાર્થ, નીડર અને પ્રતિભાસંપન્ન જે કેટલાક ગણ્યાગાંઠયા રાષ્ટ્રસેવક પ્રાપ્ત થયા તેમાં કિરપલાણીજીનું સ્થાન બહુ ઉંચું લેખાય. વળી ગાંધીવાદના કિરપલાણીજી એક ઉત્કૃષ્ટ કાટિના નિરૂપક છે. તેના મર્મને સમજનાર અને સમજાવનાર તેમની જેવી બહુ ઓછી વ્યક્તિઓ દેશમાં મળે તેમ છે. તેમના વ્યકિતત્વની પ્રતિભા પણ કાઈ વિલક્ષણ પ્રકારની છે. કેઈથી આંજયા અંજાય નહિ અને ગાંજ્યા ગંજાય નહિ એવી તેમની સ્વાભાવસિદ્ધ ધીરદાત્તતા છે, સ્પષ્ટવકતૃત્વથી ભરેલી અને કદિ કદિ અયુકતઓથી દૂષિત બનતી અને એ કારણે સમભાવની સીમાને એળંગતી તેમની વી છે. તેમનાં કટાક્ષાનાં તીર જ્યારે છૂટવા માંડે ત્યારે પ્રતિપક્ષે પરાસ્ત થયે જ છૂટકે. એમ કરતાં કદિ કદિ પ્રતિપક્ષને અન્યાય થઈ બેસવાને પણ સંબઇ ખરો જ. જીવન સાદું અને મોટી ઉમરે ગૃહરથમ રવીકાર છે છતાં પણ એક સરખી સાધુતાથી ભરેલું સ્વભાવ એક એલી , જે. નિખાલસ પ્રકૃતિ અને એવું
જ નિખાલસ તેમનું અટ્ટહાસ્ય. કોઈ વસ્તુની આકાંક્ષા નહિં, કાઈ અધિકારને મેહ નહિ. પિતાને માર્ગે ચાલતાં જે જવાબદારી આવે તે સ્વીકારવી અને પાસે ધન તે મળે નહિ પણ પોતાનાં તનમન પરોવીને એ જવાબદારીને બને તેટલી પાર પાડવી–એ તેમને કમગ. સગવશાત એ જવાબદારી છોડવાને વખત આવે તે તેની સામે કદિ પાછું વાળીને તેઓ જુએ નહિ. તેઓ ગુજરાત વિદ્યાપીઠના એક વખત ઉપકુલપતિ હતા. કાળક્રમે એ પદથી છુટા થવાને વખત આવ્યે તો ઉપવસ્ત્રની માફક તે સ્થાન છોડીને તેઓ ચાલતા થયેલા. ત્રણ વર્ષ પહેલાં તેઓ કેગ્રેિસના પ્રમુખ હતા. રાજ્યવહીવટમાં પ્રમુખસ્થાન ધરાવતા તેમના સહકાર્યકર્તાઓ તેમની સાથે દિલ ખેલીને વર્તતા નથી એમ તેમને લાગ્યું અને તેમણે રાજીનામુ આપી દીધું. આવી બેપરવાઈ, નિરપેક્ષ વૃતિ, ગાંધીવાદથી દૂર જઈ રહેલા પોતાના ચિરકાલીન સાથીઓને કડવામાં કડવાં વેણુ સંભળાવતાં રહેવા જેટલી નીડરતા અને ગાંધીનિષ્ઠા-આવા ગુણવિશેષને લીધે કિરપલાણીજીએ પ્રજાના દિલમાં બહુ ઉંડું અને ઉંચું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઉગતી પ્રજાના તેઓ એક આરાધ્ય દેવતા હતા.
આમ એકધારું જીવન તેમનું વહ્યું જતું હતું. ધારાસભામાં સરકારી સડે, અવ્યવસ્થા અને ગાંધીવાદવિરોધી પ્રવૃત્તિઓ સામે તેમની અખલિત વાગધારા ચાલ્યા કરતી હતી. પ્રારંભથી રાજકારણ સાથે સંકળાયેલા હોવા છતાં કોઈ મેલી રાજકીય ખટપટ કે પક્ષાપક્ષી માં તેઓ કદી સંડેવાયા નહોતા. આ દરમિયાન નાસીક કેગ્રેસના પ્રમુખની ચુંટણીને પ્રશ્ન ઉપસ્થિત થયે. રાષ્ટ્રના જુના અને જાણીતા આગેવાન બાબુ પુરૂષોત્તમદાસ ટેન્ડનના નામની દરખાસ્ત મૂકવામાં આવી, તેમને સરદાર વલ્લભભાઈ પટેલને બળવાન ટેકો મળ્યો. આ સંબંધમાં એવી માન્યતા પ્રવર્તે છે કે કોણ જાણે શા કારણે પણ પંડિત જવાહરલાલ નહેરૂને ટેન્ડન બાબુનું નામ પસંદ ન આવ્યું. તેમની નજર આચાર્ય કિરપલાણીજી ઉપર પડી, અને કહેવાય છે કે પ્રમુખસ્થાન માટે ઉભા રહેવાની પડિતજી તરફથી તેમને સૂચના કરવામાં આવી. પ્રમુખસ્થાનનો સ્વાદ હજુ થોડા વખત પહેલાં જ તેમણે ચાખ્યો હતો. જે કારણોસર તેમણે કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપેલું એ કારણે એના એ સ્વરૂપે ઉભાં હતાં. કયા સગાને લીધે તેમને આ ઉમેદવારી કરવાનું કહેવામાં આવે છે અને તે પાછળ કેવી રાજખટપટ છે તે પણ તેઓ બરાબર જાણતા હતા. એમ છતાં તેઓ આ સ્થાન હાથ કરવા લેભાયા. કિરપલાણીજી પ્રમુખસ્થાન માટે ઉભા રહેવા માંગે છે એ સમાચારે અનેક લોકોને આશ્ચર્યચકિત બનાવ્યા. આ બન્ને ઉમેદવારની એક સરખી ઉજજવલ કારકીર. કોને મત આપશે અને કોને મત ન આજે એ વિષે પ્રજાના દિલમાં ભારે દિધા પેદા થઈ. બન્ને વચ્ચે તીવ્ર હરીફાઈ શરૂ થઈ. કોંગ્રેસના પ્રમુખ સુત્રધારમાંથી અમુકે અમુક બાજુએ અને અમુકે બીજી બાજુએ પિતાનું વજન ઠાલવ્યું. પિતાની યોગ્યતા અને અન્યની અપાત્રતા રજુ કરતાં નિવેદન અને પ્રતિનિવેદને, ભળામણો અને પ્રતિભળામણો – આવું દેશમત્સર વધારતું સાહિત્ય પ્રગટ થવા લાગ્યું, અને ચોતરફ વાતાવરણ બહુ કલુષિત બની ગયું. ચુંટણી થઈ. તેમાં બન્ને બાજુએ લાગવગને ઠીક ઠીક ઉપગ થય. સંભવિત છે કે એક બાજુએ અગ્ય સાધનો અને અણઘટતી લાગવગ ઘણું વધારે ઉપગ થયે હોય, બીજી બાજુએ પ્રમાણમાં ઓછો થયો હોય. ઉમેદવારે વિશુદ્ધ હય, છતાં તેમને ઉપાડનારાઓ આજે તરફ વ્યાપી રહેલી મલીનતાથી મુકત હતા જ નહિ. આખરે ટેન્ડનબાબુ ચુંટાયા. કિરપલાણીજી નિષ્ફળ નીવડયા. આ નિષ્ફળતાની તેમના મન ઉપર ભારે ચેટ લાગી, તેમનું દિલ ખુબ ઘવાયું. ટેન્ડનજીને મળેલા મતો પાછળ મેલી રમત રમવામાં આવી છે એમ