SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુખઈ જૈન યુવક સધનુ પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જૈન તંત્રી: મણિલાલ મેકમચંદ્ર શાહ મુખઈ : ૧ માર્ચ ૧૯૫૦ બુધવાર ન તા આપણને ધર્મમાં શ્રદ્ધા છે: ન તા એ પ્રકારનું આચરણ’ [તા. ૨૭ ડિસેમ્બર ૧૯૪૯ના રાજ મદ્રાસમાં, શ્રી ભારત જૈન મહામંડળનુ ત્રીસમું અધિવેશન મળ્યુ હતુ. તેના પ્રમુખસ્થાને વર્ષોંનિવાસી, મૂકસેવક શ્રી રિષભદાસ રાંકા હતા. તેમના મનનીય વકતવ્યમાંથી મહંત્ત્વના ભાગને શ્રી ધીરજલાલ ધ શાહે હિંદીમાંથી કરેલા અનુવાદ નીચે આપવામાં આવ્યેા છે. ] સમાજની સ્થિતિ વ : ૧૧ અક : ૨૧ આજે અમારા સમાજ, નાના નાના સંપ્રદાયમાં વહે’ચાઇ ગયા છે. દરેક સંપ્રદાય પોતાની માન્યતા અને આચારમાં એવા ફસાઈ ગયા છે કે, કાષ્ઠની દૃષ્ટિ પોતાનાથી આગળ નથી જતી, કાષ્ઠ વિચાર કરવાને પશુ નથી ઈચ્છતુ; આટલું જ નહિં પરંતુ એકબીજાએ પેાતપાતાની માન્યતા એકબીજા પર લાદવા માટે યત્ન કરે છે, અને પોતે જ પરસ્પર સંધષ' ઉત્પન્ન કરે છે. આનુ પરિણામ એ આવે છે કે, માન્યતાઓના પ્રચારમાં જ કાઇની શકિતના બીજે સ્થળે ઉપયાગ થઇ શકતા નથી. બહુ જ દુ:ખની વાત છે કે, અમારી જ્ઞાનગંગા સુકાવા લાગી છે, અને તેમાં કવ ઉત્પન્ન થવા લાગ્યા છે. આ કાદવને એકખીજા પર ઉછાળવામાં અમે એટલા બધા ગરક થઇ ગયા છીએ કે, અમારી આ વૃત્તિથી અમને પેાતાને જ અને ધમ ને કેટલું નુકસાન થઇ રહ્યું છે. તેના પણ વિચાર નથી કરી શકતા. સાચે જ, આપણી સ્થિતિ બહુ જ નાજુક અને વિષમ બની ગઇ છે. દુનિયાની પાંસ્થતિ રાજ-બ-રાજ બદલાઈ રહી છે, અને તે પૂરવેગે આગળ વધી રહી છે; છતાં આપણે ધમ”ના નામે રૂઢિઓથી વિકૃત એવા સંસ્કા રાથી લપેટાયેલાં જ રહ્યા છીએ. અહિંસા ૨૭. નં. ી ૪ર૬૬ તું મને તે ખ્યાલ પણ નથી કે, ભગવાન મહાવીરે અહિંસાની વ્યાખ્યા, મર્યાદા વગેરે પર જેટલા સુક્ષ્મ વિચાર કર્યો છે, અને તેને જીવનમાં ઉતારેલ છે, એવા સરળ પ્રયાગ," પ્રાચીન કાળમાં બીજા કજીએ કર્યાં હાય ! તે એવું કયુ કારણ છે કે, સાના આ મહાન ઉપાસકને અન્ય રાષ્ટ્ર અથવા ધર્માં ઉલ્લેખ સરખા પણ નથી કરતા ? આમાં કેવળ અન્ય રાષ્ટ્ર કે ધના દેષ નથી; જો તેમને જન તંત્ત્વ, મહાવીર તથા અહિંસાને પરિચય મળી શકે તેવું સહજ ગમ્ય સાહિત્ય મળી જાય તે તે તેના તરફ્ આકર્ષાયા વગર રહે જ નહિ. આપણા આચારવિચારની પણ લોકા પર અસર નથી, આપણે સૌએ અહિંસાના ગુણુગાન ગાવામાં જરા પણુ કસર રાખી નથી, પરંતુ તેને જીવનમાં ઉતારવા માટે જરા પણુ પ્રયત્ન કર્યો નથી. એક ગાંધીજી જ એવી મહાન વ્યકિત થઈ ગયા, જેમણે જીવનના અનેક સધ પૂ. અવસરેમાં પણ અહિંસાના સફળ પ્રયાણ કર્યાં. આજે આપણી અહિં સા ફકત શાસ્ત્રામાં જ બધાઇ રહી છે. જ્યારે આપણે જીવનના દરેક કાર્યોમાં અહિંસાના ખ્યાલ રાખીશું ત્યારે જ દુનિયા સમક્ષ આપણી અહિંસા પ્રતિષ્ઠા મેળવી શકશે. - આચાર-વિચાર મનુષ્યની ઓળખ એ પ્રકારે થાય છે. એક તેના આચારથી : ખીજા તેના વિચારથી. જો આપણા આચાર પવિત્ર અને શુદ્ધ ન { વાર્ષિક લવાજમ રૂપિયા ૪ હાય, વિચાર સારા અને પરિપકવ ન હાય, આચારવિચાર એક બીજાના પૂરક ન હોય તે આપણે આપણા ઘરમાં ગમે તેટલા મેટા કહેવડાવીએ તે પણ ખીજાતી દૃષ્ટિમાં આપણી મેાટાનું કંઇ પણ મૂલ્ય નથી 'કાવાનું. જ્યારે હું વિચાર કરૂ છું ત્યારે મતે સ્પષ્ટ લાગે છે કે, આપણા આચારવિચાર જૈનવથી ખૂબ જ દૂર છે. પરલેાક અને પુનઃજમના સુખની આશામાં આપણે ખૂબ કષ્ટ ઉઠાવીએ છીએ અને તેને ધમ સમજીએ છીએ; પરંતુ જો આ જીવનમાં જ કોઇ પ્રકારે આત્મવિકાસ ન થાય, આપણી પ્રવૃત્તિથી ખીજાઓને લાભ ન થાય, અને આપણી આસપાસનું વાતાવરણુ પ્રસન્ન અને સુખી ન બને તે, મારે મન આ કષ્ટ સહન અથવા દુઃખની સ્વીકૃતિ એ ધમ નથી. ધમ` માત્ર ઘડી ખે ઘડીનું સામાયિક, પૂજા, વ્રત, ઉપવાસ અથવા એવી કઈ પણ પ્રકારની ક્રિયામાં નથી; એ તે જીવનમાં ઉતારવાની ચીજ છે. આમ થાય તે જ ધમને ઉત્કૃષ્ટ મોંગલ' કહી શકાય. આજે આપણે જે ક્રિયાઓ ધમ સમજીને કરીએ છીએ તે વિશ્વનુ કલ્યાણ કરનારી છે કે નહિ તેતેા આપણે સૌ શાન્તિથી વિચાર કરીએ. ધર્મ અને વેપાર આપણે દુકાન પર બેસીને શું ધર્મનું ખરાખર પાલન કરીએ છીએ ? ગ્રાહ્કાની સાથે શુ આપણે આત્મવતુ વ્યવહાર કરીએ છીએ? આપણે માની લીધું છે કે વેપાર સચ્ચાઇથી નથી ચાલી શકતા, ધમ ધમત સ્થાને છે, વેપારમાં ધમને લાવવા તેના અથ' એટલે કે, ભૂખે મરા અથવા સાધુ બનવાના રસ્તા ગ્રદ્ગુણુ કરે.' હું આપને વિનમ્રતાપૂર્ણાંક કહેવા ઇચ્છું છું કે, આપણી આ માન્યતા ખેટી છે. વેપાર સચ્ચાઈ અને પ્રામાણિકતાથી જ સારા થઇ શકે છે. સચ્ચાઈ અને ખ઼માનદારીથી કામ કરવામાં જે આસાની છે, તેટલી આસાની જૂઠ અને બેઇમાનીમાં નથી. આપ ઘડીભર વિચારો કે, જે વસ્તુ જેવી છે તેવી જ રજૂ કરવામાં આસાની છે કે તેથી વિપરિત રજૂ કરવામાં ? સાચું ખેલવુ... એમાં સરલતા છે, પણ આપણા સસ્કાર એવા રૂઢ થઇ ગયા છે કે, આપણને સત્ય ખેલવામાં અને ઇમાનદારીથી ચાલવામાં મુશ્કેલી જણાય. જો કાઇ પોતાની દુકાન પર પાટિયુ મુ કે, ‘અમારે ત્યાં અપ્રાનાણિકતા અને અસત્યને વ્યવહાર રહેશે,' તે તેનું પરિણામ શું આવે? અસત્ય ખેલનાર પણ એ પ્રકટ કરવા નથી ઇચ્છતા કે, તેએ સાચુ ખેલી રહ્યા નથી. આથી એક તા તેમને અસત્ય ખેલવા માટે વિશેષ બૌદ્ધિક કસરત કરવી પડે છે અને વધુમાં સવા ડી પણ રાખી પડે છે, કે રખે અસત્ય પ્રકટ થઇ જાય. સાચી વાત તે એ છે કે, આપણે આપણા સ્વાથ'ને માટે, પૈસાને માટે અસત્ય ખેલીએ છીએ. ભયથી પણુ અસત્ય ખેલીએ છીએ કે, રખે અપણને-અપરાધીને કાઈ પ્રકારની સજા ભેગવવી ન પડે! કાઇની આગળ ખેતકુક્ બનવુ ન પડે! આપણે સૌ ભલે પ્રતિદિન પેટની માફ્ક રટયા 3
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy