________________
તા. ૧-૮-૫૧
પ્રબુદ્ધ જૈન
૫૭
પક્ષપાતથી એ એકતામાં જ મોટી ફાંસ મારી છે અને કોંગ્રેસની પ્રતિષ્ઠાને ભારે ધકે પહોંચાડે છે. પિતાના નેતૃત્વ સિવાય કેસને કે દેશને ચાલે તેમ નથી એ પ્રતીતિ ઉપર આવી કોંગ્રેસદ્રોહી ' વ્યકિતને પ્રધાનમંડળમાં સંઘરી રાખવાની પંડિતજી ધૃષ્ટતા દાખવી રહ્યા છે એમ ઘણાને લાગે છે અને એ જોઈને સૌ કોઈને દુ:ખ થાય છે.
આજે ઉભી થયેલી પરિસ્થિતિનાં ત્રણ પરિણામ કલ્પી શકાય છે. શ્રી રફીઅહમદ કીડવાઈને પ્રધાનમંડળમાંથી રૂખસદ આપવામાં આવે, અથવા તે ટેન્ડનબાબુ કોગ્રેસના પ્રમુખ પદેથી નિવૃત્ત થાય, અથવા તે પંડિતજી મહાઅમાત્યની જવાબ દારીથી છુટા થાય. આજના અસાધારણ વિષમ સંગેમાં પંડિ. તને છોડયાં આપણને પાલવે જ નહિ. ટેન્ડનબાબુ જો આ કારણે પ્રમુખપદનું રાજીનામુ આપે તે બીજો કોઈ સ્વમાની નેતા આ સ્થાન સ્વીકારવા તૈયાર નહિ થાય સિવાય કે પંડિતજી પોતે જ કેગ્રેિસનું પ્રમુખપદ સ્વીકારે, અને જો આમ બને તો તત્કાળ કેસનું નાવ તે ચાલે, પણું આવા રાજીનામામાંથી આધાત પ્રત્યાઘાતની એક અનિષ્ટ પરંપરા શરૂ થાય અને કોંગ્રેસને પારાવાર નુકસાન થાય. આમ હોવાથી જો કોંગ્રેસને સુરક્ષિત અને સંગકૃિત રાખવી હોય તે કીડવાઈએ જ પ્રધાનમંડળમાંથી જવું જોઇએ. ' અલબત વર્તમાન પ્રધાનમંડળની રચના વિચારતાં કડવાઈ કોંગ્રેસથી છુટા થવા છતાં મધ્યવની પ્રધાનમંડળમાં ચાલુ રહી શકે છે. કારણ કે બીનગ્રેસી એવા આ પ્રધાનમંડળમાં બીજા ત્રણ પ્રધાને છે. શ્રી. ચિન્તામણ દેશમુખ, શ્રી ગોપાલસ્વામી આયં. ગર, ડે. ભીમરાવ આંબેડકર, પણ આ ત્રણે પ્રધાનોએ પોત પોતાનાં ખાતા વફાદારીથી સંભાળ્યા છે. અને ડે. આંબેડકરને લગતી એક ધટના બાદ કરતાં આ ત્રણમાંનાં કઈ પણ પ્રધાને કોંગ્રેસને પ્રતિકુળ નાને સરખા. પણ ઉદગાર કાઢયે નથી. મૂળ કોગ્રેસી છતાં આજે કોંગ્રેસથી અવમાનિત અથવા તો કે(ગ્રેસદ્રોહી એવી એક પણ
વ્યકિત રફી અહમદ કીડવાઈ સિવાય આ પ્રધાનમંડળમાં નથી. - કેટલાએક લેકે એમ કહે છે કે શ્રી રફી અહમદ કીડવાઈ પિતાને સંપાયેલાં ખાતાં અપ્રતિમ કુશળતાથી ચલાવે છે. પણ અને અર્થ એમ નથી કે આવડા મોટા દેશમાં બીજે કોઈ માણસ એવી તાકાત ધરાવતો મળી શકે એમ છે જ નહિ. આ પ્રધાનમંડળમાં અનેક આવ્યા અને અનેક ગયા. જેમના વિના ચાલે જ નહિ એમ મનાતા સરદાર વલ્લભભાઈ પટેલને પણ વિધાતાએ આપણી પાસેથી ઝુંટવી લીધા. તે પણ રાજ્યકારભારની વણઝાર એક સરખી ચાલી રહી છે, તે પછી શ્રી કડવાઈને એવું તે શું મોટો હિસાબ છે ? - પંડિત જવાહરલાલ આપણા દેશની પ્રમુખ વ્યક્તિ છે. તેમના લીધે બહારની દુનિયામાં આપણે ખુબ ઉજળા છીએ. આજની દુનિયાને તે એક મોટો આશાસ્તંભ છે. તેમના વિષે એક પણ પ્રતિકુળ ઉદ્દાર કાઢવે તે અત્યંત દુઃખને વિષય છે. એમ છતાં સમગ્ર રાષ્ટ્રના કલ્યાણને અનુલક્ષીને આપણે તેમનાં ભયસ્થાને તરફ તેમનું તેમ જ પ્રજાનું ધ્યાન દોરવું જ રહ્યું. જેમાં તેમનામાં અસાધારણ વિશેષતાઓ છે તેમ જ તેમનામાં અમુક મોટી નબળાઈઓ છે. એક તે તેમને આવેશ ભર્યો સ્વભાવ, આ સ્વભાવનાં આજ સુધીમાં અનેક અનિષ્ટ પરિણામે આવ્યાં છે અને અનેક મોટી મોટી વ્યક્તિઓનાં દિલ અકારણ દુભાયાં છે. વૃત્તપત્રમંડળ સાથેની આજની અથડામણુ કેટલાક અંશે તેમના આવેશ અને ક્રોધમય પ્રકૃતિને આભારી છે. બીજી નબળાઈ તેમને વ્યક્તિ વ્યકિત વિષે ઉગ્ર ગમેઅણુગમે -- strong likes and dislikes- છે. આની પણ આ રાજ્યતંત્ર ઉપર પડેલી માઠી અસર સાવ નજીવી નથી. પસ્તુત કિસ્સામાં ટેન્ડનબાબુ વિષે તેમની વિપક્ષબુદ્ધિ અને શ્રી કડવાઇ વિષે તેમની સંપક્ષબુદ્ધિ જ કોંગ્રેસમાં તેમ જ વર્તન માન રાજકારણમાં એક મોટો વિસંવાદ પેદા કરી રહી છે. નબળાઇથી બીલકુલ મુક્ત એ કઈ માનવી સંભવી શકતા નથી. આ દુનિયામાં કોઈ પૂર્ણ પુરૂષ છે જ નહિ. પિતાની નબળાઈઓને જાણવી
અને જીતવી એ એક મેટો પુરૂષાર્થ છે. જેના માથે આવડી મોટી . દેશની જબાબદારી છે તેને નાને સરખો પણ પ્રમાદ પરવડે નહિ. શ્રી કીડવાઈ પ્રત્યેના અધિળા પક્ષપાતને જીતવાની અને આજે વણસતી જતી પરિસ્થિતિને સુધારી લેવાની પ્રજા હૃદયના સ્વામી પંડિત જવાહરલાલ તાકાત દાખવે એવી આપણ સર્વેની પ્રાર્થના છે.
તા, કડ-આ નોંધ પ્રેસમાં જવા બાદ છાપામાં ખબર આવ્યા છે કે મધ્યસ્થ પ્રધાનમંડળમાંથી શ્રી કડવાઈએ રાજીનામું આપ્યું છે. પશ્ચિમના પરગજુ મિત્ર
તા. ૩૧-૭-૫૧ના ટાઇમ્સ ઓફ ઇન્ડીઆમાં (“Officious Samaritan’ એ મથાળા નીચે એક માર્મિક નેધ પ્રગટ થઈ છે જેને અનુવાદ નીચે મુજબ છે :
બીજા વિશ્વયુદ્ધ પછી એશીઆ સામે એક ગૂંચવણ ઉભી કરે એવી ઘટના પેદા થઈ છે અને તેથી શું સમજવું તેની સૂઝ પડતી નથી. આ ઘટના તે ત્રાસ જનક થઈ પડે તેવા વળગાડ સમાં પશ્ચિમના મિત્રની ઉપસ્થિતિ છે. આ મિત્ર તમને મદદ કરવા માગે છે, તમારું શેમાં ભલું છે અને શેમાં ભલું નથી તે તે જ જાણે છે, તમારા માથા ઉપર સલાહ શિખામણું ઝીંકયે જાય છે, અને બુરા ભવિષ્યની ધમકી - આપીને અથવા તે વખતસરની કૅથળીઓ વડે તમારૂં મેટું દાબી દઈને પોતાની ઈચ્છા મુજબ તમને આગળ ધકેલે છે. તે અમુક એક શુભ આશય ધરાવતા માણસ જેવું છે. ભલું કરવાને હમેશા તત્પર એવા આ માણસે એક નવપરિણીત યુગલને ઘર માંડી આપવામાં મદદ કરી, અને પછી આ એકલા પડી ગયેલા યુગલને કંપની આપવા ખાતર રાત્રે પણ તેમની સાથે જ રહેવાનું તેણે પસંદ કર્યું. કોઈ બેકદર માણસ કદાચ આવા શુભેચ્છક મિત્રને “માન ન માન, મેં તેરા મહેમાન સાથે સરખાવવાને લલચાય. આ શુભેચ્છક મિત્રને ખાત્રી થઈ ચુકી હોય છે કે તમને તેની મદદની ખાસ જરૂર છે અને આ યુદ્ધ પછીની જોખમી દુનિયા કે જ્યારે ટેલીનને પડછાયે સર્વવ્યાપક ભૂતની માફક તમારી પાછળ ઘુમી રહ્યો છે તેવા વખતે તમારી જાતની તમે સંભાળ લઈ શકશે એવો તમારા વિષે વિશ્વાસ રાખી શકાય તેમ છે જ નહિ.
“આજની ઘડિએ ઈરાનને પોતાની જાતથી બચાવવાની ખાસ જરૂર છે. આ રીતે પશ્ચિમના મિત્રો વિચારી રહ્યા છે. ઈરાની લોકોને પોતે શું કરી રહ્યા છે તેનું ભાન નથી. કારણ કે તેલના ઉદ્યોગનાં રાષ્ટ્રીયકરણને અર્થ જ અરાજકતા છે, દીવાળું, સામ્યવાદ, અને સર્વતોમુખી વિનાશ છે. ડે. મેસાડીને સાચી સમજણ આપવી જ જોઇએ અને સાચી સમજણ એટલે તેને સાફ સાફ કહી દેવું જોઈએ કે જે તેને આપવામાં બાવેલી સલાહ મુજબ તે નહિ તે તો પછી પરિણામે માટે તે જ જવાબદાર રહેશે. પરિણામો એટલે ટેકનીકલ– વૈજ્ઞાનિક-મદદ આપવાનો ઇનકાર અને પશ્ચિમને સર્વસાધારણ બહિષ્કાર. જે કોઈ આ પધ્ધતિને કનિષ્ટ કોટિની રાજ ખટપટ તરી-- કે વર્ણવે છે તે બેશક સામ્યવાદી છે અથવા તો તેને સહયાત્રી છે. ઇન્ડે ચાઈનાના લેક હા. ચી. મહ પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે એ સમાચાર જે સાચા હોય છે તેનું કારણ એટલું જ છે કે તેમનામાં વધારે ઊંડી સમજણનો અભાવ છે. જે હિંદ અને પાકીસ્તાન વચ્ચે તંગદિલી ઉભી થઈ છે તે પાકીસ્તાનને એમ માનવાની પ્રેરણા આપવી જ રહી છે તે જ હંમેશા સચ્ચાઈના પક્ષે હેય છે. આજની કટોકટીની ઘડિએ પણ શ્રી. નહેરૂને મોકલવામાં આવેલું જનાબ લિયાકતઅલીખાનનું નિમંત્રણ અથડામણ તરફની ઘસડામણને અટકાવવાને એક વિશિષ્ટ પ્રકારનો બહાદુરી ભર્યો પ્રયાસ છે એમ વર્ણવવાની ‘લન્ડન ટાઇમ્સ’ તક ગુમાવતું જ નથી. હિંદને યાદ આપવામાં આવે છે કે ભલેને પલાદી મુક કે હોય તે પણ જો તેવા હાથથી પણ સુલેહની ચેષ્ટા કરવામાં આવી હોય તે તે સાચી સુલેહની જ ચેષ્ટા છે એમ હિદે સમજવું જોઈએ. શ્રી નહેરૂએ એક વખત કહેલું કે પશ્ચિમ પૂર્વ પ્રત્યેના અભિગમમાં ઝીવટને-સુક્ષ્મ સમજણુને-ખેદજનક અભાવ દાખવે છે. આ તેનું કથન તદૃન બરાબર છે.” પરમાનંદ