SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ s શુદ્ધ જૈન यद्यपि शुध्धं लोकविरुध्धं શ્રી. ટી. જી. શાહની પુત્રી બહેન કંચને પેાતાના સહાધ્યાયી એક ખ્રીસ્તી યુવક સાથે લગ્ન કર્યાના સમાચાર પ્રબુદ્ધ જૈનના છેલ્લા અંકમાં આપવામાં આવ્યા છે. આ લગ્નઘટનાએ જૈન સમાજમાં અને ખાસ કરીને સ્થાનકવાસી સમાજમાં મોટા ખળભળાટ પેદા કર્યાં છે કારણ કે શ્રી. ટી. જી. શાહ સ્થાનકવાસી સમાજની એક અગ્રગણ્ય વ્યક્તિ છે. અને તેઓ તથા તેમનાં પત્ની એક ધમપરામચ્છુ અને સ્થિતિસ’પન્ન યુગલ છે. તેમના જીવનમાં પણ આ અચિતવ્યા બનાવે એક ધરતીક'પજેવા ક્ષેાલ પેદા કર્યાં છે. આ લગ્નધટનાના ગુણુદોષની ચર્ચા કરતાં પહેલાં આ આખી ઘટના કેમ બનવા પામી તેની અહિ સક્ષિપ્ત રજીસ્માત કરવી જરૂરી લાગે છે. બહેન કંચન મેટ્રીકની પરીક્ષા પસાર કર્યાં બાદ અધેરીમાં આવેલી મેલજી મથુરાદાસ કાલેજમાં દાખલ થઇ હતી અને જેની સાથે તે લગ્નસંબધથી જોડાઇ તે ઓલીવર આલ્ફ્રેડ દેસાઈ પશુ તે જ કાલેજમાં દાખલ થયા હતા અને ત્યાંની હેાસ્ટેલમાં રહેતા હતા અને અહિ' જ ઉભયના પરિચયના પ્રારંભ થયેા હતે. આ પરિચય ઉત્તરાત્તર વધતા ચાલ્યા અને ગઢ મૈત્રીમાં પરિણમ્યા અને તેમાંથી જ ધીમે ધીમે એકમેક સાથે લગ્નસંબધથી જોડાવાના વિચાર જન્મ્યા. આ વસ્તુસ્થિતિથી બહેન ક’ચનના માતપિતા તદ્દન અજાણ્યા હતા. બહેન કચન ઇન્ટર પાસ થઇ અને પછી પેાતાને ખી. એ. માં જે વિષય લેવા હતા તે શિખવાની વધારે અનુકુળતા એલ્ફીન્સ્ટન કૉલેજમાં લાગવાથી ખી. એ. તું ભણવા માટે બહેન કૉંચન એલ્ફીન્સ્ટન કૉલેજમાં દાખલ થઇ. આમ છતાં પણ શ્રી એલીવર સાથેના તેને પ્રેમસબંધ ચલુ જ રહેલા. આજથી પાણા બે વર્ષ પહેલાં પેાતાના જ સમુદાયના એક શ્રીમન્ત કુટુંબના યુવાન સાથે બહેન ક ંચનને લગ્નસ બંધ કરવાની વાર્તાચત જ્યારે શ્રી. ટી. જી. શાહે ચલાવી, ત્યારે બહેન કંચને પેાતાના દિલની વાત પેાતાનાં માતપિતાને પહેલી જ વાર જશુાવી અને પોતા માટે આવી કશી ખટપટમાં નહિ ઉતરવા વિનતિ કરી. આ વાત જાણીને બન્નેને ઘણા સખ્ત આધાત લાગ્યા; આ વાત કાઇ કાળે બની ન જ શકે એવા પેાતાના મક્કમ અગ્નિપ્રાય તેમણે બહેન કંચનને જાવ્યા અને શ્રી. ટી. જી. શાહે પેાતે એલીવર પાસે જઇને આ વાતને આટલેથી જ બંધ કરવા સખ્ત અનુરેલ કર્યો. આમ માતપિતા તરફથી સખ્ત પ્રતિબંધ મુકાવા છતાં એલીવર અને કચનના સબંધ જો કે ચાલુ રહ્યો તા પણ બાંહ્ય દૃષ્ટિએ બહેન કંચનની સ` પ્રકારે આજ્ઞાધીનતા અનુભવીને માબાપ એ વિષયમાં નચિન્ત બનીને ખેઠા. ઉપર જણાવેલ ઘટનાના પરિણામે કંચન અને તેના માબાપ વચ્ચે આ પ્રશ્ન પુરતી એક દીવ લ ઉભી થઇ અને કંચનના હૃદયને સોંપક' માબાપ ખાઇ ખેડા એ તે જોઇ ન શકયા. ક્રમશ : બી. એ. ની પરીક્ષા આલીવરે પાસ'' વ'માં અને કંચને ખીજા વગ માં પસાર કરી અને એક્ એ. માં બન્નેએ પ્રવેશ કર્યાં, અને તેને પણ એક વર્ષ' પુરૂ થવા આવ્યું. આખરે આ અનિશ્ચિત પરિસ્થિતિને અન્ત આણવાના ખન્નેએ નિરધાર કર્યાં. આ બાજુ શ્રી ટી. જી. શાહ તથા તેમનાં પત્ની આ લગ્નને કૃષ્ટ પણ કાળે અનુતિ આપશે જ નહિ એમ બહેન કંચને જોઇ લીધુ; બીજી બાજુ એલીવરના માતાપિતા પણ સ્થિા ચુસ્ત ખ્રીસ્તી હૈઇને પોતાને દીકરા કાઇ અખ્રીસ્તી કન્યાને પરણે એ તેમને ખીલકુલ અસ્વીકાય' હતું. પરિણામે ગયા માર્ચ માસની પ ંદરમી તારીખે બન્નેએ પ્રત્યેકના માતપિતાથી ખાનગી રીતે સીસીલ મેરેજ વિધિથી લગ્ન કર્યુ. આમ છતાં બન્ને જુદું ઘર માંડીને રહી શકે એવી ક્રાઇ તેમની તત્કાળ સ્થિતિ જે નડ્ડાતી. લગ્નના સમાચાર પેાતાના માષિતાને કેમ આપવા એ 'ચનને માટે એક ભારે મુઝવતા પ્રશ્ન હતા. ઘેર એ વખતે કેટલાએક મહેમાન આવેલા હતા. આા બધા તા. ૧૫-૭-૫૧ વચ્ચે ધરમાં કયાં ખળભળાટ પેદા કરવા એમ વિચારીને કંચન મૌન રહી. મહેમાન ગયા અને એપ્રીલ તથા મે માસ માબાપે મહાબળેશ્વર તથા માથેરાનમાં પસાર કરવાના નિય કર્યાં. આ પ્રવાસમાં પણ વિક્ષેપ પેદા કરીને આનંદભંગ કરવાની કંચનની હીંમત ન ચાલી અને લગ્ન સબંધે તે તદ્દન મૌન જ સેવતી રહી. માથેરાનથી જુન મહીનામાં તે પાછા મુંબઈ આવ્યાં. જીનની ૧૮ મી તારીખે આલીવરે કંચનના પિતાને પત્રદ્વારા લગ્નની હકીકત જણાવી. ખા સમાચારથી કંચનના માતપિતાના દ્દિલ ઉપર એક અકલ્પ્યા વજ્રપાત પડયે. આજે પણ એ આધાતની અસરમાંથી બન્ને હજુ પણ મુક્ત થઈ શકયા નથી. આ છે આ લગ્નબ્રટનાના ઇતિહાસ. આ લગ્નબ્રટના સ્વતઃ એક બાબત છે; તે કેવી રીતે નીપજી તે બીજી બાબત છે. આ ઘટનાના ઇતિહાસ ઉપરથી એ તા સ્પષ્ટ છે કે કાષ્ઠ એક છોકરીને ભેળવીને ભગાડી મૂકવાતા, ભરમાવવાને કે છળપ્રપંચના આ કાષ્ટ કીસ્સા નથી. જે સ્થિતિસયાગમાં બહેન 'ચન ઉછરી, માટી થઇ અને ધામિયક સસ્કારો પામી તે જોતાં, તેને સ્વપ્ન પશુ વિચાર આવવે ન જોઇએ એવી એક અન્યધર્મી વ્યક્તિ સાથે પરવાને કચને નિષ્ણુય કર્યાં એ જરૂર એક ભારે આશ્ચય જનક બીના છે. એમ છતાં પશુ આ કઇ એકાએક પાંચ પંદર દિવસની ઓળખાણુ અને મહેાખત્તમાં લેવામાં આવેલા અવિચારી નિણૅય નથી, પશુ ઉતરેત્તર ચાર પાંચ વર્ષ દરમિયાન દૃઢીભૂત થયેલી પ્રેમગ્રંથિનું સ્થાભાવિક પરિણામ છે એ ઉપર આપેલી વિગત ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય તેમ છે. આમ છતાં પણ ઉમયે માનતાથી તદ્દન ખાનગી રીતે લગ્ન કર્યાં અને લગભગ ત્રણ મહીના સુધી આ હકીકતને પ્રગટ થવા. ન દીધી આ બાબત પ્રસ્તુત લગ્નને અમુક 'શે સદેખ બનાવે છે અને આટલી હ્રદ સુધી જવાને તૈયાર થયેલા યુવક યુવતીમાં હાવી જોઇતી નૈતિક હિંમતને અભાવ સૂચવે છે એ કાથી પશુ ના કહી શકાય તેમ છે જ નહિ. આજે આપણે વિશાળ જનસમાજના વધારે ને વધારે નિકટ પરિચયમાં આવતા જઇએ છીએ; ભિન્નભિન્ન આચાર વિચાર અને જુદી જુદી ધામિ`ક માન્યતા ધરાવતા વર્ગો સાથેના આપણેા સપ વધતા જાય છે. એમ છતાં પણ લક્ષેત્ર જેવા પ્રશ્નમાં આપણુ મન અમુક હૃદથી આગળ ખ઼ શકતું નથી. સધમ સમભાવને દક્ષ બહુ બહુ તે આપણને એટલે સુધી લઈ જઇ શકય છે કે અન્ય ધર્માંને આપણા ધમ' કરતાં આપણે ઉતરતા ન ગણીએ. એમ છતાં પણ પોતાના ધમ' વિષેતુ મમત્વ, અન્ય ધર્મથી નિરાળાપણુ' અને પેાતા માટે પોતાના જ ધમ'નુ વિશેષ આદરણીયપણું એટલા ભેદભાવ તા સામાન્યતઃ આપણા મનમાં રહે જ છે. હિંદુ અને મુસલમાન અથવા તે હિંદુ અને પ્રોસ્તી વચ્ચે આપણે જી જાણે કે કદિ ન પુરાય એવુ' અન્તર અનુભવીએ છીએ. આવી પરિસ્થિતિમાં આપણી એક કન્યા અન્ય કાઈ ખ્રીસ્તી યુવક સાથે જોડાય એ હકીકત આપણુ` દિલ સમભાવપૂર્વ`ક સ્વીકારી ન શકે એ તદ્દન સ્વાભાવિક છે. સ્થિતિચુસ્ત માબાપતે માટે એ કડવા ઘુંટડા કેમે કરીને ગળે ન ઉતરે એવા છે. બીજી ખજુએ આજે આપણાં ઉગતી ઉમ્મરનાં ભણતાં છે।કરા હારીએનું વાતાવરણુ અને પરિસ્થિતિ બહુ જુદા પ્રકારની છે, આપણા પૂર્વ ગડથી, સાંપ્રદાયિક અભિનિવેશથી, નૈતિ યા વષ્ણુના ઊંચ નીચા પશુાના ખ્યાલથી તેઓ બહુધા મુક્ત હેાય છે. ભિન્નભિન્ન વર્ગના ઠાકરા છેકરીઓ સાથે ભણે છે, એકમેકના પરિચયમાં આવે છે અને તેમાં અનેક વચ્ચે મૈત્રો સંબંધે નિર્માણુ જન્મે થાય છે. મુસલમાન યા પ્રોસ્તી વિષે પશુ આપણે જેટલુ અન્તર
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy