SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ શુદ્ધ જૈત વ્યાખ્યાનમાળામાં સેક્રેટીસ, જરથોસ્ત, રામકૃષ્ણ પરમહંસ, ભગવાન બુદ્ધ, મહંમદ પયગંબર-આવી જૈનેતર વિભૂતિએ ઉપર વ્યાખ્યાન અપાય, સમાજવાદ, સામ્યવાદ, ગીતાવાદ જેવા વિષયે ચર્ચાય, અને વ્યાખ્યાન આપવા માટે પારસી પણુ આવે, મુસલમાન પણ આવે, ઇસા પણુ આવે આ બધુ શું થઇ રહ્યું છે. એવા પ્રશ્ન અવારનવાર ઉપસ્થિત થયા કરે છે. આના ખુલાસો મહારાષ્ટ્ર વાસીઓમાં આજે ચાલી રહેલ ગણેશઉત્સવને લેાકમાન્ય તિલકે જે નવુ' રૂપ આપ્યુ. અને જે રૂપ આજે પણ પ્રચલિત અને સસ્વીકૃત બન્યું છે તેમાંથી મળી રહેશે. મહારાષ્ટ્રવાસીમાં ગણેશ પૂજાનું ભારે માહાત્મ્ય છે અને ગણેશચતુર્થી તેમનું મેટામાં મેટુ પ ગણાય છે. આ દિવસથી દશ દિવસ સુધી ધેર ઘેર ગણેશની મૂર્તિ મેસાડવામાં આવે છે અને શભા શણુગાર, ભજનકીત નના ઉત્સવ ચાલે છે. લેાકમાન્ય તિલકે આ ઉત્સવના અનુસધાનમાં વ્યાખ્યાનમાળા, ગાઠવવાનું શરૂ કર્યુ” અને એ દ્વારા જીવનને રાષ્ટ્રીયતાના રંગે રંગવા માંડયું. સૌંપ્રદાયના ચેકઠામાં પુરાયલુ સમાજમાનસ સંકીણું તાથી મુકત થઈ શકતું નથી, તે પોતાના સ’પ્રયુ બહારનું તેને કોઈ જીવનદર્શન નથી. અનેકાંતવાંદના દાવા કરનાર જૈન સમાજ અન્ય સમાજ જેટલે જ એકાંતવાદી બની બેઠે છે. આજે કામીવાદી બને તેટલે હળવા કરવાની અને સવ ધમ સમભાવ તરફ જનતાને વાળવાની ખુબ જરૂર છે. આપણી સામે આજે અનેક જટિલ સમસ્યાએ પડેલી છે જે સ્પષ્ટ માગ દશનની અપેક્ષા રાખે છે, આપણી દૃષ્ટિ અનેક પૂર્વગ્રહો અને અભિનિવેશથી રૂધાયલી છે જેમાંથી મુકત થવા સિવાય સભ્યગ્ દર્શન સર્જાવત છે, સતત પલટાતા જગતના બદલાતા આદર્શો અને ભાવનાઓથી, દેશકાળ સાથે તાલક્ષદ્ધ જીવન જીવવાતી અપેક્ષા રાખતા સમાજે સુચિત રહેવાની જરૂર છે. આ જરૂરિયાતને પહેાંચી વળવું, સફીણું તા દૂર કરવી, સંમસ્યાઆના ઉકેલ દર્શાવવા અને અસાંપ્રદાયિક એવી વિશાળ વિચારસૃષ્ટિનુ દર્શન કરાવવું એવા આ પયુ ણુ વ્યાખ્યાનમાળાના હેતુ છે. કેવળ સાંપ્રદાયિક ધમ આરાધના સાથે સંકળાયલા પર્યુષણુ પતે એક મહત્વનું સંસ્કૃતિપવ` બનાવવું અને તે એવું કે જેનો જૈન તેમ જ જૈનેતરે ઉભય પુરેપુરા લાભ લઇ મુંબઈ જૈન યુવક સંધ તરફથી ચેાજાતી પર્યુષણું વ્યાખ્યાનમાળા પાછળ આ પ્રોજન રહેલુ છે, જેમના દિલમાં પશુ પણ વ્યાખ્યાનમાળા સબધે પ્રશ્નો ઉઠ્યા કરે છે તેમનુ આ વિવરણથી સમાધાન થશે એવી આશા રાખવામાં આવે છે. શકે. આ આ વખતે યેાજાયલી પર્યુષણ વ્યાખ્યાનમાળા નિયત કાર્ય ક્રમ મુજબ નજીવા ફેરફાર સાથે સફળતાપૂર્ણાંક પાર પડી છે. ગયા અંકમાં પ્રગટ થયેલા કાર્યક્રમ અનુસાર પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાનશે।ભાવશે એવી આશા રાખવામાં આવી હતી, પણ મુંબઇ સુધી આવવાના પ્રવાસ ખેડવાને અક્ષમ એવી તેમની તબિયત હાઈને તેઓ આવી ન શકયા, તેમના સ્થાને હિંદી સાહિત્યના જાણીતા સેવક સાધુચરત સુશ્રાવક શ્રી. નથુરામ પ્રેમીને અધ્યક્ષસ્થાન સ્વીકારવા વિનં"તિ કરવામાં આવી હતી અને પર્યુષણ વ્યાખ્યાનમાળાના આઠે દિવસ તેમણે પ્રમુખસ્થાન શેભાવ્યું હતું. આ માટે તેમનાં હાર્દિક આભાર માનવા ધરે છે. પંડિત સુખલાલજીના નિયત વ્યાખ્યાનની જગ્યાએ નાગપુરની મેરીસ કાલેજના સહઁસ્કૃત, પ્રાકૃત અને પાલીના અધ્યાપક ડ।. હીરાલાલજીએ ‘કમ' સિધ્ધાન્ત ઉપર વ્યાખ્યાન આપ્યું. હતું. અન્ય વ્યાખ્યાતાએએ પણ પોતપોતાના નિયત વિષય ઉપર યથાક્રમ વ્યાખ્યાન આપ્યાં હતાં અને વ્યાખ્યાન સભાએ ઉત્તરાત્તર વધારે ને વધારે રસમય અને આકર્ષક બની રહી હતી. આ વખતની દરેક વ્યાખ્યાન સમા ભજન સંગીતથી શરૂ થતી હતી અને આ જવાબદારી ત્રણ ચાર બહેનેએ પરિપૂર્ણ કરી હતી. વચગાળે એક દિવસ ભાઇ પિનાકિન ત્રિવેદીએ એક કલાક ઉંડા દિલની ભકિતથી નીતરતા ભના સભળાવીને શ્રોતાઓને મુગ્ધ કર્યાં હતા અને અન્ય દિવસે ન્યુ એરા સ્કુલના કળાશિક્ષક શ્રી મધુભાઇ પટેલે લેાકસાહિત્યના વિવિધ નમુના રજી કરીને તેમ જ ચેડાંક વ્યંજનો 'સભળાવીને સમીલિત મડળીના ચિત્તનુ રંજન કયું" હતું. આ વખતના કેટલાએક વ્યાખ્યાતાએ તે આ વ્યાખ્યાનમાળામાં પહેલીજવાર રજુ થયા હતા. દરેક વકતાએ ખેતપેાતાના વિષયને સ‘પૂર્ણ' ન્યાય આપ્યા હતા. છેલ્લા દિવસની માટી સભામાં વનિવાસી ભદન્ત આનઃ કૌશલ્યાયનને વર્ષોથી ખેલાવવામાં આવ્યા હતા અને તેમણે શ્રમણૢ `સૌંસ્કૃતિ ઉપર અવનવા પ્રકાશ પાડતુ પ્રવચન કર્યુ હતું. તદુપરાન્ત કાકાસાહેબ કાલેલકર જેએ આ વ્યાખ્યાનમાળા સાથે કેટલાંક વર્ષોથી સકળાયેલા છે અને સધની આ પ્રવૃત્તિના પૉંડિત સુખલાલજી માક એક અધિષ્ઠાતા દેવતા સમાન છે તેઓ પણ આજ નિમિત્તે મુંબઇ વખતસર આવી પહેાંચ્યાં હતા અને વિશ્વશાન્તિ ઉપર તેમણે વિચારપ્રેરક વ્યાખ્યાન કર્યુ હતું. સંધની આ પ્રવૃત્તિના એક મુખ્ય આયેજક તરીકે કાકાસાહેબ કાલેલકર, ભદ્દન્ત આનંદ કૌશલ્યાયન, સધના નિમ...ત્રણુને માન આપીને અમદાવાદથી ખાસ આવેલા શ્રી ઉમાશ'કર જોશીને તેમ જ અન્ય વિજ્ઞાન વકતાઓને, સંગીતની પુરવણી કરનાર બહેનેાના અનેછેલ્લા દિવસની સભામાં અણુધાર્યાં આવી પહેાંચેલ અને એ મધુર પદા સંભળાવીને સૌ કેને મુગ્ધ કરનાર અધ્યાપક શ્રી ઉમેદબઇ મણિયારના, તદુપરા આખી વ્યાખ્યાનમાળા. દરમિયાન વ્યવસ્થા જાળવવામાં અતયન્ત ઉપયુકત સેવા આપનાર શ્રી, ઝાડાવાડ શ્વેતામ્બર સ્થા, સ્વયં'સેવક મ`ડળ સ્વયંસેવક બંધુતા ઉપકાર માનુ છુ. આ વખતે ત્રાતાએ ના છેલ્લા ખે વર્ષ જેટલે ધસારા નહતા. તૈયા વ્યવસ્થા જાળવવાનુ` કા` પ્રમાણમાં સહેલું તું. વળી શ્રોતાઓના પશુ આ બાબતમાં પુરા સહકાર રહ્યો હતો. પરિણામે પાટા ઉપર ગોઠવાયલી ગાડી જેમ સરળપણે ચાલી જાય તેવી રીતે આ વ્યાખ્યા નમાળા નિર્વિઘ્ને પાર ઉતરી હતી. પાન પર્યુષણ વ્યાખ્યાનમાળા : અમદાવાદ મુંબમાં દર વર્ષે` ચેજાય છે તેમ છેલ્લાં લગભગ એકવીસ વર્ષથી અમદાવાદમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાલે છે. આ વર્ષે પણ શ્રી અમદાવાદ જૈન યુવક સંધના ઉપક્રમે, `દરરાજ સવારે દા થી ૧૧ સુધી પ્રેમાભાઈ હાલમાં આ વ્યાખ્યાનમાળા યેજાતી હતી. આઠે દિવસ સુધી પ્રેમાભાઇ હાલ પૂરા ભરાઈ જતા હતા, એટલુ' જ નિહ પણુ લગભગ દરરાજાતાએને આજુબાજુ ઊમા રહેવુ પડતુ હતુ. આ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ નીચે મુજબ હતેા. દિવસ તા. ૮ શુક્ર વિષય ધૃવહાર અને ધમ ભગવાન મહાવીરનેા સ'દેશ તા. ૯ નિ તા. ૧૦ રવિ તા. ૧૧ સામ . વકતા શ્રી. ઇન્દુમતીબહેન મહેતા પ ડિત શ્રી. સુખલાલજી તા. ૧૫ શુક્ર તા. ૧૨ મગળ શ્રી. ભાઇલાલ શાહ શ્રી. મધુસૂદન મોદી શ્રી. ભેગીલાલ સાંડેસરા શ્રી. રામનારાયણુ વિ.પાઠક પ્રફેસર એસ. આર. ભટ્ટ આચાય' શ્રી એસ. વી. દેસાઇ વલ્લભીનું વિદ્યાપીઠ નીતિ અને સમાજ આચાર અને વિચાર નીતિ અને આદર્શ આચાય་શ્રી રતિલાલ મા. ત્રિવેદી કલાદ્વારા લોકશિક્ષણ શ્રી. ઉમાશંકર જોશી સાહિત્યના આનંદ ભજન અપરિગ્રહ અષ્ણુિતા પુરૂષા' નાગરિક ધર્માં નિર્ભયતા પ્રજાધમ જીવનસવાદ હાજરી તા. ૧૩ બુધ શ્રી. કેશવરામ કા. શાસ્ત્રી શ્રો. ચૈતન્યપ્રસાદ મા, દીવાનજી તા. ૧૪ ગુરૂ શ્રી. ધીરજલાલ ધ. શાહુ પ્રેફેસર એસ. આર. ભટ્ટ તા. ૧૫-૯-૫૦ { શ્રી. ચંદ્રશંકર શુકલ શ્રી. ઇન્દુમતીબહેન મહેતા વ્યાખ્યાનમાળામાં દરરોજ પડિતશ્રી સુખલાલજી આપતા હતા, અને કાઇક સમયે ઉપસ દ્વાર પણ કરતા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મુશુિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રોટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂય*કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy