SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રી મુંબઈ જે યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર - રજી. નં. બી કરી પ્રબુથ ન તંત્રી: મણિલાલ મકમચંદ શાહ વર્ષ : ૧૧ મકે : ૧૮ મુંબઈ : ૧૫ જાન્યુઆરી ૧૯૫૦ રવિવાર વાર્ષિક લવાજમ રૂપિયા ૪ : ગુજરાત યુનિવર્સિટી છે * [ ઘાટકેપર સાહિત્ય સભાના ઉપક્રમે, ઘાટકેપરમાં ગઈ તા. ૨૬ મીએ હિંદની પાર્લામેન્ટના સ્પીકર માનનીય શ્રી ગણેશ વાસુદેવ માવળંકરે ગુજરાત યુનિવર્સિટી' ઉપર એક મનનીય પ્રવચન આપ્યું હતુંગુજરાત યુનિવર્સિટીનું બિલ મુબઈ ધારાસભામાં પસાર કર્યા પછી, ગુજરાત યુનિવર્સિ ટી' પર તેમનું આ પ્રથમ જ પ્રવચન છે, એ આ પ્રવચનની વિશિષ્ટતા છે. તેમાં તેમણે યુનિવર્સિટી વિશેની પોતાની કલ્પના, કેળવણી વિષેના પિતાના વિચારો; શિક્ષણ અને સાહિત્યનો સંબંધ વગેરે ચચર્યું છે, ભાઈશ્રી રસિકલાલ ત્રિવેદીએ પિતાની નોધ ઉપરથી આ આખું પ્રવચન તૈયાર કરી આપ્યું છે. -સંપાદક 1 ઘાટકોપર ગૂજરાતી સાહિત્ય સભા તરફથી જાયેલી વ્યાખ્યાનોની હારમાળાના પ્રથમ વકતા તરીકે ભાઈ ધીરૂભાઇએ | ગુજરાત યુનિવર્સિટી ઉપર બેસવા માટે મને આગ્રહ કર્યો; તેને માન આપીને આજે તમારી સમક્ષ આવ્યો છું. શિક્ષણ અને સાહિત્ય માટે મારે પ્રેમ પ્રથમપી જ છે; કારણકે તેઓ બને જીવનમાં અગ્રસ્થાન ભોગવે છે. શિક્ષણ માટેની નવીન વિચારસરણી એક જુદે જ પ્રશ્ન માગી લે છે. શિક્ષણનું જીવનમાં અગ્રસ્થાન છે કારણકે શિક્ષણુ જીવનની દરેક બાજુ અને પાસે સ્થિત છે કે નહિ તે જોવાની શકિત બક્ષે છે. જન્મથી મરણ સુધીના વખતનો ઉત્તમોત્તમ ઉપયોગ કરે તે જ સાચી કેળવણી છે. ઇ. સ. ૧૯૧૩ થી જ મારૂં આકર્ષણ શિક્ષણ તથા સાહિત્ય તરફ વધારે. શ્રી દી. બ. અંબાલાલ સાકરલાલનું મંડળ, તેને ઉદેશ, સર્વ પ્રકારની કેળવણી માતૃભાષા દ્વારા આપવી, તે હતો. તેમાં હું મદદનીશ મંત્રી તરીકે કામ કરતો હતો. દીવાન બહાદુરના અવસાન બાદ તે મંડળને સર્વ ભાર મારા શિરે પડે. કેળવણી તો માતૃભાષા દ્વારા જ હોઈ શકે એમ અત્યારે આપણે સૌ માનીએ છીએ અને કહીએ છીએ, પણ તે જમાનામાં જુદો જ મત પ્રવર્તતે હતો, અને વિવિધ પ્રશ્નો પૂછાતા હતા કે “ તમારી ભાષામાં પારિભાષિક શબ્દો માં છે?” “ વિવિધ ક્ષેત્રના જુદા જુદા ગ્રંથ કયાં છે ?” આમ હોવાથી તે જમાનામાં માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું તે તદ્દન અસંભવિત વાત મનાતી હતી પણ હવે જમાન પલટાયો છે અને જે મોટામાં મોટી ક્રાનિત થઈ હોય તે માતૃભાષા દ્વારા જ શિક્ષણ આપવું તે આંદોલનની છે. તે જમાનામાં ખાનગી પત્રવ્યવહાર પણ અંગ્રેજીમાં થતા, અને વાતચીતમાં પણું અંગ્રેજીને છૂટથી ઉપગ થતો. જ્યારે ગાંધીજી હિન્દીમાં આવ્યા ત્યારે મારી ઉમર ૨૭ વર્ષની. સ્વભાવ તે મૂળે જ શરમાળ. આ વખતે કેટલાક વકીલમિત્રો સાથે ગાંધીજી પાસે અવારનવાર જવાના પ્રસંગે પડતા. આ વખતે સર્વે ભાઈઓ અંગ્રેજીમાં - બેલે અને ગાંધીજી સર્વ પ્રશ્નના જવાબ ગુજરાતીમાં જ આપે. આ સમયે મને ગાંધીજીની આ રીતમાં કંઇક ગાંડપણુ લાગતું હતું; પણ અત્યારે સમજાય છે કે એ પ્રમાણેને ગાંધીજીને આગ્રહ તે ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીનું મૂળ છે. ઈ. સ. ૧૯૧૪માં એક મત એ હતું કે ગુજરાતમાં કેળવણીનું કાર્ય કરવું જોઈએ, અને ગાંધીજીએ પણ આ મતને અનુમોદન આપ્યું હતું. અમદાવાદમાં ઈ. સ. ૧૮૨૬ માં શહેરસુધરાઈને પ્રમુખ થયો ત્યારે નાનીમોટી દરેક બાબતમાં અને ખાસ કરીને કેળવણીને પાયે મજબૂત કરવાને અમારો વિચાર હતા. સ્થાનિક સ્વરાજ્યને પ્રાણ “મ્યુનિસિપાલિટી' છે અને “મ્યુનિસિપાલિટી’ દ્વારા શહેરમાં પ્રાથમિક શિક્ષણ અપાય છે. આ ઉપર મારે ખાસ ધ્યાન આપવાનો વિચાર હતા. ગુજરાત સભા' નામની એક સંસ્થાના ગાંધીજી પ્રમુખ અને સરદાર વલ્લભભાઈ સભાસદ હતા. તેઓ વિચારતા કે મોટું આંદેલન શરૂ કરવું. આ માટે ગાંધીજી એવી દલીલ કરતા કે શહેરનું સ્વરાજય બરાબર ચલાવો અને તે યુવાને શિખામણ આપે કે તેઓ કરકસર કરે; આમ થશે તે જ છે દેશની પ્રાંતિક અને મધ્યસ્થ સરસ્કારો પગભર થશે. અને નાની છે નાની બાબતોમાં પણ બીજાને ઉપયોગી થવાની, જાત તપાસવાની છે અને નાની નાની સંસ્થાઓની વ્યવસ્થા કરવાની કેળવણી આપીશું તે જ તેઓ ભવિષ્યમાં દેશની સેવા કરી શકશે. આ વાતનું ધ્યાન મને મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા પછી થયું. શ્રી બલુભાઈ ઠાકર મારા મિત્ર. તેઓ અને હું વિચારતા કે સ્વરાજ્ય ચલાવવું હોય તે મ્યુનિસિપાલિટીનું પ્રથમ કામ, પૂરતી પ્રાથમિક કેળવણી આપવી તે છે. આ પ્રસંગે એક રમૂજી વાત યાદ આવે છે. અમદાવાદ શહેરના એક લતામાં હું ફરતા ફરતે જઈ ચડશે. ત્યાં પાણીના નળની ચકલી ખૂલી જોઈ; આથી મેં તે નળના માલિકને બોલાવ્યા. તેમની સાથે વાત કરતાં મને ખબર પડી કે તેઓ ભણેલાગણેલા સારી કેળવણી પામેલા એક ભાઈ હતાતેમણે મને આવકાર્યા, તે વખતે મેં તેમને પ્રશ્ન કર્યો કે, “ નળની ચકલી વિનાકારણે શાને ખુલ્લી રાખે છે ?” ત્યારે તેમણે જવાબ આપ્યો “ દશ ' દશ વર્ષ સુધી પાણીવેરે ભર્યો છે અને હવે નળ મળે છે તે તેટલા પ્રમાણમાં પાણી તે વાપરવું જોઈએ ને ?” જે સુધરેલા માણસે પિતે જ કેળવણીને સમજી શકે તે જ બીજાને સમજાવી શકે. કેળવણીમાં સ્વાર્થવૃત્તિ હોવી જોઈએ નહિ, અને જો હોય તે તે જ કેળવણી નકામી છે.' પ્રાથમિક કેળવણી અત્યારે ફેરફાર માગી લે છે. સાક્ષરતા.' એ કેળવણીનું લક્ષણ છે. આજે કેળવણીનું માપ સંખ્યા પરથી થાય છે–શાળાની સંખ્યા પરથી, બાળકૅની સંખ્યા પરથી તથા શિક્ષકોની સંખ્યા પરથી થાય છે. એટલે ભવિષ્યના નાગરિકોને જે સારી કેળવણી મળવી જોઈએ તે અત્યારે મળતી નથી. નાનપણથી જ પ્રાથમિક શિક્ષણ જીવનને ઉન્નત કરે એવું હોવું જાઈએ.
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy