SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તા. ૧૫-૫–૫૦ સંસ્થા ઉભી કરવામાં આવે છે. અને આવા દરેક સ્થળમાં આવેલાં જૈન મંદિરોનો વહીવટ અને સંધ તેને લગતી સમિતિ અથવા તા ટ્રસ્ટી મંડળ દ્વારા કરતો હોય છે. આવા દરેક સમાજ માટે એક સામુદાયિક મીલનસ્થાન તરીકે મંદિર નિર્માણ કરવામાં આવેલ હેય છે અને તે મંદિરને નીભાવ તેમ જ સંધની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ મંદિરમાં રાખવામાં આવેલ સાત પ્રકારના ખાતાએમાં થતી આવક દ્વારા ચલાવવામાં આવે છે. આ સાત ખાતાઓ નીચે મુજબ હોય છે. ૧ ચય, ૨ જ્ઞાન, ૩ સાધુ, ૪ સાધ્વી ૫ શ્રાવક, ૬ શ્રાવિકા, ૭ સાધારણું અને આ દરેક ખાતાની આવકને લગતે એ નિયમ છે કે નીચેના ખાતાની આવક ઉપ૨ના ખાતામાં વાપરી શકાય પણ એથી વિપરીત ક્રમ મુજબ કોઈ પણ એક ખાતાની આવક બીજા ખાતામાં વાપરી ન શકાય. આમાં દેવદ્રવ્ય મથાળે છે. સાધારણ દ્રવ્ય સૌથી નીચે છે, અને તેને ઉપયોગ સંઘની કોઈ પણ પ્રવૃત્તિઓમાં અને જન ભાઈ બહેને મદદ કરવામાં પણ થઈ શકે છે. પરિણામે આ ખાતાના દ્રવ્યની માંગ સૌથી વધારે હોય છે, પણ કમનસીબે આ ખાતામાં આવક ઘણી ઓછી હોય છે. આને લીધે ઘણા મંદિરોની એવી સ્થિતિ હોય છે કે દેવદ્રવ્યના નામે મેટી રકમ જમે બેલતી હોય છે અને સાધારણ ખાતે મેટી રકમ ઉધાર બેલતી હોય છે. માલેગાંવમાં જૈન . મૂ. સંધતા આશરે ૧૫ ઘર છે અને આમ સંખ્યા નાની હોવા છતાં ધંધાધાપે સૌ કોઈ સુખી છે. આ માલેગાંવમાં એક ભવ્ય જિનાલય છે. જૈન મંદિરોમાં પહેલી પ્રક્ષાલન પૂજા, કેસરપૂજા વગેરે કોણ કરે, આરતી કોણ ઉતારે એ સબંધમાં થતી હરીફાઈને તેડ કાઢવા માટે ઉછાણ બલવાની પ્રથા સર્વત્ર પ્રચલિત છે. આ ઉછાણી અમુક મણ ધીની પરિભાષામાં બોલાય છે. આ એક મણ ધીને કેટલાક સ્થળે રૂા. ૪ ને ભાવ હોય છે, કેટલાક સ્થળે રૂા. રા ને ભાવ હોય છે. અને આ રીતે થતી આવક દેવદ્રવ્યમાં જાય છે. માલેગાંવના સંઘે પ્રચલિત માન્યતાને ધકકે ન પહોંચે અને સાધારણ ખાતા માટે પણ ચાલુ આવક થતી રહે એ હેતુથી એ પ્રબંધ કર્યો છે કે એક મણ ઘીને ભાવ રૂા. રા સ્વીકારીને ઘીની ઉછાણી બેલનારે દર મણ ઘીના રૂ. ૨ા સાથે સાધારણ ખાતામાં રૂ. ૧ આપ જ જોઈએ. પરિણામે દર મણ ધીના રૂ. ૩ ના હિંસાબે બેલાયલી ઉછાણીને હીસાબ ચુકવવું પડે છે અને સાધારણ ખાતામાં સહજપણ સારી આવક થતી જ રહે છે. આ સુન્દર પ્રબંધ યે જવા માટે માલેગાંવના સંધને ધન્યવાદ ઘટે છે અને આ પ્રબ ધનું અન્ય મંદિરના સંચાલકોને અનુકરણ કરવાનો અનુરોધ કરવામાં આવે છે. ઘણાં મંદિરના કાર્યવાહકેની સાધારણ ખાતાની આવકને લગતી ચાલુ મુંઝવણને આમાંથી એક સુન્દર તેડ મળી આવે છે. મૂર્તિપૂજક જેન આ પ્રબંધનો દીર્ધદષ્ટિપૂર્વક વિચાર કરે એવી પ્રાર્થના છે. અલગતાવાદનું ભાડું પરિણામ મનમાડથી માલેગાંવ જતાં કવળાના નામનું એક ગામડું આવે છે. સદ્દગત શ્રીમન્ત સયાજીરાવ ગાયકવાડની જન્મભૂમિ તરીકે એક ગામની વિશેષ મહત્તા છે. એ ગામની વસ્તી ૩૦૦ થી ૪૦૦ માણસેની છે, જેમાં પાંચ કુટુંબ દિગંબર જૈનેનાં પણ છે. ગયે વર્ષે દિગંબર સાધુ શાન્તિસાગરનું ત્યાં ચાતુર્માસ હતું અને તેમના ઉપયોગ માટે એક કામચલાઉ જૈન મંદિર ઉભું કરવામાં આવ્યું હતું. મુંબઈ સરકારના હરિજન મંદિર પ્રવેશ ધારાને દિગંબર જનમાં વેતાંબર મુર્તિપૂજક સમાજ કરતાં પણ વધારે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યું હતું. એ ધર્મવિરોધી’ કાયદા સામે મુનિ શાન્તિસાગરજીએ અનત્યાગ જાહેર કર્યો હતા જે સંભવ છે કે હજુ સુધી પણ ચાલ્યા કરે છે. (આ અન્નત્યાગ એટલે ઉપવાસ નહિ, પણ રાંધેલા અનાજન - ત્યાગ-છાશ કે એવું પ્રવાહી લઈ શકાય ) આ અન્નત્યાગ સાથે તેમણે પિતાના પ્રવચનમાં હરિજન સામે, તથા હિંદુધર્મ સામે આવેશભર્યો પ્રચાર શરૂ કર્યો, અને જૈનધર્મ હિંદુધર્મથી કેવળ અલગ ધર્મ છે અને હિંદુધમ' કરતાં અનેક રીતે ચડિયાતા ધમ છે–એ અભિપ્રાયનું જોરદાર સમર્થન કરતાં પરસ્પર વિદ્વેષને ખુબ વેગ આપે. ગામના લોકેને તે ભાન સરખું પણ નહોતું કે ગામમાં વસતા જેના પિતાથી જુદા ધર્મના અને જુદા સમાજના છે. શાન્તિસાગરજી તે ચાતુર્માસ પુરૂં થયે ચાલતા થયા પણ ગામની વસ્તીમાં મોટા ઝગડા મુકી ગયા. ગામના લેકેશન દિલ જેને સામે ખુબ ઉશ્કેરાયા. આ જન કુટુંબ ૫ણું ખેતી ઉપર જ નભતા હતા. આસપાસના લેકેએ આ જને સાથે બધી રીતનો અસહકાર શરૂ કર્યો અને તેમને ભારે ત્રાસ આપવા માંડે અને તેમને ગામમાં રહેવું લગભગ અશકય બનાવી મુક્યું. માલેગાંવના જન આગેવાને વચ્ચે પડયા, પરસ્પર સમાધાનીની વાટાઘાટ શરૂ કરી અને બહુ મુશ્કેલીએ એ ઝગડા અને અસહકારને સમાવ્યા. સમાજમાં આજે ફેલાઈ રહેલે અલગતાવાદ અને કેવળ સાંપ્રદાયિક મનોદશાથી ઘેરાયેલા સાધુઓના ધર્મઝનુની પ્રવચન દ્વારા તેને મળતુ સતત પેષણ કેવા કેવા અનર્થો ઉભા કરી શકે તેમ છે તેને ઉપર જણાવેલ એક નાની સરખી દુઃખદ ઘટના “ ઉપરથી સહેજે ખ્યાલ આવી શકે તેમ છે. ટૂંકામાં ટૂંકું માનપત્ર ભારતના રાષ્ટ્રપતિ માન્યવર બાબુ રાજેન્દ્રપ્રસાદ ગયા એપ્રીલ માસમાં મુંબઈ આવી ગયા તે દરમિયાન તે માસની છઠ્ઠી તારીખે બેરીવલી બાજુએ શિંપવલી નામના એક નાના ગામડામાં 'કેરા ગ્રામોદ્યોગ કેન્દ્ર' નામની એક સંસ્થા ત્રણ વર્ષથી કાર્ય કરે છે અને કેટલાક ગ્રામોદ્યોગોને પુનર્જીવિત કરી રહેલ છે. તે સંસ્થાની મુલાકાતે બાબુ રાજેન્દ્રપ્રસાદ ગયેલા. અને ત્યાં જવામાં આવેલ સર્વોદય સપ્તાહનું ઉદ્દઘાટન કરેલું. આ પ્રસંગને અનુલક્ષીને તે સંસ્થાના સંચાલકોએ બાબુ રાજેન્દ્રપ્રસાદને એક માનપત્ર અર્પણ કરેલું. આ માનપત્ર એક રેશમના ટુકડા ઉપર છાપવામાં આવેલું. કેન્દ્રમાં જ બનાવેલા ચામડાનાં સાધનોમાંથી માત્રને મૂકવા માટે એક નાની સરખી પેટી તૈયાર કરવામાં આવેલી. આપણે ત્યાં અપાતા માનપત્રમાં સાધારણ રીતે જે વ્યકિતનું સન્માન કરવાનું હોય છે તેના ગુણ વિશેષની લાંબી બીરદાવલી ખીચખીચ ભરેલી હોય છે. માનપત્રના પ્રસંગે આ પરંપરાથી કોઈ પણ સંરથા મુકત રહી શકતી નથી અને એમાં પણ માનપત્રનું પાત્ર જ્યારે કોઈ આ સાધારણ વ્યક્તિ હોય છે ત્યારે માનપત્રોનાં લખાણો ભારે હાસ્યાસ્પદ અને ઘણુજનક લાગે છે. ઉપર જણાવ્યા મુજબ કેરા ગ્રામદ્યોગ કેન્દ્રના સંચાલકો તરફથી બાબુ રાજેન્દ્રપ્રસાદને અપાયેલા માનપત્રનું લખાણ અત્યન્ત ટું, અને એમ છતાં પુરા ઔચિત્ય અને આદરથી ભરેલું હેઈન ચાલુ માનપત્ર કરતાં કોઈ જુદી જ ભાત પાડતું હતું. તે માનપત્રનું લખાણ નીચે મુજબ હતું. માનનીય રાષ્ટ્રપતિજી આપ જેવા સન્તપુરૂષનું અમારા નાના સરખા પ્રયોગ કેન્દ્રમાં સ્વાગત કરવાનો અવસર અમને પ્રાપ્ત થયે એ અમે અમારૂં પરમ ભાગ્ય સમજીએ છીએ. પૂજ્ય બાપુજી જે વિચારછે અને જીવનદર્શનને વારસો આપણા માટે મૂકી ગયા છે તે નજર સામે રાખીને અમે એક આદર્શ પ્રયોગ અને તાલીમીકેન્દ્રની રચના કરવાને પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા આ પ્રયાસમાં આપના આગમનથી અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે, અને આપના આશીવૉદથી પૂજ્ય બાપુજીએ બતાવેલા માર્ગો ઉપર ચાલવાને અવસર અને બળ અમને મળતા રહે એટલી જ અમારી પ્રાર્થાન છે. ' . કે ગ્રામોદ્યોગ કેન્દ્ર વિઠ્ઠલદાસ વ. જેરાજાણું તા. ૬. એપ્રીલ, ૧૯૫૦ અધ્યક્ષ ટ્રસ્ટી મંડળ મુંબઈ ઉપરનગર જીલ્લા ગ્રામોધોગ સંધ કેટલું ટુંકુ તથા કેટલું સમુચિત અને ભાવવાહી ! પરમાનંદ
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy