SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ડા. આંબેડકરની ચિત્રવિચિત્ર કારકીદી આજે ડા. ભીમરાવ આંબેડકર પછાત વર્ગોનાં ફેડરેશનના આગેવાન તરીકે મધ્યવર્તી ધારાસભાના ઉમેદવાર તરીકે ધ્રાંગ્રેસની સામે ઉભા રહ્યા છે અને સમાજવાદી પક્ષ સાથે પોતાના પક્ષનુ ચુટણીમાં એકએકને મદૃશ્ય થવાની સમજુતીવાળું તેમણે જોડાણ કર્યું છે. રાષ્ટ્રને આઝાદી પ્રાપ્ત થયા પહેલાના છેલ્લા વીશ વર્ષનાં ઇતિહાસ યાદ કરીએ છીએ. ત્યારે હિંદુસમાજના એક કટ્ટર વિરોધી તરીકેનું તેમનું જાહેર જીવન અને તે રતામાં તેમણે રાષ્ટ્રના આઝાદી. વિરોધી તત્ત્વોને આપેલો સાથ આ બધુ એકાએક યાદ આવે છે. એ વર્ષો દરમિયાન હિંદની એકતા અને આઝાદીના વિરોધી આગેવાન તરીકે એ વ્યક્તિએ સૌથી આગળ તરી આવે છે. એક સ્વ. કાયદેઆઝમ ઝીણા અને ખીજાડા, અંબેડકર. હરિજનોના ઉદ્ધાર અર્થે ગાંધીજીએ જે ભગીરથ કાર્ય કર્યું છે તે વિષે એમત હાઇ શકે જ નહિ. આમ છતાં ડૉ. આંબેડકરે હંમેશાં ગાંધીજીના વિરોધમાં જ રહીને કાર્ય કર્યું" હતું. બે વચ્ચે મોટા મતભેદ હરિજનો અને હિંદુસમાજના પરસ્પર સંબંધ પરત્વે હતા. ડૉ. આંબેડકર હિરજનાની કામને હિંદુસમાજથી એક સ્વતંત્ર અને અલગ કામ તરીકે લેખાવવા અને તે રીતે તે કામ માટે અલગ હકકા અને અધિકારો મેળવવા મથતા હતા. ગાંધીજીને માટે આવા અલગપણાની કલ્પના અસહ્ય હતી અને એના સ્વીકારમાં ઉભયને પારવિનાનો હાનિ થવાનો સંભવ હાવાનું તે માનતા હતા. આ જ કારણે ૧૯૩૨ માં તેમણે જેલવાસ દરમિયાન એ વખતના ઈંગ્લાંડના મુખ્ય પ્રધાન રામસે મેક્રાનડે આપેલા હિંદને લગતા કામી ચુકાદા સામે અનિયત મુદ્દતના ઉપવાસ કર્યા હતા. અને એ ચુકાદામાં હરિજન માટેના અલગ – મતદ્દારમંડળેા આખરે તેમણે રદ કરાવ્યા હતા. આ હેતુ સિધ્ધ કરવા માટે ર્ડો. આંબેડકરને સમજાવવા જતાં ગાંધીજીના પગે પાણી આવ્યા હતા અને અલગ મતદારમંડળે રદ કરાવવા માટે ડૉ. આંબેડકરની કેટલીક હદુઃખહારની માંગણીએ તેમને મજુર કરવી પડી હતી. પ્રબુદ્ધ જૈન · આમ ગાંધીજી સાથે એક વાર સમાધાની થયા છતાં ડે. આંબેડકરનુ • વળણું હમેશા વક્ર અને વિચિત્ર જ રહ્યું હતું અને એક વાર સ્વ. ઝીણાની પ્રેરણા નીચે બધા હરિજનનાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ભલામણ કરવા સુધીની હદ પન્ત પણ તેઓ ગયા હતા. પાછળથી વળી તે બૌધ્ધ ધર્મ તરફ ઢળ્યા હતા અને તે વલણુ તા આજે પણ લગભગ ચાલુ રહ્યું હોય એમ લાગે છે. તા. ૧૫-૧૨-૫૧ ભારે આશ્રય પેદા કર્યું છે. કેંગ્રેસે હિરજના વગેરે પછાત વર્ગો માટે કરવું જોઈતું ધણુ નથી કર્યું" અને કૉંગ્રેસના હાથે તેને જરા પણ ન્યાય આપવામાં આવ્યા નથી આવા તેમણે પોતે જે મત્રીમંડળના છેલ્લા ચાર વર્ષથી અ ંગભૂત સભ્ય હતા તેની ઉપર આક્ષેપ કર્યાં. છે. આ ઉપરાંત કાશ્મીર સબંધેની તેમ જ પરદેશને લગતી કોંગ્રેસ સરકારની આજ સુધી અખત્યાર કરવામાં આવેલી નીતિના વિરોધ કરતાં કાશ્મીરના બે ભાગલા કરવાની અને અમેરિકા સાથે ગાઢ મૈત્રીભર્યું વલણ અખત્યાર કરવાની તેમણે ભલામણ કરી છે. પ્રધાનમંડળની એક અગભૂત વ્યક્તિ તરીકે, ક્રાંગ્રેસ સરકારની કાશ્મીર કે પરદેશને લગતી જે કાંઈ નીતિ હોય તે માટે અન્ય સાથીદારો માફક ડો. અમ્બેડકરની પણ એટલી જ જવાંબદારી લેખાય, અને સ્વીકૃત નીતિ પોતાને સંમત ન હાય તા મહાઅમાત્ય સાથે આ બાબતનો ચોખવટ કરીને કેટલાય વખત પહેલાં તેમણે રાજીનામુ આપવુ જોઇતુ હતું. તેમ છતાં ચાર વર્ષ સુધી તેમણે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યાં અને હવે કૉંગ્રેસ સામે વિપક્ષ વૃત્તિ સ્વીકારીને કોંગ્રેસ સરકારને ફાવે તેમ તેમણે વખાડવા માંડી છે એ ભારે દુઃખદ છે. થાડા વખત પહેલાં તેમણે પ્રધાનમ`ડળમાંથી રાજીનામુ આપ્યુ છે અને એ પ્રસંગને અંગે તેમણે કરેલાં નિવેદનાએ જાહેર જનતામાં આજે તેઓ પછાત વર્ગના ફેડરેશનના નેતા છે અને તેમના નેતૃત્વ નીચે કેવળ ક્રાની ભાવનાને ઉત્તેજના મળી રહી છે. કોંગ્રેસ સરકારમાં જોડાયા પહેલાં પણ ડૉ. આંબેડકરે કટ્ટર કામી માનસને આપણને બહુ કડવા પરિચય કરાવ્યો હતા અને આજે પણ એ જ માનસ તેઓ વ્યક્ત કરી રહ્યા છે અને પોતાની હકુમત નીચેના સમુદાયને એ જ પ્રકારના રગ આપી રહેલ છે. દલિત વર્ગોનો ઉધ્ધાર કરવા જોઈએ, તેને ખીજી કામા કરતાં વધારે સગવડો આપીને પણ આગળ લાવવી જોઈએ એ વિષે એ મત છે જ નહિ, પણ તેના નેતા એવા હાવા જોઇએ કે જે પોતાની વિચારણા અને વળષ્ણુમાં રાષ્ટ્રના સમગ્ર હિતને પ્રાધાન્ય આપીને જ પોતાની કામને દોરવણી આપતા હાય. એમ જો ન હોય તો આવી નેતાગીરી નીચેનાં પછાત વર્ગોનાં ફીડરેશનમાં, હિંદુ મહાસભામાં અને મેસ્લેમ લીગમાં પછી કાંઇ મહત્વના ફરક રહેતા નથી. આ બધી સંસ્થાઓના પાયામાં એક જ સૂત્ર હોય છે અને તે એ કે “મારી કામ, મારા ધર્મ, મારા મઝહબ પહેલો અને મારો દેશ પછી”. અને આ સૂત્રે અને આ મનોદશાએ દેશને આજ સુધી “પારાવાર નુકસાન કર્યું છે અને ભલે અ ંગ્રેજી હકુમત ગઈ એમ છતાં પણ આ સૂત્ર જ્યાં સુધી આપણી પ્રજાના મહત્વના વર્ગોને પ્રેરણા આપતુ રહેશે ત્યાં સુધી રાષ્ટ્રનું ભાવી ચાલુ જોખમાયલુ રહેવાનું છે. બીજી બાજુએ કાયદાના વિષયમાં તેઓ ભારે કુશળ પુરૂષ હતા. અને અનેક વિષયાના જાણકાર અભ્યાસી વિદ્વાન તરીકે તેમણે બહુ સારી ખ્યાતિ મેળવી હતી. ૧૯૪૭ માં દેશને આઝાદી મળી અને કોંગ્રેસ રાજ્યસત્તા ઉપર આવી ત્યારે ભૂતકાળના બધા કડવા અનુભવો ં ઉપર જૈનુ વિગતવાર વણુ ન કર્યું, તેવા ડા. બેડકરની ભૂલી જઇને આખરે એક શક્તિશાળી વ્યકિતના દેશને પુરા બ્રાભ મળે અને પછાત વર્ગોને"પ્રતિનિધિત્વ મળે એ હેતુથી તેમને કૉંગ્રેસ સરકારે પોતાના પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું અને કાયદાનું ખાતું તેમને સોંપવામાં આવ્યું, હિંદુનું નવું બધારણ તેમના હાથે ઘડાયું અને વિધાન સભામાં તે બંધારણ તેમણે ભારે કુશળતાપૂર્વક પસાર કરાવ્યું. આ કારણે હિંદના નવા બંધારણ સાથે તેમનુ નામ ચિરકાળ જોડાયેલું રહેશે. આવી જ રીતે હિંદુકાડ ખીલ પણ તેમના જ હાથે' ઘડાયું અને મધ્યવર્તી ધારાસભામાં રજુ થયુ. પણ ધારાસભાના કેટલાક સભ્યોના તેમજ પ્રજાના કેટલાક વર્ગોના સ્થિતિચુસ્ત જીનવાણી વળણને લીધે તે ખીલ પસાર થઇ ન શક્યું. નહિ તે હિંદુસમાજના એક કટ્ટર વિરોધીએ હિંદુસમાજને માટે નવી સ્મૃતિ નિર્માણ કરી આપી એવી એક વિચિત્ર કહાણી ઇતિહાસના પાને નોંધાઈ જાત. નેતાગીરી નીચે કામ કરતાં પછાત વર્ગોના રીડરેશન સાથે સમાજવાદી પક્ષે આગામી ચુ’ટણીને લક્ષ્યમાં રાખીને જે જોડાણ કર્યું છે. તેથી ચોતરફ ભારે આશ્રય પેદા થયું છે, જેમ કેંગ્રેસની અમુક વિચાર– સરણિ છે તેવી જ રીતે સમાજવાદી પક્ષની પણ ચેકકસ પ્રકારની જુદી પડતી વિચારસરણિ છે. બન્ને પક્ષેાએ પોતપોતાની વિચારસરણી જાહેરનામાદ્રારા દેશ સમક્ષ રજુ કરી છે અને પોતપોતાના ઉમેદવારાને પણ એ ધારણ ઉપર આગળ ધા છે. . પ્રત્યેક પક્ષની વિચાર -- સરણી, ઉમેદવારાની યાગ્યાયેાગ્યતા, પક્ષનું વહીવટી સામર્થ્ય કે કમજોરી—આ બધુ ધ્યાનમાં લઇને પ્રજાજનાએ જે પક્ષને રાજ્યશાસનની ! . જવાબદારી સોંપવી હોય તેને ભલે સોંપે, પણ જ્યારે ક્રાઈ પણ પક્ષ ચુટણીજંગમાં વધારે મત મેળવવાના હેતુથી આજ સુધી જે ખાખતને સંમત કરી હાય અથવા તો જે વિષે મૌન સેવ્યુ હાય તે વિષયના સંબંધમાં તદ્દન પ્રતિકુળ વિધાન કરે, જે ખાખત પોતાની નિશ્ચિત વિચારસરણિમાં કાઇ પણ રીતે અંધ બેસતી ન હેાય તે ખાખત પોતાની વિચારસરણીમાં અન્તગત છે એમ જણાવે, જે સમાજવાદી પક્ષ અને ડૉ. આંબેડકર એક વર્ણીન્તર લગ્ન
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy