SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ २० શુદ્ધ જૈન સમાચાર અને નોંધ કેટલાક આગમેદ્ધારક શ્રી સાગાનંદસૂરિના કાળધ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગના એક સુવિખ્યાત આચાય શ્રી સાગરાનંદ સુરિ ૭પ વર્ષની ઉમ્મરે તા. ૬-૫-૫૦ ના રાજ સુરત મુકામે કાળધમતે પામ્યા, તેએ એક એ પરંપરાના જનાચાય હતા કે જેમણે શબ્દોપાસનાને જીવનના એક મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકાર્યાં હતા. જીવનના અન્ત સુધી વાંચન, લેખન અને પ્રકાશન-એ જ તેમની મુખ્ય પ્રવૃત્તિ રહી હતી. આગમપ્રકાશન એ તેમના જીવનનું સૌથી મહત્વનું કાર્યં હતુ. જૈન આગમેાની ભિન્ન ભિન્ન પ્રતે—હસ્તલિખિત ગ્ર'થા—તેમણે એકઠા કર્યાં; પાઠાન્તરાના નિણ્ય કીધા અને સૌ કાષ્ઠને સુલભ અને એ રીતે જૈન ગામે પ્રકાશિત કીધા. આ કાય' પાછળ તેમણે અથાગ પરિશ્રમ લીધા હતા. સ્થળે સ્થળે તેમણે આગમની વાંચના કરી હતી. શ્રી. શત્રુંજ્ય તીથ'ની તળેટીમાં તેમની આગમસેવાને ચિરસ્મરણીય બનાવે તેવું એક ભવ્ય આગમ મંદિર તેમણે ઉભું કરાવ્યું છે અને ત્યાં આગમેના મૂળ પાઠો આરસમાં કાતરાવ્યા છે. તેવુ... એક ખીજું આગમ મંદિર તેમણે સુરતમાં ઉભું કરાવ્યુ. છે અને ત્યાં આગમપાડા તામ્રપત્રમાં કોતરવામાં આવ્યા છે. * આગમની આવી એકધારી ઉપાસનાના કારણે જૈન સમાજમાં. તેમને . આગમાધ્ધારક ' તરીકે ઓળખવામાં આવે છે. આવી એકધારી શબ્દોપાસનાના કારણે આજના સમગ્ર સાધુસમાજમાં તેમનું સ્થાન અદ્વિતીય, અજોડ હતું. તેમનું વાંચન અતિ વિશાળ હતુ; તેમની સ્મરણશકિત અદ્ભુત હતી. કા ઉલ્લેખ કયા પુસ્તકના કયા પાને છે એ ખામતની પારિવનાની ચોક્કસ માહિતી તેમના જીજ્રાગ્રે હતી. આ રીતે તેએ અનેક વિદ્વાને અને સ’શાકાના હાજરજવાબ માહીતીસ્થાન તેમના કાળધમથી જૈન સમાજને હિંદુ ન પુરાય એવા એક અજોડ શ્રુતસ્વામીની ખેાટ પડી છે. હતા. તેમનાં જીવનનાં સવ વળશેા એક કટ્ટર સ્થિતિચુસ્તનાં હતાં. તેમનું માનસ અત્યન્ત સાંપ્રદાયિક હતું. આગમપ્રકાશન બાદ કરીએ તે જેને પ્રગતિશીલ કહેવાય એવી એક પણ પ્રવૃતિનું નિર્માણ તેમના હાથે થયેલું નજરે પડતુ નથી, તે કટ્ટર જૈન અને તેમાં પણ શ્વેતાંબર મૂર્તિ પૂજક સ'પ્રદાયના કટ્ટર અનુયાયી હતા. તેઓ કેવળ એકાંગી સાહિત્યઃપાસક નહેાતા. જેવે તેમને જ્ઞાનયોગ તેવે જ તેમને ક`યાગ હતા, જૈન સમાજના અને ખાસ કરીને શ્વેતાંબર મૂતિપૂજક વિભાગના પચાસ વર્ષના ઇતિહાસ નિર્માણુમાં તેમણે અનેક રીતે બહુ મહત્વને ભાગ ભજવ્યેા હતેા. એ ગાળા દરમિયાનની એવી એક પણ મહત્વની ઘટના નથી કે જેની સાથે તે સીધી કે આડકતરી રીતે સકળાયલા ન હાય. લાલન શિવજી પ્રકરણ, સમેતશિખર પ્રકરણ, કેશરીયાજીને હત્યાકાંડ, અન્તરીક્ષજીનેા ઝગડે, દેવદ્રવ્યને પ્રશ્ન, બાળદીક્ષ વિરોધક - હીલચાલ, યિચર્ચા પ્રકરણ-આવા અનેક પ્રકરણેામાં તેમણે એક ઉગ્ર અને સ્થિતિચુસ્ત પક્ષકારના પાઠ ભજવ્યેા હતા. તેમના અનેક પૂર્વગ્રહા, સાંપ્રદાયિક સંકીણ તા અને ધાર્મિ`ક ઝનુનને લીધે સમાજમાં કાં તે અનેક ઝગડાએ પેદા થયા હતા અથવા તેા ચાલુ ઝગડાઓને નવુ. જોશ મળ્યુ` હતુ`. ઝગડા, સામાજિક ઘષ ણુ, કે સાંપ્રદાયિક કલહેથી તે કદિ કરતા નહાતા. પેાતાના મન્તન્યાને તેઓ સુદૃઢપણે વળગી રહેતા હતા અને એ રીતે વતાં ગમે તેવાં પરિણામ આવે તેની તે કંદ દરકાર કરતા નહેાતા. જુનવાણી વલણુ વાળા, સ્થિતિસુસ્ત પ્રકૃતિના, સત્યાસત્યવિવેકને જેમાં બહુ સ્થાન નથી એવા સાંપ્રદાયિક ઝનુનથી ભરેલા— એમ છતાં પણ તેમનામાં કાથી પણ ઉપેક્ષા થઇ ન શકે એવા એક સુદઢ વ્યતિત્વની પ્રતિભા હતી. અને તે જ્યાં જાય, જે ક્રાઇ‚ પ્રશ્નને સ્પર્શે, જે કાઇ બાબત હાથ ધરે તેના ઉપર તે તા. ૧-૬-૧ પ્રતિભાની છાપ પડયા વિના રહેતી નહિ. આ વ્યકિત્વમાં ત્રુટિ અને નખળાએ અનેક હતી અને સાથે સાથે અનેક એવી વિશિ છતાએ હતી કે જે ભાગ્યે જ અન્યત્ર નજરે નિહાળવા મળે. આજે જ્યારે તેઓ પ ́ચત્વને પામ્યા છે ત્યારે તેમની વિભૂતિએનું જ આપણે સ્મરણ કરીએ અને તેમની અખંડિત શબ્દોપાસના, આગમની આરાધના, પેાતાના વિચારાને વળગી રહેવાની ટેક, નિડરતા અને સતત ક્રમ'પરાયણતાનું' અનુકરણૅ કરવા આપણે પ્રયત્ન કરીએ અને તેમના હાથે જે જ્ઞાનજ્યાત-આગમજ્યાત-પ્રગટી છે તેને પ્રકાશ તરફ વિસ્તરતા રહે એવી પ્રવૃત્તિએ આપણે હાય ધરતા રહીએ ! દેવાનાં પ્રિય પ્રજ્ઞાચક્ષુ શેઠ દાલમીયા આપણે સવ' છદ્મસ્થ જીવે છીએ; આપણી દૃષ્ટિ સ્થુળ છે; આપણે ચમ ચક્ષુથી જોનારા પામર પ્રાણીએ છીએ. આપણા દર્શનને દિશા અને કાળની અત્યન્ત સાંકડી મર્યાદા છે. આપણે નથી પાછળ બહુ જોઇ શકતા, નથી આગળ જોષ શકતા, નથી બહુ દૂર નજર નાંખી શકતા. અ་ગત પ્રશ્નો આડે વિશ્વપ્રશ્નોની આપણને કાઇ સુઝ હાતી નથી. અને તેથી કત વ્યાકતવ્યના આપ ણુને સાચે વિવેક પ્રાપ્ત થતુ નથી. સદ્ભાગ્યે આપણા જગતમાં સુદુરષ્ટિ, ક્રાન્તદર્શી મહાપુરૂષો, ચિન્તક, વિચારકા અને પયંગબરા પાકતા રહે છે જે આપણને નવું જીવનદર્શન આપતા રહે છે, આપણને ન દેખાતુ* ડૅાય તેવુ દેખાડે છે અને ન સમજાતુ હાય તેવુ' સમજાવે છે. વિશ્વપ્રશ્નોના તેઓ મઠ્ઠાન ચોંકત્સક હાય છે; કોઇ યા તે સહજ નિકાલ લાવી શકે છે. જ્યાં આપણા માટે કેવળ અંધકાર હાય છે ત્યાં તેએ જાગૃત પ્રાના બળે પ્રકાશને પામે છે, અને એ પ્રકાશ વડે જગતને અજવાળે છે. આનું કારણ ટુંકમાં કહેવુ હોય તે। એમ કહી શકાય કે આપણે ચમ'ચક્ષુ છીએ જયારે આવી વિશિષ્ટ વ્યકિત પ્રજ્ઞાચક્ષુ હાય છે. વ્યવહારમાં જેવી રીતે આપણે કાઈ પણ અસ્પૃસ્યતે હરિજન શબ્દથી પીછાનીએ છીએ તેવા રીતે જેઓ આંખે દેખી ન શકતા હાય તેમને આપણે વ્યવહારમાં પ્રજ્ઞાચક્ષુ વિશેષણથી આળખીએ છીએ, પણ પ્રજ્ઞાચક્ષુને આ અથ' સંકેતજન્ય છે; વાસ્તવિક અય તેા ઉપર સમજાવ્યે તે જ છે. આવા પ્રજ્ઞાચક્ષુ કેવળ સન્ત સાધુ કે ત્યાગી જ હાવા જોઇએ એવુ' કશું જ નથી. ભગવાન મહાવીર અને બુધ્ધ જેવા ત્યાગી પુરૂષોએ જો જગને નવુ' જીવનદર્શન આપ્યું છે તે રામ અને કૃષ્ણનું આવા મટ્ઠાન કા' માટે જગત્ એટલું જ રૂણી છે. રાજ્ય ચલાવતા અને સંસારના ભાગ ભોગવતા જનકવિદેહીને આપણે કયાં નથી જાણતા મહાત્મા ગાંધીના અકાળ અવસાન બાદ આપણી ગૂઢ સમસ્યાઓ કાણુ ઉકેલશે, વિશ્વને સાચુ' માગ'દશન કાણુ આપશે, ભારતના પ્રજાજાને નાની મેોટી કટોકટીના પ્રસંગે સાથે રાહ કાણુ દાખવશે એ આપણા જેવા અનેકને ગુંગળાવી રહેલી મુઝવણ હતી. પણ સદ્ભાગ્યે આજે આપણે ત્યાં એક એવી પ્રજ્ઞાચક્ષુ વિભૂતિને ઉદય થયા છે કે જે પેાતાના અનેકવિધ વ્યવસાયના ભેગે પણ આપણુતે અવનવું માગ'દશન આપી રહેલ છે અને ત્રીજા વીશ્વયુધ્ધના આરે ઉભેલ જગતને શાન્તિને-સુલેહતા-માગ દાખવી રહેલ છે. અને તે છે. આજના સુવિખ્યાત ઉદ્યોગપતિ શેઠ દાલમિયા, તેઓ કેટલે બધે! પરિશ્રમ વેઠી અમેરિકા ગયા અને ત્યાંની યુધ્ધન્સુખ પ્રજાને one-world એક દુનિયાના સંદેશે સંભળાવ્યા અને જગતને વિશ્વયુધ્ધની આંધીમાં ડુબી જતું બચાવ્યું' ! જગતને પેાતાના સદેશા સંભળાવવા માટે, ભારતની પ્રજાને સત્યના રાહે દેરવા માટે તેમણે કેટલી માટી મીલ્કતના ભાગ આપીને છાપા એ ખરીદ્યા છે જે ભેમની પુરી કદર હજુ ભારતવર્ષની પ્રજાગે કી
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy