________________
પ્રબુદ્ધ ન
તા
૧-૩-૫૧
આ ઉપરથી ખાત્રી થશે કે શ્રી શાહ જૈન તીર્થકરોને સામાન્ય માણસના જેવા જ ગણે છે. અને તેથી તેઓ જૈનેને તીર્થકરોને જીવનની અનેક જાતની ગૂઢ સમશ્યાઓમાં અટવાઈ ગયેલા ચીતરે છે.
વળી શ્રી શાહ કેવળજ્ઞાનને તે માનતા જ નથી. પણ તપશ્ચર્યાને અંતે હૃદય શુદ્ધિ થઇ નવ પ્રકાશ લાધે છે એમ માને છે. એ નવપ્રકાશ તે કેવળજ્ઞાન તો નહિ જ. બીજા કરતાં કાંઈક વિશેષ જ્ઞાનને એ નવ પ્રકાશ ગણે છે. અને એ નવપ્રકાશ તે માનવીની અંતિમ સિદ્ધિ ગણતા હોય એમ લાગે છે.
કેની અહિંસા શ્રેષ્ઠ સર્વ ધર્મોમાં થોડે ઘણે અંશે અહિંસાનું નિરૂપણ છે પણ અહિંસાનું નિરૂપણ ફકત જૈનધર્મમાં જ સંપૂર્ણ છે. જૈન ધર્મના જેટલી સતાથી કેઈપણ ધર્મે અહિંસાને વિચાર કર્યો નથી. જૈનધમની આવી શ્રેષ્ઠતાને ઉતારી પાડી, માનવીની સગવડ ખાતર અહિંસાને ફેંકી દેનાર ગાંધીજીને શ્રી રતિલાલ મેખરે મૂકે છે !
પાક ચરી ખાતા જનાવરોની હિંસાની અને અને મુશ્કેલીના મિષે મચ્છીના વાપરની ગાંધીજી રજા આપે છે” આ વાત શ્રી શાહે કબુલ કરેલ છે. અને છતાં લખે છે કે –
અહિંસામાં નવ સંશોધન કરી એની ભૂલાયેલી શકિતનું ફરી આજે જગતને ભાન કરાવનાર મ. ગાંધીજી જાણીતા છે. એમાં એમણે કેટલાક સુધારા વધારા પણ કર્યા છે અને એ દષ્ટિએ એમણે અહિંસાના તત્ત્વજ્ઞાનમાં કેટલીક વિકાસ પણ કર્યો છે.”
ભગવાન મહાવીરના અહિંસાની સિદ્ધાંતમાં ગાંધીજીએ સુધારાવધારા કર્યા છે એટલે કે ભગવાન મહાવીર કરતાં પણ ગાંધીજી ચડી જાય છે! એક જન તરીકે આ છે શ્રી રતિલાલની માન્યતા ! જરૂર પડયે હિંસાને અપનાવી સગવડપથી અહિંસાનું પ્રતિપાદન કરનારને શ્રેષ્ઠ પદ આપનાર શ્રી રતિલાલને ધન્યવાદ! જૈનધર્મમાં શ્રી રતિલાલ જેવા હિતશત્રુઓ પાકયા છે એ જેનીઓનું કમનશીબ જ ગણવું જોઇએ. મહાવીરની અહિંસાને ઉતારી પાડતાં શ્રી રતિલાલ લખે છે કે –
“ આજના યુગધર્મ પ્રમાણે વિચારીએ તે શયતાનના શયતાનમાં પણ આત્મા હોઈ એનામાં સૂતેલા આત્માને જાગૃત કરી એનામાં માનવતા પ્રગટાવવા માટે ગાંધીજીની સત્યાગ્રહણી અહિંસા એક બળવાન શસ્ત્ર ગણાય. એથી એ શસ્ત્ર પાસે મહાવીરની અહિંસા ઘણાને નિષ્ક્રિય અને ફીઝી લાગવાને સંભવ છે. એ માં થોડું સત્યાંશ પણ છે.”
ગાંધીજીના ચેલા તરીકે અંધભક્તિમાં ઘેરાઈને મહાવીરની અહિંસાને આ પ્રમાણે શ્રી રતિલાલ સાવ ઉતારી પાડે છે. ભક્તિમાં અંધ બનેલા શ્રી શાહને સત્યની રીતે વિચાર નથી કરો પણ યુગધર્મ'ની રીતે વિચાર કરે છે ! કારણ કે સત્યની રીતે વિચાર કરતાં મહાવીરની અહિંસા શ્રેષ્ઠ છે એમ કહેવું જ પડે! યુગધર્મ શબ્દ ગાડરીઓ પ્રવાહના અર્થમાં વપરાયે હોય એમ દેખાય છે. ગાડરીઆ પ્રવાહમાં તણાવા માટે સત્યને છોડવા ઈચ્છનાર શ્રી રતિલાલને ધન્યવાદ !!
અર્ધદગ્ધ, બિનપ્રદ્ધાળુ, શંકાશીલ માણસે ગોટાળામાં અટવાઈ પડે છે. શ્રી રતીલાલ શાહ પણ તેઓ માંના જ એક હોય એમ લાગે છે. કારણકે તેમણે પણ વદતે વ્યાધાત જેવી ઉલટસુલટી અથવા અચોકકસ વાત પણ લખી છે. પણ લેખ લાંબો થઈ જતો હોવાથી તે બતાવવાનું કુફ રાખું છું. '
તેમનાં માવા લખાણો માટે સમજુ સમાજ શું કહે છે તે શ્રી રતિલાલ સારી રીતે જાણે છે. અને તેથી એવા જવાબને દેશ પણ સમાજ ઉપર ઢોળી પડતાં શ્રી શાહ લખે છે કે- '
“આપણી અસહિષ્ણુતા પણ એવી પરાકાષ્ટાએ પહોંચી છે કે અન્યની વિચારસરણી સાંભળવા કે તપાસવા પણ આપણે તૈયાર થઈ શકતા નથી. વિરૂદ્ધ વિચારસરણી મૂકનારને ધમંદ્રોહી કે નસ્તિક કહી આપણે એની ઉપેક્ષા કરીએ છીએ. અને ધર્મનું ફરી અવલોકન કરી સંશોધન કરવામાં ઉસૂત્ર પ્રરૂપણાના ભયે પાછા હઠીએ છીએ. પણ એ ઘોર અજ્ઞાન છે. નિર્મળ હૃદયથી સત્યશોધન કરવાની કે સ્વતંત્ર વિચારણાપૂર્વક પૂર્વગ્રહરહિત વસ્તુને ફરી તપાસવાની વૃત્તિમાં ઉસૂત્રખરૂ પણ નથી. પણ કદાગ્રહપૂર્વક સત્યને અસત્યરૂપે પ્રચાર કરવામાં ઉસૂત્રપર પણ છે.
ખરી રીતે રતિલાલ “નિર્મળ હૃદયથી સત્યશોધન કરવાનું અને સ્વતંત્ર વિચારણા કરવાનું” જે પિતાને માટે લખે છે, તે પણ એક હડહડતું જુઠાણું જ છે. સ્વતંત્ર વિચારણાને બદલે તેઓ તે સ્વછંદી વિચારણા જ કરે છે. કારણ કે જન સુત્ર, શાસ્ત્રોમાંના ઈતિહાસને નકારી વૈદિકગ્ર અનુસાર જૈન તીર્થકરોને માટે અનુમાન બાંધે એ સ્વછંદી વિચારણું નહિ તે બીજું શું છે?
(આ પછી શ્રી. રતિલાલ મફાભાઈ શાહ શું માને છે અને શું નથી માનતા તેને લગતી એક યાદી તેમના નિબંધ ઉપરથી અવલોકનકારને જેવી ભાસી તેવી આપવામાં આવી છે. જે જગ્યાના સંકેચના કારણે અહિં આવી શકતી નથી. તંત્રી.
બેવકુફીને નમુને પ્રબુદ્ધ જૈનના તંત્રી ઉપર એક છાપેલે પરિપત્ર આવ્યું છે. મૂળ હિંદીમાં છે તેને અનુવાદ નીચે મુજબ છે. વધાઈ વધાઈ '
વધાઈ જય શ્રી મંગળમય ભગવાનજીની જય યારા ભાઈ !
ઈશ્વરની અપાર કૃપાથી તથા આપ લેકેની શુભ કામનાઓને લીધે અમારા શેઠજીને ત્યાં વિ. સં. ૨૦૦૭ માહલદી ૮ ના રોજ પુત્રની પ્રાપ્તિ થઈ છે. એ મને ઇશ્વરની કૃપાથી કોઈ પણ જાતની કમી ન હતી, માત્ર આ એક જ ન્યૂનતા હતી કે જે ઈશ્વરે એમની આખરી ઉમ્બરમાં પૂરી કરી છે.
એમણે શ્રી મંગલમય ભગવાનની એમ માનતા માની હતી કે આ શુભ અવસર પર તેઓ રૂા. ૫૦૦૦ નું કેસર આ પણ દેશના જૈન મંદિરમાં ચઢાવશે.
તે કપા કરીને આપ મને જવાબ લખશે કે જેથી હું આપના મંદિર માટે પાંચ લા કેસર કે જે દરેક મંદિર માટે નક્કી કરવામાં આવ્યું છે તે મોકલી શકું. આપને ધર્મના બીજા કાઇ કામમાં એને ઉપયોગ કરવો હોય તે તેમ પણ કરી શકશે. પણ એની કિંમત લેવી ધમની વિરૂદ્ધ છે.
આશા છે કે આપ અમારા નાના શેઠના દીર્ધાયુ માટે પ્રાર્થના કરશે.
ભવદીય ,
છેટેલાલ જૈન મેનેજર : શેઠ મૂલચન્દ્ર દામોદરદાસ જૈન,
કટડા ચેક, આહલૂવાલીયા, અમૃતસર, આ પત્રને વિશેષ કઈ ટીકાટીપની જરૂર છે જ નહિ.
સાભાર સ્વીકારે ૧. જીવન જૌહરી (જમનાલાલ બજાજ ) લે. શ્રી, રીષભદાસ રાંકા, પ્રકાશક શ્રી મૂળચંદ બરજાતે, કે ભારત જન મહામંડળ-નર્ધા કીં. રૂા. ૧-૪-૦.
૨, સમાજ ઓર જીવન લે. જમનાલાલ જૈન, પ્રકાશક શ્રી મૂળચંદ બરજાતે, ઠે. ભારત જન મહામંડળ કી. રૂા. ૧-૦-૦૦,