SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શુદ્ધ જૈન “જ્યાં જ્યાં ભેદ થાય છે ત્યાં ત્યાં કપટ આવે છે; પાપ આવે છે. ભેદને નાશ થતાં પ્રેમ, સત્ય, સગઠન, પુણ્યનું વાતાવરણુ પ્રકટે છે. એટલે આટલુ' સત્ય સમજી આપણે સૌ. આગળ વધીએ કે, પ્રેમ આપવાથી પ્રેમ મળે છે; પ્રામાણિકતા આપવાથી પ્રામા ણિકતા મળે છે, માનવતા પ્રકટાવવાથી માનવતા મળે છે. માનવી. હૃદય એકબીજાનું પ્રતિબિંબ છે; તરત જ એકની છાયા. બીજામાં પડે જ છે. એટલે આ શુભ પ્રસંગે પ્રાથના કરીએ કે, ત્રણે ફ્રિકામાંથી જ નહિ પણ માનવજાતમાંથી ભેદ દૂર થાય. જ્યાંસુધી આ ભેદ રહેશે ત્યાંસુધી એકબીજાને ભય છે; ધાસ્તી છે; એમ્બની કૂંડક છે; હૃદયપૂ`ક એ ભેદ દૂર થશે ત્યારે વિશ્વાસ અને પ્રેમ પ્રકટશે; નિ યતા આવશે અને માનવતા પ્રકટશે. શ્રી મણિભાઇના ઉમગની વાત શી કહુ ? તેમણે કહ્યું કે, મનની વાત તે કહી શકતા નથી. એ વાત શી હશે? એક વાત તે તેમણે કહી લીધી. આ સંસ્થામાં ત્રણે ફ્રિકાના વિધાર્થીને સ્થાન મળે એ જાણે ઠીક પણ અજૈન વિધાર્થીની પણ જોગવા થાય તેવી તેમની ઇચ્છા છે. વાત સાચી છે કારણ કે તેમની આાજ' પર દૃષ્ટિ નથી; 'ભવિષ્ય' તરફ દૃષ્ટિ છે. અને એ દૃષ્ટિ સાચી છે; માનવતાથી ભરેલી એ દૃષ્ટ છે. એ દૃષ્ટિનું કારણ પણ છે; અને તે એ કે એ દૃષ્ટિ તેમને પોતાના જીવનમાંથી મળેલી છે; સેવાનુ કાય કરતાં કરતાં લાધેલી છે. તેમની આ વિશાળ દૃષ્ટિ, કાય' કરવાની પરાયણતા અને ઉમગ પ્રશસનીય છે. તેમના સેવાપરાયણ જીવનની આપણા સૌ પર અસર થાઓ.” શ્રી ભિએ આ શુભ કાર્ય માટે ઇચ્છા કરી, પ્રયત્ન કર્યાં, ઇચ્છા પૂરી થઇ. હવે તેમના મનની જે વાત છે, તે વાત પૂરી કરવા માટે તે દીર્ધાયુ યાએ; તેમને એ માટે પ્રેરણાશકિત મળી રહેા, અને યુવાનાના સહકાર મળેા, અંતે ઉત્તરાત્તર સસ્થાની પ્રગતિ થયા કરે એવી મારી પ્રાથના છે. ( શ્રી મણુિભાઈને દ્વાર પહેરાવતાં પહેરાવતાં) મારુ એ ભાગ્ય છે કે, શ્રી મણિભાઇ જેવા કાર્ય કરતું અભિનંદન કરવાની આપ સૌએ મને તક આપી છે. આ પ્રસંગને હું ખુશનશીખી જ ગણુ' છું. શ્રી મણિભાખ઼ : ‘આશીર્વાદ આપેા વધારે કામ કરી શકું.” શ્રી કેદારનાથજી : “મારી પ્રાથના છે કે, તમને આયુષ્ય અને આરાગ્ય અને મળે, તા. ૧-૬-૧૧ ત્યારે પશુ મુહુપત્તી શા માટે આંધી રાખવી ? તેમના મતભેદને આ પહેલા મુદ્દો હતો. બીજો મુદ્દો હતા લેચને. જૈન સાધુઓ માથાના વાળ હાથવડે તેડીને લાચ કરે છે. તેમને લાગ્યું ક આમાં બાહ્ય તપશ્ચર્યાં જરૂર છે અને સહનક્તિની પણ કસેટી છે પણુ એથી મગજના જ્ઞાનતન્તુઓ નબળા પડે છે. આમ હાવાથી શસ્ત્રથી મુંડન કરાવવુ ખાટુ' નથી એવા નિષ્ણુ'ય ઉપર તેઓ આવ્યા. ત્રીજું સાધારણુ રીતે જૈન સાધુએ જૈન ગૃહસ્થાને ત્યાંથી જ અન્ન વહારે છે, તેમને લાગ્યું કે જે કુટુંબ કે ધરમાં માંસાહાર અને દારૂ ન લેવાતાં ડ્રાય ત્યાંથી સ્વચ્છતાયી શુધ્ધ કરાયલી રસેષ્ઠ મળે તે ભિક્ષાથે લેવામાં કશા પણ વાંધા ઢુવા ન જોઇએ, ચેથે મુદ્દો હતા સ્નાનના. સાધારણ રીતે જૈન સાધુએ સ્નાન કરતા નથી. તેમને શરીરશુધ્ધિ માટે સંયમપૂ`કના જળસ્નાનની આવશ્યકતા લાગી. પાંચમુ જૈન પરંપરા મુજબ ગમે તેટલા નાના દીક્ષા પર્યાયને સાધુ હાય તેને ગમે તેટલા લાંબા દીક્ષાપર્યાયવાળા સાધ્વીએ વન્દન કરવું જ જોઇએ. એથી ઉલટી રીતે પેતાથી વધારે દીક્ષાપર્યાંયવાળી સાધ્વીને સાધુ કદિ પણુ વન્દન ન કરે. વળી સાધુ હૈાય ત્યાં સાધ્વી કદિ વ્યાખ્યાન ન વાંચે. આ અસમાનતા તેમને અસ્વીકાય' લાગી. “ આપ સૌના કરી આભાર માનું છું.' શ્રી ચિમનલાલ પી. શાહે સૌને આભાર માન્યા હતા; અને રાષ્ટ્રગીત સાથે સભા વિસર્જન થઈ હતી. કેટલાક સમાચાર અને નાંધ ‘સાધુતાની પગદંડી ’ શ્રી મહાવીર પ્રકાશન મંદિર તરફથી આ પુસ્તક હજી થોડા સમય પહેલાં પ્રગટ કરવામાં આવ્યુ` છે. · વિશ્વવાસલ્ય ' ના તંત્રી શ્રી નવલભાઈ શાહ તેના લેખક છે. આ પુસ્તકમાં નવલભાજીએ જૈન મુનિ સન્તબાલજીના આજ સુધીના જીવનની ઝાંખી કરાવી છે. ભાલનળકાંઠાની પ્રજાની કેટલય વર્ષથી સેવા કરતા સન્તબાલજીને કાણુ ઓળખતું નથી ? કાઠિયાવાડમાં ટંકારા ગામની બાજુએ આવેલ ટાળ ગામ તેમની જન્મભૂમિ. સ`સારીપાનું તેમનુ નામ શિવલાલ. નાનપણમાં કરવામાં આવેલા વિવાહ સંબધ તેડીને યોવનના પ્રારંભ કાળમાં સ્થાનકવાસી મુનિ શ્રી. નાનચ'દ્રજી પાસે તેમણે દીક્ષા લીધી, અને સૌભાગ્યચંદ્રના નામથા તેઓ એળખાયા. કેટલાંક વર્ષ' ગુરૂ સાથે રહેવા બાદ જૈન સાધુના ચાલુ આચારવ્યવહારને લગતી અમુક બાળતેમાં ગુરુ સાથે તેમને મતભેદ પડયો, સ્થાનકવાસી સાધુએ મેઢા ઉપર ચાલુ મુદ્દપત્તિ આંધી રાખે છે. જ્યારે ખેલવાનુ ડ્રાય ત્યારે તે મુહપત્તીની જરૂર સમજાય પણ ખેલવાનું ન હાય આમ પરંપરાગત આચારમાં અમુક ફેરફાર કરવાના વિચારવાળા સોભાગ્યચંદ્રને પેતાના ગુરૂ સાથે રહેવાનું અશકય બનવા લાગ્યું' અને પરિણામે એ પ્રકારના ગુરૂશિષ્યના સબંધને અન્ત આવ્યો. આ ઘટના બન્યા પહેલાં તેમણે સન્તબાલના નામથી જૈન પ્રકાશ તેમજ અન્ય સામિયકામાં લખાણો લખવાનું' શરૂ કર્યુ હતું. આ રીતે પેાતાના સંધાડાથી છુટા પડયા અને લેકસેવાના માગે' વળ્યા. ત્યાર પછીથી તે તે સતબાલજી તરીકે જ ઓળખાવા લાગ્યા. ભાલનળકાંડાના વિભાગમાં આજે સ તબાલજી કેટલાંએક વર્ષોથી ઉત્તમ પ્રકારની લેાકસેવા કરી રહ્યા છે. આમ છતાં પણ જૈન સાધુના કેટલાક આચાર જેમ કે મુહુપત્તી બાંધવી, રજોહરણુ ધારણ કરવું, પગપાળા ક્રવુ, ગોચરી ઉપર નિર્વાહ કરવા, ઉકાળેલુ પાણી પીવુ, રાત્રીભેજન ન કરવુ'; તિયિ તહેવારે નિયમ કરવા, જૈન સાધુની વેશભૂષાને વળગી રહેવું—આ બધું આજે પણ એટલી જ ચેકસાઇથી તેઓ પાળે છે. લેકાને સદાચાર તરફ વાળવા, વ્યસન અને માંસાહારથી મુક્ત કરવા, સામાજિક અનિક રૂઢિઓને તેાડવાની પ્રેરણા આપવી, સરકારી રંજાડ અને પજવણીમાં લેકાને રાહત અપાવવી, સર્વસામાન્ય ધમના લોકોને ઉપદેશ આપવા અને સન્માગ ઉપર સુદૃઢ કરવા, દુષ્કાળ જેવી આત વખતે લેાકાને રાહત પહેોંચાડવાની યેાજનાએ કરવી અને તેના ગામેગામ ફરીતે અમલ કરાવવે આ આજની તેમની મુખ્ય પ્રવૃત્તિઓ છે. ઉપાશ્રયમાં કેવળ નિષ્ક્રિયતામાં જ જીવન વીતાવતા સાધુઓએ સંતખાલજીના ચરિતાથ' બની રહેલા જીવન તરફ્ નજર કરવાની જરૂર છે. એક જૈન સાધુ પેાતાના દીક્ષાવ્રતને વળગી રહીને પણ કેટલું લેાકાપયેગી કામ કરી શકે છે અને પછાત વર્ગોના કેવા ઉધ્ધાર સાધી શકે છે. એના સ’તખાલજીના ચરિત્ર ઉપરથી આપણુને ભારે સરસ ખ્યાલ આવે છે. સંતબાલજી જે પ્રદેશમાં કાર્યોં કરી રહ્યા છે તે પ્રદેશની જનતાનું દિલ પાતાના વિશુદ્ધ ચારિત્ર્ય અને નિઃસ્વાથ' સેવા વડે અને અવિરત પરિશ્રમ વડે તેમણે જીતી લીધુ છે. આ રીતે તેમણે જૈન સમાજના ગોર વમાં ભારે વધારે કર્યાં છે. જન સમાજમાં સાધુએ તે અનેક છે પણ સંતૠાલજીની જોડીને ખીજો એક પણ સધુ આજે નજરે પડતા નથી. આ એક પવિત્ર સેવાપરાયણુ સન્તનું ' સાધુતાની પગદ’ડી ' દ્વારા આપણુને મીઠું દર્શન થાય છે અને તેના ય શ્રી નવલભાઇની વિચાર ભાર લેખનશૈલિતે આ નારી છે. લેાકભેગ્ય શિષ્ટ સાહિત્યમાં આ પુસ્તક વિશિષ્ટ સ્થાનુ અધિકારી છે. સ'તખલજીને
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy