SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ વગેરેની પાયીઓના ઉપયાગ કરી જેસલમેર જવાની ઝંખના કર્યાં કરતા હતા. તેવામાં ગયા વસે જેસલમેરના જન સૌંધના આગે બાના તેમને જેસલમેર આવવાની વિનતી અમદાવાદમાં આવીને કરી ગયો એટલે તે ખીજા અંધા કામ- ગૌણુ કરીને આ તરફ રવાના થઇ ગયા અને ગુજરાત મારવાડમાં વિહાર કરતા કરતા અહીં ઝપાટાબંધ પહોંચી ગયા. તે મહાશુદી ૧૨ તેરાજ અહીં આવી ગયા. ભ ડારના રક્ષકાએ તેમને માટે ભંડારા ઉઘાડયા. અહીં તાડપત્રનાં અને કાગળના પુસ્તકો છે. ખીજા ાં જૂનાં સમયનાં લખાયેલાં છે. કેટલાંક પુસ્તકા તા એવાં છે કે જ્યારે જેસલમેર વસ્યું* પશુ ન હતુ. પુસ્તક બ્રાહ્મણધમના, આલમનાં અને જૈનધમ નાં છે. એમાંના કેટલાક તે અન્યત્ર મળે એવાં જ નથી. આચાય પાદલિ“પ્તની જ્યાતિષ્ઠરક નામના પયા ઉપરની એક વૃત્તિ અહીં મળી છે, જે આખા દેશમાં ખીજે કયાંય ઉપલબ્ધ નથી. દશવૈકાલિક ચૂર્ણિ તુ' છેલ્લુ પાતુ મળતુ જ ન હતું. જેમાં ચૂર્ણિકારે પોતાનુ નામ વગેરે લખેલ છે. વિશેષાવશ્યક ભાષ્યની એક ઘણી જ જૂતી પ્રતિ મળી છે જેની લિપિ જોતાં જે સાતમા મઢમા સંકામાં લખાઈ હૈાય એમ લાગે છે. એટલે ભાષ્યકારે જ્યારે ભાષ્ય લખ્યુ તે પછી ધણા પાસેના સમયમાં આ પ્રતિ લખાયેલી ગણાય અને તેથી જ ધણી કિમતી કહેવાય. ગીતાની અને યાગદશનની પ્રતે ૧૧૬૭ માં લખાયેલી અહીં મળી છે. એકંદર અહીંના ભંડારનાં પુસ્તકમાં ધાં જ પ્રાચીન સમયમાં લખાયેલાં છે, છતાં તેના તાડપાનાં કે કાગળા જાણે ગઇ કાલે જ લખ્યા હોય એવા સરસ છે અને અક્ષરા પશુ તાજા જ લખ્યા હૈાય એવી ચમક આપે છે. આપણા સમાજના આગેવાને કે જેઓ શાસ્ત્રપૂજા માટે ભારે ધમાલ કરે છે અને સાહિત્યની રક્ષા માટે મોટા મોટા પાકાર વારે વારે કર્યાં કરે છે તેની ઊંધ કયારે ઉડશે ? “ અહીં તા ભડારાની વ્યવસ્થા કાઇએ કરી હાય એવુ' જાતુ' નથી. અહીં ઘણા ઘણા આયાર્યાં પધારી ગયા અને ખીજા પણ કેટલાક નામાંકીત સેકા આવી ગયા, પણ તેમાંના કાએ આ ભંડારાને વ્યવસ્થિત કરવાની તકલીફ્ લીધી જ નથી. આપણા ધરના કાઢારમાં બાજરી, મઠ, રાઇ અને મેથી વગેરે એકબીજા જેમ સેળભેળ થઇ જાય તેમ અહીંના કેટલાંક પુસ્તકાનાં પાન ખર્ધા એવાં જ સેળભેળ થઇ ગયાં છે. એ ખધાં તાડપત્રનાં પાનાં છે એટલે હાલ તુરત" તા તે પાનાઓનું" નિરીક્ષણ ચાલે છે. એક એક પાનું જોવાય છે અને તે પાનુ કયા ગ્રંથનુ હાવુ જોઇએ એવુ તેના વિષય ઉપરથી વાંચીને નક્કી થાય છે, એ રીતે એ પાનાંઓમાંથી કેટલાક આખાં ગ્રંથે મળી આવ્યા અને બાકીનાં કેટલાંક પાતાને એમનેએમજ રાખવા પડયાં. આ કામ કેટલી બધી જહેમતનું છે તે તેા એ જ જાણી શકે કે જે બાજરી મઠ રાઇ અને મેથી જે બધા એકમેક મળી ગયેલાંને જુદા કરી જાણે. આ કામ માટે શ્રી પુરુવિજયજી ભારે સાવધાનીથી ઘણા શ્રમ લે છે અને તે માટે તેમણે યોગ્ય કાર્યકરા પણ અહીં જ ગાઠવેલા છે, જેઓ ગુજરાતથી આવેલા છે. તેમાંના કાષ્ઠ ભાષ નકલ કરે છે તા કાઇ ભાઇ સશોધન કરે છે. અહીં એક વિશુદ્ધાનંદવિજય નામના જતિજી છે. તે પણ પેાતાની યથાશકિત કામમાં સહાય કરે છે. માનુ છુ કે આ કામ હજી આવતા કાગળુ સુધી ચાલશે; તે દરમિયાન અહીંના ભડારાની તમામ સુવ્યવસ્થા થવા ઉપરાંત આગમેનાં સશોધનનુ પણ કેટલુક કામ થાળે પડી જશે. તેમના આ કામમાં ઉપયેગી થઈ શકુ અને હું જે શું જેન તા. ૧૫-૬-૦ • સ’પાદનસ શોધનનું કામ ક′ છું તે સારૂ પણુ અહીના ગ્રંથા જોઈ શકું એ માટે હું અહી આવેલ છું. જેસલમેરની આમેહવા એકદમ ચૂકી છે, આ બાજુ સાધારણ રીતે પાણીની ત’ગી હાય અને આવા ઉનાળામાં તા એ તંગી ઘણી વધારે માલુમ પડે છે. અને જે કામ કરનારાઓ છે. તેઓને માટે મહિને લગભગ પચ્ચીશ–ત્રીશ ઉપયા પાણીના જ ખર્ચવા પડે છે. તે ઉપરથી તમે અહીંની પાણીની તગ હાલતને બરાબર સમંજી શકશે. શાકપાડુ તા ભાગ્યે જ મળે. સાંગર કે કેરડાંના વધારે ઉપયોગ કરવામાં આવે છે. કાઇ કાઇ વાર વળી શાક મળી જાય છે. સારેનસીમેથેડુ ધણું દૂધ મળે છે; તે પશુ વિનામુશીબતે નહી જ, એક ભાઈ ઘરેઘરે લેવા જાય ત્યારે જ શહેરની ચારે બાજુ નર્યાં પથ્થરો અને રેતીના ઢારા પડેલા છે. આંખને ઠારે એવુ* એક પણ વૃક્ષ ગામખહાર ભાગ્યે જ દેખાય. અમદાવાદથી જોધપુર અને જોધપુરથી ગાકરણ સુધી રેલગાડી છે અને ત્યાર પછી આઠ માઇલ સુધી મેટરની સગવડ છે. રસ્તા સારા નહીં એટલે મેટરમાં ખેડા ખેડા પછડાવાનુ તા વારવાર હેાય જ. આપણા દેશમાં લીંબડી ખંભાત અને અમદાવાદ વગેરે સ્થળે પણ આવા ગ્રં’થમ’ડારા છે, પણ ત્યાં હજી ભડ રાને વ્યવસ્થિત કરવાની, તેનાં સવિસ્તર સૂચિપત્ર તૈયાર કરાવીને પ્રગટ કરવાની અને એ થૈને પ્રકાશમાં લાવવાની જાગૃતિ આવે ત્યારે ખરી, ઘેાડા સમય પહેલાં પાટણમાં શ્રીમાન મુનશીજીની અધ્યક્ષતામાં હુંમસારસ્વતસત્ર પાઢણુમાં ઉજવાયેલુ' તે વખતે ત્યાં હેમાચાય જ્ઞાનમંદિરની સ્થાપના થયેલી. તસ્થાપના થયા પછી એ જ્ઞાનમદિરે આજલગી કશી જ પ્રવૃત્તિ નથી કરી, એ પણ એક આશ્ચય કારક ઘટના છે. કામ કરનારા અધ્યાપકો આપણા સમાજમાં તૈયાર થતા જાય છે ત્યારે સસ્થાઓ સ્થાપિત થઇને નિષ્ક્રિય પડી રહે છે એ પરિસ્થિતિ ભારે દુઃખદ છે પણ શું થાય? અહિ'ની જે મતિએ અને જે પુસ્તકા છે તે સુરક્ષિત સ્થળે રાખવા માટે જ અહીં લાવવામાં આવ્યાં ડ્રાય એમ જહુાય છે. આટલાં બધાં પુસ્તકામાં ભાગ્યે જ બે કે ત્રણ એવાં પુસ્તકા હશે જે અહીં જ લખાયાં હાય, સભવ છે કે જ્યારે પાટ જુના ભંડારા જોખમમાં આવી ગયા હાય-અજયપાળના વખત એ ભડારા માટે ભારે જોખમરૂપ હતા તે વખતે જેટલાં પુસ્તકા અહીં ખસેડી શકાયાં હશે તેટલાં ખસેડયાં હરશે એમ જણાય છે. આ પુસ્તકાની પાછળ જે પ્રશસ્તિઓ આપેલી છે તેમાંંથી ઘણી શ્રેણી ઇતિહાસની સામગ્રી મળે એમ છે, કોઇ ચિત્રના શોખીન જેસ લમેરનું એક ચિત્રપુસ્તક તૈયાર કરે તે તે ધણુ ઉપયેગી થાય એમ છે. એ માટે ભંડારા,મંદિરે ઉપરાંત અહીંના ધરાની કારણીના નમૂનાની પણ પુષ્કળ સામગ્રી પડેલી છે. તેમાંથી એક સરસ આલ્બમ તૈયાર થઇ શકે એમ છે. સાડીઓ ઉપર જુદી જુદી ભાતા મેળવવા સારૂ અહીંની કારણીના નમુના ભારે ઉપયાગી થાય તેમ છે પણુ આ સાહસ કરે કાણુ? આ શહેરમાં વિજળી આવી ગઇ છે એટલે અમારે રાત્રે વાંચવાની વિશેષ સગવડ થઇ છે. અહીંની પ્રવૃત્તિમાં કામ કરનારાઓ ભારે ઉત્સાહી અને અથાક આવી “ શ્રમ કરનારા છે. . ભાઇ તેન્ડુચ', ખેલાણી, પડિત અમૃતલાલ, ભાઇ લક્ષ્મણ પાટણવાળા વગેરે નામે ખાસ ઉલ્લેખયેગ્ય છે. બની શકે તે તમે આ પત્ર ભાઇશ્રી હીરાલાલભાઇને વચવશે. આખા મે મહિના અહીં રહેવાના છું. યોગ્ય લખશે, મેચરદાસ શ્રી મુંબઇ જૈન યુવક સધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રોટ, મુંબઈ. મુદ્રણુસ્થાન : સૂયTMકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy