SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ પ્રશુદ્ધ જૈન · ગાંધીજીને કાં ન અનુસરા ?’ ‘જેટલી ગંભીર જવાબદારી મે ધારણ કરી છે, એટલી જ ગંભીર લાચારી મારે વેઠવી પડે છે. કેન્દ્રના હાથમાં વસતી અત્યારની સત્તાઓ અનુસાર નિરનિરાળા રાજ્યાનાં ખેતીખાતાંઓને પોતાની ઈચ્છાનુસાર દારનારા કેન્દ્રના અધિકાર હું કયાંય જોતા નથી. વધુ અનાજ ઉગાડવાને લગતી નિરનિરાળાં રાજ્યની નીતિની પેાતાને કાવતી દારવણી કરવાને અધિકાર પણ ભારત સરકારના હાથમાં વસતા નથી. મારા અંગત ખાતા માટે હિંદી ભાષા જાણતા. એક કારકુન મેળવતાં પૂરા દેઢ મહિઁને મને લાગી ગયા, અને જે અધિકારીઓ સામે લાંચરૂશવતને લગતા આરાપે હતા, એ અધિકારીઓને બરતરફ કરવાની પણ મારી અશકિતના હુ. અનુભવ 'કરૂ છું.. આ શબ્દ કાઇ સરકારી સામાન્ય અમલદારના નથી, પણ અમલદારાના અમલદાર એવા મધ્યસ્થ તંત્રના પ્રધાન અન્નસચિ શ્રી કનૈયાલાલ મુનશીના છે. આ શબ્દો તેમના માટે યાજાયેલ કાઈ સન્માન-સમારભ સમયના નથી, પણ પ્રજાના પ્રતિનિધિઓની બનેલી મધ્યસ્થ ધારાસભામાં પુછાયેલા એક પ્રશ્નના જવાબ વખતના છે. આ જવાબમાં, 'સ્વરાજ' મેળવ્યા પછી પણ સરકારી તંત્ર કઈ રીતે ચાલી રહ્યું છે; અને તે તંત્ર ચલાવવામાં કેવી તદ્દન સામાન્ય મુશ્કેલીઓ રહેલી છે, તેના સારા એવા ખ્યાલ છે. શ્રી મુનશીનુ ઉપર કત વિધાન વાંચ્યા પછી પ્રશ્ન એ થાય છે કે શ્રી મુનશી, આ જાણ્યા પછી એ સ્થાનને વળગી રહ્યા હો શા માટે ? શ્રી મુનશીને પિછાણુનારાઓ કહી શકે એમ છે કે, તે આ પ્રકારની શિથિલતા કદી પણ ન ચલાવી લે. તે સમજ નથી પડતી કે શ્રી મુનશીની કાર્ય પદ્ધતિમાં એકાએક ફેર કાં? તેમણે જવાબદારીભયુ આ સ્થાન સ્વીકાયુ " તે પહેલાં, અનાજની સરકારી વહેંચણીની પદ્ધત્તિ સામે તેમને 'વિરાધ તે; અમલદારે જ સરકારી તંત્રને કઇ રીતે શિથિલ બનાવે છે, તેની તે કડક સમીક્ષા કરતા; આજે એ જ શ્રી. મુનશી રેશનીંગ તથા કટ્રોલ માટે વધુમાં વધુ આદ્ર કરે છે. તે શું તેઓ પ્રધાનમડળમાં ચાલતી ગાડીએ એસી . ગયા ? કે સરકારી આંકડાઓની ઇંદ્રજાળમાં તુરત જ. અટવાઈ ગયા ? ! સરકારી તંત્ર તે જે છે તે જ હતુ. અંગ્રેજો જે તંત્ર મૂકી ગયા હતા, એ ખાદ્ઘદૃષ્ટિએ સારૂં” અને સ્વચ્છ હશે, પણ પ્રસંગના લાભ લેવાનું તે ચૂકયુ" નહેાતું. આથી તેમાં શિથિલતા અને સ્વચ્છ ઠીક ઠીક પ્રમાણમાં વધી ગયા. પરંતુ પ્રધાના-પ્રજાનાં જ પ્રતિ નિધિઓ, તેમાં કાષ્ઠ પ્રકારે તાત્કાલિક ફેરફાર ન કરી શકે, એ ઘડીભર સાન્યામાં નથી આવતું. કે પશુ લેાકશાહી યા સરકારી તંત્ર આટલુ જડબેસલાટ હૈાય તેવું સાંભળ્યું નથી, જોયું નથી. છતાં ક્ષણભર માની લઈએ આ ચોકઠામાં પરિવત ન કરવું કઠિન છે, તે પ્રધાનથી એ ચેાકઠામાંથી બહાર નીકળવાનું જરાય મુશ્કેલ નથી. પ્રજાને સાચી હકીકતના ખ્યાલ તે જ આવે તે ગુજરાતે જેને ‘મુંજાલ ” તરીકે ઓળખ્યા છે, અને જેની પાસેથી મુજાલની કાય વહીની અપેક્ષા રાખી છે, એ ‘મુંજાલ ' સાચે જ નવલ કથામાં જ મુંજાલ તરીકે શૈાભી શકે એમ છે શુ? નહિ તે એની હકુમત દરમિયાન બિઢારના ભૂખમરાના, મદ્રાસની અનાજની તરંગીના અને બંગાળ પર ઊતરતા દુષ્કાળના ખેાળાના સમાચાર સાંભળવાના હોય ખરા ? જ્યાંસુધી શ્રો મુનશીને મધ્યસ્થ પ્રધાનમ’ડળમાં સ્થાન નહેતુ મળ્યું ત્યાંસુધી મનમાં રહ્યા કરતુ' હતુ` કે, એક શકિતશાળી અને પ્રતિભાસ પુન્ન વ્યકિતને જવાબદારીભરી જગા કાં નહિ ? ત્રણુ મહિના જેવા ટુંકા ગાળામાં, તેમને એવી એક જગા મળ્યા પછી, તા. ૧-૮-૫૦ તેઓ જરૂર ચમત્કાર ન કરી શકે, પણ શાકભાજી સારાં પ્રમાણુમાં ઉગશે ’' એવી પૂત્ર' ભૂમિકાય તે પ્રજાના હૃદયમાં ઉગાડી શકે. ગાંધીજીની જરૂર, કાષ્ટ દિવસ નડ્ડાતી એટલી આજે લાગે છે. આજે જો ગાંધીજી આપણી વચ્ચે હાત તે, આવી એક નહિ, પણ એક કરતાં વધારે મુશ્કેલીએના આપણે સહેલાથી સામના કરી શકયા હૈાત. આજે પ્રજાના એકમત રજૂ થાય તે પણ સરકારી તંત્રની રીતરસમ ફેરફાર થવાની સંભાવના દેખાતી નથી; અને ખચાવ એમ કરાશે કે, પ્રજાના હિતને ખાતર જ બધું થાય છે. ગાંધીજીને એવે પ્રભાવ હતા કે, એમની દલીલ “ સામે-હૃદયપૂવકની સાચી દલીલની સામે-સામાની દલીલ પાંગળી થઇ જતી, અને એમની દલીલમાં કદીક વિશ્વાસ ન બેસે તે પણ તેમના કથનને અમલમાં મૂકવાની તૈયારી કરવી પડતી. શ્રી મુનશી પોતે કહે છે કે હું ગાંધીજીને અનુસરે છે. સ્વાભાવિક રીતે એ પ્રશ્ન થાય છે કે, હિંદના અનાજના પ્રશ્ન ની છાબતમાં તેઓ ગાંધીજીની વિચારસરણીને અનુસરે છે ખરા ? ત્રણ મહિના કે છ મહિના તેએ આ પ્રયોગ થવા દે; પ્રજાની ભૂલ હશે તે પ્રજાને આપમેળે એ સમજાઇ જશે. આ કલકત્તામાં, અમદાવાદમાં કે મુ’બઇમાં વધુ રકમ ખચ્ચે જોઇએ તેવુ અને તેટલુ સારૂ' અનાજઘઉં, ચેખા વગેરે મળી શકે છે, જથ્થામ્બંધ સફેદ દાદાર ખાંડ પણ મળે છે. છતાં બીજી બાજુ બિહાર, મદ્રાસ અને બંગાળમાંથી અનાજની તગીના સમાચાર આવે છે. એને અથ એ કે વહીવટ માં કયાંક જબરજસ્ત ખામી છે; વહીવટમાં કયાંક સુમેળ નથી; એક વાકયતા નથી. એક કારકુન રાખવા માટે શ્રી મુનશીવે એ હુથ જોડી લાંબા વખત સુધી બેસી રહેવુ પડે, લાચારી વેઠવી પડે, એવા તંત્રમાં અગાઉના અન્નચિવ શ્રી જયરામદાસ દેાલતરામ જેવાનું તે ગજી શું ? હિંદ ખાદ્ય રીતે એક સૂત્રે ગૂથાયેલું' ભલે લાગતુ' હાય, છતાં દરેક રાજ્ય અને પ્રાંત પોતપોતાની ઇચ્છાનુસાર સ્વતંત્ર રીતે વતે અને મધ્યસ્થ તંત્રને તેને સામના કરતાં વિચાર કરવા પ; લાંચરૂશવતખારેતે નશ્યત કરતાં એક પ્રધાનને અશકિત અનુભવવી પડે~~આ પરિસ્થિતિ આપણા રાષ્ટ્રની હાય તે, આપણે કર્યાં જપ્ત અટકીશું તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. એ કલ્પના સાથે જ ‘સરમુખત્યારશાહી’ની વિચારણા-અળખામણી અને અનિ ચ્છનીય છે છતાં– ઊપસી આવે છે. એક વ્યક્તિના મંજ ભૂત હાથે, એક વખત સરકારી તંત્રની શિથિલતા અને સ્વચ્છ ંદતા દૂર થાય; વહીવટી કચ। સાફ થઇ જાય તે!, .ભવિષ્યમાં તંદુરસ્ત લેકશાહીના વિકાસને કોઇ નહિ અવરેધી શકે. શ્રી. મુનશીની આ લાચારી જાણ્યા પછી, તેમને એક વાત કહ્યા વગર નથી રહેવાતું. જો આ જ પરિસ્થિતિમાં શ્રી. મુનશીને રહેવાનુ હાય, અને તેએ કંઇ પણ કાર્ય કરી શકે તેવી સ્થિતિમાં ન દ્વાય તે વધારે સારૂં' એ છે કે, તે પ્રધાનમડળ માંથી નીકળી પ્રજા વચ્ચે આવી રહે. એથી પ્રજાને પણ ખ્યાલ આવશે કે, પ્રધાનમ`ડળમાં યોગ્ય વ્યકિતનું સ્થાન નથી. અને જે શ્રી. મુનશીને શ્રદ્ધા હોય તે। એ જ સ્થાને રહી પ્રયાગને ખતર પણ, વ્યવસ્થિત રીતે, નાખેરાને તક ન મળે એ રીતે, ધીમે ધીમે પણ મક્કમ હાથે અનાજ-વહેંચણીની આજની પદ્ધત્તિને દૂર કરે; તે પ્રજાને સાચી પરિસ્થિતિને ખ્યાલ આવવા દે. જે માટે ગાંધીજી કહી કહીંને થાકી ગયા હતા, એ માગે` જંત્રામાં શ્રી. મુનશીએ નાનપ અનુભવવાની જરૂર નથી; તે કહી શકે એમ છે કે, હું “ ગાંધીજીને અનુસરૂ છુ, ” ' ધીરજલાલ ધનજીભાઈ શાહ
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy