________________
૧૯ર
તા. ૧૫-૪-૫૧
બીજું મેટું ન હોવાને કારણે તેનાં “કૂલ' હરદ્વાર–ગંગાજીમાં પધરાવવા માટે તેને જવું પડયું, “ફૂલે ”ને જમીન પર રાખવાની મનાઈ છે, આથી એક સ્થળે આરામ લેતી વખતે આ “ફૂલો'ને તેણે વૃક્ષ પર લટકાવ્યા. પિતે નીચે સુતો.
જ્યારે તેની આંખ ઊઘડી ત્યારે તેણે જોયું તે “કૂલે ” ગૂમ ! કદાચ, ખાવાની ચીજ સમજીને કૂતરાઓ તેને ખેંચી ગયા હોય; કદાચ એમ પણ હોય છે, ફલો સાથે બાંધેલ ચારેક આનાની ચાંદીની રકમને ખાતર કોઈ તેને ઉપાડી ગયું હોય, પરંતુ બાળકે હવે શું કરવું? ગંગાજી. હવે તે શા માટે જાય? અને ન જાય તે? છેવટે ઘરના લોકોની ભાવનાઓને ખ્યાલ કરીને હું તે - ખેટું, પણ ગંગાજી જવાને તેણે નિર્ણય કર્યો. મન અસ્વસ્થ હતું, છતાં જેમતેમ કરી ગંગાજી પહોંચ્યા. ત્યાં રસ્તામાં એક સાથી મુસાફરને તેણે પિતાની મુસીબત કહી બતાવી. મુસાફરે કહ્યું:
કોઈ ચિંતા નહિ,” તે મુસાફર, બાળક સાથે ગંગાના પટ પર આવ્યા. ત્યાં પહોંચીને તેણે કહ્યું: “હું અહીંને પંડયા છું, અને તમારે માટે બધી ગોઠવણ કરી દઉં છું” તેણે તે બાળકના બને હાથ રેતીથી ભરી દીધા, અને પછી કહ્યું: “કલ્પના કરે કે આ “કૂલ” છે,” બાળકે શ્રદ્ધાપૂર્વક આંખ બંધ કરી દીધી. પંડયાએ પૂછ્યું : હવે કહો, શું દક્ષિણ આપશે?” બાળકે ચારે બાજુ જોયું. આ પ્રકારની મહેનત-મજૂરી માટે ચાર પાંચ પૈસા આપવામાં આવતા હતા. બાળક અપરાધી હતા કારણકે આ કામ તેણે પડયાને સોંપ્યું હતું, એટલે તેણે છેવટે દસ પૈસા આપવાનું કબૂલ રાખ્યું, પંડયાએ કહ્યું: “અઢી રૂપિયાથી ઓછું નહિ લઉં.” બાળકની આર્થિક કે માનસિક સ્થિતિ અઢી આનાથી વધુ આપી શકવાની નહોતી. પંડયાએ આથી વિધિ ન કરાવી; અને ભગવાનના દરબારનો આ વકીલ તે બાળકને માનસિક ગુલામીની લેહશૃંખલામાં બાંધી ગંગાના પ્રવાહમાં એકલો ઊભો રાખી ચાલ્યા ગયે.
બાળકને ખૂબ દુઃખ થયું, પરંતુ તેના હૃદયમાં સાચે “ધમ હતા, “ધમે' તેની રક્ષા કરી. તેણે પોતાની આંખો બંધ કરી શ્રદ્ધાપૂર્વક કહ્યું : “ગંગાજીનો જય!” અને હાથ ધોઈ તે બહાર આવ્યું. .. તરત જ પંડયા તેની પાછળ પડયે; અને પૈસાની માંગ શરૂ, કરી. બાળકે કહ્યું: “ હવે પૈસાની વાત શી? મેં મારી જાતે મારું કામ કરી લીધુ છે.”
આજના જમાનાના “ભેમિયા” ની જેમ તીર્થસ્થાનોમાં પંડયાની ઉપર્યોગતા છે, પણ મુસીબત એ છે કે, જેને બાપ પુરોહિત, તે દીકરો પણ પુરોહિત; અને જેનો બાપ પુરોહિત નહિ, તેને દીકરો પણ પુરોહિત નહિ !
સુખની વાત એ છે કે, આ દેશની બિમારી માત્ર પુરોહિત- શાહીમાં જ રહી ગઈ છે. કદાચ રેલવે-ડ્રાઈવર અને રેલવે-ગાર્ડમાં પણ જો આ બિમારી લાગુ પડે તે રેલવે-ડ્રાઈવર અને રેલવે- ગાર્ડ થનારના બાપ પણ રેલવે ડ્રાઈવર અને રેલવે-ગાર્ડ જોઇએ, અને તે તે “ જી. આઈ. પી.’ રેલવે બંધ કરવાનો દિવસ પણ આવી પહોંચે!
નરક-સ્વર્ગની સડક હેય; નિરૂપયોગી જીવનની ગાડી હોય; પુરોહિત ડ્રાઈવર હેય અને પુરોહિત ગાર્ડ' હોય, તે તે જેટલી લાંબી નિરર્થક યાત્રા ઇચ્છે એટલી થઈ શકે !
ધર્મ ‘ચિંતન” ના ક્ષેત્રમાંથી અવતરી “ અચરણ” નું રૂપ ધારણ કરે તે સમાજરચના તેનું આવશ્યક અંગ બની જાય છે. આર્થિક દૃષ્ટિએ આજના સમાજના બે વગ' પડી જાય છે, પણ ધાર્મિક દૃષ્ટિથી ચાર-બ્રાહ્મગુ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ સમૂહમાં અસ્પૃશ્યની ગણના નથી કરવામાં બાવી, કારણ કે તે ચારે પ્રકારની દીવાલની બહાર છે. ગાંધીજીએ આપણી આ વર્ણવ્યવસ્થાને “ જૂના
ચીલા” તરીકે ઓળખાવેલ છે; પણ વાસ્તવિક રીતે આ “ જાતો ચાલે. નથી, પણ આ તે ધર્મના આશ્રયે ટકી રહેલી સીડી છે. તેનું સૌથી નીચેનું પગથિયું શુદ્ર છે અને ઉપરનું બ્રાહ્મણ. એમ કહેવાય છે કે શુકનું કામ વૈશ્ય, ક્ષત્રિય અને, બ્રાહ્મણની સેવા કરવાનું છે; વૈશ્યનું કામ શુદ્રની સેવા સ્વીકારવાનું અને ક્ષત્રિય-બ્રાહ્મણની સેવા કરવાનું; ક્ષત્રિયનું કામ વૈશ્ય-શુક્રની સેવા સ્વીકારવાનું અને બ્રાહ્મણની સેવા કરવાનું અને બ્રાહ્મણનું કામ દરેક પાસેથી સેવા સ્વીકારવાનું અને કોઈની સેવા નહિ કરવાનું. '
આ અવ્યવસ્થા–જેને વર્ણવ્યવસ્થા તરીકે ઓળખાવાય છે–ને જો ધર્મને આશ્રય ન હોય તે શું તે બે ઘડીભર પણ ટકી શકે?
અને છ-સાત કરોડને અસ્પૃશ્ય લેખવા તેઓ અછૂત તરીકે જન્મ “અછૂત” તરીકે છે અને “અછૂત” તરીકે મરી જાય ? દુનિયાની કોઈ ચીજ તેને પવિત્ર ન કરી શકે! આ “ ધમ" ની કૃપા નહિ તે બીજું શું? - આનું કારણ શું? તેમાં બે કારણ છે. પહેલું તે એ કે, આ દુનિયામાં શકિતશાળીની ઇચ્છા ન્યાય' કહેવાય છે. વગ–વિશેષની ઇચ્છાઓને “ધર્મ”ના ઘડતરમાં ઠીક ઠીક ફાળો છે. " બીજું કારણ એ છે કે, એક સમયે સમાજના હિતને ખાતર જે નિયમ ઘડવામાં આવે છે, અને જેને સ્વીકાર કરવામાં આવે છે, તે જ નિયમ સમય વીત્યા બાદ નિરૂપયેગી નહિ, પણ સમાજના વિકાસમાં અવરોધક બની જાય છે.
“ધમ ? તે એ છે, જે બદલાયે જતા સમાજની સાથોસાથ, સ્વેચ્છાએ બદલાતા રહે. જે ધર્મમાં આ સામર્થ્ય હેત તે માનવ-ઈતિહાસમાં આટલી ક્રાંતિઓ પણ ન હોત. ધર્મનું કામ ધારણ કરવાનું છે; પકડી રાખવાનું છે. ધર્મનું કામ એ નથી કે તેણે નિરંતર “પ્રગતિશીલ’ થવું, તેને સ્વભાવમાં એ નથી.
- “ધમ' અને “સમાજ” ના નામ પર આપણે જ્યારે સમાજનું આટલું અકલ્યાણ થતું જોધએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે એ પ્રશ્ન ઉઠે છે કે, “તે કરવું શું?”
કેટલાક લોકોના મંતવ્ય મુજબ જૂઠા ધર્મનું ખંડન અને સ ચા ધર્મનો પ્રચાર ” એ તેને ઉપાય છે; વળી કેટલાક “ધર્મ, માત્રનું ખંડન’ના પક્ષપાતી છે.
સત્ય, અહિંસા, વગેરે ધર્મનાં જે દસ લક્ષણ છે તે આજે . સૌ કોઈની જીભ પર રમે છે, પરંતુ યાદ રાખવું જોઈએ કે .સિગારેટ અથવા સિનેમાપ્રચારની માફક ધર્મનો પ્રચાર ન થઈ શકે. “ સત્ય બેલવું ? એ એક વાત છે; “સત્ય એલો” ને પ્રચાર કરે એ બીજી વાત. પહેલું કાર્ય એકાદ માઈને લાલ” કરી શકે છે; બીજુ દરેક વ્યકિત-જેનું આજીવિકા માટેનું સાધન “ધમ–પ્રચાર છે.
પરંતુ એકાદ “માઈને લાલ ” પણ આજના “ સમાજ માં શું ખાઈને સત્ય બોલશે ?
વિશ્વાસ ન બેસતે હોય તે “સત્ય” બોલવાનો નિયમ કરી જુઓ; કેટલી બેસુમાર તકલીફ પડે છે? આ “સત્ય ' કથને જ કેટલાંને ઝેરનાં પ્યાલાં પિવડાવ્યાં છે; કેટલાંને ફાંસીને માંચડે ચડાવ્યાં છે; કેટલાંય ન જાણે આજે જેલમાં સડી રહ્યાં છે !
તે શું “ધમ' માત્રનું ખંડન કર્યું જવું? ના. ધર્મનું ખંડન કરવાથી પણ “ધમ' (જદ પકડે છે. ધર્મપ્રચારધારા જે લોક પિતાને સ્વાર્થ સિદ્ધ કરે છે તેઓ આની સામે, એકથી એક વધે એવા બુદ્ધિ-વ્યભિચારીઓ લાવીને ઊભા કરી દે છે; અને ત્યારે ધર્મખંડનારા તેમને પહોંચી નથી શકતું.
તે ? ઉપાય માત્ર એક જ છે. વૈજ્ઞાનિક રીતથી સર્વ ધર્મોને સ્વાધ્યાય–સર્વ ધર્મોનું અધ્યયન.
કદાચ, આથી આપને શંકા જશે કે, આજ રોજ-બ–રાજ ભરાતાં સર્વધર્મ સંમેલનને હું બહુ જ પક્ષપાતી હઇશ. ના, એવું જરા પણ નથી.
-