________________
કે
.
* * *
*
* *
તા. ૧-૬-૫૦
પ્રબુદ્ધ જૈન
બહાર પાડેલા જ
વામાં આવેલી તેમના નજીકના
નથી. હિંદભરમાં ગોવધ અટકાવવા માટે તેમણે હજુ થોડા સમય પહેલાં એક મહાન દેલન ઉભું કર્યું હતું અને આ સંબંધમાં સત્યાગ્રહની યોજનાઓ તેઓ વિચારી રહ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં પૂર્વ બંગાળમાંથી જ્યારે સંખ્યાબંધ હિંદુ કુટુઓએ પશ્ચિમ બંગાળ બાજુ હિજરત શરૂ કરી હતી ત્યારે હિંદી રાજ્યતંત્રને હિંદુધર્મપ્રધાન બનાવવા-secular માંથી theocratic સ્વરૂપમાં પલટાવવાની શેઠ સાહેબે અનુપમ સલાહ આપી હત અને સંભવ છે કે એ સલાહને વખતસર અમલ કરવામાં આવ્યું હોત તો ત્યાર પછીના હિંદને, ઇતિહાસ ખરેખર કોઈ જુદા જ પ્રકારના ઘડાયે હેત. વળી શેઠ દલમીયા માત્ર ઉપદેશ આપે છે અને અમલમાં કશું મૂકતા નથી એ આક્ષેપ થઈ શકે તેમ નથી. નિવસિતેને રાહત આપવા માટે પિતા થકી એક લાખ રૂપિયાના દાનની શુભ શરૂઆત કરીને તેમણે આદરણીય દાખલો બેસાડે છે. આવા મહાપુરૂષો જેટલા બહિર્મુખ હોય છે તેટલા જ અન્નમુખ હોય છે અને તેનું દષ્ટાન્ત તે તાજેતરમાં ગાંધીસ્મારક ફાળામાં પોતે કેવું દ્રવ્ય અને કેવી સમજપૂર્વક આપ્યું છે તેને લગતાં હજુ હમણાં જ તેમણે બહાર પાડેલા નિવે.દનઠારા પુરૂં પાડયું છે. તેમને નજીકના સ્વજનોએ આ નિવેદનમાં રજુ કરવામાં આવેલી હકીકતનો ઈનકાર કર્યો છે એમ છતાં પણ જેણે જગતના અને ભારતવર્ષના શ્રેય વિષે આજ સુધી આટલી બધી ચિન્તા દાખવી છે તેવા શેઠ દાલમીયાને જ આપણે સ્વીકારવા રહ્યા અને તેમની નિડરતા અને દિલની ચોખવટ માટે આપણે ધન્યવાદ આપવાના રહ્યા. તેઓ અનેક પત્નીઓના પતિ છે. એ હકીકત કેટલાક લેકીને બહુ ખુંચે છે. એક છાપાવાળાએ શેઠ સાહેબ વિષે એવો કટાક્ષ કરેલો કે શેઠ દાલમીયા એક દુનિયામાં, એક દેશમાં, એક ધર્મમાં માને છે અને સાથે સાથે અનેક પત્ની એમાં માને છે. તેમનું અનેકપનીત્વ આપણું ગળે સહજ ઉતરે તેવું નથી પણ આવા કેત્તર પુરૂષને આપણા માપે બધી બાબતમાં માપવા એ જેવું નથી. નવનિર્માણ અને સજન એ આવા પુરૂષને વિશિષ્ટ ધમ છે. “એકેડહું બહુ શ્યામ ” એ બે કોત્તર પુરૂષની સુપ્રસિદ્ધ વિશેષતા છે. તે મહાન ' સૂત્રને તેમને આ રીતે અમલ કરે પિગ્ય લાગ્યો હશે. જગતને ( ઉધ્ધાર કરવાની અને દુનિયાને ઉગારવાની જે તમન્ના તેમને આટલી બધી આકુળવ્યાકુળ કરી રહી છે તે જ તમન્ના તેમની આ વિવાદાસ્પદ પ્રવૃત્તિને પ્રેરી રહી હશે એવી શ્રદ્ધાપૂર્વક શેઠ હાલમીયાને આ બાબતમાં આપણે શા માટે સ્વીકારી ન લઈએ ? હજી હમણાં જ એક નિવેદનમાં શેઠ દાલમીયા જણાવી રહ્યા છે કે
દેશની આ કટોકટીની પળે આગેવાની લેવાની અને જાહેર જનતાને તેમ જ સરકારને પિતપતાની ફરજનું ભાન થાય એ માટે અવાજ ઉઠાવવાની અન્તરના દંશદ્વારા હું પ્રેરણા અનુભવી રહ્યો છું. ભૂતકાળમાં મેં ગમે તેવી ભૂલો કરી હોય પણ અત્યારે તે દેશની સેવામાં હવે પછીનું જીવન અર્પણ કરવાની હું ઇચ્છા સેવી રહ્યો છું. વ્યાપારઉદ્યોગના ક્ષેત્રમાં મારા માથા ઉપર અનેક જવાબદારીઓ હોવાના કારણે મારા શુભેચ્છકે આ પગલું ભરતાં મને અટકાવી રહ્યા છે અને આર્થિક તેમજ બીજી અનેક ગંભીર ઉપાધિઓ માં હું ફસાઈ પડીશ એમ તેઓ મને ચેતવી રહ્યા છે. પણ જે દેશમાં હું જન્મે છું તે દેશનું રૂણ હું ખુદા ન કરૂં તે મારા ધર્મમાંથી હું ચુકું એમ મને લાગે છે. દુન્યવી વ્યવહાર અને બસસાયમાં હું રોકાયેલો રહું અને ચીનને બાદ કરતાં જે દેશના ભુખે મરતા બંધુઓની સંખ્યા અન્ય કે ઈ પણ દેશ કરતાં ઘણી વધારે છે તે પ્રત્યેની ફરજ બજાવતાં હું ચુકું તે કરતાં હું છુંદાઈ જવાનું નષ્ટપ્રાય થઈ જવાનું–વધારે પસંદ કરીશ. આ અંગત વિનાશ મારે મન ભારો મે ટ વિજય જ હશે. જે લખે માણસને આઝાદી મળવા
બદલ ઘણું મોટું દામ ચુકવવાની ફરજ પડી છે તેમના પ્રત્યેની જવાબદારીને આપણા રાજ્યશાસકોએ પુરે ખ્યાલ ધરે ધટે છે. એ માટે સમય ખુબ પાકી ગયો છે. એક બાજુએ આપણે યાતના, ભૂખમરો અને જેને કોઈ ઉપાય નથી એવી વેદના જોઈ રહ્યા છીએ, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કંગાળીયત તરફ હડસેલાતા અને નિર્વાસિતોને ધીમે પગલે આવતા મૃત્યુ સામે ! તરફડિયા મારતા નિહાળી રહ્યા છીએ અને બીજી બાજુએ મથાળા ઉપર ધનના ઢગલા ઉપર ઢગલા ખડકતા શ્રીમાનેને અને ગરીબ પ્રજાની અધમુઆ જેવી સ્થિતિ પ્રતિ જરા પુરતું પણ લક્ષ્ય નહિ આપતી સરકારને આપણે જોઈ રહ્યા છીએ. ..... . આવાં નિવેદનો કરવામાં મને કોઈ આનંદ આવતું નથી પણ મારે દુઃખદ ધર્મ' મને આમ કરવાની ફરજ પાડે છે.” કેટલું ઉદાત્ત, કેટલું કરૂણાપૂર્ણ નિવેદન ! હિંદે હવે જરા પણ નિરાશ થવાની જરૂર નથી. આ એક આદર્શ પ્રજાસેવક ધંધાધાપાને ઠેકર મારીને પ્રજાસેવાના કાર્યક્ષેત્રમાં ઝંપલાવે છે ! જાણે કે ગાંધીજીને જ બીજો અવતાર! જ્યાં શેઠ દાલમીયા છે, અને જયાં તેમનું સતત માર્ગદર્શન છે ત્યાં પ્રજાનું શ્રેય સુનિશ્ચિત છે, કલ્યાણ નિર્ભર છે. મંગળ સદા વર્ધમાન છે. આનંદે, ભારતનાં પ્રજાજનો આનંદે, ધમંતિ, ત્યાગમતિ શેઠ દાલમિયાની જય! તેમનાં શબ્દપ્રચુર નિવેદનની જય !! -
એક ભૂલ સુધારણા પ્રબુધ્ધ જૈનને તા. ૧૫-૫-૫૦ ના અંકમાં કેટલાક સમાચાર અને નેધના મથાળાની નીચેની “દેવદ્રવ્ય ઉપર સાધારણ દ્રવ્યને લાગે' એ નોંધમાં સામાન્યતઃ જન મંદિરમાં રાખવામાં આવતા સાત ક્ષેત્ર નીચે મુજબ વર્ણવવામાં આવ્યા છે. ૧ ચય, ૨ જ્ઞાન ૩ સાધુ, ૪ સાધ્વી, ૫ શ્રાવક, ૬ શ્રાવિકા, ૭ સાધારણ અને આ દરેક ખાતાની આવકને લગતે એ નિયમ છે કે નીચેના ખાતાની આવક ઉપરના ખાતામાં વાપરી શકાય પણ એથી વિપરીત ક્રમ મુજબ કોઈ પણ એક ખાતાની આવક બીજા ખાતામાં વાપરી ન શકાય.” આ સાત ક્ષેત્રની નામાવલિ રતુ કરવામાં મારી થોડીક ભૂલ થઈ છે. એ સાત ક્ષેત્ર ધર્મશાસ્ત્રોમાં નીચે મુજબ આપવામાં આવેલ છે. ૧ જિનમંદિર, ૨ જિન પ્રતિમા, ૩ જિન આગમ, ૪ સાધુ, ૫ સાધ્વી, ૬ શ્રાવક ૭ શ્રાવિકા. આ સાત ક્ષેત્રને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. ૧ જિનમંદિર અને જિનપ્રતિમા, ૨ જિન આગમ ૩ સાધારણ ક્ષેત્ર જેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સમાવેશ કરવામાં આવે છે અને આ ત્રણ વિભાગની આવકને લગતા પ્રચલિત નિયમ એ છે કે ઉપરના વિભાગની આવકને ઉપયોગ નીચેના વિભાગ માટે થઈ ન શકે. સાત ક્ષેત્રના નિરૂપણમાં પ્રમાદવશાતું થઈ ગયેલી આટલી ક્ષતિ માટે હું દિલગીર છું. પરમાનંદ
સુશ્રુષાનું મહામ્ય ' ' ભગવાન બુદ્ધના જીવનને આ એક પ્રસંગ છે. એકવાર એ તથાગત ભિખુઓના મઠમાં આવી ચડયા. ત્યાં તેમણે એક બાજુ એથી દર્દભરી ચીસો આવતી સાંભળી. જઈને જુએ છે ત્યાં એક કરૂણ દશ્ય નજરે પડયું. ચીતરી ચડે એવી દશામાં રકતપિત્તથી પીડાતે એક ભિખુ ખુણામાં નિ:સહાય પડે છે. એની વેદનાને પાર નથી. કોઈ એની પાસે જતું નથી. એની આ દુર્દશા જોઇને તથાગતનું હૈયું ભરાઈ આવ્યું. શિષ્યને ગરમ પાણી લાવવા આજ્ઞા કરી, ને અમુક પાન એ સાગરે આ મહારોગીની સુશ્રષાનું કામ . જાતે જ ઉપાડી લીધું. ઘણુજનક વાસ મારતા ને લેહી-પરું નીંગળતા એ દરદીનું શરીર કમળ સ્પર્શથી ભગવાને સાફ કર્યું". પછી શિષ્યોને સુશ્રષાનું મહાત્મય સમજાવતે ઉપદેશ આપ્યું : યોગમં કgrra ો નેતિઃ “આની-વ્યાધિગ્રસ્તની, જે સેવાસુશ્રષા કરે છે તે મને જ ભજે છે.”
[ મહાબોધિ સોસાયટી, સારનાથ, બનારસના “Life of Buddha in Frescoes' ના આધારે ]