SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પ્રબુદ્ધ જૈન આ તે કેવી સંકીણુતા ? ( ગઇ ગફુલષ્ટમીના તહેવાર ઉપર શ્રીકૃષ્ણજન્મજયન્તીના પ્રંસગે કાઢવામાં આવનાર વરઘેાડામાં ધેરીના જૈન સધના વહીવટકર્તાઓએ સધની માલેકીના, ચાંદીના રથ વાપરવા આપવાની મંજુરી આપેલી પણ ત્યાર બાદ ત્યાં ચેકમાસુ કરી રહેલ સાધુએ તેમ જ કેટલાક સ્થિતિચુસ્ત શ્રાવકાના દબાણને વશ થઈને એ મંજુરી પાછી ખે‘ચી લેવામાં આવી હતી; એ ઘટના સંબંધમાં શ્રી. રતિલાલ મફાભાઇ શાહનું એક ચર્ચાપત્ર મળ્યું છે જે તંત્રી) નીચે 'પ્રગટ કરવામાં આવે છે. શ્રી પ્રબુધ્ધ જૈનના તંત્રી મહાશય જોગ, પ્રભુધ્ધ જૈન'ના હરેક અંકમાં અંધેરી-થપ્રકરણ ઉપર પ્રકાશં પાથરતી આપની તેજસ્વી લેખિની પુણ્યપ્રકાપ જોવા આંખા મડાયેલી રહેતી પણ એ સંબધી કશું જ લખાણુ નહી આવવાયી હવે માની લઉં છું કે એ પ્રકરણ પર 'કાં તો સષકારક સમાધાન થઇ પડદાં પડયો હશે, યા તે બનેલી કહેવાતી એ ઘટના કાઇ જુદા સ્વરૂપે રજૂ થઇ હશે. મૂળમાં શું વાત હતી એ તે હું જાણતા નથી પણ જે રીતે એ બહાર આવી છે એ જોતાં આવી કાઈ ઘટના બની હોય તેાય તે ખનવી અસ ંભવિત નથી, કારણકે મધ્યયુગી ધર્માદ્વેિષ, સાંપ્રદાયિક અભિનિવેષતા અને ઉચ્ચતાની માંદલી મનેત્તિ જેવા માનસિક વ્યાધિમાંથી હજુ આપણે પૂર્ણ પણે મુક્ત થઇ શકયા નથી. કોષ્ઠતાના કલ્પિત વાતાવરણમાં આપણે એવા ઘેરાઈ ગયા છીએ કે બંધિયાર પાણીની જેમ અલગતાવાદ ઉભા કરી આપણે ધર્મને પણ દૂષિત બનાવી દીધા છે. હિંસા-અહિંસાની સૂક્ષ્મ ચર્ચા આપણે કરી શકીએ છીએ, છકાયના જીવાની રક્ષાના પ્રશ્ન હાથ ધરી શકીએ છીએ તેમજ એને મળતી એવી કેટલીયે આચારવિષયક નાની નાની વાર્તાને આગ્રહપૂર્વક વળગી રહીએ છીએ, છતાં ખીજી માજી અહિંસાની ભાવનાના આપણે બહુ જ એ સ્પર્શ કરી શક્યા છીએ. આપણી અહિંસા કેવળ દ્રહિંસા ન કરવારૂપ નિષેધાત્મક અહિંસા પુરતી જ મર્યાક્તિ બતી રહી છે. એથી વિધેયાત્મક અહિંસાની ભાવનારૂપ જે હૃદયઔાય, પ્રેમ, સહિષ્ણુતા, આદરબુદ્ધિ, સહાનુભૂતિ, આત્મીયતા “આદિ ગુણા વિકસવા જોઇએ એ આપણામાં વિકસ્યા નથી અને તેથી અહિંસાનુ જે તેજ પ્રગટવુ જોઇએ એ આપણે પ્રગટાવી શક્યા નથી. વિશ્વકલ્યાણુ, ભાતૃભાવ, તથા સમદષ્ટિરૂપ અહિંસાની વિધેય બાજુને આમ નહી સમજવાના કારણે આપણે પડેાશીધર્મ કે સમાજધમ પણ સમજી શકયા નથી, ધહીન મનાતા .નિકૃષ્ટ ક્રાટિના માણસા પણ જ્યારે આપ-લે વ્યવહાર સમજે છે અને પાળે છે ત્યારે આપણે તે એ વ્યવહાર પણ ભૂલ્યા છીએ. તા. ૧૫-૧૨-૫૧ આપણા' ધર્મ શ્રેષ્ઠ છે—મહાવીર લોકાત્તર વીતરાગ પુરૂષ છે એની તા નથી. પણ એની કોષ્ઠતા તા એના સિધ્ધાંતા અને ઉપદેશને વ્યવહાય બનાવવાથી જ સિધ્ધ થઈ શકે, બીજાથી અભડાવાથી, કે ખીજાતે હલકા માનવાથી નહિ. જે ખીજા પ્રત્યે શુભ વ્યવહાર રાખે છે એ ખીજાઓમાં પોતાના ધર્મ વિષે આદરભુધ્ધિ પેદા કરે છે, પણ એથી ઉલટું જે અન્યાનાં દેવ કે ધર્મને - ઉતા માનવાનુ મમામાલિન્ય ધરાવે છે એ અન્યામાં પેતાના ધર્મ વિષે કડવાશ, અનાદરપણું- અને દ્વેષત્તિને જન્મ આપે છે. પણ આપણામાં જાથી ચડિયાતાપણાનું એવું વિકૃત ભૂત ભરાયું છે કે આપણે આવી સીધી સાદી વાત પણ સમજી શકતા નથી. આપણા મંદિર–ઉપાશ્રય કે ધ શાળામાં ભાગ્યે જ કાઈ જૈનેતર સન્યાસી-બાવા કે ગૃહસ્થને આશ્રય મળ્યો હરો, છતાં બીજી બાજુ Ēસ્તિના તથ્યમાંનો િન ણે અનમંવિતમ્' ના વારસો મળવા છતાં હિન્દુઓ જે ઉદારતાથી, વિહારયાત્રા દરમ્યાન આપણા સેકડા જૈન સાધુઓને પોતાના મ–મંદિર કે શિવાલયેામાં પ્રેમભર્યાં આવકાર આપી આકાય આપે છે; એ જોઈએછીએ ત્યારે આપણી હલકી ‘મનેાત્તિ માટે ખરેખર આપણને ખેદ અને શરમ જ - ઉપજ પૂજય આચાર્યોં કે. મુનિવરા એમના કલ્પિત સ્વ માં રાચે છે, આલિશાન મહેલાત જેવા ઉપાાયામાં વસે છે તેમજ જોઈતી સામગ્રી– વસ્તુ એમને સહેજે જ મળી રહે છે એથી એમને વ્યવહારનું ભાન ન હાય, પણ મુધ્ધિશાળી વ્યવહારકુશળ ગણાતા શ્રાવકા પણ આજે એમની પાછળ વ્યવહારધર્મ ભૂલ્યા છે એ સમાજને માટે એક ભારે ચિંતાનો વિષય ગણાય, આપ–લેનો વ્યવહાર એ તે આપણા રાજીંદા જીવનવ્યવહારની વાત છે. એમાં સૌએની ડખલ ન હેાય. હોય તો એમને સાધુ સંભળાવી દેવાની હિંમત હોવી જોઈએ પણ તે રાગદ્વેષને કારણે નહિ પણ સમાજશાસન હિતને લક્ષમાં રાખીને, અને એ અપ્રસ્તુત પણ નથી. અને સાધુઓએ પણ વિચારવું જોઇએ કે કેવળ ધર્મના ગૌરવધેનમાં મસ્ત રહી ધમની ખડા હાંકયે ધર્મના ઉધ્ધાર વ્યવહાર થવાના નથી પણ જે આપસઆપસને સદ્ભાવભર્યો આપણા પૂર્વજોએ શિખવ્યો છે એના પાલનથી જ અન્યાના ક્લિમાં સ્થાન મેળવી આપણા ધર્મ પ્રત્યે તેમનામાં આદરભુધ્ધિ પેદા કરી શકીશું. બાકી અંધેરીમાં જે બન્યું તે પ્રકારની રીતભાતથી સમગ્ર હિંદુ જનતા પર કેવી છુરી અસર પડે એને એમણે વિચાર કરવા જોઇતા હતા. જો કે વિશાળ હિંદુજનતાએ આને સ્થાનિક અગત પ્રશ્ન માની એ પર લક્ષ જ આપ્યું નથી. પણ એથી ભવિષ્યમાં આવા બનાવા ન બને એ માટે આપણે ખૂબ જ જાગૃત બનવુ પડશે. સીધા સાદા વ્યવહારની વાત તે એ હતી કે રથ આપવામાં કશાં દોષ નહેતા, છતાં .એકરાગતા નહોતી તેા રથ નહોતો આપવે જોઇતા. પણ આપ્યા પછી પાછા લેવા એમાં તે નથી વ્યવહારૂતા-નથી વચનપાલન કે નથી પ્રતિષ્ઠા. જો આપ્યો તે। આપી 'જાણવા હતા. ઘરના ઝગડા ઘરમાં પતવવા હતા પણ આટલે ભવાડા થવા જેટલી હદે નહાતુ જવું જોઈતું, અને જે રથ પર વીતરાગની મૂર્તિ સ્થાપિત કરવામાં આવતી હાય, તે રથ પર શ્રીકૃષ્ણપ્રભુની મૂર્તિ સ્થાપિત કરવામાં અધમ છે એવા ગાંડપણભરેલા ખ્યાલ માટે તે શું કહેવું? છેવટે તે બન્ને દેવાની મૂર્તિએ એ પત્થર કે ધાતુના ટુકડા સિવાય કશું જ નહેાતી. ધાતુ કે પત્થર ઉપર જે કંઈ જૂદા જૂદા પ્રતિકાની સ્થાપના કરવામાં આવે છે એની પાછળ એક માત્ર પૂન્યતાની પવિત્ર ભાવના જ પડેલી હાઇ એક સમાજની પવિત્ર ભાવનાનો વિરોધ કરવા એ પવિત્ર ભાવનાનુ` જ ખુન કરવા બરાબર હાઇ અધમ વિચાર છે. જે શ્રીકૃષ્ણે અત્યંત ગરીબ એવા સુદામાને પોતાના સિંહાસને એસાડી એનુ પૂજન કર્યું, અને એ રીતે જેમણે નમ્રતા, ઉદાર અને આત્મીયતાના ઉત્તમ દાખલા જગતને પુરા પાડયા છે એ ભવ્ય પુરૂષની મૂર્તિને એક રથ પર સ્થાપિત કરવા દેવા . જેટલીયે ઉદારતા જો આપણામાં નથી તે! આપણે ક્યા મોઢે ધર્મની શ્રેષ્ઠતાની વાત કરી શકીએ ? પણ મૂળ વાત એ છે કે આપણામાં રહેલા વિદ્વેષ, સકુચિતતા અને મનામાકિન્યના આંતરભાવનું જ આપણે પ્રદર્શન કર્યું છે અને એ રીતે આપણે પોતે જ આપણા ધર્મની હાંસી કરાવી ઠેકડી ઉડાડી છે. છતાં થયું તે થયું' માની ફરી ભૂલ ન કરવા જેટલા જાગૃત થઇએ તાય હજુ ધણુ' છે.' આપને, રતિલાલ મફાભાઈ શાહ
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy