SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : ૧૧ અક : રર } શ્રી મુખઇ જૈન યુવક સધનું પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જૈન તંત્રી: મણિલાલ મેાકમચંદ્ર શાહ મુંબઈ : ૧૫ માર્ચ ૧૯૫૦ બુધવાર શ્રી કાનજી મુનિના નવા પંથ આ મહિનામાં, રાજકાટ શહેરમાં શ્રી કાનજી મુનિની રાહબરી નીચે, શ્રી. સિમ ધર પ્રભુની પ્રતિમા અને શ્રી પ્રવચનસારની પ્રતિષ્ઠા થયાં. પ્રતિષ્ઠા માટે તેર દિવસને કાયક્રમ યેાજાયા હતા, અને તેમાં ૬ પરમ પૂજ્ય સત્પુરૂષ આભનુ ' શ્રી કાનજી મુનિને રાજકાટમાં પ્રવેશ ' થી લઇ શાંતિયજ્ઞ સુધીની યેાજના હતાં. આ તેર દિવસમાં જલયાત્રાએ, વરધેડાએ, પચકલ્યાણક ઉત્સવેા, નંદીશ્વર મંડળ વિધાન વગેરેની રચના હતી. જૈન સમાજના નખીરાએએ આ પ્રસંગને અનુરૂપ નાટક ભજવવાનું હતું. આ નાટકનાં પાત્ર થવામાં તેમને મન કૃતકૃત્યતા હતી. ઈન્દ્ર અને ઇન્દ્રાણીઓ, સૌધિ'ક દેવા અને દેવાંગનાએ, તીય કરનાં માતાપિતા, અને કુટુંબકખીલા, કુમેરા વગેરે પાઠ અપાયાં, રજવાડાંએ સૌરાષ્ટ્રમાં વિલીન થયા એટલે હાથી મળવા મુશ્કેલ : તે કાગળનાં ઊભા કરાયાં; તેમનામાં જીવ ન મુકાયે! પણ શ્રી કાનજી મુનિએ પ્રતિષ્ઠા તે કરી જ! ગભ કલ્યાણુની પૂવ કયા, પશ્ચાક્રિયા, ઝુલા, રાજતિલક, તપકલ્યાણુ, આહારદાનક્રિયા, જ્ઞાનકલ્યાણક, સમવસરણ, નિર્વાણુકાજી વગેરે પ્રસંગે ભજવાયા, આ દિર પાછળ શ્રી કાનજી મુનિના ઉપદેશથી તેના ભકતાએ બેથી અઢી લાખ રૂપિયા ખર્યાં છે; અને આ ઉત્સવ પાછળ અધ લાખ ઉપરાંત ખચ થયા. જે સમયે આર્થિ ક સંકડામણુ વધુ ને વધુ ભીંસ કરી રહી છે, ત્યારે જૈનેતર ભાઈઓને માટે ઠીક, પણ સામિ`કભાઈએ તરફ મીઠી નજર નાખી તેમને ટકા આપવા જોઈએ ત્યારે તે તરફ્ દુલ ક્ષ સેવી જૈન સમાજના સાધુ વગ' જતાને આવા ખોટા ભભકાએ અને ઉત્સવ તરફ દારે એ ભાર ખેદની હકીકત છે. આ બુદ્ધિવાદના યુગમાં, સમજદાર વ્યકિતઓના સહકારથી, બુદ્ધિવાદી અને કુશળ ગણાતી વ્યકિતઓના ટેકાથી આ લીલા ભજવાઇ એ વધુ ખેદની વાત છે. જે કુટુંબને ત્યાં મહાત્મા ગાંધીજી ઊતરતા; જે જસાણી કુટુંબનાં સભ્ય મહાત્મા ગાંધીજીના અનુયાયી કહેવરાવવામાં ગૌરવ લેતાં, એ જ કુટુંબની 'લગભગ મેટા ભાગની વ્યકિતઓએ રસપૂર્વક આમાં ભાગ લીધા, તનમનધનથી પૂરા સહકાર દીધા અને શ્રી કાનજીમુનિની આ જમાનાને જરા પણ નહિં અનુકૂળ એવી પ્રવૃત્તિને વેગ આપ્યા. ગાંધીજીને થોડી ક્ષણાને પણ સ`પક' કાઇ પણ વ્યકિત માટે પારસસ્પર્શ ગણાતા : આ કુટુંબ પર ગાંધીજીની !! અસર જાણે કે નથી રહી એ જાણી આશ્ચય થાય તેમ છે, સમજી આાજના યુગને મુખ્ય રોગ તે નેતાગીરી મેળવવાને ધમ અને રાજકારણનાં ક્ષેત્રમાં આ રાગે ચેપીરાગની ઝડપથી પ્રગતિ સાધી છે. રાજકારણુના ક્ષેત્રે આ રાગની વ્યાપક અસર શકાય; કારણકે તેમાં વ્યકિતગત લાભાલાભને સવાલ છે; પરંતુ ધમ' જેવા ક્ષેત્રે, જ્યાં સર્વસ્વ ત્યાગ કરી, રાગદ્વેષ છેડી, માયાનાં ખધાં બંધનાથી મુકત થવા, આંતરમુકિત મેળવવા, આત્માના વિકાસ સાધવા વ્યકિત પ્રવેશે, ત્યાં પશુ નેતાગીરીને રાગ પ્રવેશે એ આ યુગના મહિમા છે. થે!ડાં વર્ષોંથી શ્રી કાનજી મુનિએ સેનગઢમાં એક નવા પથ શરૂ કર્યાં છે. વર્ષાનાં વીતવા સાથે એ. પથે નવા સંપ્રદાયનું” સ્વરૂપ હું ન ખી ૪૨૬૬ { વાર્ષિક લવાજમ રૂપિયા ૪ પકડયુ' છે, જ્યારે વિચારકા રાષ્ટ્રમાંથી પથે! અને ઉપપ ́થા દૂર કરવાના વિચાર કરી રહ્યા છે, ત્યારે આ નવા પંચથી એકનુ ઉમેરણ થાય છે. શ્રી કાનજી મુનિના વિચારે આમાર્ચીના હો; પરંતુ તેમની કેટલીક પ્રવૃત્તિએ સાનગઢમાં જ તેમને માટે એક નવા સંસાર ઊભા કર્યાં છે. તેઓએ સાનગઢમાં એક માટે આશ્રમ સ્થાપ્યું . છે; કારણકે આશ્રમ સિવાય ભકતા ખેંચાને આવે નહી, જૈન સાધુએ એક સ્થળે સ્થિરતા કરી જ ન શકે છતાં તેમણે એક જ સ્થળે સ્થિરતા રાખી છે; જેથી ભકતને સ્થાયી વસવાટ કરવાની અનુકૂળતા રહે. નેતાગીરી સરળતાથી નથી સ્થપાતી, કંઇક નાવિન્ય બ્લેઇએ. શ્રી કાનજી મુનિ વિચક્ષણ છે. તેમણે નવા રસ્તા ગ્રહણ કર્યાં છે. સમાજની નબળી કડીએ તેમણે જોઇ લીધી છે, અને એ નબળી · કડીઓના ઉપયાગ કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્રના ભકતા અને પ્રશ ંસકેને આક'વા શ્રીમદ્ રાજચંદ્રના તેમણે આશ્રય લીધો, તે દિગબરાને આકષવા ‘ પ્રવચનસાર 'તે મહત્ત્વ આપ્યુ. અહિંસાના ઉદ્ભાષક શ્રી મહાવીરને બધા જ જૈન સ`પ્રદાયા માને છે છતાં નમણે, જેમના વિષે કલ્પના સિવાય કોઇ હકીકત નથી; જેએ મહાવિદેહક્ષેત્રમાં જ વિરાજે છે અને જે મહાવિદેહ ક્ષેત્ર કયાં છે તેની કાષ્ઠને ખબર નથી ત્યાંના, જૈન શાસ્ત્રમાં ઉલ્લેખાયેલા શ્રી સિમધર સ્વામીને પ્રતિષ્ઠા અપી'. ‘ દુનિયા ઝૂકતી હૈ; ઝુકાનેવાલા ચાહીએ ' શ્રી કાનજી મુનિએ નવે સંપ્રદાય શરૂ કર્યાં. દિગંબરાને લાગ્યું: આ નવી વિચારસરણીમાં આપણા વિજય છે. એટલે તેમણે કાનજી મુનિને મહત્ત્વ આપ્યું : રાજચંદ્રભકતને શ્રીમદ્ રાજચંદ્રના વિચારોના પ્રચાર માટે આંહીં ચાગ્ય ભૂમિકા જણા; તે આકર્ષાયા. ભગવદ્ગીતાના પરમ ઉપાસક ગણાતા શ્રીવિદ્યાનંદજીએ. અમદાવાદમાં અને પછી સ્થળે સ્થળે ‘ગીતાજી ’ની પ્રતિમા સ્થાપી : તેમ શ્રી કાનજી મુનિએ ‘પ્રવચનસાર'ની પ્રતિષ્ઠા કરી. શાને માટે આ બધું? ફકત શ્રી કાનજી મુનિની પ્રતિષ્ઠાની સ્થાપના માટે. નહિ તે પૈસા ખર્ચવા માટે ખાઁવવા માટે શુ ખીજા રસ્તા નહાતા ? સુધારકને મન માન્ય હૈાય એવી રીત રસમે તે ન સ્વીકારે, પશુ જેને તેએ ધમ સમજે છે, જેતે તે ક્રિયા કહે છે, અને માન્ય હાય એવા ખીજા રસ્તા ઘણા હતા. પરંતુ એવા રસ્તાઓથી સેનગઢમાં ભવ્ય શ્રમ ન બાંધી શકાય, રાજકાટમાં જિનાલય ન ગણાવી શકાય; અને એ ન રચાય, તે શ્રી કાનજી મુનિની પ્રતિષ્ઠા પરલોક પૂરતી જ મર્યાદિત રહે; આંહીંનું શુ? પરંતુ જનતાએ હવે સમજવાની જરૂર ઊભી થઇ છે. નવા મદિરા, મઠો કે ઉપાશ્રયેા સ્થાપવાના યુગ વીતી ગયા છે. હવે સ્થાવર નહિ પણ જંગમ આશ્રમ સ્થાપવાને યુગ આવી . પહેંચ્યા છે. શ્રી રવિશંકર મહારાજ, શ્રી પુણ્યવિજયજી મુનિ, શ્રી સંતખાલજી, શ્રી વે', શ્રી કિશોરલાલ મશરૂવાળા, શ્રી વિતાખા ભાવે, વગેરેના આ જમાના છે. સાચા. અય'માં સાધુએ તે છે. યુવકોએ —જસાણી કુટુંબના વિચારશીલ યુવક જેવા યુવાએ—ક્ષણભર (અનુસંધાન પૃષ્ઠ ૧૮૬ જુએ །
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy