________________
તા. ૧-૬-૫૦
૧૯
અહિંસાનું રહસ્ય ' હવે અહિંસાનું રહસ્ય શું છે? તે રહસ્ય આ છે. આ દુનિ. થામાં દરેક જીલન્ત પ્રાણીઓમાં એકસરખા પ્રાણ છે. અને એકસરખો આત્મા છે. તેથી તેઓ એક જ માટીના બનેલા છે, એક જ તવમાંથી આવ્યા છે અને એ જ તત્તવમાં પાછા સમાઈ જવાના છે. જીવની સૃષ્ટિ એક વૃક્ષ જેવી છે. કે જેનું થડ, ડાળીઓ પંદડાં, ફળ અને ફૂલે બધાંય એક જ મૂળમાંથી આવે છે, અથવા તે એક મહાસાગર જેવી છે કે જેમાંના વ્યકિતગત છે તેના માત્ર છૂટાં ટીપાંઓ સમાન છે. આમ હોવાથી આપણે. સૌના છીએ અને સહુ આપણાં છે. ચીની ષિઓએ આ તત્વને આ રીતે વ્યકત કર્યું હતું. “સ્વર્ગ, પૃથ્વી અને હું ત્રણે એક સાથે જનમ્યાં હતાં અને સર્વ જી એક છે અને મારી સાથે સંમાન છે.”
“સર્વ પદાર્થો એક છે” “ દરેક ને ચાહો. સ્વર્ગ, પૃથી એક છે.” “દરેક વસ્તુ મારામાં પૂર્ણપણે સમાયેલી છે.”
“ દરેક લોકો મારા ભાઈઓ છે, અને દરેક વસ્તુઓ મારી સાથી છે.”
છે આ રીતે આપણે માત્ર બધા લોકોને જ નહિ, પણ સમસ્ત સૃષ્ટિને ચાહવું જોઈએ. એ સર્વને આપણે આપણી સમાન લેખવા જોઈએ. અને તેમાંથી કોઈને પણ આપણે ઈજા કરવી ન જોઈએ.”
આ સંબંધમાં હિંદના પ્રાચીન ઋષિમુનિઓએ જે સુવર્ણ નિયમ દર્શાવ્યા છે તે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ.
એવું વર્તન બીજા પ્રત્યે ન કરે કે જે વતન તમારી પ્રત્યે કરવામાં આવે તે તમને દુઃખ થાય.” ઇસુપ્રીતે અને કહ્યુશી ખસે પણ બરાબર આ જ સંદેશ આપે છે. ઈસુએ પોતાના ગિરિપ્રવચનમાં કહ્યું છે કે, “બીજા માણસે જે રીતે તારી સાથે તે એમ તું ઇચછે તેવી જ રીતે તું તેમના પ્રત્યે વતજ ” “માણસે પિતાના આખા જીવન દરમિયાન અનુસરવા કે લેખાય એ સૌથી સાદે નિયમ શું છે” આ પ્રમાણેના પિતાના એક અનુયાયીના પ્રશ્નનો જવાબ આપતાં કેન્ફર યુશીસે કહેલું કે “ જેવા વનનની તું તારી જાત પ્રત્યે આકાંક્ષા રાખે છે તેવું જ વર્તન તું બીજાઓ પ્રત્યે રાખ.” ભગવાન મહાવીરે આ જ સંદેશને વધારે સુંદર રીતે નીચેના વાક્યમાં રજૂ કરેલ છે.
જે માણસ ગૃહસ્થાશ્રમી છે, તેણે પિતાની અહિંસાને લગતી માન્યતાને અનુસરીને દરેક જીવ પ્રત્યે દયાળુ બનવું જોઈએ. આપણે સૌ સાથે ન્યાયપૂર્વક અને સમાનભાવે વર્તવું જોઈએ.”
“સહજીવી પ્રાણીઓ પ્રત્યે કદી શત્રુટ દાખવતે નહિ. જેણે સંયમનું ધન ઉપાર્જન કર્યું છે તેને આ જ ધમ છે.”
“ દરેક જીવને દુઃખને અણગમા હોય છે, તેથી કોઈની હિંસા કરવી જોઈએ નહિ.”
" જે બીજાનું અપમાન કરશે અને દુઃખ આપશે તે આ ભવાટવીમાં લાંબે વખત સુધી ભટકયાં કરશે.”
“ બીજાને દોષ દેવો એ સારૂં નથી.” ' “ હિંસાપરાયણ માસ હિંસક કાર્યો કરે છે. અને તેમાંથી બીજા અનેક હિંસક કાર્યો જન્મે છે. સર્વ પાપ-ધ્યાપાર છેવટે અત્યન્ત દુ:ખમાં અને સુખમાં આનંદમાં અને ગ્લાનમાં આપણે સવ જીવેને આપણી જાત સરખાં જ ગણવા જોઈએ અને તેથી જ જે ઈજા આપણને પહોંચાડવામાં આવે તો આપણને ન ગમે તેવી ઈજા બીજી કોઈને આપણે પહોંચાડવી જોઈએ નહિ.”
આ જ કારણથી ઘણાખરા હિંદુઓ અને ખાસ કરીને જને અને બૌધ્ધો માંસાહારથી હંમેશાં દૂર રહે છે. જેને તાજા શાકપાંદડાં પણ લેતા નથી. કારણ કે તેમાં જીવ હોય છે અને કોઈ પણ જીવને દુઃખ આપવું તે જિન ધર્મ પ્રમાણે ભયંકર પાપ લેખાય છે. એ લોકોમાંના ધર્મચુસ્ત માણસે ઉકાળેલું પાણી પીવાની હદ સુધી જાય છે. અને તેમના સાધુઓ રખેને કોઈ જીવની હાનિ ન . થાય એટલા માટે પિતાના મેં આડે લુગડાને ટુડે બાંધે છે, અથવા રાખે છે. વળી રખેને કોઈ જીવાત કરાઈ ન જાય તે માટે તેઓ પિતાને ચાલવાને રસ્તે- પણ રજોહરણથી સાફ કરતા રહે છે. એમને અહિંસાના ધમ મુજબ જીવજંતુઓને મારવાની પણુ મના કરવામાં આવી છે અને અપંગ પ્રાણીઓને મારી નાખવાને બદલે તેમના માટે પાંજરાપોળ જેવી સંસ્થાઓ ઉભી કરવામાં આવે છે.
કેટલાક લોકો એમ ધારશે કે જેને જે પ્રકારની અહિંસાને ઉપદેશ કરે છે અને અનુસરે છે તે વ્યવહારૂ તેમ જ બુદ્ધિપૂર્વકની નથી. આ બેટ ખ્યાલ છે, તે કદાચ અવ્યવહારૂ હશે પણ તદ્દન બુદ્ધિવિહેણું તે નથી જ, તે અવ્યવહારૂ એટલા માટે છે કે માનવજાત હજી એટલી આગળ વધી નથી. જયારે માનવજાત પૂરતી આગળ વધશે અને અમુક કેટિએ પહોંચશે ત્યારે અહિંસાને ધર્મમાં સૌ કોઈ સ્વીકારશે અને તેને અનુસરશે.
ઉપરની સમાજના ઉપરથી ચાતી-હિંદી સંસ્કૃતિમાં વ્યાપી રહેલી અહિંસાની ભાવનાની રૂપરેખા આપણને જોવા મળે છે, એમાં જે હકીકતે આપી છે અને જે અવતરણ ટાંક્યાં છે એ તે તે જ હકીકતનાં અવતરણો છે કે જે આ લેખ તૈયાર કરતાં કરતાં મને સહેજપણે યાદ આવ્યાં. ચીની–અને હિંદી સાહિત્યમાં અને ધર્મશાસ્ત્રોમાં આવી હકીકત અને ઉલ્લેખે પાર વિનાનાં પડેલાં છે. તેમાંથી વ્યાજબી પસંદગી કરવી એ પણ ઘણું મુશ્કેલ છે. આ હકીકતે અને ઉલેખો માત્ર ધાર્મિક ભાવનાઓ અને નૈતિક સિધ્ધાંત રજુ કરે છે એટલું જ નહિ, પણ ઇતિહાસમાં બનેલ સાચી અને વાસ્તવિક ઘટનાઓ ઉપર આ હકીકતે અને ઉલ્લેખે રચાયેલા છે. હિંદ અને ચીનને પ્રાચીન કાળથી આજ સુધીને ઇતિહાસ જોતાં માલુમ પડે છે કે આ બંને દેશો ઉપર બહારની લડાયક પ્રજાઓએ અનેકવાર આક્રમણ કર્યું છે અને શેવ પણ કર્યું છે. તે પણ આ બંને દેશોએ કાઈ. પણ અન્ય દેશ ઉપર કદી ચડાઈ સરખી પણ કરી નથી. વળી જે પ્રજાઓએ હિંદ અને ચીન ઉપર હુમલો કર્યો : છે તે પ્રજા પણ હિંદની અને ચીનની સંસ્કૃતિમાં સમાઈ ગઈ છે અને એકરૂપ બની ગઈ ગઈ છે અને તે તે પ્રજાએ હિંદ અને ચીની લો કે સાથે રાષ્ટ્રજીવનનું એકસૂરિલાપણું અનુભવ્યું છે. .
હિદ અને ચીને એકત્ર થવું જોઈએ
આ ઉપરથી મારી સુદૃઢ માન્યતા છે અને મારા જીવનનું એક મહાન પ્રોજન છે કે દુનિયાની સૌથી મહાન બે પ્રજા–એવા આપણે ચીનીઓએ અને હિંદીઓએ અહિંસાના પાયા ઉપર જ ચીની-હિંદી સંસ્કૃતિના નામધેવાળી એવી એક સમાન સંસ્કૃતિ નિર્માણ કરવા અને સંવર્ધિત કરવા માટે એકત્ર થવું જોઈએ. આવી સંસ્કૃતિ ઉભી કરીને બાપણે એ જ પાયા ઉપર આખી દુનિયાને વ્યાપીવંળતી એવી એક સર્વસામાન્ય સંસ્કૃતિ ઉભી કરી શકીશું. અને એવી વિશ્વવ્યાપી સંસ્કૃતિ ઉભી કરીને આપણે આખી દુનિયાનું એકીકરણ સાધી શકીશું. અને એ એકીકરણ દ્વારા આજની દુનિયાને આપણે સાચી અને સ્થાયી શાન્તિ, પ્રીતિ, સંવાદિતા અને સુખમયતા તરફ દેરી શકીશું.
મૂળ અંગ્રેજી : શ્રી કાન-યુન-શાન
અનુવાદક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા