SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર પ્રશુદ્ધ જૈન વસ્તુતઃ તે સ્વહિત કરવા જતાં પેાતાનું અહિત જ કરી બેસે છે. આમ બનતું હાવાથી તૃષ્ણા એ સર્વ પાપનુ` મૂળ છે, જે કાય કરવાથી સમાજમાં કશી પ્રતિક્રિયા ન થાય તે કાય'ના સમાજ સાથે કશે। સંબંધ નથી. અને એવા ક્રાના વિધિ કે નિષેધાતા કોઇ પણ ધમ'માં અવસર જ નથી. તૃષ્ણા જેવા દેશને ત્યાગવાનું કે નિમ'મભાવ વધારવાનુ' ધ'શાસ્ત્રમાં એટલા જ માટે કહેવામાં આવે છે કે તેથી સમાજમાં શાન્તિ બની રહે છે. જ્યાં કાઇ પણ જો મનુષ્ય ન હેાય એવા જંગલમાં કાષ્ઠ એકલા જ રહેતા ડાય ત્યાં તૃષ્ણા, એ દેષ એટલા પ્રમાણમાં નથી બનતે જેટલા પ્રમાશુમાં સમાજ વચ્ચે રહેનાર વ્યક્તિની તૃષ્ણા, વસ્તુતઃ તૃષ્ણા વગેરે દાષા છે એ વસ્તુની પ્રતીતિ સંમાજમાં જ થાય છે. અમુક દેખ છે અને અમુક ગુણ છે તેની વ્યાખ્યા સમાજના હિતાહિતને આધારે જ ધડાઇ છે. એટલે ધમ' એ તૃષ્ણાના ત્યાગમાં છે અને તૃષ્ણા એ સવ' પાપનું મૂળ છે એ નક્કી થયુ.. હવે પ્રશ્ન એ થાય છે કે તૃષ્ણાના ત્યાગ કરવા એટલુ' જ ધાર્મિ' થવા માટે પર્યાપ્ત છે કે બીજી પણૢ કષ્ટિક કતા છે? સામાન્ય રીતે ત્યાગપ્રધાન ધર્મોએ તૃષ્ણાત્યાગના અથ કર્યાં ક બધી વસ્તુ સાથે સંબધ છેડી દેવા. એટલે કે મનુષ્ય સામાજિક પ્રાણી માટી જવું. શુ આ વસ્તુ શકય છે ભગવાન મહાવીરે અને બુધ્ધે આ વસ્તુના પ્રયોગ કરી જોયા. તેમણે પણ પ્રારંભમાં એકાંત નિવૃત્તિના ઉપદેશ આપ્યા. સવ' સબંધેના સત્રથા ત્યાગ કરવાના ઉપદેશ આવ્યા. પશુ તેમનું જ જીવન અને સમગ્ર ઉપદેશ જોઇએ તે! એ લાગ્યા વિના નહીં રહે કે તેઓ પણ એકાંત નિવૃત્તિને નભાવી શકયા નથી. બૌધ્ધ ધર્મ' તે મહાયાનમાં રૂપાન્તર પામીને નિવૃત્તિ-પ્રવૃત્તિને સુંદર સમન્વય કર્યાં. તેણે તે સ્વીકાર્યું” કે સવ' પ્રાણીની મુકિત વિના એક વ્યકિતની પણ મુકિત સંભવી શકે જ નહી. એટલે જનહિતના કાર્યોનું સમર્થાંન મહાયાનમાં કરવામાં આવ્યુ. પણ જૈનધમના મૂળમાં જ કાંઇક એવી ભાવનાને પ્રચાર કરવામાં આવ્યા કે જેથી પ્રવ્રુત્તિમાં અનિવાય`પણે તણાયા છતાં ફરી કરી નિવૃત્તિ-એકાંત નિવૃત્તિ તરફ જ ભાર આપી જૈન ક્રમની શુધ્ધિ કરવામાં આવી છે. સમગ્ર ઇતિહાસનું વિહ’ગાવલોકન કરતા જણાશે કે ભગવાન મહાવીરે સ' સ'ગને ત્યાગ કરવા પ્રબલ પ્રયત્ન કર્યાં, એકાંત નિરૃત્તિના આગ્રહ રાખવામાંથી એ પણ ફ્લત થાય છે કે ખીજાના સંબ`ધ સવથા છૂટી જવે જોએ. પણ ભગવાનના જ જીવનથી આપણે એ સિધ્ધ કરી શકીએ છીએ કે નિવૃત્તિના એકાંત આગ્રહી છતાં તેમને પણ નમતું મૂકવુ' પડયું છે—બીજાના ઘરમાં રહેવુ પડયું છે, બીજાનુ” અન્ન ખાવુ પડયુ છે. તે એટલું અવશ્ય કરી શકયા ૐ ધણા લાંબા ઉપવાસ કર્યાં પણ સથા અન્ય ત્યાગ ન કરી શકયા. પણ એકાંત નિવૃત્તિના આગ્રહી ભકતાને લાગ્યું કે એ બુધન પણ છૂટવું જ જોઇએ. એટલે જ આપણે જોઈએ છીએ કે દિગ ખર સંપ્રદાયે ભગવાનની કેવલાવસ્થામાં આહાર તેમણે લીધે જ નહી. એમ પ્રતિપાદન કરવા માંડયુ. એકાંત નિવૃત્તિ માનનારે એ માન્યા સિવાય ચાલે તેમ હતું જ નહી. તે જ પ્રકારે ભગવાને જે ઉપદેશ આપ્યા તેમની એ પ્રવૃત્તિ પણ એકાંત નિવૃત્તિની કલ્પના સાથે સંગત નથી. એટલે આપણે જોઇએ છીએ કે શ્વેતામ્બરાએ તે તેને કમ'ના કુલ ભાગ તરીકે વર્ષો વી, જ્યારે દિગંબરાએ ત્યાંજ ન અટકતાં કહ્યું કે તેમણે ઉપદેશ આપ્યા જ નથી. એ તે દિવ્ય ધ્વનિ છે. એ વાણી સ્વત: ઝરે છે. જે આચાર્યં નિવૃત્તિની આવી ઝીણવટમાં ઉતર્યાં તેમણે પણુ બીજી તરફ પ્રવૃત્તિના આડંબર એટલે! બધે વધારી મૂકયા છે કે તેમાં ખીચારી નિવૃત્તિ અટવાઇ જ ગઇ. ભગવાને તીથ' સ્થાપ્યું, શાશન જમાવ્યું. દેવેશનાં ટળેટાળાં આવી તેમના સમવસરણની રચના કરવા લગ્યા અને છતાં ભગવાને તેમને મના પણ ન કરી. મેટાં મેટાં ચૈત્ય અને દેવાલયે બધાયાં, સ્તૂપા બન્યા અને આ બધું નિવૃત્તિના પોષણુ અથે' મનાયું. પ્રવૃત્તિ કરીને નિવૃત્તિનુ' પોષણ કરવું એવે વિચિત્ર સિદ્ધાંત ચલાવવામાં અબ્યા. આની પ્રતિક્રિયા તા. ૧-૯-૫૧ સ્થાનકવાસીઓમાં થઇ અને તે આ બધા આડંબરમાંથી કેટલું ક દૂર કરીને પાછા આખા સમાજને નિવૃત્તિ તરફ લઈ જવા પ્રયત્ન કરવા લાગ્યા. તેમના એ પ્રયત્નથી પણ અસંતુષ્ટ થઈને ઉત્કૃટ નિવૃતિને માગ' તેરાપ'થીએ પકડયો. આમ આ એક ચક્ર પૂષ્ક થયું. પણુ જૈન સમાજ દ્ર∞ એ નિવૃતિના ચક્રથી બહાર નીકળી શકયા નથી. ટ્વિગ ંબર હાય, શ્વે. મૂતિ'પૂજક ઢાય કે સ્થાનકવાસી કે તેરાપથી હાય-એ બધાને ભગવાનને ધમ* અત્યન્ત નિવૃતિમાં જ જાય છે. જો કાઈ નિવૃતિમાં થેડી પણ પ્રવૃતિને સમન્વિત કરવાની વાત કરે છે તે તેને તરત જૈન ધર્મની પરિભાષા પ્રમાણે મિથ્યાત્વનું બિરૂદ મળી જાય છે. આજ કાલ જનસાંપ્રદાયિક છાપા મુનિશ્રી સતબાલની પ્રવૃતિની નિંદા કરે છે તેના મૂળમાં નિવૃતિના એ દૃઢમૂળ ખ્યાલ સિવાય બીજી કશુ જ નથી. એટલે હવે એ પ્રશ્ન જ વિચારવાનો રહે છે કે તૃષ્ણાને! ત્યાગ અને નિવૃત્તિ-પ્રવૃત્તિને પરસ્પર શે। સબંધ છે. ઉપર કહ્યું જ છે કે તૃષ્ણા એટલા માટે ખરાબ છે કે તેથી સ્વ તેમજ પરહિત થવાને બદલે બન્નેનુ' અહિત થાય છે. પણ જો માણસ બાનુ ભલુ કરવાની તૃષ્ણા રાખે અર્થાત્ બધાને પેતાના ખનાવે; ચેડાને બદલે બધાને પેતાના માટે તે! તે તૃષ્ણુ તૃષ્ણા રહેતી નથી. તૃષ્ણામાં દોષ રહેતા નથી. એટલે એ તૃષ્ણામાં બંધ નથી, સ્વયં ભગવાને જ્ઞાન થયા પછી જ્યાં તેમના ઉપદેશના ગ્રાહકા બેઠા હતા ત્યાં એક રાતમાં લાંખે વિહાર કર્યાં એ શુ એકાંત નિવૃત્તિના પાષક હતેા ? તેમની એ પ્રવૃ-િત શારીરિક હતી કે નહીં ? જો હતી તે અત્યારે કાઇ સાધુ શરીરથી કાઇની સેવા કરે છે તે તેમાં તેની પ્રવૃતિમાં શા દાષ છે ? હા, એટલું અવશ્ય જોવું જોઇએ કે એ પ્રતિમાં તેને પેાતાના સ્વાથ' છે કે નહીં? એ સ્વા'જો હીનકાટીના હાય અર્થાંતુ એથી તેની પોતાની સુખ-સગવડમાં વૃદ્ધિની આશા હોય તે આપણે તે પ્રવૃતિને ધર્માનુકૂલ ન ગણીએ. પશુ જેમાં તેના પોતાના શરીરને તે કષ્ટ જ પડવાનું' છે અને લાભ તે ખીજાતે જ થવાના છે એવી પ્રવૃત્તિ કમ''ધક શા માટે થાય? મોઢેથી ઉપદેશ આપવામાં પાપ ન થાય અને હાથ પકડી ખાણમાં પડતે ખચાવવામાં પાપ થાય એ કષ્ટ પ્રકારની પાપની વ્યાખ્યા છે તે સમજાતુ નથી. હાથ અને મેઢુ બન્ને શરીરાંગ છે. બન્ને પ્રવૃતિ પાછળ બીજાના ભલાને જ ભાવ છે તેા પછી એકમાં પાપ નહીં અને બીજામાં પાપ શાથી એનું કારણ કાં જડતુ નથી. ખરી રીતે આવા આપણા ખ્યાલે નિવૃત્તિની ઊંધી સમજમાંથી જ જનમ્યા છે. શ્રી સંતખાલે સર્વજનહિતકારી પ્રવૃતિ શરૂ કરી એટલે તેમણે જે કાંઇ લખ્યુ હાય તે પણ મિથ્યાત્વìાષક જ હાય એવી દૃષ્ટિથી તેમના સાહિત્યના બહિષ્કાર કરવાની લાકોને સલાહ આપ નારાના તાટા નથી. આવા લેકા જૈનધમની અને સમાજની સેવા જ કરી રહ્યા છે એમ મને તા લાગે છે. જૈનધમ તે વિશ્વમ' બનાવવાની આશા પણ આવા લેાકા જ સેવી રહ્યા છે. તેમને ખબર નથી કે દુનિયા કઈ તરફ જઇ રહી છે અને આપણે તેમાં શુ' કરવુ' જોઇએ ? એટલે તૃષ્ણાત્યાગને અય એટલે જ છે કે આપણુ મમત્વના વતુ'લને અતિ વિસ્તૃન કરવું, માત્ર પોતાના માતાપિતા કે કુટુંબીમાં જે મમત્વ છે તેથી નિવ્રુત થવુ અને સમસ્ત સ’સારમાં મૈત્રીભાવ વધારી પ્રવ્રુત થવુ. આમ એ ત્રણે વસ્તુને તૃષ્ણા ત્યાગનિ િત—પ્રવૃ િતના સુમેળ છે. 1 એવે સુમેળ સાધવા અવન્ત આવશ્યક છે. એ સાધવાથી જ નિવૃત્તિના ચક્રનું' ભેદન થઈને આપણે કંઇક માગ' ઉપર આવી શકીશુ. ખાટા મેથી આચરવામાં આવતી નિવૃત્તિથી મનુષ્ય સથા નિવૃત્ત થઈ શકતા નથી અને સત્પ્રવૃત્તિ પણ આચરી શકતા નથી. તેને. બદલે તૃષ્ણા ત્યાગ કરીને નિવૃત્ત થયેલી બધી સપ્રવૃત્તિને અપનાવે તો તેનું અને સમાજનુ કાણુ થાય અને આ નિવૃત્તિચક્રમાંથી પોતે અને સમાજ મુક્ત થાય. દલસુખ માલવિયા
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy