________________
તા. ૧-૬-૪૯
ખરું કે એમની હિંસા થતાં એમને એ.છી લાગણી કે ઓછું દુઃખ થાય છે ? અને એમાં ઓછી હિંસા શી રીતે થાય છે? અ દર્શની દૃષ્ટિએ તે હિંસા થઈ જ ને ? તમે જે પ્રકારને અહિંસાને આદશ' કલ્પે છે તે જીવનનું અંતિમ સત્ય કે આખરી વારતવિકતા છે એમ મને લાગતું નથી. કારણ કે જીવનના પિતાના બંધારણમાં જ કાંઈક એવું છે કે તમે જેને હિંસા કહે છે તેના વિના અત્યારે તે તે ટકી શકે તેમ નથી.
પ્રશ્ન: તે શું તમે એમ કહેવા માગે છે કે સર્વ શિવસ્વરૂપ, - દયાસાગર પ્રેમસ્વરૂપ કરૂણ મય પ્રભુએ માનવને માટે ક્રૂરતા અને હિંસા નિર્માણ કર્યા છે ? ' ઉત્તર : ઈશ્વરે અમુક પ્રકારનું નિર્માણ કર્યું છે એવું મેં કહ્યું જ નથી. તમારે મન, અહિંસા એ જીવનનું ઊંચામાં ઊંચું અને આખરી સત્ય છે. હું તે તમને એટલું જ બતાવવા માગું છું કે જીવન જેવું છે તેવું તમે જેને હિંસા ગણો છો તેના પર પણ પ્રતિષ્ઠિત છે.
ઇશ્વર શિવસ્વરૂપ, દયાસાગર અને કરૂણામય, છે ”—એ " વિષે તે ઉમેરી શકાય કે એ બધા માનવને પસંદ આવતા ગુણોમાં જ આપણે સર્વશક્તિમાન અનંત ઇશ્વરને મર્યાદિત નહિ કરી શકીએ.
પ્રશ્ન : તો, તમે શું પ્રભુને શિવસ્વરૂપ, પ્રેમસ્વરૂપ અને કરૂણામય નથી માનતા?
ઉત્તર : હું માનું છું, પરંતુ પ્રભુ એટલે તે મહાન, એટલે તે અસીમ છે કે આપણા મનને પરસ્પર વિરોધી લાગે એવા ગુણ એનામાં એક વખતે આશ્રય લઈ શકે છે એમ મને લાગે છે. દાખલા તરીકે, સૃષ્ટિના સર્જક તરીકે તે બ્રહ્મા છે, પષક અને ધારક તરીકે વિષ્ણુ છે, તે રુદ્ર તરીકે વિનાશક પણ તે જ છે. તાંત્રિકોના મત પ્રમાણે અઘિા પરા શક્તિમાં ભગવતી દુર્ગા છે, જગ જનની છે તે જ કાલી પણ છે. ગીતામાં લેકક્ષય કરનાર કાલ હું છું એમ કહેલું છે તે આ જ સત્ય દર્શાવે છે.
એટલે બીજા ધર્મો કે દશનનું ગમે તે હોય પણ આપણા હિંદનાં દશ"નેએ અને ધર્મોએ તે પ્રભુના આ વિનાશક સ્વરૂપને પણ દિવ્ય તરીકે સ્વીકાર કર્યો છે,
પ્રશ્નઃ પ્રભુના વિનાશક સ્વરૂપને સ્વીકાર કરે એને અર્થ . શું એ થાય છે કે માણસે એ તેનું અનુસરણ કરવું જોઈએ ? ભાણુએ તે પ્રભુના શુભ ગુણવાળા સ્વરૂપને જ અનુસરવું જોઈએ, ખરું કે નહિ?
ઉત્તરઃ એ પ્રમાણે કરવાથી માણસને પ્રભુના સમગ્ર સ્વરૂપનું જ્ઞાન નહિ થાય, માથુસને પસંદ હોય એવા ગુણોવાળા સ્વરૂપને જ તે જાણી શકશેવળી, હું એમ નથી કહેતા કે માણસ એ રુદ્ર સ્વરૂપનું અનુકરણ કે અનુસરણ કરવું જોઈએ. તે એમ કહેવા માંગું છું કે રુદ્રવરૂપનું જીવનમાં શું સ્થાન છે તે જાણુવું જોઈએ અને એનું જીવનમાં કોઇ પણ સ્થાન હોય તે તેને સમજવા, અને તેની સાથે સમાધ ને કરવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રભુના પ્રત્યેક
સ્વરૂપની અંદર જીવનમાં કાર્ય કરી રહેલ એવું કાંઈ ને કાંઈ સત્ય હેય છે એમ હું માનું છું.
પ્રશ્નઃ મૃત્યુ અને વિનાશના પ્રભુને માણસ કેવી રીતે ચાહી શકે?
- ઉત્તરઃ સત્યને નિર્ણય આપણુ મનની પસંદગી નાપસંદગી ' ૫ર હમેશાં કરી શકાય ખરો ? મને લાગે છે કે પ્રભુના શિવસ્વરૂપની સમજ તેના રૂદ્રસ્વરૂપની સમજ વિના અધૂરી જ રહેવાની.
પ્રશ્ન: તમે કહે છે તેમ હિંસાને સ્વીકાર કરવાથી કાંઈ " માનવ જાતિના કોયડો ઉકેલ આવતું નથી. હિંસા કરવાથી ઊલટી હિંસા જ વધે છે. પરંતું અહિંસા, શેકસપીયર દયા વિષે કહે છે તેમ,
બેવડી આશીર્વાદ સમાન છે. એનું આચરણ કરે છે તેને તે આશીર્વાદ સમાન છે અને જેના પ્રત્યે તે આચરાય છે તેનું પણ તે કહેવાણુ કરતી હોવાથી તેને પણ આશીર્વાદરૂપ છે.
‘ઉત્તર : માનવ જાતિના પ્રશ્નોના ઉકેલ વિષે તે સામાન્ય સિધ્ધાંત તરીકે આપણે કહી શકીએ કે કલહ, વિસંવાદ અને
જુદાઈ કરતાં એકતા, સંવાદ, સહકાર વગેરે વધારે ઉચ્ચ પ્રકારની શકિતઓ છે. આપણે તે અત્યારે આખરી આદર્શ તરીકે અહિં. સાના મૂલ્યો અને સમગ્ર જીવનના ઉકેલ તરીકે એને વિચાર કરતા હતા. માનવ જીવનના કેયડાઓના ઉકેલ તરીકે આપણે એને વિચાર કર્યો જ ન હતું. પરંતુ એટલું તે જોઈ શકશે કે માણસના જીવનમાંથી કલહના તત્વને, એટલે કે હિંસાને એકદમ અને પૂરેપૂરી દૂર કરી દેવી શકય નથી. વયવહારૂ દૃષ્ટિએ વિચારતાં પણ આપણને જણાશે કે વ્યક્તિ પાસે સંપૂર્ણ અહિંસાના પાલનની આશા રાખવી એટલે સામાન્ય માણસ શહીદ બની જાય એવી આશા રાખવા બરાબર છે. અને આખી પ્રજા એવી શહીદી આચરે એવી આશા રાખવી એ તે મને લાગે છે કે ઘણું વધારે પડતું છે.
પ્રશ્ન : બધા જ માણસે અહિંસાનું પાલન કરે તો માણસ જાતના બધા ઝગડાઓનું નિરાકરણ લાવવાને એ સારામાં સારો ઈલાજ નથી ?
ઉત્તર : એ જ છે ને! બધાને અહિંસાનું પાલન કરતા કેવી રીતે કરવા? એક મારે બહુ જ સાદી બુદ્ધિવાળે મિત્ર હમેશાં કહેતા કે હિંદમાં ચાલીસ કરોડ રૂપિયા એકઠા કરવા એ સહેલામાં સહેલું છે કારણ કે એકએક જણ એક રૂપિયો આપે તે ૪૦ કરોડ થઈ જાય !
" પરંતુ તમે પોતે તમારે દ્રષ્ટિબિંદુ બદલ્યું તે તમારી ધ્યાનમાં પણ નથી એમ મને લાગે છે. અત્યાર સુધી એક અધ્યામિક સત્ય તરીકે અહિંસાને સ્વીકાર કરવા વિષે તમે કહેતા હતા. હવે તમે જીવનના પ્રશ્નોના ઉકેલ તરીકે એની હિમાયત કરે છે. વળી બધા જ એને સ્વીકાર કરે તે પ્રશ્નોના ઉકેલ આવે એમ પણ માનો છો એટલે તમારી નજર બાહ્ય સફળતા તરફ અને કાંઈક બાંધછોડ કરવા તરફ રહેશે એમ પણ મને લાગે છે.
પ્રશ્ન : તમે જીવનને સમગ્ર રૂપે વિચારે તે પછી બાહ્ય અને આંતર વચ્ચે તમે તફાવત કરી શકશે ખરા? એટલે અંદરના જીવનની આધ્યાત્મિક સાધના તરીકે અને સામાજિક અને રાજકીય પ્રશ્નોના સફળ ઇલાજ તરીકે, એમ બંને રીતે અહિંસા ઉપયોગી ન થઈ શકે?
ઉત્તરઃ એમાં તો ઘણે ફેર પડી જાય ! અહિંસાને આધ્યાત્મિક ઉન્નતિના એક સાધન તરીકે વાપરવી એ એક વસ્તુ છે અને બાહ્ય પરિણામે લાવવા માટેનાં એક ઇલાજ તરીકે વાપરવી એ જુદી જ બાબત છે. આધ્યાત્મિક ઉન્નતિને માટે અહિંસાનું આચરણ કરનાર માણસ એક એવી ચેતનાવરથાને પહોંચવા માગે છે જેમાં સર્વ પ્રકારના પ્રેરક અને ઉત્તેજક કારણોની વચ્ચે પણ પોતે શાંત અને અહિંસામય રહી શકે. એની દૃષ્ટિએ અંતરની અહિંસાવાળી સ્થિતિ જાળવી એ જ મુખ્ય ધ્યેય છે. અંતરની અહિંસામય સ્થિતિને જરા પણ ભંગ ન થાય એ એને મન અતિ આવશ્યક છે. અહિં. સાના પાલનથી કોઈ બાહ્ય પરિણામો આવે છે કે નહિ એ બાબત એને મન ગૌણ હોય છે.
પરંતુ સામાજિક કે રાજકીય અન્યાયને દૂર કરનાર અહિંસાને પ્રયોગ કરીને બાહ્ય પરિણામો માટે આશા રાખે છે અને તેમને માટે જ મુખ્ય કાર્ય કરે છે.
પ્રશ્ન: જો અહિંસા એ ઉંચામાં ઉંચું સત્ય હોય તે બાહ્ય જીવનમાં પણ એને પગ સફળ થવું જોઇએ. એટલા માટે જ