________________
તા. ૧૫-૧૨-૫
૧૨૯
આગ્રહ આજથી બાર વર્ષ પહેલાં બનેલી એક ઘટનાના કારણે તેમને છોડ પડયે. મોટા ભાગે કેવળ એકાકી રહેતા શ્રી અરવિન્દ પિતાના ઓરડામાં આમથી તેમ ચાલતા હતા એવામાં જમીન ઉપર પાથરેલા વ્યાઘચર્મ ઉપરથી પસાર થતાં તેમને પગ લપસી ગયે અને ગોઠણુનું હાડકું ભાંગી ગયું. અંદર તે કઈ ન આવે, ન જાય. ત્રણ કલાક સુધી તેની તે સ્થિતિમાં તેમને પડી રહેવું પડયું. પગ સુણીને થાંભલે થયે. ત્રણ કલાકે માતાજી આવી ચઢયા અને તેમની આ દશા જોઈને ભારે દુઃખી થયા. ત્યાર બાદ સારવારના પરિણામે તેમને આરામ આવી ગયા પણ તે પછી પાંચ સાત અન્તવાસીઓને તેમની ચાલુ સંભાળ રાખવાની છુટ મળી ગુપ્તવાસ દરમિયાન ચાલુ રહેલો પત્રવ્યવહાર
અરવિન્દ ઘેષે ૧૯૧૦ની એપ્રીલની ૪ થી તારીખે પેદીચે રીના બંદર ઉપર પગ મુકો. શરૂઆતમાં તેમની સાથે ચાર પાંચ સાધકો રહેતા હતા. ૧૯૧૪ માં તેમણે આર્ય શરૂ કર્યું. તે ૧૯૨૧ સુધી એટલે કુલ ૬ વર્ષ ચાલ્યુંશ્રી પિલ રીસાર અને શ્રીમતી મીરાં રીશાર પહેલાં એકવાર ૧૮૧૪ માં પિદીચેરી આવેલા અને અરવિન્દ ઘેષને મળેલાં. પણ તે અરસામાં એકાએક પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તેઓ ફાસ ચાલી ગયેલાં. વળી પાછા તેએ ૧૯૨૦માં પદીચેરી આવ્યા. પેલા રીશાર એકાદ વર્ષ રહીને ત્યાંથી ચાલી નીકળ્યા અને મીરાં રીશાર શ્રી અરવિન્દની સાધનાના સાથીદાર બન્યા. પાછળથી તેઓ આશ્રમવાસીઓમાં માતાજી'ના નામથી ઓળખાવા લાગ્યાં. ૧૯૨૬ થી શ્રી અરવિન્દને આત્મનિક નિવૃત્તિ નિવાસ શરૂ થયું. ત્યારથી કેટલાંય વર્ષો સુધી બહારની દુનિયામાં શ્રી અરવિન્દનું નામ ભાગ્યે જ સંભળાતું કે છાપાઓમાં તેમના વિષે ભાગ્યે જ કોઈ ઉલ્લેખ જોવામાં આવતું. આમ છતાં તેમની લેખન પ્રવૃત્તિ ચાલ્યા જ કરતી. પ્રત્યક્ષ મળવાનું સૌ કોઈને માટે બંધ થયેલું, પણ પત્ર દ્વારા દેશ પરદેશની અનેક વ્યકિતઓ સાથે તેમને સંપર્ક ચાલુ રહ્યો હતો. નાના મોટા અનેકને પત્રો આવતા અને પિતાના જ હાથે તેના જવાબો લખતા. ઘણીવાર તે જવાબો લખવામાં મધરાત વીતી જતી. આશ્રમની તે અનેક વ્યકિતઓ સાથે તેમને નિયમિત પત્રગ્યવહાર ચાલત.. નાનાં મોટા તેમને મન સા કોઈ સરખાં હતાં. - બીજા વિશ્વવિગ્રહના પ્રારંભ પછી
હમણાં હમણાં ખાસ કરીને બીજે વિશ્વવિગ્રહ શરૂ થયા બાદ દુનિયામાં બનતી ઘટનાઓ વિષે અવારનવાર તેમના અભિપ્રાયો પ્રગટ થઈ રહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર રાજ્ય ધમે પક્ષે છે એ તેમને અભિપ્રાય પ્રગટ કરવામાં આવ્યું હતું. મદ્રાસ વૅર ફંડમાં તેમણે રૂા. ૫૦૦ ની રકમ ભેટ મોકલી હતી. ૧૯૪૨ માં બ્રેડ ક્રીપ્સ હિંદમાં ક્રોગ્રેસ સાથે સમાધાન કરવા આવ્યા ત્યારે તેની દરખાતે સ્વીકારી લેવાનું તેમણે ગાંધીજીને ખાસ કહેણ મોકલેલું.' હિંદના ભાગલા પડયા ત્યારે તેમણે પિતાની ના પસંદગી જાહેર કરેલી. કરયામાં શરૂ થયેલ યુદ્ધ વિષે પણ તેમને અભિપ્રાય પ્રગટ કરવામાં આવ્યું હતું. ગાંધીજીના અવસાન બાદ આશ્રમ તરફથી પ્રચાર કાર્ય બહુ જોસભેર શરૂ કરવામાં આવ્યું હતું અને શ્રી અરવિન્દ ચેડા સમયમાં બહાર આવશે અને દુનિયાને નવી દોરવણી : આપશે એવાં સૂચને આ પ્રચારકે તરફથી મળ્યા કરતાં હતાં.
તાજેતરમ્ની મુલાકાત જેમણે એક વખત ગાંધીજી જેવાને મળવાની ના કહી હતી તેમણે તાજેતરમાં નવેમ્બરની વીશમી તારીખના દર્શન સમારંભ. પ્રસંગે ભાવનગરના મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહ જેઓ હાલ મદ્રાસના ગવર્નર છે તેમને લગભગ પંદર મીનીટની મુલાકાત આપી હતી જે દરમિયાન મળેલી માહીતી મુજબ તેમણે યેગમાર્ગ વિષે કેટલીક વાતચીત કરી હતી, એટલું જ નહિ પણ તેમની જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે મળવા આવવા મહારાજાને કહેવામાં આવ્યું હતું. થોડા સમય પહેલાં આજના આપણા અન્નસચવ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીને જુલાઇ માસની નવમી તારીખે તેમણે મુલાકાત આપી હતી અને આ મુલાકાત ૪૦ મીટ સુધી ચાલી હતી. આ મુલાકાતની વિશેષ વિગતે હજુ સુધી
જાણવવામાં આવી નથી. આ બધું એમ સૂચવે છે કે તેમની | અને દુનિયાની વચ્ચે ઉભો કરવામાં આવેલો અંધારપટ ધીમે ધીમે ખસી રહ્યો હતો અને વિધિએ તેમને આ દુનિયામાંથી એકાએક ઉપાડી લીધા ન હતા તે સંભવ છે કે તેઓ આપણી વચ્ચે આવીને ઉભા રહ્યા હતા અને તેમના દર્શનની, પરિચયની, સીધી દોરવણીની અનેકના દિલમાં સેવાઇ રહેલી ઝંખના તૃપ્ત થઈ હોત. સાવિત્રી
- છેલ્લાં વર્ષોમાં તેમનાં રચેલાં કાબે અવારનવાર પ્રગટ થતાં હતાં. સાહિત્યકારો આ કાવ્યનું બહુ ઉંચું મૂલ્ય આંકતા હતા. છેવટના ભાગમાં તેમણે “સાવિત્રી’ એ નામનું એક મહાકાવ્ય-epic–ચવું. ' શરૂ કર્યું હતું. આ કાવ્યના કેટલાક ભાગની ટાઈપ કરેલી કેપીઓ સાહિત્ય રસિક વર્ગમાં વંચાઈ રહી હતી. આપણા . ગુજરાતના જાણીતા કવિ ભાઇ ઉમાશંકરે આ રીતે જેટલો ભાગ ઉપલબ્ધ છે તે જ હતો અને તેની તે ભારે પ્રશંસા કરતા. હતા. આ ના યુગનું આ એક અગ્રગણ્ય મહાકાવ્યpic-લેખાશે એમ તેઓ માનતા હતા. તેમાં એક નાનું સરખે ભાગે છપાયેલે મેં પશુ વાંચ્યું હતું અને મારા મન ઉપર પણ તે ( ઉંડી છાપ પડી હતી. આ મહાકાવ્ય તેમના હાથે પુરૂં થયું કે નહિ તેની કોઈને ખબર નથી પણ તેમનું અંતિમ દર્શન કરનારા મિત્રો જણાવે છે કે
એક બાજુએ ટેબલ ઉપર સાવિત્રીનાં ચાલી રહેલા લખાણના કાગ |ળીઓ અને તેમની ફાઉન્ટન પેન તેમને બતાવવામાં આવી હતી તે ઉપરથી અનુમાન થાય છે કે આ કાગ્ય પુરૂ કરતા પહેલા તેમણે આ ફાની દુનિયાની વિદાઈ લીધી. સાવિત્રી અધુરું રહી ગયું એ કાંઇ આપણું નાનું સુનું કમનસીબ ન ગણાય. '
અન્તિમ દર્શન અને આખરી નિર્વાણ છેલ્લાં છેલ્લાં નવેંબર માસની ૨૪મી તારીખે તેમણે સંખ્યાબંધ નરનારીઓને ચાલુ પરિપાટી મુજબ જાહેર દર્શન આપ્યા હતા. આ પહેલાંથી તેમની તબીયત બગડવા માંડી હતી. દર્શનના દિવસે તેઓ પહેલાં માફક સ્વસ્થ દેખાતા ન હતા. કેચને એક ખુણે તેઓ જરાક અઢેલીને બેઠા હતા અને બીજે ખુણે માતાજી વિરાજેલા હતાં. દર્શન કરનારા એને બહુ ઝડપથી આગળ વધવાનું વારંવાર કહેવામાં આવતું હતું વળી વચગાળે તેમને ઠીક ઠીક આરામ આપવા. જરૂર પડી હતી. , તેમને ડાયાબીટીસ લાંબા સમયથી લાગુ પડે હતે. છેવટના દિવસોમાં તેમની “કીડની' કામ કરતી બંધ પડી; પેશાબમાં લોહી પડવા લાગ્યું અને ડાયાબીટીસના અંગે શરીર માં ઝેર થઈ ગયું, મગજ ઉપર અસર થઈ, અને દેઢ દિવસ લગભગ તેઓ બેભાન, રહ્યા. અને એથી તારીખની રાત્રે અથવા તે અંગ્રેજી ગણતરી : મુજબ પાંચમી તારીખની સવારે ૧ને ૨૬ મીનીટે વિનશ્વર દેહને ત્યાગ કરી તેમણે ઉવલોક પ્રતિ પ્રયાણ કર્યું.
શ્રી અરવિન્દના જીવનનું મૂલ્યાંકન - શ્રી અરવિન્દના બ્રહ્મનિવાસથી માત્ર હિંદને નહિ પણ આખી દુનિયાને એક એવી વ્યકિતની ખોટ પડી છે કે જે કંઇ કાળ સુધી પુરાવાને સંભવ નથી. શ્રી અરવિન્દ કેર કેટિના એક મહા પુરૂષ હતા. છેલ્લાં બે વર્ષમાં આવી ત્રણ મહીં, વિભૂતિઓથી આપણે વંચિત બન્યા. એક તે શ્રી અરવિન્દ, બીજા રમણ મહર્ષિ અને ત્રીજા મહાત્મા ગાંધી. એકના સ્મરણ સાથે બીજા બન્નેનું આપણને સહજ સ્મરણ થઈ આવે છે. ત્રણેનું વ્યકિતત્વ એકમેકથી બહુ નિરાળું એમ છતાં ત્રણેની ભાત અસામાન્ય–સામાન્ય માનવી અને તેમની વચ્ચે પારવિનાનું અત્તર.. અરવિન્દના વ્યકિતત્વનું સાચું મૂલ્યાંકન કરવું બહુ જ મુશ્કેલ છે; કારણ કે એક તે તેમની જીવનપ્રતિભા અતિ વિરલ પ્રકારની હતી; બીજુ તેમણે જે પ્રદેશનું આટલું વિસ્તીર્ણ ખેડાણ કર્યું તે વિષે આપણે સમજણ ઘણું ઓછી. ત્રીજું તેઓ પિડીચેરી