SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૫૧ પ્રશુદ્ધ ન કેટલાક સમાચાર અને નોંધ પાકીસ્તાનની ચુધ્ધવિકળતા અને ભારતની શાન્તિપ્રિયતા આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે કરીઆનું યુધ્ધ જ્યારે શાન્ત થવાની અણી ઉપર આવ્યું છે અને રાનના તેલી ઝગડા પણુ પતાવટની દિશાએ માગળ વધી રહ્યો છે ત્યારે પાકીસ્તાને એકાએક હિં’દ • સામે ખુમરાણ શરૂ કરી મૂકયુ છે અને યુધ્ધની આબેહવા જોસભેર ફેલાવવા માંડી છે. પાકીસ્તાન ખરેખર હિંદ સાથે લડી લેવા માંગે છે કે ધાકધમકીથી હિંદ પાસેથી જે કાંઇ સાધી શકાય તે સાધી લેવા માંગે છે તે વિષે આજે કાઇ ચેકસપણે કહી શકે તેમ નથી, પણ ર્યના મુખ્ય પ્રધાન જનાખ લિયાકતઅલીખાન જે વેરઝેરની વાણી વરસાવી રહ્યા છે અને ત્યાંના લોકમાનસને યુપરાયણ બનાવવા માટે જે તરકીમ શરૂ કરવામાં આવી છે તે જોતાં ગમે ત્યારે પણુ ધડાકા થાય અને પાકીસ્તાન અને હિંદ વચ્ચે યુધ્ધને ઉલ્કાપાત એકાએક શરૂ થાય એવી ભીતિ આપણા માથે ટમટમી રહી છે. આ જોખમી વસ્તુસ્થિતિની કાથી પણ ના કહી શકાય તેમ છે જ નહિ. માટલા બધે પાકીસ્તાનને! ધમધમાટ શા માટે ? હિં‘ક્રમાં કે કાશ્મીરમાં એવુ' તે શું બન્યુ છે કે જેથી પાકીસ્તાન યુદ્ધની નેાબત આટલા જોરથી વગાડી રહ્યું છે અને હિંદને દુનિયાભરમાં બદનામ કરી રહ્યું છે. એ તેા જાણીતુ છે કે કાશ્મીરમાં એગસ્ટ માસમાં લેંકપ્રતિનિધિ સભાની ચુ'ટણી થવાની છે અને સપ્ટે ખરના પ્રારંભમાં આ સભાની ખેઠકની શરૂઆત થવાની છે. આને અને યુનેના ઠરાવ નીચે કાશ્મીરના હિંદ સાથેના જોડાણુ વિષે લેાકમત લેવાના છે તેને કશે! પણ સબંધ નથી એમ હિંદ તરફથી ક્રી કરીને ચેખવટ કરવામાં આવી છે. એમ છતાં પણ કાશ્મીરમાંના હિંદની હકૂમતના પ્રદેશમાં ચુંટણી થાય અને લેાકતિનિધિસભાની શરૂઆત થાય એ પાકીસ્તાનને કાઇ પણ રીતે ગમતી વાત નથી અને એ અટકાવવાના પાકીસ્તાનના આ બધા ધમપછાડા છે. પાકીસ્તાનની આ મુરાદની હિંદને પુરી જાણુ હાવાથી હિંદે પાકીસ્તાનને લગતી સરહદને લશ્કરી સૃષ્ટિએ પુરી મજબુત અને સુરક્ષિત કરી છે. આને પાકીસ્તાને હિંદની આક્રમક તૈયારી લેખાવીને આન્તરરાષ્ટ્રીય દુનિયામાં કોલાહલ મચાવી ચૂકયા છે, અને ત્યાંના મુખ્ય પ્રધાન જનાબ લિયાકતઅલીખાને પાકીસ્તાની પ્રજાને યુધ્ધના નિશાથી ચકચુર બનાવવા માટે વિષમય વાણીને પ્રવાહ વહેતા કર્યો છે એટલુ જ નહિ પણ હિંદને અમારે આ જ જવાબ હશે એમ કહીને હિંદ સામે મુકકા ઉગામ્યું છે. “યુ આના જવાબમાં હિં'દના મહામાસ શ્રી જવાહરલાલ નહેરૂએ તા. ૨૯-૭-૧૧ ના રાજ દીલ્હી ખાતે એક લાખ માન વીઓની મેદની સામે હિંદના વલણને સ્પષ્ટ કરતુ' એક ભવ્ય પ્રવચન કર્યુ” છે, અને હિંદ હ ંમેશા શાન્તિપ્રિય રહ્યું છે. અને તેના દિલમાં પાકીસ્તાન વિષે યુધ્ધાભિમુખતાની લેશ માત્ર વૃત્તિ નથી એ મુદ્દાને ભારે વિશદતાથી રજુ કરતાં જણાવ્યું છે કે એક મેટું અનિષ્ટ છે અને ભારે અનયજનક ઘટના છે, કારણ કે તેનાથી પારિવનાની આાતા જન્મે છે. અલબત્ત આ દુનિયામાં રાજ્યસત્તાના શિખરે બેઠેલા એવા કેટલાયે સત્તાધીશ! છે કે જેઓ એક યા બીજા રાષ્ટ્રને પડકાર ફેંકે છે અને યુધ્ધમાં પરિણમતાં નિષ્કુચા લે છે. પણુ યુધ્ધ શરૂ થાય છે ત્યારે તેનાં પરિણામે તે લાખાની સખ્યામાં આમજનતાને જ ભાગવવા પડે છે, અને પેાતાના થાણામાં સુરક્ષિત એવા આ સત્તાધીશેને પરિણામે લેશમાત્ર સ્પર્શતાં નથી. “ આ હેતુથી પાકીસ્તાન જે રીતે ખેલી રહ્યું છે તે રીતે હું કાઈ આગ વરસાવતુ ભાષણ કરવા માંગતા નથી. એ રીત તે સહેલામાં સહેલી છે. ગરમાગરમ શબ્દો વાપરવા, લેાકેાને ૫૫ ઉશ્કેરવા અને તેમનામાં દ્વેષમત્સર પેદા કરવા એ જરા પશુ મુશ્કેલ નથી. પણ હિંદના લોકોએ આ કટોકટીની બ્રેડએ પેાતાને મુખ્ય ધમ' શુ' છે, પેાતાના દેશના ખચાવ કરવા અને પ્રજાનું રક્ષણ કરવા માટે શુ' કરવુ જોઇએ તે ખરેખર સજી લેવુ જોઈએ. આજની પરિસ્થિતિ વધારે ઉગ્ર અને અથવા તે દેશ આખા ભયમાં મૂકાઈ જાય એવી જોખમી ઘટના અનિવાય અને એવું કશું પણુ કાઇ કરી ન બેસે એની લેાકાએ પુરી તકેદારી રાખવી જોઈએ, આ 'યોગામાં પાકીસ્તાનના પડકાર સામે પડકાર ફેકવાના અને ઝેરની સામે ઝેર વરસાવવાને હુ પ્રયત્ન નહિ કરૂ....” એમ કહીને કયા અનિવાય સયેગામાં હિંંદની સરહદને સુરક્ષિત બનાવવા ખાતર કેટલીક લશ્કરી ટુકડીએને સરહદ ઉપર ગે વવાનુ' દ્વિ`દી સરકારે ઉચિત લાયુધ હતું તેને ખુલાસા કરીને પાકીસ્તાને આ સામે કેવા ધેાંધટ મચાવી સૂકો અને ધારપટ ફેલાવવા, ખઇએ ખેદવી, રક્ષણકાનુને જાહેર કરવા વગેરે ઉપાય! વડે પોતાની પ્રજામાં કેવી ભયંત્રસ્તતા ફેલાવી છે તેને ખ્યાલ આપ્યા હતા અને આગળ ચાલતાં જણાવ્યું હતું કે “આમ કરવામાં પાકીસ્તાનની શુ દાનત છે તે હું કહી શકતા નથી. પણ હિંદુ અને પાકીસ્તાન વચ્ચે જો સશસ્ત્ર યુદ્ધ ઉભું' થશે તે તેનુ પરિણામ પાવિનાની યાતના અને જાનમાલના અઢળક વિનાશમાં આવશે. એમાં કોઈ શક નથી. કારીઆના જ દાખલેો વિચાર એ નાનાસરખા દેશમાં શક્તિશાળી મહાન રાષ્ટ્રોએ ઉભું કરેલુ યુદ્ધ હતું. પરિણામે ત્યાંની ત્રણ કરાડની વસ્તીમાંથી એબમારા, ભૂખમરા, ભાગનાશ કે ઠંડીને લીધે ઓછામાં ઓછી એક કરેડની વસ્તીના નાશ થયા છે અને કારીના ઓછામાં ઓછા ૭૦ ટકા મકાને ભાંગીને ભુકા થયા છે. આ હકીકત ધ્યાનમાં લઇને યુદ્ધ વિષે જેટલી ધૃષ્ણા ચિન્તવવામાં આવે તેટલી ઓછી છે. આમ છતાં હજી પણ જો કૅટલાક લેાકેા લડાઇની વાતા કરતા હોય તે એ કેવળ પાગલપણું છે. કર્યાં તે તેમનાં ચિત્ત સાવ વિકલ અની ખેઠાં છે અથવા તા દુનિયાના આત્મધાતને તેઓ માંગી રહ્યા છે. ” હિંદુ અને પાકીસ્તાનના પરસ્પર સબંધના ઉલ્લેખ કરતાં જવાહરલાલજીએ જણાવ્યુ હતુ. કે “હિંંદ પાકીસ્તાન સાથે લડવા માંગે છે એમ કહેવુ તે તદ્દન અકવિનાની વાત છે. દુ:ખની વાત એ છે કે પાકીસ્તાનની પ્રજાના મગજમાં ખેાટી વાતા અને ખાટા વિચારે ભરવામાં આવ્યાં છે અને તેમના દિલમાં ખૂબ ઝેર સીંચવામાં આવ્યું છે. જો લેકને સાચી દેરવણી આપવામાં આવી હાત તે। સવ' કાંઇ શુભમાં જ પરિણમત. એક રાષ્ટ્રના અને અન્ય રાષ્ટ્રના લેાકા વચ્ચે કાઇ મહત્વને તફાવત હાતા નથી. સૌ એક જ માટીના બનેલા હાય છે. હિંદ અને પાકીસ્તાનની પ્રજા એકમેક સાથે ગાઢપણે સકળાયેલી હાઇને એ એવચ્ચે ભાગ્યે જ આવે! કાઇ પ્રશ્ન ઉભા થવાના સભવ હતા. “આજે તમે પાકીસ્તાનમાં યુધ્ધપેાકારા સાંભળી રહ્યા છે. પશુ તમને ખબર નહિ હાય કે આજથી હજુ નવ દિવસ પહેલાં પૂર્વપજાબની એક હોકી ટીમ (હાકી ખેલનારી મંડળી) લાહાર ગઇ હતી અને લાહુારની પોલીસ ટીમ સાથે મેચ રમી હતી. આ મેચ જોવા માટે દશેક હજાર માણસા એકઠા થયા હતા. હિંદી ટીમ જીતી હતી. પણ આ કાઇ હારજીતને પ્રશ્ન નહેતા, પણ ત્યાં પ્રગટ થયેલ પરસ્પર વિષે હાર્દિકતા ભરેલી લાગણીનું ખરૂ' મહત્વ હતું. જુના મિત્ર એકમેકને ભેટી પડયા હતા. માત્ર મેચમાં ભાગ લેનારાએ વચ્ચે જ આ લાગણી પ્રગટ થઇ હતી એમ નહેતુ, પશુ મેચ જોવા ગયેલા અનેક લાકા પણ રમતના ક્ષેત્ર ઉપર ધસી આવ્યા હતા અને પોતાના પુરાણા મિત્ર સાથે સબંધ તેમણે
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy