________________
તા. ૧૫-૧૨-૫૧
પ્રબુદ્ધ જૈન
આચાય નરેન્દ્રદેવનું શિક્ષણવિષયક પ્રવચન
( ગતાંકથી ચાલુ)
Vers
૧૩૯
વિજ્ઞાનને ઉપયોગ આજે બન્ને રીતે થાય છે; કલ્યાણુ માટે તેમ જ પરસ્પરને વિનાશ નેાતરતા વિકરાળ શસ્ત્રો બનાવવા માટે. પણુ, આધુનિક સમાજમાં વિજ્ઞાનના ઉપયોગ જનસમાજનાં વિચાર અને વર્તનને માનસશાસ્ત્રીય કાર્ય પધ્ધતિદ્રાસ પોતાના દુષ્ટ હેતુને અનુકૂળ કરવા માટે. પણ થાય છે. આ બધું બને છે તેનું કારણ પ્રજામાં કાઇ પણ એક નિશ્ચિત પ્રકારના સામાજિક અને નૈતિક મૂલ્યામાં શ્રધ્ધા નથી તેમજ
–
ઢગલો એકઠા થયા છે. આપણા ધરગથ્થુ પ્રશ્નના ધણાં છે અને અનેક ઘરઆંગણાને વિચાર કરીએ તે આપણી સમક્ષ કામના મેટા મુશ્કેલીથી ગુચવાયેલા છે. આપણી પ્રજા અજ્ઞાનતામાં તેમજ ગરીબાઇમાં વસ્તીના પ્રમાણમાં તેના ખારાકનુ ઉત્પાદન ઘણું જ ઓછું છે, પ્રજાની ડૂબી ગયેલી છે. ભારત જો કે ખેતીપ્રધાન દેશ છે છતાં વધતી જતી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવાને પણ આપણે અસમર્થ છીએ. મૃત્યુ એ કાયમી ભયનુ કારણ બન્યુ છે. માણસ મલીનતા અને માંદગીમાં જીંદગી ખેચે છે અને આપણી સરેરાશ જીવાદોરી માત્ર તો કાઇ મુદ્દતાના ભોગ બન્યા છે. શિસ્તની ભાવનાએ તેમનામાંથી વિદાય ૨૬ વર્ષની અંકાય છે. માણસો' 'કાં તો ચેતનશૂન્ય બની ગયા છે અથવા આખી સામાજિક રચના જાતજાતના ઊંચાનીચાપણા ઉપર નિર્માણુ લીધી છે અને સહકારનું મૂલ્ય તો તે સમજતા જ નથી. આપણી થઈ છે અને લોકશાહી જીવનપધ્ધતીથી આપણે હજી દેવાયા નથી. વર્તમાન આર્થિક અને સામાજિક પરિસ્થિતિ વ્યક્તિગત પ્રગતિ સાધવા નથી તેમજ લોકશાહીની પર પરા હજુ અસ્તિત્વમાં આવી નથી. માટે સમાન તક આપતી નથી. લોકશાહીની ભાવના હજુ પ્રબળ બની સમાજમાં નીચલા થરના લેકને કંઇક ઉંચે લઈ આવે એવા આશાજનક શુભ તત્ત્વો બહુ ઓછા નજરે પડે છે,
:
એ મૂલ્યોને પિછાણવાની શક્તિ નથી. સત્તાના મદે આપણી ચેતનાને ઝાંખપ લગાડી છે. આપણે “સાધનાની શુતા ને તપાસતાં, સાધ્ય મેળવવા ગમે તેવા મા ગ્રહણ કરીએ છીએ. પછી ભલે ને તે અશુદ્ધ અને અયોગ્ય હોય. જ્યારથી ધર્મ પ્રત્યેની શ્રધ્ધા ઓસરતી ગઈ છે અને તેની જંગ્યાએ કઇ પણ નવું સ્થાપિત કર્યા વિના જૂની રૂઢિ અને માન્યતાઓ વિસરાતી ગઈ છે ત્યારથી પ્રજાના મેટા વર્ગમાં નીતિશત્યતા વ્યાપક ખનતી ગઈ છે. જીવન પ્રત્યેનું આવુ અભાવાત્મક વલણ ખરેખર વિનાશકારી છે અને જો આ વલણ સુધારવામાં નહિ આવે અને જગતના કલ્યાણકારી સામાજિક અને આધ્યાત્મિક આદર્શોને જીવનમાં કેન્દ્રવતી બનાવવામાં નહિ આવે તે દુનિયા પર નિરાશા છવાઇ જશે. 'વિજ્ઞાનશાસ્ત્રીએ, 'રાજદ્વારી પુષે કે મુત્સદીએ સમાજને જવાબદાર રહેવું જ જોઇએ અને સમાજનુ કોય સાધે એવા આદર્શોના અજવાળે પોતાના કાર્યોને તપાસવા જોઈએ, કેટલાંક સામાજિક સત્યાની મૂલ્યવત્તા શાશ્વત હોય છે અને એ મૂલ્યવત્તાની ઉપયોગિતાનું પ્રતિપાદન માનવ -ઇતિહાસમાં વારવાર કરવામાં આવે છે. કેટલાંક સત્યાની" મૂલ્યવા પરિસ્થિતિ પ્રમાણે વધે છે ને ધટે છે, પ્રજાની ઉપયોગિતા અને આશાએમાંથી તેમના જન્મ થાય છે. તે યુગંના આત્માને ઘડે છે. જો આપણે દેશની પ્રગતિને અવરોધવા માગતા ન હોઇએ તો એ સત્યાને જીવનમાં સ્થાન આપવુ જોઇએ. રૂઢિપૂજકે નવા સત્યોને કદીએ હાર્દિક આવકાર આપી શકતા નથી કારણ કે વિચારવાની તેમની શક્તિ કુંઠિત થઈ ગઈ હૈાય છે અને વમાન કરતાં ભૂતકાળમાં જીવવાના જ તેઓ વધારે પ્રયત્ન કરતા હોય છે. આપણી આસપાસ થતા પરિવર્તન પ્રત્યે આપણે જાગૃત હોઈએ અને પરિવર્તનની પરીક્ષા કરીને તેને · અપનાવવા જેટલી પ્રગતિશીલતા આપણામાં હોય તે જ પલટાતા સચોગાને સાનુકુળ થવાનું શકય અંતે ભૂતકાળના કશા પુર્ણ સંસ્કાર જ ન હોય એમ જાણે કે તદન નવેસરથી શરૂ કરવાનુ ાય એવી સ્થિતિ કાઇ પણ દેશ માટે શક્ય નથી; અને ખાસ કરીને કાળજીની અનેક પર ંપરા સાથે સંકળાયલી આપણા જેવી પ્રજા માટે તો એ શક્ય જ નથી. ભૂતકાળની ઉપેક્ષા થઇ શકે જ નહિ. તેથી આપણા માટે જો કાઈ ડહાપણભરેલા માર્ગ હોય તો તે એકજ છે કે ભૂતકાળને ઝીણવટથી અવલાકવો જોઈએ, અદ્યતન અનુભવાના અજવાળે તેની મૂલવણી કરવી જોઇએ. જો આપણે એ પ્રમાણે નહિ કરીએ તે પ્રતિવિરોધી તત્ત્વા આપણા આચરણું પર આપણતે ખબર ન પડે તેવી રીતે અસર કરશે અને આપણા કાને જુદું જ સ્વરૂપ આપશે. આપણી વિચારણા વિવેકપ્રેરિત હોવી જોઈએ અને સર્વલક્ષી ધોરણે અને ઉચ્ચ કક્ષાએ થવી જોઇએ. ભૂતકાળ સબધે સ્વસ્થ અને સમતલ એવી વિચારણા આપણે માટે જરૂરી છે અને તેમાં રાષ્ટ્રીય પ્રગતિને પોષે એવા આધુનિક જ્ઞાનના ઉમેશ કરવા બુટ છે. આપણે મેં પણ યાદ રાખવાનું છે કે ગમે તેવી સુખદ હાય તે પણ-નિરાળાપણાની વૃત્તિ સેવવી આપણને પોષાય તેમ છે જ નહિં, કારણકે બીજા દેશો સાથે
આપણે એટલી બધી બાબતોથી સંકળાયલા છીએ કે પરસ્પરના સહ-તેણે ભાગ લેવા જોઇએ. એ પેાતે પણ ચારિત્ર્યશીલ અને વિદ્વાન હોવા જોઈએ તેમજ માનવજાત પ્રત્યે વિશાળ' સહાનુભૂતિ ધરાવતા હવા જોઇએ. એના વિચાર અને આચારમાં ભેદ ન હોવા જોઇએ. એણે વિધાર્થીના વ્યક્તિત્વને માન આપવુ જોઇએ, એટલું જ નહિ પણ તેની વધારે નિકટ જઈ તેમની અંગત મુશ્કેલીઓ અને જરૂરિયાત સમજવા પ્રયત્ન
કાર વિના કેટલાક પ્રશ્નોના ઉકેલ લાવવાનું આપણા માટે અશક્ય છે. આધુનિક વિજ્ઞાનની અપૂર્વ સેવા એ છે કે તેણે સમગ્ર વિશ્વનું એકમ બનાવ્યું છે. આ હકીકત ધ્યાનમાં લઈને જો આપણે આંતરરાષ્ટ્રીય માનસ કેળવીએ નહિ અને વિશ્વની પરિસ્થિતિને લક્ષમાં રાખીને
આપણા પ્રશ્નનાની વિચારણા ન કરીએ તે કાઇને કાષ્ઠ રાષ્ટ્રજ્જુથ સાથે અવારનવાર વિગ્રહમાં ઉતરવાનું જોખમ આપણા માથે ઉભું રહેવાનું જ.
માણસા પોતાના રોજીંદા જીવનમાં પણ એકખીજા પ્રત્યે નાત, જાત અને પ્રાંતના ભેદભાવની દૃષ્ટિથી વર્તે છે. જો કેળવણીએ પોતાના ધર્મ બજાવવા હોય તે એણે નવીન વિચારસરણી પર નવા સમાજ રચવા આપણને શક્તિમાન ખતાવવા જોઈએ અને બીજા દેશો સાથે સુલેહ અને શાંતિથી રહેવાની આવડત આપણને બક્ષવી જોઈએ. ગણ્યાગાંઠયા શક્તિશાળી માણસા જ પેદા કરવા એટલુ જ જરૂરનું નથી, પણ આપણે એવા પ્રજાજના પેદા કરવા જોઇએ કે જેમનામાં નાગરિકતાનું તીવ્ર ભાન હોય, ઉચ્ચ. સામાજિક આદર્શો હોય, જે આંતરરાષ્ટ્રીય સુલેહમાં માનતા હાય એટલું-જ નહિ પણ લેકશાહીના આદર્શોના સાચા અનુયાયી હાય. સમકાલીન પ્રશ્નાની ઊંડી સૂઝ વિનાનું અને સમાજમાં ઉગતાં જતાં નવાં વળા પરખી લેવાની સમયસૂચકતા વિનાનું પાંડિત્ય એ માત્ર નકામું છે એટલું જ પણ ભારે અનર્થ જનકતામાં પરિણમે છે.
તે પછી આપણી કેળવણીની પદ્ધત્તિમાં સપૂર્ણ પરિવર્તન કરવુ જોઇએ અને તેના ધ્યેયેાના નવેસરથી વિચારણા કરવી જોઈએ. એ દેખીતુ' જ છે કે કેળવણીની પદ્ધતિની સફળતા અંતે તે શિક્ષક પર જ અવલ એ છે. પરદેશી શાસન તળે શિક્ષણની બાબતમાં શિક્ષક અહુ જ એછી સ્વતંત્રતા ભોગવી હતી અને એને સમાજથી અલિપ્ત જ રાખવામાં આવ્યા હતા. શાળાની સમાજથી અલિપ્તતાનું મુખ્ય કારણ શિક્ષણની બાખતમાં રસ લેવાની લેકની વૃત્તિના અભાવ જ છે. શિક્ષકે પણ સમાજમાં એને માન મળે એ પહેલાં સમાજને પોતે કઈક ઉપયોગી છે તે બતાવી આપવું જોઇએ. તેની પ્રવૃત્તિ માત્ર શાળાનાં ક્ષેત્રમાં જ મર્યાદિત ન થતાં રાષ્ટ્રીય જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શે એવા વિશાળ પાયા પર પ્રસરેલી હોવી જોઇએ. દા. ત. સામાન્ય જનસમુદાયને કેળવેવા માટેની શાળાબહારની પ્રવૃત્તિઓમાં