________________
૧૪૬
તા. ૧૫-૧–૫૧
સમકક્ષાના વિધાર્થીઓ એ ખ્યાલ ધરાવતા માલુમ પડતા કે એક કેટલેન્ડવાસી એ અગ્રેજને બરાબરી છે. બેનાકબનની લડાઇએ આ નિઃશંકપણે પુરવાર કરી આપ્યું હતું. એક અંગ્રેજ બે ફ્રેન્ચાને બરોબરી છે અને વોટરનું યુધ અને પૂરતા પુરા હ. અને અંગ્રેજોની આ વિશિષ્ટતા તેના શાસક વર્ગમાં જ માત્ર કેન્દ્રસ્થ થયેલી લેખવામાં આવતી હતી, કારણકે વેટરનું યુધ્ધ શું ઈટનના કીડાંગણમાં જિતાયું નહોતું?
અને એક ગેરે સ્વાભાવિક રીતે જ સે કાળા લે કે-ચીની અથવા હિંદીઓ-ને બરોબરીઓ હતા, કારણકે યુરેપને એક નાને સરખે દેશ મેટી વસ્તીવાળા દેશને સર કરી શકતા હતા. એક અમુક પ્રજાનું કે જાતિનું આવું અભિમાન કેળવાયેલા લોકોમાંથી
નું નિર્મૂળ કરવું અશકય છે. હું પણ કેટલીએક મથામણ પછી આ ખ્યાલથી મુક્ત થઈ શકે છું કે અંગ્રેજો પ્રકૃતિથી કે પણ અન્ય પ્રજા કે જાતિના લોકો કરતાં ચડિયાતા છે અને એક
ટોન્ડવાસી બે અંગ્રેજ બરાબર છે એવી માન્યતા વિષે મારૂં ચિત્ત પણ પ્રયત્નના પરિણામે શંકાગ્રસ્ત થઈ શક્યું છે. - જે કે રાજ્યાશ્રિત ધર્મ સંસ્થાએ એક નાના સરખા શાસક વગૅના હિતને જાળવવા માટે પિતાની સત્તાને ભારે દુરૂપયોગ કર્યો છે એમ હું જણાવી ગયો છું, એમ છતાં સમાજ માં ધમ એક ઉપયોગી ધારક તત્વ છે એમ હું માનું છું. આ ધમની બે બાજુ છે. એક હૃદયને સ્પર્શતી; બીજી બુદ્ધિને સ્પર્શતી. પહેલી બાજુનું દર્શન આપણને નેરથના ઇશુએ પિતાના ઉપદેશ અને આચરણદ્વારા કરાવ્યું છે. તેણે વિશ્વબંધુત્વની ઉષણા કરી અને એક ન જ આદેશ આપ્યો કે આપણે એકમેકને કશા પણ ભેદભાવ વિના ચાહવું જોઈએ અને એ આદેશને ભૂખ્યાને ખવરાવીને, માંદાને સાજા કરીને અને પીડિત અ શ્વાસન આપીને ધર્માચરણ દ્વારા તેણે મૂ તંમત કરી દેખાયે.
ધમની બૌદ્ધિક બાજુ ઇશ્વરના મૂળ સ્વરૂપને સ્પર્શે છે. ઇશ્વર એટલે શું ? જે અનાદિ છે, અનન્ત છે, નિર્વિકારી છે; જેનું જ્ઞાન, શક્તિ, પવિત્રતા, ન્યાયમયતા, શ્રેયસ્કરતા તથા સત્ય પૂર્ણતા અમાપ અવર્ણનીય છે તેનું નામ ઈશ્વર. વસ્તુતઃ આ સર્વ ગુણની પારમિતા એ જ ઇશ્વર છે. જે કોઈ સત્યની શોધ પાછળ પિતાની બુદ્ધિને ઉપયોગ કરે છે, જે ન્યાય અને એને ચાહે છે તે ઈશ્વરને પૂજે છે. જ્યારે અનેક ધર્મને અનુસરનારી અને અનેક જતિઓમાં વહેંચાયેલી માનવજાત વિશ્વબંધુત્વને સર્વ સામાન્ય ધર્મ તરીકે સ્વીકારે અને સૌ કોઈએ એકમેકને ચાહવું જોઈએ એ આદેશ અંગીકાર કરે અને સત્યની શોધને અને સત્ય પ્રત્યેની નિષ્ઠાને પિતાના અનન્ય આદર્શ તરીક રવીકારે—એ દિવસ જ્યારે આવશે ત્યારે આ દુનિયા ઉપર-ભા ધરા ઉપરદૈવી સ્વર્ગનું અવતરણ થશે.
બળવાખોરમાં સૌથી વધારે અગત્યનો ગુણ છે બોદ્ધિક હિમતને. આ હિંમત–આ શૌય– અત્યન્ત વિરલ છે. આ માટે બળવાખે રે પોતાના ચિત્તના ઊંડાણમાં ઊતરવું જોઈએ એટલું જ નહિ પણ શકય હોય તે અજાગૃત ચિત્તની સપાટી સુધી પહોંચવું જોઈએ અને વારસામાં મળેલી માન્યતાઓને અને આસ- પાસના સંગાએ ઊભા કરેલા કદાચહેને ઉપર ખેંચી લાવવા જોઈએ અને સત્યની શોધમાં વ્યાકૃત બનેલી બુદ્ધિ સેટી ઉપર બરે બર કસવા જોઈએ અને તે કસમાં પાર ન ઊતરે તેવી માન્યતાઓને અને કદ ગ્રહોને ફેંકી દેવા જોઈએ. - બળવાખોરમાં આ ઉપરાંત પોતે જેને સત્ય અને ન્યાય મને છે તેની ખાતર લડવા માટે નૈતિક તેમ જ જરૂરી શારીરિક તાકાત હેવી જોઈએ. આ પણ બહુ મુશ્કેલ છે. પહેલે વિરે તે તેના પિતાનાં કુટુંબીજને, મિત્ર અને સ્નેહીઓ તરફથી થાય છે અને ચિરસ્થાપિત શાન્તિના એક વિધાતક તરીકે અને બિનજરૂરી ઉપદ્રવે ઊભો કરનાર એક બેસમજ માનવી તરીકે અને આથી આગળ વધીને પિતાના વર્ગને તેમ જ પિતાના દેશનો દ્રોહ .
નાર વ્યકિત તરીકે તેને લેખવા માં આવે છે. અને તેને બદ્વિકાર કરવામાં આવે છે, તેને સમાજમાંથી ફેકી દેવામાં આવે છે અને કોઈ સાથી વિનાનું એકલવાયું જીવન તેના ભાગે આવે છે. આ દુનિયામાં જે કોઈ મહાન બળવાખેરે પેદા થયા છે તેમણે કેટલાયે દિવસે સમાજબહિષ્કૃત દશામાં અને એકલાપણુમાં ગાળ્યા હોય છે અને એ રીતે અન્તર્મુખતાને અનુભવ કર્યો હોય છે.
આવી તિતિક્ષામાંથી પસાર થયા બાદ જે લોકોની તેઓ સેવા કરવા માંગતા હોય છે તે જ લોકેની દુશ્મનાવટને સામને કરવાની કટોકટી તેમના માટે ઉભી થાય છે, કારણ કે પ્રચલિત ધાર્મિક માન્યતાઓ અને વંશપરંપરાગત પ્રાપ્ત થયેલા શિક્ષણના કારણે આ લેકમાં એવી માનસિક ગ્રંથિઓએ જડ ઘાલેલી હોય છે કે તેમની અમુક માન્યતાઓ કે ચાલુ રહેણી કરણી ખેતી છે કે ભુલ ભરેલી છે એવા કોઈ પણ સુચન યા પ્રતિ પાદન સ મે તેઓ સહેજે રેષપૂર્વક ઊછળી ઊઠે છે અને આમાંથી ભડકો થતાં વાર લાગતી નથી. અનિષ્ટ સામે સૌથી મોટામાં મોટા બળવાખોર ઈશુ આ બાબતમાં એક અદ્ભુત દૃષ્ટાન્ત પુરૂં પડે છે. તે વખતના ધર્માધિકારીઓ લેકના ટોળાને એ હદ સુધી ઉશ્કેરી શકયા હતા કે “તેને ક્રોસ ઉપર લટકા” એમ ચતરફથી એ છે કે જ ઉપકાર રહ્યા હતા. '
આ બધા પ્રકારની હિંમત ઉપાંત, પિતાને જા1 ભાઈ મન ભલું કરવું એ જ જેનું મુખ્ય જીવન પ્રજન હોય છે તે બળવે ખેરના દિલમાં પિતાના વિરોધીઓ માટે પણ ઉડે પ્રેમ અને ઉદારતા હોવા જોઈએ અને પિતાથી જુદા પડતા અભિપ્રાય પરવે સમભાવ અને સહિષ્ણુતા હેવી જોઈએ અને તે એમ સમજીને કે આ દુનિયામાં કોઈ પણ માણસ-અને તેમાં પણ એક પ્રકારનું ઝનુન ધરાવતે બળવાખોર તે ખાસ કરીને-સવ કાળ માટે સાચે હાઈ ન જ શકે. જે તેનામાં આવી ઉદારતા અને પ્રેમ હોય તે સાથે સાથે તેનામાં એવી એક ઉદાત્તતા અને દિલનું હળવાપણું પ્રગટ થાય છે કે જેને લીધે ગમે તે રાજકરણી ઘર્ષણમાંથી પણ કડવાશનું તત્વ છેવાઈ જાય છે, અને આખરે પ્રાત પક્ષીના દિલને જીતવામાં બળવાર સફળતા પ્રાપ્ત કરે છે, મન મૂળ અંગ્રેજી લેખક: ર્બોડ બેઇડ ઓર ,
અનુવાદક : પરમાનંદ ગતીર્થ શ્રી અરવિન્દ ” બે ચર્ચાપત્રે ” (તા. ૧૫ ૧૨-૫૦ ના પ્રબુધ્ધ જૈનમાં તથા જન્મભૂમિમાં, પ્રગટ થયેલ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયન ‘ગતીર્થ શ્રી અરવિન્દ એ મથાળાના લેખ ઊપર બે ચર્ચાપત્રો જન્મભૂમિમાં પ્રગટ થયા છે, જે એ લેખ પર પર પર લગભગ પ્રતિકુળ અત્યાવાત છે. આ બંને પ્રત્યાઘાતો પ્રબુધ જનના વાંચકોના ધ્યાનમાં આવે એ હેતથી ક્રમશ નીચે પ્રગત, કરવામાં આવે છે,
તંત્રીશ્રી, : “ જન્મભૂમિ'ના તા૦ ૨૧ તથા ૨૬ ડિસેમ્બર ૧૯૫૦ના અંકોમાં પ્રસિદ્ધ થયેલ શ્રી. પરમાનંદ કાપડિયાના શ્રી અરવિંદનાં જીવનદર્શનના ઉપરના બે લેખો વાંચ્યા પછી તે અંગે જે વિચારે મને આવ્યા છે તે ટૂંકમાં રજૂ કરવાના પ્રયત્ન આ પત્રથી કરૂં છું.
બંને લેખ વાયા બાદ પહેલો જ પ્રશ્ન એ થાય છે કે શ્રી કાપડિયા શ્રી અરવિંદના જીવન-દર્શન સાથે પૂરેપૂરા સંમત જણાતા નથી. આશ્રમની વ્યવસ્થા પદ્ધતિ [ જીવનવ્યવહાર, રહેણીકરણી ! સાથે સંમત જણાતા નથી. આશ્રમવસ્થામાં તથ શ્રી અરવિંદના છ નવ્યવહારમાં શ્રી માતાજીનું જે પ્રભુત્વ રહ્યું છે તે તેમને માન્ય નથી. શ્રી અરવિંદે લાંબે વખત સેવેલે એકાંતવાસ પણ તેમને પસંદ જણાતો નથી અને આ પ્રકારનું બીજું ઘણુયે તેમને પરં? પરથી ભિન્ન જ નહીં પણ અગ્ય પણ લાગતું જણાય છે. ત્યારે તેમણે આટલે મે ટ લેખ, શ્રી અરવિંદ અંગે, કયા હેતુથી પ્રેરાઈને, કઈ પ્રેરણાથી પ્રોત્સાહિત થઈને લખ્યો હશે ?