SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૫૧ શુદ્ધ જૈન ભગવાન મહાવીરની જન્મભૂમિ વૈશાલી ['પડિતશ્રી રાહુલ સાંકૃત્યાયનના નામથી ભારતવષ હવે અપરિચિત નથી જ. ભગવાન મહાવીરનાં જન્મ અને નિર્ભ્રાસ્થાન સબધમાં છેલ્લાં કેટલાંક વર્ષોંથી વિદ્વાનો શકા ઉપસ્થિત કરી રહ્યા છે, તે વખતે તેમને આ લેખ જૈન સમાજને પેાતાનાં આ પવિત્ર પ્રાચીન સ્થળેા વિષે સંશોધન કરાવવાની જરૂરિયાત ઊભી કરે છે. * જ્ઞાસુપુત્ર માયી શમનૂમિ વાસી' શિક તેમને આ મેં શ્રી મહાવીર સ્મૃતિગ્રંથ'માં પ્રકટ થયા હતા.' 'તેના શ્રી કમળાબહેન રતનચંદ્ર સુતરિયાએ કરેલા અનુવાદ` નીચે આપ્યા છે —તી] ઇસ્વીસન પૂર્વે પાંચ-છ સદી. પહેલા વૈશાલીનું ગણુરાય બહુ જ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તે ઉત્તર ભારતના મગંધ, કૌશલ વત્સ અને અવન્તીનાં વિશાળ રાજ્યાની સર મંણીમાં ઊભું રહે તેવું હતું. એક સમય એવા આગ્યે કે, રાજતંત્રની સત્તા સામે પ્રજાતાના નાશ થયા; જોકે આ નાશ થવામાં વર્ષોનાં વર્ષો લાગ્યાં; અને ભારતનું છેલ્લુ ગણુત ́ત્ર યૌધેય ઇસ્વીસનની ચાથી શતાબ્દિના અંતમાં લુપ્ત થયું. પેાતાના સમયમાં વૈશાલીના ગણુત ંત્રનું જે ઉચ્ચ સ્થાન હતુ, તેવું જ ઉચ્ચ સ્થઃન પોતાના અસ્તિ ત્વની છેલ્લી ત્રણ શતાબ્દિમાં યૌધેય ગણરાજ્યનુ હતુ. ગુપ્તાએ યૌધેય ગણુરાજ્યના નાશ કર્યો આથી ત્યાંનાં રહીશા -અગ્રેયા,એસ, ખંડિલ વગેરે તે સ્થળેથી નીકળી જ્યાં ત્યાં વેરવિખેર “ થયા અને અગ્રવાલ, ખંડેલવાલ, એસવાલ, બન’વાલ, રાહતગી (રસ્તોગી) વગેરે અટકાથી જાણીતા થયા. આજ પણ યૌધેય (રિયાન)ની ભૂમિથી નીકળેલી આ જાતિઐામાં જ્ઞાતપુત્ર મહાવીરનાં ઉપદેશનુ આચરણ નજરે પડે છે. માવીર એક બળવાન જનસત્તાક ગણુમાં જન્મ્યા અને તેમણે ઉપદેશેલા ધમ ખીજા ગણુસમૂહદ્દારા સ’રક્ષા. સોળ સાળ થતાબ્દિ સુધી નિકુશ સ્વદેશી-વિદેશી રાજાઓની સત્તા માચે ખાતુ-પિસાતુ ભારત આજે ફરી એક વિશાળ પ્રજાત ંત્રના રૂપમાં પરિણમી રહ્યું છે, એ ગણુતત્રના અનુયાયી ખાદ્યો અને જૈનેને માટે ગૌરવ લેવા જેવી વાત છે. અંદ્ધ અને મહાવીર જે સ્થળે જન્મ્યાંતે રાજતંત્ર નહિ, પણ પ્રજાતંત્ર હતાં, એક આર્કસ્મિક ાત નથી. ખુદ્ધ શાકયાના પ્રજાત ત્રમાં જન્મ્યા, તે મહાવીર વૈશાલીના લિચ્છવીએના પ્રાત ત્રમાં; પરંતુ એ કેટલી આશ્ચય'ની વાત છે કે, મહાવીરના અનુય યીએ મહાવીરની જન્મભૂમિને જ આજે ભૂલી ગયા છે; અને એ સ્થળને લિંબુંવાર ( મુ`ગર જિલ્લા )માં લઇ ગયા છે. લિબ્રુવાર અ ંગદેશમાં `આવ્યુ` પણ · જૈન ગ્રંથો અનુસાર મહાવીરને વૈશાલીના કહેવામાં આવ્યા. 'વિવેદ સંગ્વે, વિલે પુટમાને 'નુ' વાકય બતાવે છે કે, મહાવીરને જન્મ વિદેહ દેશમાં થયે હતા. કાલ અને શાય. પ્રદેશ વચ્ચે જેવે ગાઢ સબંધ હતા તેવું જ ગાઢા સબંધ વિદેહ અને વૃજિ ( વૈશાલીને પ્રદેશ ) વચ્ચે હતા. એકવાર કૅસલરાજ પ્રસેનજિતે મુહને કહ્યું હતુ.કે, “ ભગવાન કાસલવસી છે: હુ પણ કાસલવાસી '' વસ્તુઃ ગ'ગાગડકી, ( તે વખતે મહી ) કાસી અને હિમ લયની વચ્ચેના સુંદર સમતલ પ્રદેશ વિદેહના નામે એળખાતા હતે. ભાષાની દૃષ્ટએ એક હાવા છતાં કાષ્ટ રાજનૈતિક કારણે,તે લઇ, આ ભૂમિને તે ભાગ –જે આજે મુંગેર અને ભાગલંપુર જિલ્લના ગ’ગાના ઉત્તર પ્રદેશમાં કંઇક અંશે પરિણમી ગયા છે તે અંગુત્તરાય તરીક એળખાતે હતે. આ જ પ્રદેશ ગુપ્તકાળમાં તીર ભુકિત તરીકે જાણીને તે; જેનુ અપભ્રંશ આજને તરહુત શબ્દ છે. વિદેહની રાજધાની (મથિલાનગરી હતી. કાશી. હતું દેશનું નામ, પરં’તુ પાછાથી તેની રાજધાની બરાણસી (બરણુસ, ખનારસ)નું પર્યાયવાચક બની ગયું. એ જ વાત વિદેહના સંબંધમાં ઊન્નટી રીતે બની. તેની રાજધાની બિચિલ્લાના નામથી આખા દેશ એળખ વેશ શરૂ થયે!. આ વિશાળ વિદેહ ભૂમિને પશ્ચમ ભાગ તે લિચ્છવી ગણુ વૃજિ દેશ, અને તેની રાજધાની હતી વૈશાલી. આ પ્રમાણે સાતૃપુત્ર મહાવીર · વૈશાલિક ' હતા; ' વૈદૈવિક' પણ હતા. ભગવન મહાવીરને પુત્ર અથવા ` જ્ઞાતૃસ' । । કહેવામાં “આવે છે. પાલીમાં જ્ઞાતનું રૂપ “નાત ” થઇ ગયું છે. નાતિકા (જ્ઞા) નામનુ એક મેટુ નગર વૈશાલીના પ્રજાતંત્રમાં હતું. વૈશાલી (બસાઢ) અને તેની આજ઼પાસ અત્યારે પણ એક પ્રભાવ - ૧૫૫ וי શાળા જાતિ રડે છે; અને તે જથરિયા તરીકે ઓળખાય છે. આ ભૂમિહાર અથવા પશ્મિર જાતિ બ્રાહ્મણ જાતિની એક શાખા છે. છપસ, ગારખપુર, અલિયા વગેરે જિલ્લાઓમાં ભૂમિહાર જાતિ માટે બ્રહ્મણુ શબ્દો પ્રયોગ ભાગ્યે જ થાય છે; તે દરભંગા, ભાગલપુર વગેરેના મથિલ બ્રાહ્મણો ભૂમિહાર બ્રાહ્મણ્ણાને પછમા બ્રાહ્મણ કહે છે, એટલુ જ નહિ પરંતુ તેની સાથે રેટીએટી વ્યવહારના સેકડા ઉદાહરણુ પણ મળી શકે છે. જથરિયા શબ્દ જ્ઞાતુ 'માંથી અપ ભ્રંશ થઈને બન્યા છે. જ્ઞાતૃ'માંથી ‘નાંતર-જાતર-જંતરિયા— જયરિયા.' આજના જયરિયા ભૂમિહાર હેવાને કારણે બ્રાહ્મણુ હાવાના દાવા કરે છે, પરંતુ વસ્તુત: તેએ પ્રાચીન નાત ક્ષત્રિય હતા. તેમના ધ્યાનમાં એ નથી આવતુ કે એક એવે સમય પશુ હતા કે જ્યારે આર્યોંમાં બ્રાહ્મણું-ક્ષત્રિયના ભેદ ન હતા. એક જ પિતાના બે પુત્રામાં એક રાષ્ટ્રરક્ષક ખડગધારી ક્ષત્રિય હતે; ખીજો દેવની અર્ચના કરનાર બ્રહ્મણુ. ઇસ્વીસન પૂર્વે પંદરમી સદીમાં કુરૂ-પાંચાલની ભૂમિમાં બ્રહ્મષ્ણુ-ક્ષત્રિય ભેદનું બીજારાપણું થયું. આ બન્ને જનપદે હતાં, અને તેણે જ સૌથી પહેલાં રાજત ત્રને સ્વીકાર કર્યાં, પ્રજાતંત્રએ ઘણાં વર્ષોં સુધી આ ભેદને સ્વીકાર ન કર્યાં; ન બ્રાહ્મણની પ્રધાનતા સ્વીકારી કે ન તે તેમની અતિશ્રેષ્ઠતા, માતુ આ પ્રકારના પ્રજાતંત્રય આય હતા. આયુધજીવી આય હાવાને કારણે તે પાતાને ક્ષત્રિય તરીકે પણ ઓળખાવવા લાગ્યા પરંતુ તે વસ્તુતઃ એ આર્મીનુ પ્રતિનિધિત્વ ધરાવતા હતા, જેમાં બ્રહ્મણું. ક્ષત્રિયના ભેદ હજુ પડયા નહોતા. આથી જંયરિયા ‘નાત’તરીકે ઓળખવાથી કાઇ નુકસાન થવાને સંભવ નથી. વળી પ્રજાત ત્રીય ભારતમાં તે હવે એ ભય બિનજરૂરી પણ છે; કારણકે હવે સૌને એ સત્યને ખ્યાલ છે કે ભવિષ્યમાં રાટીખેટીનાં વ્યવહાર એક જ થઈ જવાનો છે. ન “જેતા જરિયા વામામાં હવે કેટલાક પેાતાને ભગવાન મહાવીરનાં વંશજ તરીકે ઓળખાવે છે; પરંતુ જેને હજુ પણ એ માનવાને તૈયાર નથી કે વૈશાલી (બસદ્ધ)જ નગરી હતી ઉપનગર કુંડગ્રામમાં વધુ માટે જન્મ લીધે હતા; જેણે 'માનવીની વૃત્તિએ પર. જય મેળવીને, 'જિન' બનીને પોતાતી અપ્રતિમ વીરતાને કારણે મહાવીર નામ મેળવી પ્રસિદ્ધિ મેળવી હતી. એ ભારે આશ્ચયની વાત છે કે જૈન પર પરા ભગવાન મહાવીરના નિર્વાણુસ્થાન અને જન્મસ્થાનબન્નેને ભૂલી તેની જગાએ નવાં સ્થળાને સ્વીકાર કરે છે. કુંડગ્રામને વૈશ લી. અને વિદેહથી દૂર લઇ જઇ કે અંગ ’ (બિછુઆર)માં અને નિર્વાગ્રસ્થાન. મુલ્લાની પાવા ( જે પડરોના 'ની પાસે ‘પોર’,, હાવાના સ’ભવ છે ) થી દૂર લઇ જઇ મગધના અત્યારનો સ્થાન પાવાપુરીમાં લ જવામાં આવી છે. સાત પ્રયત્ન વૈશલીના રહીશા જાગૃત થયાં છે. ભારતીય પ્રજાત’ત્રમાં, પોતાના સમયના અત્યંત બળશાળી વૈશાલી પ્રજાસ ત્રનો ઐતિહાસિક ગાવતે કરીથી સજીવ કરવા માટે તે પ્રયત્ન કરી રહેલ છે. પાંચ વર્ષથી ત્યાં મહાવીર-જય'તીના મેળા ભરાવા શરૂ થયા છે, અને ચૈત્ર સુદ તેરસના રોજ હજારો સ્ત્રી-પુરૂષ ત્યાં એકત્ર થઇ પોતાના ઉજ્જવળ ઇતિહાસને શ્રદ્ધાપૂર્વક અજલિ આપે છે. પ્રજાત ત્રેમાં વૈશાલીનું એક પ્રજાત ંત્ર હતુ. તેની શાસનવ્યવસ્થા અને પાર્લામેન્ટરી કાય વહીની પ્રતિદ્રાસ શાખ પૂરે છે. યુદ્ધ આ શું સતપ્રશુાલથી એટલા પ્રભાવિત થયા. હતા કે, તેમણે પોતાના સંધા નિયમો તૈયાર કરવામાં વૈશાલીની વ્યવસ્થાના આધાર લીધા હતા. the ભારતના જે પ્રમાણે યુદ્ધની જન્મભૂમિ લુમ્બનીને કે ઇ આજ સુધી ભૂલી નથી શક્યુ તે જ પ્રમાણે જૈને એ મહ વીરની જન્મભૂમિ વૈશાલીને ભૂલી. જવી જોઇએ નહિ.
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy