SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ 'પ્રબુદ્ધ જૈન : - તા. ૧-૩-૫૦ જે મોટા ભાગે મધ્યમ વર્ગ અને તેથી નીચલા થરને બોલે છે તેની વર્તમાન પરિસ્થિતિ રજુ કરીને નીચે મુજબની વૈજનાઓ સૂચવવામાં આવી છે. (૧) જીવનનિર્વાહની જરૂરી વસ્તુઓ વગેરે ઓછા દરેથી પુરી પાડવા આરે સ્થળે સ્થળે ખેલવા અને તે માટે જરૂરી છે ઊભાં કરી સ્થાનિક સમિતિઓ દ્વારા કામ ઉપાડવું. (૨) નાના નાના હુન્નર ઉદ્યોગને મદદ કરવા સારી પાટલ સાથેના સહકારી મંડળે ઉભા કરવાં તેમ જ તેવા તેવા ઉદ્યોગને શીખવવા જરૂરી શિક્ષણુ સંસ્થા સ્થાપવી. (૩) નાના નાના હુન્નર ઉદ્યોગો તેમ જ ગૃહ-ઉદોગે શીખવવા તથા ચલાવવા ઉદ્યોગ–મંદિર સ્થાપવું. (૪) શ્રી–ઉપયોગી ઉદ્યોગ શિવણ-ભરત-ગૂંથણ-ચિત્રકામ આદિનું શિક્ષણ આપનારી સંસ્થા સ્થાપવી. (૫) તે ઉપરાંત કોન્ફરન્સ માને છે કે જૈનેના મધ્યમ વર્ગને ધંધારોજગારમાં સહાય આપવા અને તેમને વ્યાપાર ઉદ્યોગના સાધનની અનુકૂળતા કરી આપવા માટે સહકારી અને અન્ય ધોરણે એક મોટી ઔદ્યોગિક અને નાણાંકીય સંસ્થા સ્થાપવી જરૂરી છે અને તેથી આ અધિવેશન કોન્ફરન્સના પ્રમુખશ્રીને ઉપરોકત કાર્ય માટે કમીટી નીમવા અને યોજના ઘડી કાઢવા અધિકાર આપે છે તેમ જ આ યુ.જનાને સત્વર મૂર્ત સ્વરૂપ આપવા આગ્રહ કરે છે. કેટલાયે યુવક નીકળી આવ્યા. તેમને તે આ બાળની પરિસ્થિતિની ખબર જ નહિ એટલે આ ઠરાવ વિષયવિચારિણી સમિતિમાં એકાએક ફુટી નીકળતા જોઇને તેમને ભારે આશ્ચર્ય અને આધાત થયા. એવામાં જ્યારે વળી એ જ પ્રસંગે અધિવેશનના પ્રમુખસાહેબે જણાવ્યું કે આ ઠરા સંબંધમાં હું આ અધિવેશનનું ઉદ્દઘાટન કરનાર આપણા કસ્તુરભાઈ શેઠને મળ્યો હતો અને તેમણે પણ ખાસ કહ્યું છે કે આ ઠરાવે તે કેન્ફરન્સે પાસ કરવા જ જોઈએ ત્યારે તેમની તેમ જ અન્ય અનભિજ્ઞ સભ્યની અજાયબીને પાર ન રહ્યો. આ યુવકોએ આ ઠરાને સખ્ત વિરોધ કર્યો અને ત્યાં હાજર , રહેલા જવાબદાર આગેવાનોના કહેવા મુજબ જો મહારાજશ્રીને આ પ્રશ્ન 'પરત્વે આ ઉપયોગ કરવામાં ન આ હેત તે આ ઠરા જાહેર અધિવેશનમાં આટલી આસાનીથી તે કઈ કાળે પણ પસાર થઈ શક્યા ન જ હેત. આ પ્રત્યાઘાતી ઠરાને વિરોધ કરનાર મારવાડના યુવકને ખરેખર ધન્યવાદ ઘટે છે. આગલી જ કોન્ફરન્સમાં જે કરો ઊડી ગયા હતા તે જ ઠરા-પ્રસ્તુત ઠરાવને અંગે વચગાળે કશી પણ નવી પરિસ્થિતિ ઊભી નહિ થયેલી હોવા છતાં પણ-આ કોન્ફરન્સમાં લાવવામાં આવ્યા અને પસાર કરવામાં આવ્યા આ ઘટનાએ કોન્ફરન્સના ઠરાનું મૂલ્ય બહુ હળવું બનાવ્યું છે અને એ જ ઠરાવે આગામી કોન્ફરન્સમાં રદ કરાવવાની અને આ ઝગડા ચાલુ રાખવાની પ્રગતિશીલ અને અગ્ય : દીક્ષાના વિરોધી યુવકને પ્રેરણા આપી છે અને જે ખરેખર આ વિષમ ચર્ક ચાલ્યા જ કરે તે તેની બધી જવાબદારી આ ઠરાવને ફરીથી જીવતા કરનારા આગેવાનોને શિરે રહેશે. આ બે ઠરાવો આગળની કાન્ફરન્સમાં પસાર થયા હતા તે તેમાંના પહેલા કરાવના કારણે પહેલાંની બે કોન્ફરન્સનું જ માત્ર નાક કપાયું હતું, પણ આ કોન્ફરન્સે તે આ ઠરાવ પસાર કરીને પહેલાંની બે કેન્ફરન્સ ઉપરાંત છેલ્લી કેન્ફરન્સનું પણ નાક કાપ્યું છે. કેન્ફરન્સના બંધારણમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. તેમાં સૌથી મહત્વને સુધાર એ છે કે જુના બંધારણ મુજબ કોઈ પણ ગ્રેજ્યુએટ ગ્રેજયુએટ હોવાના કારણે કેન્ફરન્સમાં પ્રતિ- નિધિ તરીકે ભાગ લઈ શકતા હતા. ગ્રેજ્યુએટનો આ હકક નવા ફેરફારના પરિણામે લઈ લેવામાં આવ્યા છે. એક રીતે આવી કોન્ફરન્સમાં પ્રતિનિધિ-ડેલીગેટ-તરીકે જે કોઈ આવે તે પ્રમાણ- ભૂત સમિતિ તરફથી ચુંટાઇને આવે એ વધારે ઇચ્છવા એગ્ય છે, અને એ દૃષ્ટિબિન્દુથી અને આવી રચના કરીને આ હક લઈ લેવામાં આવ્યા હતા તે તેમાં કશું ખોટું નહોતું. પણ જ્યાં કોઈ પણ સંઘ, સભા, મંડળ કે સંસ્થા પાંચ પાંચ પ્રતિનિધિઓ મેકલી શકે છે અને જ્યાં સ્થાનિક સંધ આ બાબતમાં ગતિમાન ન થાય ત્યાં આ હેતુ માટે બોલાવેલી જનોની જાહેર સભા પણ પાંચ' પ્રતિનિધિ મોકલી શકે છે ત્યાં ગ્રેજ્યુએટને આ હકક છીનવી લેવામાં સંસ્થાના સંચાલકોએ ડહાપણ કર્યું નથી. આમાં પણ જુનવાણી વિચારના લેકેની લાંબા વખતની-અંગ્રેજી ભણેલા સામેની ધૃણામાંથી પેદા થયેલી-માંગણીને સ્વીકારીને તેમને ખુશ કરવાને જ પ્રયત્ન કરવામાં આવ્યું છે અને એ રીતે આ પ્રશ્ન ઉપર ૫૭ એક મેટી પીછેહઠ કરવામાં આવી છે. હિંદીને નવા રાજ્યબંધારણમાં રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવામાં આવી છે તે બાબતને આવકાર આપતાં ત્રણ વર્ષ બાદ માત્ર હિંદી ભાષાને જ કોન્ફરન્સની સમગ્ર કાર્યવાહીમાં ઉપયોગ કરવાનું ઠરાવ કરવામાં આવે છે. મુંબઈમાં જ્યાં સુધી કોન્ફરન્સનું મુખ્ય કાર્યાલય છે ત્યસુધી આ ઠરાવને અમલ શકય બનવાને નથી તેમ જ આવા ઠરાવની એવી કોઈ ખાસ આવશ્યકતા પણ નહતી. *. આ કેન્ફરન્સે મધ્યમ વર્ગને રાહત આપવાને લગતે એક બહેળો અને પહેળો ઠરાવ કર્યો છે આ ઠરાવમાં જૈન સમાજ આ ઠરાવનું મૂલ્ય ઠરાવમાં દર્શાવેલી યોજનાઓમાં રહેલું નથી પણ એ જનાઓને કેટલું મત સ્વરૂપ અપાય છે તેમાં જ રહેલું છે. આ પેજના કાર્યકર્તાઓના એક સારા દળની તેમ જ જૈન શ્રીમાન પાસેથી લાખો રૂપીઆની અપેક્ષા રાખે છે. આ ઠરાવને રજુ કરનાર જાણીતા કેગ્રેસ-કાર્યકર શ્રી નાથાલાલ પરીખ છે; અનુમોદન આપનાર જાણીતા અગ્રગ ન્યા રતિલાલ મણિલાલ નાણાવટી છે. કેન્ફરન્સના પ્રમુખ શ્રી. કાન્તિલાલ ઈશ્વરલાલે પણ પોતાના ભાષણમાં આ બાબત ઉપર સોથી વધારે ભાર મૂકે છે. વળી જેમના શુભ હસ્તે આ અધિવેશનનું ઉદ્ધાટન થયું છે તે શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ સૂચવેલા બને ઠરાવો કાયદે આઝમ ઝીણુના ૧૪ મુદ્દા માફક અક્ષરશઃ પસાર થવા છે એટલે તેઓ પણ કેન્ફરન્સના આ નિરુપદ્રવી કાર્યને તન મન અને ધનથી પુરે ટેકો આપશે એવી આશા અસ્થાને નહિ ગણાય. જે આ ચાર મહાશયે ખરેખર કમર કરે અને જન સમાજમાં ચેરફ ધ ની વળે, મન મૂકીને ધન આપે અને તન મૂકીને સેવા આપે તે આજે અલગ રહેતા અનેક આગેવાની જરૂર કોન્ફરન્સમાં જોડાય અને બધી રીતનો સાથ આપે અને મધ્યમ વર્ગને રાહત આપવાની દિશામાં જરૂર કાંઈક મહત્વનું કાર્ય નીપજે અને આ અધિવેશનમાં કેન્ફરન્સે સ્વીકારેલી પીછેહઠેના બદલામાં કાંઈક તો મેળવ્યું એમ કહેવાય. પણ એ દિન કહાં કે કેન્ફરન્સકે પાંઉમે જુતિયા ? જૈન સમાજમાં પ્રવર્તતું વાતાવરણ જોતાં આ અધિવેશને હરિજન મંદિર પ્રવેશને તેમ જ હિંદુ કોડ બીલને વિરોધ કર્યો નથી એ આશ્ચર્ય પમાડે તેવું છે. જાણવા મળે છે તે મુજબ હરિજન મંદિર પ્રવેશને વિરોધ કરનારા ઠરાવો તે કેટલીયે વ્યકિતઓ તરફથી પ્રમુખ સાહેબ તરફ મોકલવામાં આવેલા, પણ પ્રમુખ સાહેબે કુનેહથી તે ઠરાને અધ્ધર રાખેલા અને છેવટે સમથના અભાવે બીજા કેટલાક ઠરાવે માફક એ ઠરાવે પણ ઠેલાઈ ગયા. હિંદુ કોડ બીલ જૈનને પણ લાગુ પડવાનું જ છે એમ છતાં આ અતિ
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy