________________
અણુદ્ધ જૈન
તા. ૧-૪-પર
જહન કર,
ના ક્રોધ
રર જ
ભગવાન મહાવીર કહેતા હવા ( “સુત્ર કૃતમ' નામના જૈન આગમમાંથી ઉદધૃત કરવામાં આવેલ ભગવાન મહાવીરને અહિંસાલક્ષી ઉપદેશ)
લોકે આ જીવનના સત્કાર, માન અને પૂજન માટે કે જન્મમરણમાંથી મુકિત મેળવવા માટે કે દુઃખને પ્રતિકાર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. પિતાની તે પ્રવૃતિઓ દ્વારા તે આતુર લોકો સવંત્ર બીજા પ્રાણની હિંસા કરતા હોય છે કે તેમને પરિતાપ આપતા હોય છે. એ વસ્તુ તેમને માટે અહિતકર છે, અને સાચું જ્ઞાન પ્રાપ્ત થવામાં આડે આવનારી છે......વિવિધ જીવને ઘાત કર એ બંધન છે, મૃત્યુ છે તથા નરક છે.
પ્રાણીની શાંતિને વિચાર કરીને તથા તેને બરાબર સમજીને (ભગવંત મહાવીર) કહું છું કે, બધાં ભૂત પ્રાણીએને પીડા, અશાંતિ કે ભય એ દુ:ખરૂપ છે. માટે મેધાવી પુરૂષ તેમની હિંસા ન કરવી કે ન કરાવવી. જે માણસ વિવિધ પ્રાણની ' હિંસામાં પિતાનું જ અનિષ્ટ અને અહિત જોઇ શકે છે, તે તેને ત્યાગ કરવા સમયે થઈ શકે છે. જે માણસ પિતાનું દુઃખ જાણે છે, તે બહારનાનું દુઃખ જાણે છે......મનુષ્ય અન્ય જીવોની બાબતમાં બેદરકાર ન રહેવું. જે અન્ય જીવની બાબતમાં બેદરકાર રહે છે, તે આત્માની બાબતમાં પણ બેદરકાર રહે છે; તથા જે આત્માની બાબતમાં બેદરકાર રહે છે, તે અન્ય જીવની બાબતમાં પણું બેદરકાર રહે છે....... જે શ્રમણ બ્રાહ્મણે એમ કહે છે તથા ઉપદેશે. છે કે, બધા ભૂત પ્રાણોને મારવાં જોઈએ, તેમની પાસે 'બળાત્કારે કામ કરાવવું જોઈએ, કે તેમને રિબાવવાં જોઈએ, તે બધા ભવિષ્યમાં પણ એ જ રીતે છેદભેદ તથા જન્મ–જરા-મરણ પામશે અને અનેક નિઓમાં ભટક્તા ભટકતા ભવપ્રપંચના કકળાટ ભોગવશે. તેમને માતૃમરણ પિતૃમરણ ભ્રમરણ તથા એ જ પ્રમાણે ભાર્યા, પુત્ર, પુત્રી, તથા પુત્રવધુનાં મરણનું દુઃખ ભેગવવું પડશે; તથા દારિદ્રય, દૌર્ભાગ્ય, અપ્રિય પ્રાપ્તિ, અને પ્રિયવિગ વગેરે બહુ પ્રકારનાં દુઃખ દૌમનસ્ય ભેગવવાં પડશે. તેમને સિધ્ધિ કે બોધ પ્રાપ્ત થવાં અશકય થશે, તથા તેઓ સર્વ દુ:ખેને અંત લાવી શકશે નહી.
સદ્દગુરૂનું શરણ સ્વીકારી, સધ્ધર્મનું જ્ઞાન પામેલે ભિક્ષુ જોઈ શકે છે કે, આ જગત સ્થાવર અને જંગમ એ બે પ્રકારે વિભકત થયેલું છે. તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને હાલતાં ચાલતાં (ત્રણ) પ્રાણીઓ એમ છ પ્રકારના છના વર્ગો પિતપોતાનાં કર્મ અનુસાર આવી રહ્યા છે. એ છ વર્ગો જ એક બીજામાં આસકિતથી, પરિગ્રહથી, તથા પરિણામે થતાં હિંસાદિથી કર્મબંધનનાં નિમિત્ત બને છે. પરંતુ જેમ મને કઈ લાકડી વગેરેથી ભારે અથવા પીટે અથવા કોઈ મારે તીરસ્કાર કરે કે બીજી રીતે મને રિબાવે અથવા મારી નાંખે–અરે માત્ર મારા વાળ ઉખાડે તે પણુ મને દુઃખ થાય છે, તેમ જ બધા છોને પણ થાય છે. માટે કોઈ પણ જીવની હિંસા ન કરવી, તેમ જ કોઈ પણ પ્રાણીને મારવું નહીં, રિબાવવું નહીં, બળાત્કારથી તેની પાસે કામ કરાવવું નહીં કે તે ઈચ્છાથી તેને પાળવું નહીં. જે કોઈ અરિહંત ભગવાન થઈ ગયા છે, હાલમાં છે કે ભવિષ્યમાં થશે, તે બધા આમ જ કહે છે તથા આમ જ ઉપદેશે છે. એ ધમ ધવ છે, નિત્ય છે, તથા શાશ્વત છે અને સમગ્ર લેકનું સ્વરૂપ જાણીને, અનુભવી તીર્થકરેએ કહેલા છે.
પરંતુ જ્યાં સુધી મનુષ્યમાંથી સર્વ પ્રકારના દોષ દૂર થયા નથી; ત્યાં સુધી તે મન-વાણી-કાયાથી સંપૂર્ણ અહિંસા પાળી શકવાનો નથી. મહાસત્તાવાળા બુધ્ધિશાળી મનુષ્ય જિતેંદ્રિય થઈ, વિષય ભેગેથી નિવૃત્ત થવું અને સંયમાદિમાં પરાક્રમી બની વિચ રવું; તેણે અતિ માન-માયા-ક્રોધ-લોભથી દૂર રહેવું. ટુંકમાં તેણે
મુંબઈના પંતપ્રધાનને સંદેશો તા. ૩૧-૩–૧૦ શુક્રવારની સવારે મુંબઈની ધારાસભાના પ્રમુખ. માન્યવર શ્રી કુંદનમલ ફીદિયાના પ્રમુખ સ્થાને મુંબઈમાં વસતા જૈનેની એક જાહેર સભા ગેડીજીના ઉપાશ્રયની વ્યાખ્યાન શાળામાં મળી હતી. શારીરિક અસ્વસ્થતાના કારણે આ જ સભાનું પ્રમુખસ્થાન શોભાવવાને અશક્ત બનેલા મુંબઈ પ્રાન્તના મુખ્ય પ્રધાન માન્યવર બાળાસાહેબ ખેરે આ પ્રસંગે નીચે મુજબ સંદેશ મેકલ્યા હતા :–
આજના મંગળ દિવસે હું આપ સર્વની વચ્ચે ઉપસ્થિત થઈ શક હોત તે મને કેટલો બધે આનંદ થાત? પણ કમનસીબે એ પ્રમાણે બનવા સર્જાયું નહોતું!
“બહાદુરી-શૂરવારતા-વિષેને સામાન્ય ખ્યાલ એ છે કે જે અન્ય કરતાં વધારે નાશ કરી શકે, નુકસાન કરી શકે તે બહાદુર કહેવાય. જે પિતાના પ્રતિપક્ષીને નાશ કરવાને ઉસુક હોય, તત્પર હોય અને શકિતમાન હોય તેને શુરવીર લેખવામાં આવે છે. આ બાબતને વધારે વિચાર કરતાં માલુમ પડે છે કે બીજું એક એવું વીરત્વ છે કે જે આ સ્વીકૃત વીરવ કરતાં પણ વધારે ઉચ્ચ કોટિનું છે. હિંસા ભયમાંથી જન્મે છે. જે દુશ્મનને આપણે નજરોનજર નિહાળી શકીએ છીએ તે કરતાં પણ અગોચર એવા અન્તરશત્રુઓને જીતવા વધારે મુશ્કેલ છે. આ યુદ્ધ અવિરતપણે ચાલ્યા જ કરે છે. પિતાના નિશ્ચયને અડગપણે વળગી રહેવા માટે દુઃખ અને યાતના સહન કરવાની અમર્યાદિત તૈયારીની અપેક્ષા રહે છે. બહારના ક્રોધ કે ભયને સામને કરવા માટે જે બળની જરૂર પડે છે તે કરતાં આન્તરપુઓનું દમન કરવા માટે ઘણું વધારે બળની આવશ્યકતા રહે છે. ભગવાન મહાવીરના ઉપદેશમાંથી આ સત્ય આપણને પ્રાપ્ત થાય છે. દુનિયાના મહામાં મહાન સન્તપુરૂષોને અનન્ત શકિતનું દર્શન થયું હતું. સત્યનું દર્શન થયા બાદ તેને તેમણે પ્રચાર કરવા માંડયું હતું અને દુનિયાના લોકોને ઉપદેશ દેવાનું શરૂ કર્યું હતુંઆંની પાછળ દુઃખદલિત માનવજાત માટે તેમના દિલમાં અનંત પ્રેમ અને કરૂણા રહેલાં હતાં. આજ માત્ર અહિંસાને સિધ્ધાન્ત છે. દુનિયાની કોઈ પણ પ્રજાએ હજુ સુધી અહિંસાને દયેય તરીકે સ્વીકારેલ નથી. મહાવીરના અનુયાયીઓની પ્રજા જે ઉભી કરી શકાય તેમ હોય તે માત્ર તે જ પ્રજા અહિંસાને પિતાના યેય તરીકે જાહેર કરી શકે તેમ છે.
“ આવા ક૯૫નાશિખર ઉપરથી જ્યારે જેઓ પોતાને મહાવીરના અનુયાયીઓ કહેવરાવે છે તેમણે ઈશુખ્રિીસ્તના અનુયાયી બે માફક પિતાને મળેલ અમૂલ્ય વારસાની જે અવદશા કરી છે તે જ્યારે આપણે નિહાળીએ છીએ ત્યારે આપણું હૃદય અત્યન્ત વેદના અનુભવે છે. આપણને મળેલા સત્યની આજે અને હમણા ઘર ઘરના છાપરે છાપરેથી આપણે ઘોષણા કરવી જોઈએ અને તદનુસાર આચરવાને જીવન જીવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરે એકજ આપણું ઉધ્ધારને સાચે માર્ગ છે. એ યાદ રાખો કે સ્વતંત્ર ભારતે વાવ ગવરે એ સૂત્રને પોતાના જીવનસિદ્ધાન્ત’ તરીકે સ્વીકારેલ છે. મહાવીરના અનુયાયીઓ પાસેથી ઘણી ઘણી બાબતોની આશા રાખવામાં આવે છે. ભગવાન મહાવીર આપણને સદા પ્રેરણા આપતા રહે, અને આપણું ઉપર આશીર્વાદ વરસાવતા રહે અને તેમને ધર્મોપદેશ આજના વેદનાવિહળ જગતમાં સદા સર્વત્ર પ્રસરતે રહે!” સવ સારા કર્મ આચરવાં અને પાપ કર્મો ત્યાગવાં. તેણે તપાચણમાં પરાક્રમી બની, નિર્વાણુને નક્ષત્રમાં ચંદ્રમાની પેઠે શ્રેષ્ઠ માની તેને સાધવામાં પુરૂષાર્થી થવું. જેમ આ જગત સર્વભૂત પ્રાણીઓનું આધારસ્થાન છે, તેમ જે બુધ્ધ થઈ ગયા છે ને હજી થવાના છે, તેમનું પણ નિર્વાણ એ જ આધારસ્થાન છે, માટે તેણે ઇંદ્રિયનું દમન કરી, તે નિર્વાણ જ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવું.