SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૬-૫૦ એ છે એની ઉપયાગીતા, હવે એ સાડી ઉપર આપણે જ્યારે રંગ ચઢાવીએ છીએ, ફૂલપત્તીની શાલા એના પર વણીએ છીએ, કિનારીમાં જૂદી જૂદી ખૂખી બતાવીએ છીએ અને પાલવમાં ભાતમાતની શાભાની બીછાવટ કરીએ છીએ ત્યારે એ સાડીની ઉપયેાગીતા તા પહેલાંના જેટલી જ રહે છે, અથવા કદાચ ઘટતી પણ હશે. પણ જ્યારે એ સાડી એની સુંદરતાથી આપણને પ્રસન્ન કરે છે ત્યારે એ છે કલાની ખૂખી. ઉ૫ચોગીતા ઉપરાંત એમાં જે કાંઇ આવે છે તે છે કળા. પ્રશુદ્ધ જૈન બાળકા જ્યારે નિરેગી અને પ્રસન્ન હાય છે ત્યારે સ્વાભાવિકપણે તે નાચકૂદ કરે છે. પણ જ્યારે એ નાચકૂદમાં આપણે જૂદા જૂદા તાનિયમે દાખલ કરીએ છીએ . અને એમાં વળી અંગેાપાંગતું સૌષ્ટવ અને ભાવનાએની ગૂઢતા વ્યકત કરીએ છીએ ત્યારે એ થાય છે નૃત્યકલા, નૃત્યકલામાં અનેક કલાઓના સૉંગમ થાય છે. અને મનુષ્યનુ' સ'પૂર્ણ' અને સસ્કારી વ્યકિતત્વ એમાંથી પ્રગટ થાય છે. આપણુા દેશની નૃત્યકલાથી મનુષ્યની ચિત્તવૃત્તિમાં એક પ્રકારની કામળતા, રસિકતા આવી જાય છે. ઉચ્ચકોટિના સાત્વિક નૃત્યદ્વારા આદરયુકત સંયમ અને પ્રસન્નતાને પણ વિકાસ થાય છે. અહિં એક વાત સમજવી જેએ કે કલા અને વિલાસિતા એક ચીજ નથી. કલામાં પણ આનંદ છે અને વિલાસિતામાં પણ આનંદ માનવામાં આવ્યા છે. પરંતુ કલા દૈવી ચીજ છે, વિલાસિતા પાવિ. ખાવુંપીવું, આહારવિહાર વિગેરેમાં જે સુખ છે તે શરીરનુ’ સુખ છે. એ જેટલું જરૂરી છે અને યોગ્ય છે તે ભલે મનુષ્ય આનદથી સ્વીકારી લે, પણ એમાં અતિશયતા કરવાથી મનુષ્યની બધી શકિત ટે છે, એટલે સુધી કે સુખ પામવાની ધુનમાં ઐવિલાસિતામાં ડુબી જાય છે. કળાતું એવું નથી. કલાને આનંદ તટસ્થ હાય છે. શુધ્ધ કળા મનુષ્ય કદી પણ પતન કરતી નથી, એટલું જ નહીં પણ મનુષ્ય ઉત્કટ ભાવથી કલાની ઉપાસના કરી હોય તે કલા મનુષ્યને રસેશ્વર, સકલકલાના અધિપતિ ભગવાન તરફ લઈ જાય છે. મેાક્ષની સાધનામાં સાચી કલા દૂર સુધી મદદગાર થાય છે. કલાને સાચે આનંદ જેમણે મેળવ્યો છે તેમની અભિરૂચિ કયારે પણ ગ્રામીણુ વિલાસિતા તરફ જશે નહિ. દુરાચારને રોકવામાં કલાએ ઘણી વખત સાધકાને મદદ કરી છે. કલારા જ સમાજની સર્વાં રસિકતા અને સસ્કારિતા વ્યકત થાય છે. ખ્રીસ્તી સ'તેાએ અને આપણા ભકતાએ પણ ધ પ્રચાર માટે . નાટયકલાના ખૂબ, ઉપચેાગ કર્યાં છે. એટલે સુધી કે એક સ્ત્રીને મે' કહેતા સાંભળ્યા છે કે:-નાટ નામ મગન વિશેષ: કલામાં ચિત્રકલા અને મૂર્તિવિધાનુ સ્થાન બહુ ઉંચુ છે. ચિત્રકળામાં કેવળ ફોટા ખેં'ચવાની વાત નથી. ફોટોગ્રક્રમાં બહારની શીકલ જેવી દેખાય છે તેવી જ બતાવવામાં આવે છે. પરંતુ સાચી ચિત્રકલાને મમ' એ હાય છે કે શિકલ તે। જેવી હોય તેવી જ રહે પરંતુ જેવું ચિત્ર છે તેને સ્વભાવ અને એના હૃદયનું અને એના આત્માનું પ્રતિબિ’બ વિશેષરૂપે ચિત્રમાં પ્રગટ થાય. આપણા ચિત્રકાર અને મૂર્તિકાર જ્યારે સિંહનુ. ચિત્ર દોરતા હોય અથવા મૃતિ ઘડતા હોય છે ત્યારે એને કુદરતના સિંહની આંખેા નહેતા આપતા. કુદરતે પોતાના સિંહની ખા કુતરાની આંખા જેવી આપી છે તે સિ'હુની ભવ્યતા સાથે ખીલકુલ બંધક્ષેસતી નથી. આપણા કલાકારોએ સિંહને બળદની માટી મેટી આંખે આપીને સર્જનહારની ભૂલ દૂર કરી છે. શ્રીકૃષ્ણની છખીમાં લીલારસિક મેહન કૃષ્ણે પણું દેખાય અને સામ્રાજ્ય વિધ્વંસક યોગેશ્વર શ્રીકૃષ્ણ પણ દેખાય ત્યારે જ એ શ્રીકૃષ્ણની છખી થઇ શકે. મહુામાજીની મૂર્તિ જ્યારે આપણે બનાવીશું ત્યારે આપણે એને ફોટાગ્રાથી નહીં બનાવીએ પરંતુ આખા રાષ્ટ્રના હૃદયમાં પ્રતિબિ'ખિત થઈ છે એને મૂતિ'મંત કરીશુ. જેવી આપણી અજાતશત્રુ વીર સત્યાગ્રહી વાત્સલ્યકેમલ રાષ્ટ્રપિતાની જે છખ સંસ્કૃતિ એવી આપણી કલા પણ હશે. અન્નપૂર્ણાની મૂતિ'માં કાઈ વિલાસિતાની શોભા બતાવાતી નથી પર'તુ એ સ્મૃતિ' પેાતાના દુધથી ત્રણે લોકનું પોષણ કરાવાવાળી પ્રૌઢ અને વત્સલ માતાને પ્રતિબિખિત કરતી હાય છે. પાકૃતિક દશ્ય અથવા તે કુદરતી દેખાવા પણુ જેવા સ્થુળદ્રષ્ટિએ દેખાતા હાય તેવા આપણા ચિત્રમાં આલેખવામાં નથી જુએ છે તે ભક્ત અથવા યેગીની દૃષ્ટિથી જુએ છે અને જ્યારે આવતાં. આપણા ચિત્રકાર હૃદયને કવિ હાય છે. જે દૃશ્ય તે તેનું ચિત્ર દારે છે. ત્યારે એના હા?--આત્માને-આપણી નજર સામે રજુ કરે છૅ. પુરાણા ચિત્રકારોની વાત છેાડી દઈએ. રશિયન ચિત્રકારે પિતા-પુત્ર શેરિકને લઇએ. પુત્રનાં ચિન્નેમાં સૌંદય' વધારે છે, સફાઇ અસાધારણ છે, પરંતુ પિતા શેરિક હિમાલયમાં રહીને હિમાલયના દિવ્ય આત્માનું ધ્યાન કર્યુ” છે. એનાં દરેલાં ચિત્રામાં આપણે ગેબી વાયુમડા જોઇએ છીએ અને એમાં આપણા માટે હિમાલયનું ચૈતન્ય પ્રગટ થાય છે. અશાકના સ્તંભ પર જે સિદ્ધ મુકવામાં આવ્યા છે એ કાઇ જંગલનું... જાનવર નથી; પરંતુ હિં`દુસ્તાનની આય'તાનુ' પ્રતીક છે. સ્વતંત્ર હિન્દુસ્તાનનાં અહિંસક તેજ અને વિશ્વકલ્યાણુકારી સંસ્કૃતિને વ્યક્ત કરવા માટે જેણે એને પસ'દ કર્યાં, એ પડિત જવાહરલાલ નહેફ્લુ' હૃદય સાચા કલાકારનુ હૃદય છે અને એમાં હિં‘દુસ્તાનની સંસ્કૃતિના ગંભીર ભૂતકાળ, વિશાળ વત`માન અને ઉજ્જવલ ઉત્તંગ ભવિષ્યકાળ ત્રણે સમાયા છે. કાકાસાહેબ કાલેલકર શ્રી. મ. મેા, શાહ સાવજનિક વાંચનાલય અને પુસ્તકાલય. ચુવક સધની રચનાત્મક પ્રવૃત્તિ, શ્રી મુંબઇ જૈન યુવક સધ તરફથી જે જે રચનાત્મક પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે; તેમાં વાંચનાલય અને પુસ્તકાલયની આ પ્રવૃતિ મૂખ્ય છે. સસ્થાના કાર્યાલયમાં જ આ કાય' ચાલે છે. વાંચનાલય સવારના ચાર કલાક અને સાંજના કે કલાક ખુલ્લુ રહે છે. સવારનાં અંગ્રેજી અને ગુજરાતી પાંચ દૈનિક પત્રા અને સાંજના બે ગુજરાતી દૈનિક પત્ર નિયમીત આવે છે. તે ઉપરાંત કેટલાંય અંગ્રેજી; હીંદી ગુજરાતી વિ. અઠવાડીક, પાક્ષિક અને નસિક પત્ર આવે છે. રાજના સવાર-સાંજના મળી બસેાથી અઢીતે વાંચક લાભ લ્યે છે. પુસ્કાલય બપોરના અઢી કલાક ખુલ્લુ રાખવામાં આવે છે, ધાર્મિ'ક, સામાજિક તેમ જ ઐતિહાસિક પુસ્તકા, જીવનúરત્રા, બાળકો-કિશારા યુવાને સર્વેને વાંચવા લાયક લગભગ સાડાચાર હજાર પુસ્તક છે. ગુજરાતી ભાષાનાં કઇ પણ વિષયનાં પાખરાં પુસ્તકા રાખવામાં આવ્યા છે. અને સારી સખ્યામાં વાંચકવગ એ લાભ લ્યે છે. પરંતુ આ પ્રવૃત્તિઓને હજુ પણ અમારે વિસ્તૃત કરવી છે; અને તે માટે જનતાના સહકારની જરૂર છે. પુસ્તકાલયને પુસ્તકા તથા રોકડ રકમ આપી અને વાંચનાલયમાં નવાં સાયિકા મેકલીને આપને મદદરૂપ થવા વિનતી છે. જ્ઞાનની આ પરબને વિકાસ કરવામાં તમારા ફાળા મેકલી આપી આભારી કરશે. જયંતિલાલ સુંદરલાલ કોઠારી મંત્રી. શ્રી. મ, મે, શાહ, સા. વ. અને પુ.
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy