SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રબુદ્ધ અને 'તા, ૧૫-૨-૫n , તામતા થયેલી આ મ” શષક નામના થયેલ નીચેના ઠરાવને શ્રી. જન શ્વેતાંબર કોન્ફરન્સનું આ અધિવેશન બહાલી આપે છે. જૈન ધર્મ આજની અખિલ હિંદ જૈન શ્વેતાંબર કેન્ફરન્સ સમિતિની સભા જાહેર કરે છે કે જન તેમ જ હિંદુઓ આર્ય જાતિના હોઈ જાતિ તરીકે જુદા નથી, પરંતુ હિંદુ ધર્મ વૈદિક છે અને જન ધર્મ અવૈદિક છે. વળી હિંદુ ધર્મ બ્રાહ્મણ સંસ્કૃતિને અનુસરે છે જ્યારે જૈન ધમ શ્રમણ સંસ્કૃતિને અનુસરે છે. જે બે જુદી સંસ્કૃતિ તરીકે પુરાતત્વવિદે એ મતભેદ વિના સ્વીકારેલી છે, તેથી જન અને હિંદુ ધર્મ એકબીજાથી જુદા છે. ભીક્ષા પ્રતિબંધક કાયદો ભીક્ષા પ્રતિબંધક કાયદાને મુખ્ય ઉદ્દેશ ભાણુને પ્રમાદી, નિરૂદ્યમી અને સમાજ ઉપર બોજારૂપ થતાં અટકાવવાનો તથા ભીખ માંગવાને ધંધે લઈ બેઠા હોય તેવા દુર્વ્યસની થાય છે તેથી તેમને સુધારવાને છે. આત્મકલ્યાણ અર્થે જેમણે સંસાર ત્યાગ કર્યો છે તેવી વ્યકિતઓને દેખીતી રીતે આવે કાયદે લાગુ ન પડે એમ સ્પષ્ટ છે. ભીખ માંગવાને ઉંધે લઈ બેઠા હોય તેવા માણસેથી ત્યાગીએને જુદા પાડવા કાંઈ મુસીબત નથી. ત્યાગી એ ભિખારીઓની પૈઠે સમાજને કઈ ઉપદ્રવ કરતાં નથી, એટલું જ નહિ પણ તેમનું - સમાજમાં સન્માન છે, તેથી તેમને ભિખારી ગણવા અપમાન બરાબર છે. જૈન સાધુસાધ્વીઓના આચાર સુવિદિત છે. તેમને આવા હેરાનગતીભર્યા કાયદામાં મૂકવા એ સર્વથા અનુચિત છે, તેથી આ અધિવેશન મુંબઈ સરકારને આગ્રહપૂર્વક વિનંતિ કરે છે કે The Bombay Beggars Act. 28 (1945) (ધી બોમ્બે બગસ' એકટ ૨૩, ૧૯૪૫) ની કલમ ૨ (I) B માં યોગ્ય સુધારે કરી ત્યાગી સાધુઓ ખાનગી મકાનમાં જઈ ભિક્ષા લે તેને Begging-ભીખ માંગવી એ વ્યાખ્યામાં સામેલ કરવામાં ન આવે, મધ્યમ વર્ગને રાહત - હાલમાં ઉપસ્થિત થયેલી વિષમ પરિસ્થિતિને કારણે જન સમાજને મધ્યમ વર્ગ અને ખાસ કરીને તેના નીચલા થર ઓછી આવક અને દિનપ્રતિદિન વધતી જતી મોંધવારીને લઈને અત્યંત મુશ્કેલ સ્થિતિમાં મૂકાયા છે અને તેમને માટે જીવનનિર્વાહ કર લગભગ અશક્ય થઈ પડે છે. તેથી તેમને પગભર કરવા તથા હુન્નર ઉદ્યોગના અનેક ક્ષેત્રમાં કામે લગાડવા અને તેમની સ્થિતિ સુધારવા તુરત અમલમાં મુકી શકાય તેવી નીચે દર્શાવેલી જનાઓ સુચવવામાં આવે છે. આ માટે જન સમાજને એગ્ય કરવા અપીલ કરવામાં આવે છે. - (૧) જીવનનિર્વાહની જરૂરી વસ્તુઓ વગેરે ઓછા દરે (Subsidised rate) થી પૂરી પાડવી સ્ટાર્સે સ્થળે સ્થળે ખેલવા અને તે માટે જરૂરી ફંડ ઉભું કરી સ્થાનિક સમિતિએ ..દાર કામ ઉપાડવું.' (૨) નાના નાના હુન્નર ઉદ્યોગને મદદ કરવા સારી કેપિટલ સાથેના સહકારી મંડળે ઉભા કરવા, તેમ જ તેવા ઉદ્યોગ શિખવવા જરૂરી શિક્ષણ સંસ્થા સ્થાપવી. : (૩) તેમ જ ગૃહઉદ્યોગે શિખવવા તથા ચલાવવા ઉધોગ મંદિર (ઇન્ડસ્ટ્રીયલ હેમ) સ્થાપવું. | (૪) સ્ત્રી ઉપયોગી ગૃહઉદ્યોગે શિવણ-ભરત-ગુથણ-ચિત્રકામ આદિનું શિક્ષણુ આપનારી સંસ્થા સ્થાપવી. (૫) તે ઉપરાંત આ કૅન્ફરન્સ ઇચ્છે છે કે જનાના મધ્યમ વગને ધંધારોજગારમાં સહાય આપવા અને તેમને વ્યાપાર અને ઉદ્યોગના સાધનની અનુકૂળતા કરી આપવા માટે સહકારી અને અન્ય ધેરણે એક મોટી ઔધોગિક અને નાણુકિય સંસ્થા સ્થાપવી જરૂરી છે. આથી આ અધિવેશન કોન્ફરન્સના પ્રમુખશ્રીને ઉપરોક્ત કાર્ય માટે. કમિટિ નીમવા અને યોજના ઘડી કાઢવા અધિકાર આપે છે. તેમજ આ યોજનાને શિધ્રાતિશીધ્ર ભૂત સ્વરૂપ આપવા આગ્રહ કરે છે. ઐકય જૈન ધર્મ અને સમાજ ઉપર જુદા જુદા ક્ષેત્રમાંથી જે આક્રમણો હાલ થઈ રહ્યાં છે તેને પ્રતિકાર કરી જેની સવ ગ પ્રગતિ સાધ્ય કરવા કોન્ફરન્સ એ જ એકમેવ કાર્યક્ષમ સંસ્થા છે. તેને સંપૂર્ણ મજબુત બનાવવા માટે બધી જાતના પ્રયત્ન કરવાનું ધ્યેય હોવું જોઈએ. એ ઉદેશને ધ્યાનમાં રાખી ઐકય માટે વધુ અનુકુળ વાતાવરણ નિર્માણ કરવું જોઈએ. તે માટેના પ્રથમ પગલાં તરીકે માલેગામ સમિતિએ પસાર કરેલા અને સુરત મુકામે મળેલી સ્ટેન્ડિંગ કમિટિએ પાસ કરેલા નીચેના ઠરાવે આ કેન્ફરન્સ મળેલી સ્ટાન્ડ મ ક' મેટિએ પાસ કરલા નાચ પસાર કરે છે. ઠરાવ નં. ૧, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સ સને ૧૯૩૪માં અમદાવાદ મુકામે સાધુ સંમેલને કરેલા દીક્ષા સંબંધી ઠરાવને વધાવી લે છે અને તેણે (કોન્ફરન્સ) અથવા તેની કોઈ પેટા સમિતિએ કરેલા વડોદરા રાજ્યના દીક્ષા સંબંધીના અને બીજા દીક્ષા સંબંધીના ઠરાવે આથી રદ થાય છે. ઠરાવ નં. ૨ એક સંમતિ જૈન સમાજને ભારપૂર્વક ભલામણ કરે છે કે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મના સિદ્ધાન્ત અને પ્રચલિત અનુઠાને જે પ્રમાણે માન્ય રખાતા આવ્યા છે તે પ્રમાણે જન સંસ્થાઓ તેને માન્ય રાખશે. એટલું જ નહિ પણ તેના અધિકારી કે એક્વેદારો તરફથી તેને હિણપત પહોંચે તેવું બોલવામાં કે લખવામાં આવશે નહીં. ગૌવધ પ્રતિબંધ અને દારૂબંધી માટે સરકારને અભિનંદન ગૌવધ પ્રતિબંધ અને દારૂબંધી માટે મવસ્થ અને પ્રાંતિક સરકારોએ જે નિયમન કર્યા છે તે બદલ કોન્ફરન્સનું આ અધિવિશન સરકારને અભિનંદન આપે છે, અને જ્યાં જ્યાં આ નિયમન થયેલ નથી ત્યાં કરવા સરકારને આગ્રહભરી વિનંતિ કર જન ધ સંબંધે આલેખન જન ધર્મ અને જૈન સાહિત્યના ઉંડા અભ્યાસ વિના અને એ સંબંધના ઇતિહાસને અવલેકયા વિના આજકાલ જે આલેખન કરવામાં આવે છે અને રેડીઓ દ્વારા વકતવ્ય વહેતું મુકવામાં આવે છે તે સ્વામે આ અધિવેશન વિરોધ જાહેર કરે છે અને ભારપૂર્વક આગ્રહ કરે છે કે એ સંબંધી લખતાં પૂવું જરૂરી જ્ઞાન મેળવાય કે જે પરસ્પર મનદુઃખને પ્રસંગ ભવિષ્યમાં પ્રાપ્ત ન થાય. રાષ્ટ્રભાષા હિંદીને આવકાર રાષ્ટ્ર ભાષા તરીકે હિંદી ભાષાને સ્વીકાર થએલ છે તે દૃષ્ટિ સન્મુખ રાખતાં આ અધિવેશન કોન્ફરન્સ કાર્યાલય પ્રથા તથા આગામી અધિવેશન ની કાર્યવાહી હિંદીમાં જ થવાની નિતાંત આવશ્યકતા સ્વીકારે છે, આ અધિવેશન ઉકત દૃષ્ટિકેશુને કાયરૂપમાં પરિણુત કરવા નિર્ણય કરે છે અને આ ઠરાવને અમલ શીધ્ર થાય એમ ઈચ્છે છે, પરંતુ કેટલીક વ્યવસ્થાદિ અંગેની મુશ્કેલીઓ ધ્યાનમાં લેતાં ત્રણ વર્ષ સુધી હિંદીની સાથે ગુજરાતી ભાવાને પણ ઉપયોગ કરવા ઠરાવે છે. ' આગામી વસ્તીગણત્રી આ અધિવેશન મધ્યસ્થ સરકારને આગ્રહપૂર્વક વિનંતિ કરે છે કે ઈસ્લામ, જરાસ્ત, શિખ અને ખ્રિસ્તી જેમ જુદા ધર્મો છે તેવી જ રીતે જેન ધમ પણ જુદો અને સ્વતંત્ર ધર્મ છે. તેથી આગામી વસ્તીગણત્રોમાં જૈનની ગણત્રીની જુદી કલમ રાખવી. (અનુસંધાન પૃષ્ઠ ૧૬૮ જુઓ). સમાજવા અને નિય છે અને તેથી તેમને પત્ર તથા વધારવા માં આવે છે. થઈ
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy