________________
યુદ્ધ જૈન
આવી વ્યાખ્યાનમાળા યોજવાનુ કા દેખાય છે તેટલું સહેલુ નથી. વિશિષ્ટ સભ્યતાની ભૂમિકા ઉપર સર્વ કલ્યાણુકારી વિચારેને લોકસુલભ ભાષામાં રજી કરનાર વકતા શોધી કાઢવા, અને તેમની સાથે વિચારવિનિમય કરીને તેમના વિષયો નક્કી કરવા આ રીતે બધું ગોઠવવું એ ` સહેલી વાત નથી. પર્યુષણવ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન દેવા માટે જેમને આમત્રણ આપવામાં આવે છે તેમની માનવતા વિષે, સાત્વિકતા વિષે, તેમ જ સમન્વયકારી દષ્ટિ વિષે સ કોઇ આપોઆપ આદર અનુભવે છે અને વ્યાખ્યાતા ઉપર પણ આ આખી પ્રવૃત્તિના વાતાવરણને સારો પ્રભાવ પડે છે.
•
કાર્લ એક પ્રવૃત્તિ ઉત્તમ પ્રકારે ચાલવા માંડે છે એટલે તુર્તાતુરત તેમાંથી એક સંસ્થા ઉત્પન્ન કરવી, કાઇ એક ક્રિયાત્મક પ્રવૃત્તિ શરૂ કરવી—આવા લાભ અથવા મેહ ઉત્પન્ન થવા એ તદ્દન સ્વાભાવિક છે. પણ કાઇ એક વિચારપ્રવ્રુત્તિ આવુ રૂપ પકડે છે અને તેમાંથી કદિ જોમદાર- કાર્ય પ્રવૃત્તિ પણ ચાલવા માંડે છે તે પણુ. તેના પરિણામે વિચારાની વ્યાપકતા તેમાંથી એસરવા માંડે છે અને એક પ્રકારના અભિનિવેશ શરૂ થાય છે. આવું ભયસ્થાન ધ્યાનમાં લઈને પયુષ ણવ્યાખ્યાનમાળાના સંચાલકાએ આ બાબતમાં આજ સુધી અહુ મોટા સંયમ દાખવ્યો છે, અને વ્યાખ્યાનમાળાને કાઇ એક કર્મપ્રવૃત્તિમાં વહેતી ન કરતાં વ્યાખ્યાનમાળાની કક્ષા બને એટલી ઉંચી કરતા રહીને તેની ઉપયોગીતા વધારવી અને સમાજમાં વિચારક્ષમતા અને દૃષ્ટિની ધ્યાપકતાને બને તેટલે વેગ આપવા – આ મૂળ ઉદ્દેશને તે આગ્રહપૂર્વક વળગી રહ્યા છે.
આપણી વસન્તવ્યાખ્યાનમાળા અને હેમન્તવ્યાખ્યાનમાળા જેટલી આ પ પણવ્યાખ્યાનમાળા વ્યાપક અને સરળ નથી. એક વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્ય કરવાના દૃઢ નિશ્ચયપૂર્વક આ પ્રવૃત્તિ ચલા— વવામાં આવે છે. ગુજરાતી, મરાઠી, હિંદી, ઉર્દૂ વગેરે અનેક ભાષા ખોલવાવાળા વક્તાઓને ખેલાવવામાં આવે છે. સર્વ ધર્મોનું વિવરણ અને તત્ત્વન તેમાં કરાવવામાં આવે છે અને વ્યાપક અર્થમાં ધાર્મિક કહી શકાય એવા વાતાવરણમાં જીવનના સર્વ અંગોપાંગનું રહસ્ય લોકા સમક્ષ રજુ કરવામાં આવે છે. સદ્ભાગ્યે શ્રી. કેદારનાથજી જેવા મહારાષ્ટ્રીય સાધુપુરુષે આ પ્રવૃત્તિમાં પોતાની આત્મીયતા દાખવી છે. આમ હાવાથી મુંબઈની આ વ્યાખ્યાનમાળા મહારાષ્ટ્ર—ગુજરાતના સજ્જનાના સહકાર્યની નિક બની છે. ખરી ધાર્મિકતા ભિન્ન ભિન્ન વર્ગોને જોડે છે, નજીક લાવે છે અને સ્વાર્થ, અભિમાન અને સ– ચિતતાના નાશ કરે છે—આ તત્ત્વ ઓળખવા માટે આ વ્યાખ્યાનમાળા એક ઉત્તમ સાધન બની રહેલ છે. કાકા કાલેલકર
તા. ૧-૧૦૫૧
પત્રકારે ઉંચે લાવવાનું છે. પણ આ બધા વિવિધ વિષયોના ઉપરછલ્લા લેખો લખી-લખાવીને છાપી મારવાથી એ . અર્થ નથી સરવાના. એમાંના પ્રત્યેક વિષયના છેક નાનામાં નાના અંગઉપાંગ સુધીનું જ્ઞાન પ્રજાની નસમાં ઉતારવાનુ મહાભારત કામ એ છે.
ઉતારવા મ
ઉદાહરણું તરીકે એક કલાના વિષય લઈએ. એમાં એક સ્થાપત્યક્લાના જ્ઞાન સાથે કેટલી બધી વસ્તુઓ આવે ? આપણી આત્રેાહવા અને સામાજિક છેવનને અનુરૂપ ગૃહરચના, આપણા સામૂહિક જીવનને અનુરૂપ મદિરા, નાટયગૃહા વગેરેની માંડણી, આપણી પ્રકૃતિ સાથે મેળ લે તેવાં તેનાં ઘાટરૂપ તે સુશોભન, એ સુોભામાં પાછા શિલ્પ અને ભાસ્કના અનેક પ્રકાર, એ બધાંનો પરિચય આવે. સામાજિક જીવનને સ્પર્શતી કલામાં આપણાં વાસણુકુસણાના ઉપયાગાનુસારી ઘાટ, આપણા ગૃહસાધને તે ઉપસ્કરા, આપણાં ખાળાનાં રમકડાથી માંડીને દેવધરની મૂર્તિઓ સુધીનાંની રૂપાકૃતિ, આપણાં કાપડ ઉપરની ભાતા અને રંગયોજના પાછળ રહેલા માનસતંત્રના તથા ઐતિહંસક પર પરાના - તાર, આપણાં પગરખાંથી માંડીને હથિયાર સુધીની વસ્તુ પાછળની ઉપયોગદષ્ટિ અને રૂપદૃષ્ટિની સમજણ એમાં આવે. ચિત્રકળાની વાત કરીએ તેા જળરંગી, તૈલર’ગી કે રેખાંકન, વૂડકટ, ઈચિગ કે ડ્રાઈપોઈન્ટ આદિ પધ્ધતિનુ ભલભલા ભણેલાઓને યે આજે જ્ઞાન નથી. આ તે આપણી ચાકલા અને કાકલા (fine arts and applied arts)ના વિસ્તારને માત્ર ઉડતા ખ્યાલ આપ્યો. એ જ પ્રકારે વનસ્પર્શી એકએક વિષયની ઝીણામાં ઝીણી વિગતનું જ્ઞાન અને સમજ પ્રજાને આપવાના ધ પત્રકારના છે.
સાચેા પત્રકાર એટલે શું?
(કુમાર'ના તંત્રી શ્રી. બચુભાઇ રાવતને ગુજરાત સાહિત્ય સભા તરફથી થોડા સમય પહેલાં રણજીતરામ સુવર્ણ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા તે પ્રસ ગે શ્રી. બચુભાઈ રાવતે આપેલા મહ-ત્વપૂર્ણ વ્યાખ્યાનમાંથી ઉષ્કૃત-)
પત્રકારત્વનો અથૅ સામાન્ય રીતે, સમાચારો આપવાનુ તથા અમુક વિષયો પરત્વે પ્રજામત ધડવાનું કાર્ય, એટલા જ આપણે ત્યાં થતા જોઇએ છીએ. પણ આ ઘણી સંકુચિત દૃષ્ટિ છે. વસ્તુતઃ તે પ્રજાની સર્વાંગીણ કેળવણીની જવાબદારી પત્રકારને માથે છે. પ્રજાનાં રાજકીય અને સામાજીક દષ્ટિબિંદુ ધડવા તથા વિકસાવવા ઉપરાંત તથા તેનામાં રાષ્ટ્રીય અસ્મિતા, સાંસ્કૃતિક ગૌરવ કે બહુ તે વિશ્વભધ્રુત્ત્વની ભાવના પ્રગટાવવા ઉપરાંત પ્રજાના જીવનના એકએક પાસાને ઉપસાવીને ઊજળું ને સુરેખ કરવાની દૃષ્ટિવાળા પ્રજાશિક્ષણના એક સુચિતિત, નિશ્ચિત ને વ્યવસ્થિત કાર્યક્રમ પત્રકાર પાસે હાવા જોઇએ. પ્રજાના દેહધડતર ને આરાગ્ય, આચાર વિચાર અને વ્યવહાર સંસ્કાર, ખોરાક પોશાક અને ગૃહવ્યવસ્થા, વેપાર વણજ અને અ કારણ, રીંગરાગ અને મનોરજન, નીતિમત્તા અને ધર્મ દૃષ્ટિ, જ્ઞાન વિજ્ઞાન અને સાહિત્યકલા વગેરે જીવનને સ્પર્શીતા એકએક વિષયમાં પ્રજાને માહિતગાર કરી, તેને કેળવી તેની સમજદારી અને બુદ્ધિશકિતનુ ધોરણ
કાઈ કહેશે આ તે કાર્ય શાળા કાલેજના અભ્યાસક્રમ જેવી વાત લાગે છે. ના, તેથી યે વધારે; શાળા–કાલેજમાં તે પ્રજાના અમુક જ વયનો અને અમુક જ કક્ષાના વર્ગ જઈ શકે છે. પણ વમાનપત્ર તા પ્રજાને એકેએક વર્ગ વાંચે છે. માત્ર સવારે કે સાંજે મળતી નવરાશમાં વાંચતા વેપારીઓ, મહેતાજી કે અન્ય નોકરિયાતો, યા કામકાજમાંથી પરવારેલા સ્ત્રી વર્ગ જ નહિ, પણ પહેરાપરથી છૂટેલા પોલિસ, મેટરમાં શેઠની રાહ જોતા શો, હજામની દુકાનમાં પોતાના ક્રમ આવતાં સુધી એસી રહેલા મીલ-કારીગર, એછી ઘરાકીને વખતે પોરો ખાતે 'કાડિયા કાછીયા જેવા નાના દુકાનદાર વર્ગ–એવા પ્રજાના એકેએક ધરો માણસ પત્ર વાંચતા હોય છે. પત્રકારે આ વિશાળ ફલક પોતાની નજર સમક્ષ રાખવાનો છે. અને એના શિક્ષણની ધ્રુવી ગંભીર જવા બહારી પોતાની છે તેનો ખ્યાલ રાખવાના છે. શાળા--કાલેજનુ ક્ષેત્ર તો અમુક હદ સુધી જ પહેાંચે છે. તેને અનુસંધાને કેળવણી તંતુ
લને પત્રકારે પ્રજાને આગળ લઈ જવાની છે. એમાં શાળાકાલેન્જનુ લાંકાનું જ્ઞાન તેને અમુક ભૂમિકા પૂરતું જ ખપ લાગે છે. અને તે પણ બહુ જ મર્યાદિત વતુ. એટલે તેણે તે પોતાના કાર્યની પરિપાટી નવી જ લડવાની છે. જૂની ભૂમિકા ઉપર આગળ ચણતર લેવા ઉપરાંત કેટલાક પ્રદેશા તે તેણે નવા ઉઘાડવાના છે. જરા મહત્ત્વાકાંક્ષી શબ્દ વાપરીને કહુ તો Encyclopaedic Knowledge તેણે પ્રજાની માનસભામમાં સીંચવાનુ છે. પહેલી નજરે એ શબ્દ મહત્ત્વાકાંક્ષી લાગે; પણ તત્ત્વતઃ તા, જ્ઞાનની એકએક શાખામાં પ્રજાને પ્રવેશ કરાવવાના વિશાળ ફલક જો આપણે સ્વીકારીએ છીએ તે એ શબ્દ સાથે બની રહે છે. આવી વિશાળ અને ગંભીર જવાબદારી ‘જેના શિરે છે તે પત્રકાર તે પ્રજાના ગુરૂસ્થાને છે. સમસ્ત જ.--સમુદાયનું ઉદ્ધૃરણ કે પતન તેના હાથમાં છે, તે સત્યસંકલ્પપૂર્ણાંક ધારે તે એક સુચિંતિત, વ્યવસ્થિત, રેખા તાર કાર્યક્રમદ્રારા, ધીમા પણ સ્થિર ને નિશ્ચિત રૂપમાં આ પરાક્ષ કેળવણી વડે, . એકાદ બે તપમાં તે આખા પ્રજાસમુદાયનું માનસ સ્વસ્થ, નિરામય, વિકસિત ને ઉન્નત કરી શકે. પોતાના આવા ગુરૂસ્થાનની જવાબદારીના ભાનવાળા સાચા પત્રકાર, એક કનિષ્ઠ શિક્ષકની જેમ, સચિત 'ધ બુદ્ધિપૂર્ણાંક, પ્રજાશિક્ષણના વિવિધ માર્ગો અને સાધનાના વિચાર કર્યા જ કરે છે.
હ