SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ જૈન છે, વેદાંતદૃષ્ટિને લઈને . જેમ આ ગુરૂ-ભગવાનની ઉપાસના તેમજ પરાક્રમને લઈને અવતાર-ભગવાનની ઉપાસના પણ હિંદુ ધમની વિશેષતા છે, તેમાં અંશાવતાર, પૂર્ણાવતાર વગેરે. ભેદથી માંડી નાના મેટા કેટલાક અવતાર છે. માન્યતા આ પ્રમાણે અવતારદેવની અને ગુરૂ દેવની ઉપાસના ખીજા કાઈ ધમ'માં દેખાતી નથી. જો કોઇની એમ હાય ક વેદાંતતત્ત્વના વિચારો સુધી ખીજા ધર્મની કાઇ વ્યકિત પહોંચી નથી તે તે ખાટું છે. ઇસ્લામ ધમ'માં કેટલાક મોટા સુધી અને સંત થઇ ગયા છે જે પૂરેપૂરા અદ્વૈત વેદાંતી હતા. ખ્રિસ્તી ધમ માં પણ પરમાત્મા શુ અને જીવના ભેદભેદના વિષયમાં એટલા જ સપ્રદાયે થડે ગયા છે, જેટલા વેદાંતમાં છે. પણ · આ ધર્માંમાં એક એવા જાણે સંકેત થઇ ગયું છે, કે પૂના શાસ્ત્રોના આધારે ખ્શને ભગવાનના પુત્ર માન્યા છે તથા મહમ્મદને ખુદાના પેગમ્બર. તે જે થયા તે થયા, તે પર શકા ઉઠાવવી નહિ; પણ ભવિષ્યને માટે આ ધર્મીમાં થનાર બીજી કાષ્ઠ વ્યકિતને શ્વરપુત્ર કે પેગમ્બરની ગાદી પર ખેસવા દેવામાં નહિં આવે. તે ગાદી ન તે ખાલી થઈ શકે કે ન તે તેની સંખ્યા વધારી શકાય. 2 જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ અનીશ્વરવાદી છે એટલે કે અદ્વૈત બ્રહ્મવાદી નથી, છતાં તે જીવેશ્વરવાદી તા છે. તે માને છે કે જીવ પોતાની પૂર્ણતા કરતા કરતા સ્વતંત્ર મુક્ત ઇશ્વર થઈ શકે છે. તેને જૈતેમાં તીથ"કર કહે છે, બૌદ્ધોમાં બુદ્ધ તત્ત્વતઃ દરેક જીવ તીય કર કે બુદ્ધ થઇ શકે છે, અને તેમનામાં પણ કેટલાયે સતાએ જ્ઞાન પ્રાપ્ત કર્યાંનું માને છે. જો કે એ અને ધર્મોંમાં જુદા જુદાં સપ્રદાયપ્રવતક કક નાની થઇ ગયા છે; છતાં પણ જેનામાં કલિયુગ ( અથવા તેમની પરિભાષામાં પાંચમાં આરા)માં આત્મજ્ઞાન થવા છતાં કોઇ તીય કર કે કૈવલીની પદવીને યાગ્ય થઇ શકે નહિ. બૌધ્ધામાંયે સિધ્ધાથ'ની પછી કોઇને બુધ્ધ નથી માન્યા. ચીન, જાપાન વગેરે બૌધ્ધ દેશમાં પણ એ જ સ્થિતિ છે. તે પહેલાના બૌધ્ધા ઐતિહાસિક વ્યકિતઓ હાવાનુ દેખાતુ નથી. મહાવીર અને સિધ્ધાથ' પછી તીય કર અને યુધ્ધના દરવાજો જાણે એ લાકાએ સદાને માટે બંધ કરી દીધે છે. આ બધા ધર્મોમાં ઘણા એવા મેાટા સંત, મહાત્મા અને નાની લેકે થઇ ગયા છે, જે હિંદમાં અને હિંદુધમમાં જન્મ્યા હાત તે તે પણ આપણા મેટા સ ́ત મહાત્મા અને જ્ઞાનીની રીતે પુજાત અને ભગવાનના અવતાર ગણુાત. પણ ત્યાં તેમને માટે આજ સુધી ઘણા આદર હોવા છતાં એવી પ્રવૃત્તિ ચાલુ થઇ નહિ, પશુ હિંદુધર્મ'માં આ બાબતમાં સારા પ્રમાણમાં અવ્યવસ્થા થઇ છે અને મેટી સંખ્યામાં અવતારા અને ગુરૂરૂપ ભગવાન બનાવાય છે, અને તેમાં વિશેષતા તા એ છે, કે તેને શાસ્ત્રોનુ તેમજ મેાટા જ્ઞાની અને સતેનું સમથ'ન છે. તેથી તે પર ચર્ચા કરવામાં પણ સાહસ થાય છે. આથી કેટલાક શ્રધ્ધાળુ સાથેકાના બુધ્ધિભેદ થવાના અને તેમના દિલને આધાત પહોંચે તેને ડર લાગે છે, છતાં નમ્રતાથી પણ દૃઢતાપૂર્ણાંક કહેવુ પડે છે કે આમાં વેદાંતતત્ત્વજ્ઞાનના જે આધાર લેવાય છે તેમાં વિચારોષ છે. તેણે નાનના રૂપમાં ભ્રમ વધાર્યો છે. શાવાસ્યના પેલે માત્ર— अंधं तमः प्रविशन्ति ये अविद्यामुपासते । ततो भूयः इव ते तमो, ये तु विद्यायां रताः ॥ જે અજ્ઞાનની ઉપાસના કરે છે તે ધાર અધારામાં જાય છે, પણ જે જ્ઞાનમાં જ મગ્ન છે તે તેથી પણ વધારે ભ’કર અધારામાં છે.' એ હું અહીં લાગુ પાડીશ. સૃષ્ટિના કોઈ નિશ્ચિત નામ રૂપે ઓળખાનારની બ્રહ્મના રૂપમાં ઉપાસના કરવાની પ્રવૃતિને તત્ત્વજ્ઞાનના આધાર લઇ પછી કરી નાખવી એ જ્ઞાન મારફત ભ્રમ તા. ૧-૧૦-૫૦ ફેલાવવા જેવુ' મને લાગે છે. • લીવો મહોય વેવલમ્ ' આ કથન સાચુ* છે તે તે દરેકને માટે સાચું જ છે. જેને તે સત્યનું જ્ઞાન થયું તેને માટે જ તે સત્ય છે એમ નથી, પણ જ્ઞાની કે અજ્ઞાની કહેવાતાં બન્ને બ્રહ્મ જ છે પણુ કાંઇ પણ મનુષ્ય અજ્ઞાની મનાતી વ્યકિતની શ્વરના રૂપમાં ઉપાસના નથી કરતા. જે ભકત, પુરૂષ છે, તે તેને ભગવાનનું સ્વરૂપ સમજી વદન કરે છે, આદર કરે છે પણ તેને ઉપાસ્ય ધ્યેય નથી બનાવતા. આ પ્રમાણે વંદ નીય અને આદરણીય તથા ઉપાસ્ય અને ધ્યેયા ભેદ કરવામાં આવે છે તે જ પ્રમાણે બ્રહ્મનિષ્ઠ મહાત્મા ( સદ્ગુરૂ ) અને પરાક્રમી પુરૂષ ( અવતાર) અને બ્રહ્મની વચ્ચેના ભેદ પણ સમજવા જોઇએ. હિંદુધમ માં આ વિવેક નથી રહ્યો તેનાં બે કારણ છે. સગુ ઉપાસના તો બધા ધર્મમાં છે, અનીશ્વરવાદી ધર્માંમાં પણ છે, સાકારતું આલ’ખન પણ છે. પણ ગુણુ અને આકારથી પર ઈશ્વર સ્વરૂપ માટે સગુણુથી ઊલટા એવા નિર્ગુÝણ શબ્દના તેમાં ઉપયેગ નથી તે. મારા મત પ્રમાણે આ શબ્દ આપણા તત્ત્વજ્ઞાનમાં ઉપયેગમાં આવવાથી તેને લઈ કેટલેક ભ્રમ પેદા થઈ ગયા છે. બ્રહ્મને અકર્તા, નિર્ગુ ણુ, નિરાકાર વગેરે શબ્દથી એળખાવવા કરતાં જે આપણે તેને સગુણાશ્રય, 'રૂપાશ્રય, સ` ક્રિયાશ્રય અયત્રા સત્ર' ગુણુ-ક્રિયા-રૂપ કડુત તા ઠીક થાત, કારણકે બ્રહ્માત અનત શકિત અને સૃષ્ટિગત સત્ર નામ-રૂપાના આશ્રય છે, જીવ–અજીવ–રૂપ તેના બધા આવિષ્કારો મળીને પણ તેની શકિતને હિસાબ નહિ નીકળી શકે. તે ફકત અનંત શકિત અને નામ રૂપોના સંગ્રહ જ નથી. કાણુ જાણે હજુ એની કેટલી શકિત અને આવિષ્કારાનુ ઘડતર નહિ, થયું હાય અને થયા છતાં આપણુને તેની કલ્પના પણ ન હેાય. આ દૃષ્ટિએ મહાનથી મહાન બ્રહ્મનિષ્ટ મહાત્મા પણુ તેની માત્ર એક ઝલક છે, જો આ આપણે ધ્યાનમાં રાખત, તે આપણે ગીતાનાં વચન यद् यद् विभूतिमत्सर्वे, श्रीमदूर्जितमेव वा । तत्तदेवा गच्छ त्वं मम तेजोऽशसंभवम् । विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ॥ ને વધારે સરળતાથી સમજી શકત અને એ ધ્યાનમાં આવી જાત કે ઇંદ્રિયો અથવા મનથી જેને સમજી શકાય છે એવુ' કાઇ પણ સગુણુ કે સાકાર સત્વ સોંપૂર્ણ રૂપથી ભગવાન તેા છે છતાં તેમાં તેની નામ માત્રની કિતને જ પરિચય થઇ શકે છે. આ દૃષ્ટિએ તે અશ માત્ર જ છે, એટલે તેની ભગવાનના નામથી કે તેને બદલે ઉપાસના ભક્તિ કરવી ચેગ્ય નથી. ફકત માનવની પૂર્ણતાના વિચાર કરીએ તાપણું કષ્ટ એક વ્યકિતમાં માનવપૂર્ણતા સ’પૂર્ણ રીતે પ્રગટ થઈ છે અને તેથી વધારે પૂર્ણતા કાષ્ઠની નથી થઇ, થવાની નથી કે થઇ શકશે નહિ તેમ કહી શકાય નહિ; છતાં જ્યારે સદ્ગુરૂને ઉપાસ્ય અને ધ્યેય. દેવ માનીએ છીએ ત્યારે આ બધા ભાવતુ રાપણ થાય છે અને કરવું પડે છે, ત્યારે જ તેમાં શ્રધ્ધા દૃઢ થાય છે. આ ચ્યારે પણ કંલ્પના લખાવીને કરવુ પડે છે એટલે તે સ્વાભાવિક નથી હતું. તેમાં આપણે એક ક્ષણે સદ્ગુરૂના દેહાતીત શુદ્ધ સ્વરૂપના વિચાર કરીએ છીએ અને બીજી ક્ષણે તેમનું શરીર, રાજનુ જીવન અને ચરિત્રનેા. આ બધે બુધ્ધિના અને ભાવનાઓને વ્યાયામ એટલા માટે કરવા પડે છે કે વેદાંતના ગ્રન્થે, સ' અને ગુરૂ શિષ્યા બન્મે. આપા પર એને સંસ્કાર નાંખ્યા છે કે ગુરૂ અને ભગવાન વચ્ચે તથા સગુગુ અને નિર્ગુણ વચ્ચે ભેદ નહિ કરવા જોએ, ગુરૂમાં ભગવર્નિા વગર ગુરૂભકિત નંદ્ધિ, ગુરૂભકિત વિના ગુરૂકૃપા નહિ, ગુરૂકૃષા વગર જ્ઞાન નહિ, જ્ઞાન વિના મેક્ષ નહિં, અને મેક્ષ વગર જન્મ-મરણના અંત
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy